Shuru
Apke Nagar Ki App…
Pooja patel
More news from Gujarat and nearby areas
- Post by Pooja patel1
- વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી *વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી* લવાલ (ખેડા): સંતાનો દ્વારા ત્યજાયેલા વડીલો માટે છેલ્લું આશ્રયસ્થાન બનેલા ખેડા જિલ્લાના લવાલ ગામે આવેલા "ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ"ની વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સામાજિક કાર્યકર્તા તરુણ પટેલે હૃદયસ્પર્શી મુલાકાત લીધી હતી. મહિપતસિંહ ચૌહાણ "બાપુ" દ્વારા ચલાવવામાં આવતા આ આશ્રમમાં આજે વધુ થીવધુ એવા વડીલો આશરો લઈ રહ્યા છે જેમને તેમના પોતાના સંતાનોએ જ ઘરમાંથી કાઢી મૂક્યા છે. બાપુ આ સ્થળને "ધરતીનો છેડો" કહે છે કારણ કે અહીં આવ્યા પછી વડીલો માટે આ જ ધરતી પરનું છેલ્લું ઠેકાણું હોય છે. બાપુ અને તેમની ટીમ દ્વારા અહીં વડીલોના ભોજન, દવા, સ્નાન અને આરોગ્યની પળેપળની કાળજી રાખવામાં આવે છે. તરુણ પટેલે આશ્રમમાં પહોંચીને દરેક વડીલની રૂમમાં જઈને તેમની ખબરઅંતર પૂછી હતી અને કલાકો સુધી તેમની સાથે બેસીને તેમની વ્યથા સાંભળી હતી. ઘણા વડીલોએ પોતાના સંતાનોના દુર્વ્યવહારની વાત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. તરુણ પટેલે દરેક વડીલને શ્રીમદ્ ભગવદ્ ગીતાની પ્રત ભેટ આપી હતી અને કહ્યું હતું કે એકલવાયા સમયમાં આ ગીતા જ સાચી સાથી બનશે. મુલાકાત બાદ તરુણ પટેલે ભાવુક થતા જણાવ્યું કે મહિપતસિંહ બાપુએ સેવાનો જે માર્ગ ચીંધ્યો છે તે પ્રેરણાદાયી છે, પણ સાથે સાથે આ સમાજ માટે શરમજનક પણ છે કે વડીલોને "ધરતીનો છેડો" સુધી આવવું પડે છે. તેમણે સમાજને અપીલ કરી કે પ્રભુને એટલી જ પ્રાર્થના છે કે ક્યારેય કોઈ વ્યક્તિને વૃદ્ધાશ્રમ જવાની નોબત ન આવે અને દરેક વડીલને પોતાના ઘરમાં જ સંતાનો તરફથી પ્રેમ અને સન્માન મળે. ઘર જ દરેક વડીલ માટે સાચો "ધરતીનો છેડો" એટલે કે સુખ-શાંતિનું છેલ્લું સ્થાન બનવું જોઈએ. આ પ્રસંગે વડીલોએ તરુણ પટેલને દીર્ઘાયુ અને સમાજસેવાના કાર્યો કરતા રહેવાના આશીર્વાદ પાઠવ્યા હતા.1
- Post by Pankaj Parmar1
- કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ Report By Prashant Leuva1
- ગુજરાતના એક ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ કૃષિમંત્રીને પત્ર લખીને સરકાર માન્ય ગાંજાની ખેતી કરવાની મંજૂરી માંગી છે. વધતા ખેતી ખર્ચ અને પરંપરાગત પાકોના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે તેમણે આ અનોખી માંગ કરી છે. ખેડૂતે સવાલ ઉઠાવ્યો છે કે દારૂ વેચનારા અને હથિયારધારકોને પરમિશન મળે તો ખેડૂતોને કેમ નહીં.1
- બનાસકાંઠા પોલીસ lcb દ્વારા રાજસ્થાન રાજય ર્નિમિત ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ-૨૩૬૦ કીમત રૂ.૫,૬૮,૬૫૭/- મળી કુલ રૂ.૨૦, ૭૮,૬૫૭/- ના મુદામાલ કબજે લેવામાં આવેલ, અને પકડાયેલ આરોપી દ્રારા ફોર્ચ્યુનર ગાડીના સાચા નંબરની જગ્યાએ બનાવટી નંબરની નંબર પ્લેટ લગાવી ગુનો કરેલ હોય, પકડાયેલ આરોપી તથા દારૂ ભરાવનાર તથા મંગાવનાર ઇસમો તથા બનાવટી નંબર પ્લેટ સબંધે પ્રોહીબીશન તથા ભારતીય ન્યાય સંહીતાની અલગ અલગ કલમો હેઠળ પાંથાવાડા પો.સ્ટે.માં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- Post by Pankaj Parmar1