logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટી ગામે 22 જૂન, 2026 ના રોજ ખેડૂતો સાથે એક મહત્વપૂર્ણ પરિસંવાદ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એગ્રીક્લચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી, આગખાન સમર્થ કાર્યક્રમ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો અને આયોજક સંસ્થાઓ વચ્ચે ખેતી વિષયક ગોષ્ટીની આપલે કરવાનો હતો, જેમાં તમામ વક્તાઓએ પ્રાકૃતિક કૃષિ વિકાસ પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન, આગખાન સંસ્થાના હરપાલસિંહે ખેડૂતોને પોતાના વાડાઓમાં પ્રાકૃતિક શાકભાજી ઉગાડીને પોષ્ટિક શાકભાજી વાપરવા અને ખર્ચમાં બચત કરવા જણાવ્યું હતું. જગદીશભાઈ ગામિતે મહિલાઓના જૂથોમાં જોડાવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી. મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત પ્રગતિશીલ ખેડૂત ઉષાબેને મહિલા જાગૃતિ પર ખાસ ભાર મૂક્યો હતો. આત્મા પ્રોજેક્ટના સાગબારા તાલુકા બ્લોક મેનેજર જયસિંગ બારીયાએ દેશી ગાય આધારિત ખેતી અને તેના વિવિધ ફાયદાઓ સમજાવ્યા હતા. GPKVB ના CRP આનંદભાઈ વસાવાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાનો અનુભવ મેળવવા પ્રોત્સાહિત કર્યા, જ્યારે કૃષિ સખી લત્તાબેને પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ચાલી રહેલી ફોર્મ ભરવાની કામગીરીમાં સહકાર આપવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો અને કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ તેમને મુંઝવતા સવાલોના જવાબો પણ મેળવ્યા હતા. આમ, આત્મા, આગખાન સમર્થ કાર્યક્રમ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આ પરિસંવાદ પાટી ગામે સફળતાપૂર્વક સંપન્ન થયો.

3 hrs ago
user_Anand vasava
Anand vasava
Voice of people સાગબારા, નર્મદા, ગુજરાત•
3 hrs ago
0c12269a-84b7-40dd-9bb6-9b2f4eeb28a5

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટી ગામે 22 જૂન, 2026 ના રોજ ખેડૂતો સાથે એક મહત્વપૂર્ણ પરિસંવાદ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એગ્રીક્લચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી, આગખાન સમર્થ કાર્યક્રમ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો અને આયોજક સંસ્થાઓ વચ્ચે ખેતી વિષયક ગોષ્ટીની આપલે કરવાનો હતો, જેમાં તમામ વક્તાઓએ પ્રાકૃતિક કૃષિ વિકાસ પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન, આગખાન સંસ્થાના હરપાલસિંહે ખેડૂતોને પોતાના વાડાઓમાં પ્રાકૃતિક શાકભાજી ઉગાડીને પોષ્ટિક શાકભાજી વાપરવા અને ખર્ચમાં બચત કરવા જણાવ્યું હતું. જગદીશભાઈ ગામિતે મહિલાઓના જૂથોમાં જોડાવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી. મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત પ્રગતિશીલ

feb865a5-354d-4481-84b9-51c20c94692e

ખેડૂત ઉષાબેને મહિલા જાગૃતિ પર ખાસ ભાર મૂક્યો હતો. આત્મા પ્રોજેક્ટના સાગબારા તાલુકા બ્લોક મેનેજર જયસિંગ બારીયાએ દેશી ગાય આધારિત ખેતી અને તેના વિવિધ ફાયદાઓ સમજાવ્યા હતા. GPKVB ના CRP આનંદભાઈ વસાવાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાનો અનુભવ મેળવવા પ્રોત્સાહિત કર્યા, જ્યારે કૃષિ સખી લત્તાબેને પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ચાલી રહેલી ફોર્મ ભરવાની કામગીરીમાં સહકાર આપવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો અને કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ તેમને મુંઝવતા સવાલોના જવાબો પણ મેળવ્યા હતા. આમ, આત્મા, આગખાન સમર્થ કાર્યક્રમ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આ પરિસંવાદ પાટી ગામે સફળતાપૂર્વક સંપન્ન થયો.

