*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ૨૦૨૬ બનાસકાંઠા* ======== *બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ તેજ: ૧૦ તાલુકાઓમાં વહીવટી તંત્ર સજ્જ* ========= *બનાસકાંઠામાં ૧૪.૪૦ લાખથી વધુ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ* ========== બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને તૈયારીઓ તેજ ગતિએ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં પાલનપુર, વડગામ, દાંતા, હડાદ, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ઓગડ, ધાનેરા અને દાંતીવાડા તાલુકાનો સમાવેશ થાય છે, જ્યાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોની સુવિધાઓ, સ્ટાફની નિમણૂક, સુરક્ષા વ્યવસ્થા તેમજ જરૂરી સામગ્રીની ઉપલબ્ધતા અંગે વિસ્તૃત કામગીરી હાથ ધરાઈ છે. સાથે જ મતદારોને સરળતાથી મતદાન કરી શકે તે માટે દરેક તાલુકામાં સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે. મતદારોની સંખ્યા પર નજર કરીએ તો, બનાસકાંઠા જિલ્લાના આ ૧૦ તાલુકાઓમાં કુલ ૧૪,૪૦,૪૨૩ મતદારો નોંધાયેલા છે. જેમાં ૭,૪૯,૩૦૦ પુરુષ મતદારો, ૬,૯૧,૧૧૧ સ્ત્રી મતદારો તથા ૧૨ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. સૌથી વધુ મતદારો પાલનપુર તાલુકામાં ૨,૪૩,૫૦૨ અને ડીસા તાલુકામાં ૧,૦૮,૪૨૧ નોંધાયેલા છે. યુવા અને મહિલા મતદારોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા વિશેષ અભિયાન પણ હાથ ધરાયું છે, જેથી લોકશાહીના આ પર્વમાં મહત્તમ મતદાન નોંધાય.
*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ૨૦૨૬ બનાસકાંઠા* ======== *બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ તેજ: ૧૦ તાલુકાઓમાં વહીવટી તંત્ર સજ્જ* ========= *બનાસકાંઠામાં ૧૪.૪૦ લાખથી વધુ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ* ========== બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને તૈયારીઓ તેજ ગતિએ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં પાલનપુર, વડગામ, દાંતા, હડાદ, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ઓગડ, ધાનેરા અને દાંતીવાડા તાલુકાનો સમાવેશ થાય છે, જ્યાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોની સુવિધાઓ, સ્ટાફની નિમણૂક, સુરક્ષા વ્યવસ્થા તેમજ જરૂરી સામગ્રીની ઉપલબ્ધતા અંગે વિસ્તૃત કામગીરી હાથ ધરાઈ છે. સાથે જ મતદારોને સરળતાથી મતદાન કરી શકે તે માટે દરેક તાલુકામાં સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે. મતદારોની સંખ્યા પર નજર કરીએ તો, બનાસકાંઠા જિલ્લાના આ ૧૦ તાલુકાઓમાં કુલ ૧૪,૪૦,૪૨૩ મતદારો નોંધાયેલા છે. જેમાં ૭,૪૯,૩૦૦ પુરુષ મતદારો, ૬,૯૧,૧૧૧ સ્ત્રી મતદારો તથા ૧૨ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. સૌથી વધુ મતદારો પાલનપુર તાલુકામાં ૨,૪૩,૫૦૨ અને ડીસા તાલુકામાં ૧,૦૮,૪૨૧ નોંધાયેલા છે. યુવા અને મહિલા મતદારોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા વિશેષ અભિયાન પણ હાથ ધરાયું છે, જેથી લોકશાહીના આ પર્વમાં મહત્તમ મતદાન નોંધાય.
- વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી નો માહોલ જામ્યો છે જેમાં દિયોદર તાલુકામાં પણ ચુંટણી ના ગરમાવો વચ્ચે પ્રચાર જોર સોર થી ચાલી રહ્યા છે જ્યાં દિયોદર તાલુકાના ગોલવી ગામે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા રાંટીલા સીટ ના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે જંગી સભા ને સંબોધી હતી2
- વાવ થરાદ જિલ્લા મથકના થરાદ થી ઢીમા ગામને જોડતો મુખ્ય રસ્તા ઉપર રોડની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન એક ટ્રક ક્યાં રોડ વચ્ચે ફસાઈ જતા કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ ગયા છે જેને લઈને વાહન ચાલકો તેમજ ઈમરજન્સી બહાર નીકળવા વાળા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા1
- લોકપ્રિય લોક ગાયિકા કાજલ મહેરિયા એ પોતાના લગ્ન અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે પોતાની મરજીથી અને પુખ્તવયે લગ્ન કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મેં કોઈપણ પ્રકારના દબાણ કે ધમકી હેઠળ લગ્ન કર્યા નથી.” આગળ તેમણે ઉમેર્યું કે, “હું દોઢ વર્ષથી અલ્પેશ સાથે સંબંધમાં હતી અને અમારી સહમતીથી જ આ નિર્ણય લીધો છે.” કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે તેમના પરિવારને આ બાબતે પૂર્વ જાણ કરી હતી, પરંતુ પરિવારનો સંપૂર્ણ રાજીપો નહોતો. તેમ છતાં, તેમણે પોતાના જીવનનો નિર્ણય સ્વતંત્ર રીતે લીધો હોવાનું જણાવ્યું. આ સમગ્ર મામલે ચાલી રહેલી અફવાઓ અંગે પ્રતિક્રિયા આપતા કાજલ મહેરિયાએ કહ્યું કે, “હદનો છેડો પાર થયો હોય એમ લાગે છે. કૃપા કરીને ખોટી વાતો પર વિશ્વાસ ન રાખવો.” અંતમાં તેમણે તમામ ચાહકો અને જનતાને અપીલ કરી કે તેઓ સત્ય માહિતી પર જ વિશ્વાસ રાખે અને તેમની વ્યક્તિગત જીવનને લઈને ફેલાતી અફવાઓથી દૂર રહે.1
- વાવ થરાદ... ભાભરના સનેસડા ગામમાં ચૂંટણી લક્ષી વિકાસ સંકલ્પ સભા યોજાઈ.. સભા પૂર્ણ થતા જ કાર્યકરોએ મંત્રી સ્વરૂપજી ઠાકોરને ઘેર્યા.. કેનાલમાં પાણી પુરતું ન મળતા ઘેરી લીધા મંત્રીને.. કાર્યકરોએ કહ્યું આમને પાણી નઈ મળે તો 700 મત આપણને નથી મળતા.. મંત્રીએ ક્યું તો શું કોગ્રેસ આપશે પાણી અમારે જ આપવાનું છે.. તીર્થગામ અને ખારા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હોવાનું રજૂઆત કાર્યકરો ની.. ભાજપના જ કાર્યકરોએ રાજ્ય કક્ષાના ખાદી ફૂટીર અને ગ્રામોધોગ મંત્રી સ્વરૂપજી ઠાકોર ને ઘેર્યા નો વિડીયો આવ્યો સામે..1
- Post by Pankaj Parmar1
- બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે ચકચારી ઘટના સામે આવી છે. શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે.1
- 🖋️પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.3
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1