logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કેશોદમાં ‘બ્યુટીફીકેશન’ના નામે ખતરો! વોકળો સાંકડો બનાવી રહિશોને ચોમાસામાં ડૂબાડવાની તૈયારી – કામ બંધ નહીં થાય તો આંદોલન અને મતદાન બહિષ્કાર ની ચીમકી કેશોદ શહેરમાં વિકાસના નામે વિનાશ સર્જાતો હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. વોર્ડ નંબર ૫ અને ૬ ને જોડતા ડી.પી. રોડથી શેખ ગેરેજ સુધીના વોકળામાં ચાલી રહેલા બ્યુટીફીકેશન અને વોકવેના કામ સામે સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેશોદના વોર્ડ નં. ૬ ના રહિશો દ્વારા કરવામાં આવેલી લેખિત અરજીમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ટીલોળી નદી તરીકે ઓળખાતા આ વોકળામાં મેસવાણ અને કેવદ્રા વિસ્તારનું સમગ્ર વરસાદી પાણી આવે છે, જે ચોમાસામાં છલોછલ ભરાઈ જાય છે. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ છે જ્યારે અંડરબ્રિજ બન્યા બાદ મેસવાણ ગાળીનુ તમામ પાણી હવે આ જ વોકળામાં આવી રહ્યું છે. ગયા વર્ષે ભારે વરસાદ દરમિયાન આ જ વોકળાના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું હતું અને જીવન મુશ્કેલ બન્યું હતું. હાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું બ્યુટીફીકેશન કામ લોકો માટે સુવિધા નહીં પરંતુ સંકટ બની રહ્યું છે. વોકળામાંથી કાઢેલો ગાર બન્ને બાજુ ચડાવી દેવાયો છે, પરંતુ વોકળાને પહોળો કે ઊંડો કરવામાં આવ્યો નથી. પરિણામે વોકળો વધુ સાંકડો બની રહ્યો છે. અને કામગીરી કરવામાં આવી રહી છે તે પણ લોટ પાણી ને લાકડા જેવી પરિસ્થિતિ છે. રહિશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, જો આ જ રીતે કામ ચાલુ રહેશે તો આવનારા ચોમાસામાં પાણી સીધું જ ઘરોમાં ઘૂસી જશે અને વિસ્તારના લોકો માટે કાયમી મુશ્કેલી ઉભી થશે. “તાત્કાલિક કામ બંધ કરો, પહેલા વોકળો પહોળો અને ઊંડો બનાવો… નહીં તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.” રહિશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન સાથે મતદાનનો બહિષ્કાર પણ કરશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર જાગે છે કે પછી આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટ શહેર માટે વિનાશનો કારણ બનશે. કેશોદમાંથી આ એક મોટી ચેતવણી છે—વિકાસના નામે જો લોકોની સુરક્ષા સાથે ખેલ થાય ત્યારે હવે વિશેષ નગરપાલિકા શું કાયમગીરી બતાવશે એ તો સમય બતાવશે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

7 hrs ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter Keshod, Junagadh•
7 hrs ago

કેશોદમાં ‘બ્યુટીફીકેશન’ના નામે ખતરો! વોકળો સાંકડો બનાવી રહિશોને ચોમાસામાં ડૂબાડવાની તૈયારી – કામ બંધ નહીં થાય તો આંદોલન અને મતદાન બહિષ્કાર ની ચીમકી કેશોદ શહેરમાં વિકાસના નામે વિનાશ સર્જાતો હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. વોર્ડ નંબર ૫ અને ૬ ને જોડતા ડી.પી. રોડથી શેખ ગેરેજ સુધીના વોકળામાં ચાલી રહેલા બ્યુટીફીકેશન અને વોકવેના કામ સામે સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેશોદના વોર્ડ નં. ૬ ના રહિશો દ્વારા કરવામાં આવેલી લેખિત અરજીમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા

8a0d964f-3c09-468e-b629-a729886b159b

છે. ટીલોળી નદી તરીકે ઓળખાતા આ વોકળામાં મેસવાણ અને કેવદ્રા વિસ્તારનું સમગ્ર વરસાદી પાણી આવે છે, જે ચોમાસામાં છલોછલ ભરાઈ જાય છે. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ છે જ્યારે અંડરબ્રિજ બન્યા બાદ મેસવાણ ગાળીનુ તમામ પાણી હવે આ જ વોકળામાં આવી રહ્યું છે. ગયા વર્ષે ભારે વરસાદ દરમિયાન આ જ વોકળાના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું હતું અને જીવન મુશ્કેલ બન્યું હતું. હાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું બ્યુટીફીકેશન કામ લોકો માટે સુવિધા નહીં પરંતુ સંકટ