More news from ગુજરાત and nearby areas
  • નર્મદા જિલ્લા પંચાયત માટે એક નવી ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ નવી ટીમમાં 8 સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમ વિકાસના એજન્ડા સાથે પોતાના કાર્યની શરૂઆત કરી રહી છે.
    1
    નર્મદા જિલ્લા પંચાયત માટે એક નવી ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ નવી ટીમમાં 8 સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમ વિકાસના એજન્ડા સાથે પોતાના કાર્યની શરૂઆત કરી રહી છે.
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    2 hrs ago
  • સુરત-ધુલિયા હાઇવે પર એક કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કુલ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
    1
    સુરત-ધુલિયા હાઇવે પર એક કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કુલ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
    user_Suhas valvi Tapi
    Suhas valvi Tapi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    5 hrs ago
  • તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં રમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે કુલ ₹૫ કરોડના ખર્ચે જનસુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યમંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીતે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકાર છેવાડાના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. આ લોકાર્પણ અંતર્ગત, ભીંતબુદ્રક ગામે રંગાવલી નદી પર ₹૨ કરોડના ખર્ચે નવનિર્મિત મેઝર બ્રિજનું ઉદ્ઘાટન કરાયું હતું, જે તાલુકાનો સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજ શરૂ થવાને કારણે આ વિસ્તારના ગામના લોકોને સાડા ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું, જે હવે ઘટીને માત્ર ૧ કિલોમીટર જેટલું જ રહી જશે. આ સાથે, મંત્રીશ્રીએ ભડભુંજા ગામ ખાતે ₹૩ કરોડના ખર્ચે ૨.૭૦ કિલોમીટર લાંબો નવો પાકો માર્ગ અને ચોમાસામાં પાણીમાં ડૂબી જતા જૂના પુલોના સ્થાને ૩ ઊંચા બોક્સ કલવર્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે સ્થાનિકોની રજૂઆતને કેન્દ્રમાં રાખીને સરકારે આ સંવેદનશીલ નિર્ણય લઈ મંજૂરી આપી હતી. આ નવો પાકો રોડ અને બોક્સ કલવર્ટ બનવાથી નાગરિકોના આવાગમન માટેનું અંતર ઘટશે, અને દેમોગરા માતાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ, સ્થાનિક ખેડૂતો તથા વેપારીઓને બારેમાસ ઉત્તમ કનેક્ટિવિટી મળશે. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જાલમસિંહ વસાવા, ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના ઉચ્છલ માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગના મદદનીશ ઇજનેર શ્રી દેવ કુમાવત, વિભાગીય સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં રમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે કુલ ₹૫ કરોડના ખર્ચે જનસુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યમંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીતે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકાર છેવાડાના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. આ લોકાર્પણ અંતર્ગત, ભીંતબુદ્રક ગામે રંગાવલી નદી પર ₹૨ કરોડના ખર્ચે નવનિર્મિત મેઝર બ્રિજનું ઉદ્ઘાટન કરાયું હતું, જે તાલુકાનો સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજ શરૂ થવાને કારણે આ વિસ્તારના ગામના લોકોને સાડા ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું, જે હવે ઘટીને માત્ર ૧ કિલોમીટર જેટલું જ રહી જશે.

આ સાથે, મંત્રીશ્રીએ ભડભુંજા ગામ ખાતે ₹૩ કરોડના ખર્ચે ૨.૭૦ કિલોમીટર લાંબો નવો પાકો માર્ગ અને ચોમાસામાં પાણીમાં ડૂબી જતા જૂના પુલોના સ્થાને ૩ ઊંચા બોક્સ કલવર્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે સ્થાનિકોની રજૂઆતને કેન્દ્રમાં રાખીને સરકારે આ સંવેદનશીલ નિર્ણય લઈ મંજૂરી આપી હતી. આ નવો પાકો રોડ અને બોક્સ કલવર્ટ બનવાથી નાગરિકોના આવાગમન માટેનું અંતર ઘટશે, અને દેમોગરા માતાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ, સ્થાનિક ખેડૂતો તથા વેપારીઓને બારેમાસ ઉત્તમ કનેક્ટિવિટી મળશે.

આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જાલમસિંહ વસાવા, ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના ઉચ્છલ માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગના મદદનીશ ઇજનેર શ્રી દેવ કુમાવત, વિભાગીય સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    6 hrs ago
  • ઉતાવરીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક સ્વાગત સમારંભ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૈતરભાઈ વસાવા પણ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં AAPમાં સામેલ થયા. પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 1000 જેટલા કોંગ્રેસના ઉમેદવાર કાર્યકર્તાઓ AAPમાં જોડાયા હતા. આ ઉપરાંત, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા. આ જોડાણામાં મહેન્દ્રભાઈ બારીયા અને દિલીપભાઈ બારીયા જેવા અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા અને તેઓ પણ AAPમાં જોડાયા. આ તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો આગામી વિધાનસભા ચૂંટણીમાં મજબૂતાઈથી જીત મેળવવાના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
    1
    ઉતાવરીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક સ્વાગત સમારંભ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૈતરભાઈ વસાવા પણ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં AAPમાં સામેલ થયા.

પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 1000 જેટલા કોંગ્રેસના ઉમેદવાર કાર્યકર્તાઓ AAPમાં જોડાયા હતા. આ ઉપરાંત, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા. આ જોડાણામાં મહેન્દ્રભાઈ બારીયા અને દિલીપભાઈ બારીયા જેવા અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા અને તેઓ પણ AAPમાં જોડાયા.

આ તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો આગામી વિધાનસભા ચૂંટણીમાં મજબૂતાઈથી જીત મેળવવાના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
    user_Tadvi jayesh
    Tadvi jayesh
    નર્મદા•
    9 hrs ago
  • સુરત સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાના અભાવને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડિજિટલ પેમેન્ટની આ કમીને લીધે, દર્દીઓને હોસ્પિટલમાં ખુલ્લા પૈસા મેળવવા માટે પણ પરેશાન થવું પડે છે.
    1
    સુરત સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાના અભાવને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડિજિટલ પેમેન્ટની આ કમીને લીધે, દર્દીઓને હોસ્પિટલમાં ખુલ્લા પૈસા મેળવવા માટે પણ પરેશાન થવું પડે છે.
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • કવિઠા ગામ સામાજિક બહિષ્કારના ગંભીર આક્ષેપોને કારણે ચર્ચામાં આવ્યું છે. આ આક્ષેપોના પગલે સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે.
    1
    કવિઠા ગામ સામાજિક બહિષ્કારના ગંભીર આક્ષેપોને કારણે ચર્ચામાં આવ્યું છે. આ આક્ષેપોના પગલે સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • સુરત ગ્રામ્યની કડોદરા GIDC પોલીસ સ્ટેશનની ટીમે રસ્તા પર ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ આંચકી લેતી (સ્નેચિંગ કરતી) ગેંગના બે રીઢા સાગરીતોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના કુલ ૨૫ નંગ મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળીને કુલ રૂપિયા ૩,૨૦,૧૯૮/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળતાને કારણે કડોદરા, કામરેજ અને પાલોદ વિસ્તારના કુલ ૦૭ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
    1
    સુરત ગ્રામ્યની કડોદરા GIDC પોલીસ સ્ટેશનની ટીમે રસ્તા પર ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ આંચકી લેતી (સ્નેચિંગ કરતી) ગેંગના બે રીઢા સાગરીતોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના કુલ ૨૫ નંગ મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળીને કુલ રૂપિયા ૩,૨૦,૧૯૮/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળતાને કારણે કડોદરા, કામરેજ અને પાલોદ વિસ્તારના કુલ ૦૭ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • ગુજરાતમાં જનતા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે સરકારી આદેશ વગર જ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. લોકોનો સ્પષ્ટ આરોપ છે કે આ નીતિ સંપૂર્ણપણે કંપનીના હિતમાં છે અને તેમાં જનતાના હિતોની અવગણના કરવામાં આવી રહી છે.
    1
    ગુજરાતમાં જનતા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે સરકારી આદેશ વગર જ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. લોકોનો સ્પષ્ટ આરોપ છે કે આ નીતિ સંપૂર્ણપણે કંપનીના હિતમાં છે અને તેમાં જનતાના હિતોની અવગણના કરવામાં આવી રહી છે.
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.