logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

MSP મુજબ ધાન્ય ખરીદીના નિર્ણય અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે ચણા અને રાયની ટેકાના ભાવેથી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો MSP મુજબ ધાન્ય ખરીદીના નિર્ણય અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે ચણા અને રાયની ટેકાના ભાવેથી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો આ ખરીદી ૨૩ માર્ચથી શરૂ થશે. ચણા માટે ૧૬૫ કેન્દ્રો અને રાય માટે ૬૦ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. કુલ ૨.૬૮ લાખથી વધુ ખેડૂતો ચણા માટે અને આશરે ૩૭ હજારથી વધુ ખેડૂતો રાય માટે નોંધણી કરાવી ચૂક્યા છે. ચણાનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૧૭૫ /- રૂપિયા અને રાયનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૩૦૦/- રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

2 hrs ago
user_દિવાકર બન્ના
દિવાકર બન્ના
ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
2 hrs ago

MSP મુજબ ધાન્ય ખરીદીના નિર્ણય અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે ચણા અને રાયની ટેકાના ભાવેથી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો MSP મુજબ ધાન્ય ખરીદીના નિર્ણય અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે ચણા અને રાયની ટેકાના ભાવેથી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો આ ખરીદી ૨૩ માર્ચથી શરૂ થશે. ચણા માટે ૧૬૫ કેન્દ્રો અને રાય માટે ૬૦ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. કુલ ૨.૬૮ લાખથી વધુ ખેડૂતો ચણા માટે અને આશરે ૩૭ હજારથી વધુ ખેડૂતો રાય માટે નોંધણી કરાવી ચૂક્યા છે. ચણાનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૧૭૫ /- રૂપિયા અને રાયનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૩૦૦/- રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

More news from Sabar Kantha and nearby areas
  • ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠાના વાતાવરણમાં નોંધાયો પલટો
    1
    ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠાના વાતાવરણમાં નોંધાયો પલટો
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    1 hr ago
  • MSP મુજબ ધાન્ય ખરીદીના નિર્ણય અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે ચણા અને રાયની ટેકાના ભાવેથી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો આ ખરીદી ૨૩ માર્ચથી શરૂ થશે. ચણા માટે ૧૬૫ કેન્દ્રો અને રાય માટે ૬૦ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. કુલ ૨.૬૮ લાખથી વધુ ખેડૂતો ચણા માટે અને આશરે ૩૭ હજારથી વધુ ખેડૂતો રાય માટે નોંધણી કરાવી ચૂક્યા છે. ચણાનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૧૭૫ /- રૂપિયા અને રાયનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૩૦૦/- રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
    1
    MSP મુજબ ધાન્ય ખરીદીના નિર્ણય અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે ચણા અને રાયની ટેકાના ભાવેથી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો
આ ખરીદી ૨૩ માર્ચથી શરૂ થશે. ચણા માટે ૧૬૫ કેન્દ્રો અને રાય માટે ૬૦ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. કુલ ૨.૬૮ લાખથી વધુ ખેડૂતો ચણા માટે અને આશરે ૩૭ હજારથી વધુ ખેડૂતો રાય માટે નોંધણી કરાવી ચૂક્યા છે.
ચણાનો ૧ મણ નો ટેકાનો ભાવ  ૧૧૭૫ /- રૂપિયા અને રાયનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૩૦૦/- રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આપેલા આગાહી ના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના લય ખેડૂતોમાં દોડધામ બચી જવા પામેલ
    1
    હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આપેલા આગાહી ના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના લય ખેડૂતોમાં દોડધામ બચી જવા પામેલ
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    5 hrs ago
  • આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના બાળકો મોબાઈલ અને ગેજેટ્સ પાછળ સમય વિતાવે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક શહેર ઈડરના એક સાડા ત્રણ વર્ષના બાળકે પોતાની વિલક્ષણ પ્રતિભાથી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર ૩.૫ વર્ષની વય ધરાવતા કાર્તિક વિકાસકુમાર મોટવાણીએ સંસ્કૃત શ્લોકોના સચોટ અને આત્મવિશ્વાસપૂર્ણ પઠન દ્વારા 'નેશનલ રેકોર્ડ' સ્થાપિત કર્યો છે. ચાઈલ્ડ ડ્રીમ બૂસ્ટર હબ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન કાર્તિકની અદભૂત યાદશક્તિ અને એકાગ્રતાની નોંધ લેતા 'ચાઈલ્ડ ડ્રીમ બૂસ્ટર હબ બુક ઓફ રેકોર્ડ્સ' દ્વારા તેને સત્તાવાર રીતે નેશનલ રેકોર્ડ હોલ્ડર જાહેર કરવામાં આવ્યો છે. કાર્તિકે માત્ર ૩ મિનિટના અત્યંત ટૂંકા ગાળામાં સંસ્કૃતના ૭ જટિલ શ્લોકોનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે પઠન કર્યું હતું, જે જોઈને રેકોર્ડ બુકના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ધાર્મિક ગ્રંથોમાં અગાધ રુચિ પરિવારજનોના જણાવ્યા અનુસાર, ૦૬ માર્ચ ૨૦૨૬ના રોજ આ સિદ્ધિને સત્તાવાર મહોર લાગી હતી. કાર્તિક માત્ર શ્લોકો જ નહીં, પણ રામાયણ, મહાભારત અને શિવ પુરાણના કઠિન અંશો તેમજ હનુમાન ચાલીસા પણ મુખપાઠ બોલે છે. પિતા વિકાસભાઈ અને માતા રિતિકાબેન મોટવાણીએ જણાવ્યું હતું કે, કાર્તિકને નાનપણથી જ ધાર્મિક મંત્રો અને શ્લોકો સાંભળવામાં વિશેષ રુચિ હતી, જેને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં આવ્યો છે. પરિવાર અને શહેરમાં ખુશીનો માહોલ નાનકડા કાર્તિકની આ સફળતાને પગલે તેના નાની મીનાબેન અને કાજલબેન સહિત સમગ્ર મોટવાણી પરિવારમાં અને ઈડર શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઈડરના આ 'લિટલ માસ્ટર'ની સિદ્ધિ એ સાબિત કરે છે કે જો બાળપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે, તો પ્રતિભા ઉંમરની મહોતાજ નથી હોતી. આ નાનકડા બાળકની સિદ્ધિ બદલ સમગ્ર પંથકમાંથી તેના પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે અને લોકો તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી રહ્યા છે.
    2
    આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના બાળકો મોબાઈલ અને ગેજેટ્સ પાછળ સમય વિતાવે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક શહેર ઈડરના એક સાડા ત્રણ વર્ષના બાળકે પોતાની વિલક્ષણ પ્રતિભાથી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર ૩.૫ વર્ષની વય ધરાવતા કાર્તિક વિકાસકુમાર મોટવાણીએ સંસ્કૃત શ્લોકોના સચોટ અને આત્મવિશ્વાસપૂર્ણ પઠન દ્વારા 'નેશનલ રેકોર્ડ' સ્થાપિત કર્યો છે.
ચાઈલ્ડ ડ્રીમ બૂસ્ટર હબ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન કાર્તિકની અદભૂત યાદશક્તિ અને એકાગ્રતાની નોંધ લેતા 'ચાઈલ્ડ ડ્રીમ બૂસ્ટર હબ બુક ઓફ રેકોર્ડ્સ' દ્વારા તેને સત્તાવાર રીતે નેશનલ રેકોર્ડ હોલ્ડર જાહેર કરવામાં આવ્યો છે. કાર્તિકે માત્ર ૩ મિનિટના અત્યંત ટૂંકા ગાળામાં સંસ્કૃતના ૭ જટિલ શ્લોકોનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે પઠન કર્યું હતું, જે જોઈને રેકોર્ડ બુકના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
ધાર્મિક ગ્રંથોમાં અગાધ રુચિ પરિવારજનોના જણાવ્યા અનુસાર, ૦૬ માર્ચ ૨૦૨૬ના રોજ આ સિદ્ધિને સત્તાવાર મહોર લાગી હતી. કાર્તિક માત્ર શ્લોકો જ નહીં, પણ રામાયણ, મહાભારત અને શિવ પુરાણના કઠિન અંશો તેમજ હનુમાન ચાલીસા પણ મુખપાઠ બોલે છે. પિતા વિકાસભાઈ અને માતા રિતિકાબેન મોટવાણીએ જણાવ્યું હતું કે, કાર્તિકને નાનપણથી જ ધાર્મિક મંત્રો અને શ્લોકો સાંભળવામાં વિશેષ રુચિ હતી, જેને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં આવ્યો છે.
પરિવાર અને શહેરમાં ખુશીનો માહોલ નાનકડા કાર્તિકની આ સફળતાને પગલે તેના નાની મીનાબેન અને કાજલબેન સહિત સમગ્ર મોટવાણી પરિવારમાં અને ઈડર શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઈડરના આ 'લિટલ માસ્ટર'ની સિદ્ધિ એ સાબિત કરે છે કે જો બાળપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે, તો પ્રતિભા ઉંમરની મહોતાજ નથી હોતી.