બની રહ્યું છે. વોકળામાંથી કાઢેલો ગાર બન્ને બાજુ ચડાવી દેવાયો છે, પરંતુ વોકળાને પહોળો કે ઊંડો કરવામાં આવ્યો નથી. પરિણામે વોકળો વધુ સાંકડો બની રહ્યો છે. અને કામગીરી કરવામાં આવી રહી છે તે પણ લોટ પાણી ને લાકડા જેવી પરિસ્થિતિ છે. રહિશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, જો આ જ રીતે કામ ચાલુ રહેશે તો આવનારા ચોમાસામાં પાણી સીધું જ ઘરોમાં ઘૂસી જશે અને વિસ્તારના લોકો માટે કાયમી મુશ્કેલી ઉભી થશે. “તાત્કાલિક કામ બંધ કરો, પહેલા વોકળો પહોળો અને ઊંડો

બનાવો… નહીં તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.” રહિશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન સાથે મતદાનનો બહિષ્કાર પણ કરશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર જાગે છે કે પછી આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટ શહેર માટે વિનાશનો કારણ બનશે. કેશોદમાંથી આ એક મોટી ચેતવણી છે—વિકાસના નામે જો લોકોની સુરક્ષા સાથે ખેલ થાય ત્યારે હવે વિશેષ નગરપાલિકા શું કાયમગીરી બતાવશે એ તો સમય બતાવશે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