આ નાનકડા બાળકની સિદ્ધિ બદલ સમગ્ર પંથકમાંથી તેના પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે અને લોકો તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી રહ્યા છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • હવામાન વિભાગની આગાહીના પગલે પોશીના તાલુકામાં તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આ પેલ આગાહીના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના ને લઇ ખેડૂતોમાં દોડતા મચી જવા પામેલા હાલમાં ઘઉંની કાપણી ચાલી રહી હોય તેમ જ મોટાભાગના ખેડૂતો દ્વારા ખેતરમાં ઘઉંનો પાક કાપીને રાખવામાં આવેલ હોય ત્યારે જો વરસાદ થશે તો ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે
    1
    હવામાન વિભાગની આગાહીના પગલે પોશીના તાલુકામાં તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો 
હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આ પેલ આગાહીના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના ને લઇ ખેડૂતોમાં દોડતા મચી જવા પામેલા હાલમાં ઘઉંની કાપણી ચાલી રહી હોય તેમ જ મોટાભાગના ખેડૂતો દ્વારા ખેતરમાં ઘઉંનો પાક કાપીને રાખવામાં આવેલ હોય ત્યારે જો વરસાદ થશે તો ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    5 hrs ago
  • વડગામ ગાયત્રી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે ઘટસ્થાપના કરવામાં આવી.
    1
    વડગામ ગાયત્રી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે ઘટસ્થાપના કરવામાં આવી.
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • વિજાપુર: હિંમતનગરથી વતન જતા દરમિયાન ઇક્કોમાં બેઠેલા અજાણ્યા ચોરોએ રૂ. ૫.૨૦ લાખના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક અજાણ્યા ચોરોએ ઈકોમાં બેઠેલા પરિવારની નજર ચુકાવીને મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી લીધી હતી. આ ઘટના ગત ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બપોરના આશરે ૩ વાગ્યાના સુમારે હિંમતનગર મહેતાપુરા થી આનંદપુરા ચોકડી વચ્ચેના રસ્તા પર બની હતી. ફરિયાદીએ આજે (૧૭ માર્ચ ૨૦૨૬) આજરોજ આ ચોરોને રસ્તા પર ઓળખીને પોલીસને જાણ કરી હતી. ફરિયાદી સંદીપસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉં. ૩૫) રહે. હિંમતનગર, મહેતાપુરા વિસ્તારે રહે છે અને તેઓ એક ખાનગી કંપનીમાં માર્કેટિંગની નોકરી કરે છે. તેઓ પત્ની તથા નાના દીકરા સાથે હિંમતનગરથી મૂળ વતન ગેરીતા (તા. વિજાપુર) જવા નીકળ્યા હતા. તેમણે પોતાના તથા પરિવારના સોના-ચાંદીના દાગીના એક થેલીમાં મૂકીને ઇક્કો ગાડીમાં મુસાફરી કરી હતી. ગાડીમાં તેઓ તથા પત્ની વચ્ચેની સીટ પર બેઠા હતા અને બે અજાણ્યા ઇસમો પણ બેઠા હતા. આનંદપુરા ચોકડી પાસે ઉતર્યા બાદ પ્રાઇવેટ વાહનથી વતન ગેરીતા પહોંચ્યા. બીજા દિવસે થેલી ખોલી તપાસ કરતાં દાગીના તથા રોકડ ગાયબ હોવાનું જણાયું. ચોરોએ નજર ચુકાવીને થેલીમાંથી સોનાના બુટ્ટી, ચુની, વિંટી, ઓમ, પેન્ડન્ટ તથા ચાંદીના છરા, વેટલા, કડા, લક્કી વગેરે ચોરી લીધા હતા. આ ઉપરાંત રોકડ રૂ. ૨૭,૦૦૦/- તથા બે બેંકના એ.ટી.એમ. કાર્ડ પણ ગુમ થયા હતા. કુલ નુકસાનીની રકમ રૂ. ૫,૨૦,૭૦૦/- આંકવામાં આવી છે. ફરિયાદીએ તે સમયે તાત્કાલિક ફરિયાદ ન કરી હતી, પરંતુ આજે રસ્તા પર ચોરોને ઓળખતા પોલીસને જાણ કરી અને તેમને સ્ટેશન ખાતે લાવીને ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૩(૨), ૫૪ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસનો હવાલો પો.સબ.ઇન્સ્પેક્ટર રવિદસિંહ રાયસિંહ બારીયાને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે અને ફરિયાદીના પરિવારના સભ્યો તથા સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે.
    1
    વિજાપુર: હિંમતનગરથી વતન જતા દરમિયાન ઇક્કોમાં બેઠેલા અજાણ્યા ચોરોએ રૂ. ૫.૨૦ લાખના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી
મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક અજાણ્યા ચોરોએ ઈકોમાં બેઠેલા પરિવારની નજર ચુકાવીને મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી લીધી હતી. આ ઘટના ગત ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બપોરના આશરે ૩ વાગ્યાના સુમારે હિંમતનગર મહેતાપુરા થી આનંદપુરા ચોકડી વચ્ચેના રસ્તા પર બની હતી. ફરિયાદીએ આજે (૧૭ માર્ચ ૨૦૨૬) આજરોજ આ ચોરોને રસ્તા પર ઓળખીને પોલીસને જાણ કરી હતી.