More news from Junagadh and nearby areas
  • કેશોદ, તા. 02 કેશોદ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી માટે ઝટકો તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા તરીકે સેવાઓ આપનાર શ્રીમતી વિજૂબેન મનીષભાઈ યુડાસમાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. વિજૂબેન યુડાસમાએ પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પક્ષ સાથે જોડાયા બાદ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કામ કરતા રહ્યા હતા. છતાં કેટલાક પ્રસંગોમાં તેઓ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શક્યા નથી, જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. તેમણે પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ મનીષભાઈ નગાભાઈ યુડાસમાએ પણ પક્ષની સક્રિય કામગીરીમાંથી દૂર થવાનો નિર્ણય જાહેર કર્યો છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં વધુ ગરમાયું છે. વિજૂબેન યુડાસમાના આ નિર્ણયને કારણે કેશોદ તાલુકા કોંગ્રેસમાં રાજકીય હલચલ મચી છે. આગામી સમયમાં આ રાજીનામાનો શું પ્રભાવ પડશે તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    3
    કેશોદ, તા. 02
કેશોદ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી માટે ઝટકો 
તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા તરીકે સેવાઓ આપનાર શ્રીમતી વિજૂબેન મનીષભાઈ યુડાસમાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.
વિજૂબેન યુડાસમાએ પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પક્ષ સાથે જોડાયા બાદ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કામ કરતા રહ્યા હતા.
છતાં કેટલાક પ્રસંગોમાં તેઓ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શક્યા નથી, જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. તેમણે પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે.
આ સાથે જ  મનીષભાઈ નગાભાઈ યુડાસમાએ પણ પક્ષની સક્રિય કામગીરીમાંથી દૂર થવાનો નિર્ણય જાહેર કર્યો છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં વધુ ગરમાયું છે.
વિજૂબેન યુડાસમાના આ નિર્ણયને કારણે કેશોદ તાલુકા કોંગ્રેસમાં રાજકીય હલચલ મચી છે.
આગામી સમયમાં આ રાજીનામાનો શું પ્રભાવ પડશે તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે.
હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    5 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    9 hrs ago
  • માંગરોળ પોલીસ મથકમાં નોંધાયેલી વિગતો અનુસાર, ગત તારીખ ૧ના રોજ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં જામખંભાળિયા ગામે એક પરિણીતાને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ માંગરોળના લોએજ ગામે રહેતા હેમીબેન સોલંકીએ ગીર સોમનાથના ચાંડુવાવ ગામે રહેતા તેમના પતિ જીગ્નેશભાઈ ભીમશીભાઈ સોલંકી અને જોષનાબેન સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ આરોપીઓ ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણા મારતા હતા તેમજ પિયરમાંથી કંઈ લાવ્યા ન હોવાનું કહી પરિણીતાને ઢીકાપાટુનો માર મારી અત્યાચાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    માંગરોળ પોલીસ મથકમાં નોંધાયેલી વિગતો અનુસાર, ગત તારીખ ૧ના રોજ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં જામખંભાળિયા ગામે એક પરિણીતાને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ માંગરોળના લોએજ ગામે રહેતા હેમીબેન સોલંકીએ ગીર સોમનાથના ચાંડુવાવ ગામે રહેતા તેમના પતિ જીગ્નેશભાઈ ભીમશીભાઈ સોલંકી અને જોષનાબેન સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ આરોપીઓ ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણા મારતા હતા તેમજ પિયરમાંથી કંઈ લાવ્યા ન હોવાનું કહી પરિણીતાને ઢીકાપાટુનો માર મારી અત્યાચાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    7 hrs ago
  • અમદાવાદમાં દારૂબંધી વચ્ચે ફરી બુટલેગરનો વીડિયો વાઈરલ સાબરમતી વિસ્તારમાં ઘરમાં બેસીને દેશી દારૂનું પેકિંગ બે બૂટલેગર સાથે બે મહિલાઓ પણ દારૂની પોટલીઓ ભરતી દેખાઈ સોશિયલ મીડિયામાં વીડિયો થઈ રહ્યો છે વાયરલ સરસ્વતીનગરમાંથી મોટી સંખ્યામાં દારૂની થેલીઓ તૈયાર થતી બૂટલેગર ભરત ઠાકોર સામે પોલીસ દ્વારા ગુનો નોંધાયો સાબરમતી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
    1
    અમદાવાદમાં દારૂબંધી વચ્ચે ફરી બુટલેગરનો વીડિયો વાઈરલ
સાબરમતી વિસ્તારમાં ઘરમાં બેસીને દેશી દારૂનું પેકિંગ બે બૂટલેગર સાથે બે મહિલાઓ પણ દારૂની પોટલીઓ ભરતી દેખાઈ સોશિયલ મીડિયામાં વીડિયો થઈ રહ્યો છે વાયરલ સરસ્વતીનગરમાંથી મોટી સંખ્યામાં દારૂની થેલીઓ તૈયાર થતી બૂટલેગર ભરત ઠાકોર સામે પોલીસ દ્વારા ગુનો નોંધાયો સાબરમતી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    2 hrs ago
  • Post by Bkp News
    1
    Post by Bkp News
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • જામનગરનાં કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા પરિમલભાઈ પંડયા
    1
    જામનગરનાં કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા પરિમલભાઈ પંડયા
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    23 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • કેશોદ તાલુકાના બાલાગામ ગામના રહેવાસી વશરામભાઈ સાજણભાઈ વાઢેર અને તેમના પરિવાર દ્વારા પોતાના રહેણાંક મકાન સુધી જતાં રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવા માટે લાંબા સમયથી લડત ચાલી રહી છે. પરિવાર દ્વારા ગ્રામ પંચાયતથી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે રસ્તા પર થયેલા દબાણના કારણે પરિવારને પોતાના ઘર સુધી જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ રજૂઆતો છતાં પણ કોઈ ઉકેલ ન આવતા, અંતે પરિવાર કેશોદ પ્રાંત કચેરી ખાતે અમરણાંત ઉપવાસ પર બેસવા મજબૂર બન્યો છે. પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી રસ્તા બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય, ત્યાં સુધી તેઓ શાંતિપૂર્ણ ઉપવાસ ચાલુ રાખશે. “અમારા રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે. અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. તેથી અમે મજબૂરીમાં ઉપવાસ પર બેઠા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખીશું.” પરિવારએ આ પણ જણાવ્યું છે કે ઉપવાસ દરમિયાન જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે અને પરિવારને ન્યાય મળે છે કે નહીં. ✍️ સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ
    4
    કેશોદ તાલુકાના બાલાગામ ગામના રહેવાસી વશરામભાઈ સાજણભાઈ વાઢેર અને તેમના પરિવાર દ્વારા પોતાના રહેણાંક મકાન સુધી જતાં રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવા માટે લાંબા સમયથી લડત ચાલી રહી છે.
પરિવાર દ્વારા ગ્રામ પંચાયતથી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે રસ્તા પર થયેલા દબાણના કારણે પરિવારને પોતાના ઘર સુધી જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ તમામ રજૂઆતો છતાં પણ કોઈ ઉકેલ ન આવતા, અંતે પરિવાર કેશોદ પ્રાંત કચેરી ખાતે અમરણાંત ઉપવાસ પર બેસવા મજબૂર બન્યો છે.
પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી રસ્તા બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય, ત્યાં સુધી તેઓ શાંતિપૂર્ણ ઉપવાસ ચાલુ રાખશે.
“અમારા રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે. અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. તેથી અમે મજબૂરીમાં ઉપવાસ પર બેઠા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખીશું.”
પરિવારએ આ પણ જણાવ્યું છે કે ઉપવાસ દરમિયાન જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે અને પરિવારને ન્યાય મળે છે કે નહીં.
✍️ સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.