ફરિયાદી સંદીપસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉં. ૩૫) રહે. હિંમતનગર, મહેતાપુરા વિસ્તારે રહે છે અને તેઓ એક ખાનગી કંપનીમાં માર્કેટિંગની નોકરી કરે છે. તેઓ પત્ની તથા નાના દીકરા સાથે હિંમતનગરથી મૂળ વતન ગેરીતા (તા. વિજાપુર) જવા નીકળ્યા હતા. તેમણે પોતાના તથા પરિવારના સોના-ચાંદીના દાગીના એક થેલીમાં મૂકીને ઇક્કો ગાડીમાં મુસાફરી કરી હતી. ગાડીમાં તેઓ તથા પત્ની વચ્ચેની સીટ પર બેઠા હતા અને બે અજાણ્યા ઇસમો પણ બેઠા હતા.
આનંદપુરા ચોકડી પાસે ઉતર્યા બાદ પ્રાઇવેટ વાહનથી વતન ગેરીતા પહોંચ્યા. બીજા દિવસે થેલી ખોલી તપાસ કરતાં દાગીના તથા રોકડ ગાયબ હોવાનું જણાયું. ચોરોએ નજર ચુકાવીને થેલીમાંથી સોનાના બુટ્ટી, ચુની, વિંટી, ઓમ, પેન્ડન્ટ તથા ચાંદીના છરા, વેટલા, કડા, લક્કી વગેરે ચોરી લીધા હતા. આ ઉપરાંત રોકડ રૂ. ૨૭,૦૦૦/- તથા બે બેંકના એ.ટી.એમ. કાર્ડ પણ ગુમ થયા હતા. કુલ નુકસાનીની રકમ રૂ. ૫,૨૦,૭૦૦/- આંકવામાં આવી છે.
ફરિયાદીએ તે સમયે તાત્કાલિક ફરિયાદ ન કરી હતી, પરંતુ આજે રસ્તા પર ચોરોને ઓળખતા પોલીસને જાણ કરી અને તેમને સ્ટેશન ખાતે લાવીને ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૩(૨), ૫૪ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસનો હવાલો પો.સબ.ઇન્સ્પેક્ટર રવિદસિંહ રાયસિંહ બારીયાને સોંપવામાં આવ્યો છે.
પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે અને ફરિયાદીના પરિવારના સભ્યો તથા સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
  • પ્રસિદ્ધ યાત્રાધામ અને નાના અંબાજી તરીકે ખ્યાતનામ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં ગુરુવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. સવારે 6.30 કલાકે પ્રાતઃ મંગલા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7.15 થી 8.30 સુધી વિધિ વિધાન સાથે ઘટ સ્થાપન વિધિ સંપન્ન થઈ. આ પ્રસંગે ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટીઓ અને પૂજારી દ્વારા શ્રી યંત્રને 25 લીટર ગાયના દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પૂજા વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ. દેવી અંબિકાની નવે નવ દિવસ ઘટ સ્થાપન આગળ જ વિશેષ પૂજા કરવામાં આવશે. જવારા સહિત માતાજીની નવ દિવસ સુધી પૂજા-આરાધના કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રીને લઈ માતાજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. એકમથી નોમ સુધી ચૈત્રી નોરતામાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે માતાજી સમક્ષ જવારા વાવવામાં આવ્યા હતા.
    4
    પ્રસિદ્ધ યાત્રાધામ અને નાના અંબાજી તરીકે ખ્યાતનામ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં ગુરુવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. સવારે 6.30 કલાકે પ્રાતઃ મંગલા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7.15 થી 8.30 સુધી વિધિ વિધાન સાથે ઘટ સ્થાપન વિધિ સંપન્ન થઈ.
આ પ્રસંગે ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટીઓ અને પૂજારી દ્વારા શ્રી યંત્રને 25 લીટર ગાયના દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પૂજા વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ.
દેવી અંબિકાની નવે નવ દિવસ ઘટ સ્થાપન આગળ જ વિશેષ પૂજા કરવામાં આવશે. જવારા સહિત માતાજીની નવ દિવસ સુધી પૂજા-આરાધના કરવામાં આવશે.
ચૈત્રી નવરાત્રીને લઈ માતાજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. એકમથી નોમ સુધી ચૈત્રી નોરતામાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે માતાજી સમક્ષ જવારા વાવવામાં આવ્યા હતા.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.