Shuru
Apke Nagar Ki App…
ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન
Arvalli city news
ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન
More news from ગુજરાત and nearby areas
- ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન1
- 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ4
- મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો1
- મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું લુણાવાડા, મહીસાગર આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું. જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.4
- રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત વિજાપુર, તા. 26 : હિંમતનગર–મહેસાણા હાઈવે પર રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે મંગળવારે સાંજના સમયે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટીવા પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને કેટલાક યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ કરી તેમને સારવાર માટે દવાખાને પહોંચાડવામાં સહયોગ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જિલ્લાના મૂળ બેણપ ગામના અને હાલ ગાંધીનગર જિલ્લાના ટંટોડા ખાતે રહેતા ગણેશભાઈ નવા દેવપુરા ખાતે પટેલ દિનેશભાઈને ત્યાં કામ કરતા હતા. તા. 25 ઓગસ્ટના રોજ સાંજના સમયે ગણેશભાઈ તેમના શેઠ પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેન સાથે હિંમતનગર તરફ ગયા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના અલગ-અલગ વાહનોમાં વિજાપુર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે સાડા સાત વાગ્યાના સમયે રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે પહોંચતા પાછળથી આવતી હોન્ડા કંપનીની ગાડીના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ગણેશભાઈના મોસા તેમજ પટેલ દિનેશભાઈના એક્ટીવાને ટક્કર મારી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. અકસ્માતમાં ગણેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેનને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતક સાથે સંબંધિત દેવપુરા ગામના સરપંચ સહિત યુવાનો પણ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન મોડી રાત સુધી હાજર રહી પરિવારજનોને સહકાર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ગણેશભાઈના ભાઈ વિક્રમભાઈ રબારીની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે હોન્ડા વાહનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર–મહેસાણા હાઈવે પર સર્જાયેલા આ વધુ એક ગંભીર અકસ્માતથી માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વિગતો પોલીસ ફરિયાદ અને પ્રાથમિક માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો બહાર આવશે.1
- બાલાસિનોરમાં ડુપ્લિકેટ દૂધનો આક્ષેપ, જનતાના આરોગ્ય સાથે ચેડાંનો સવાલ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં જનતાના આરોગ્ય સાથે ચેડાં થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરમાં કથિત રીતે ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ લોકોમાં ચિંતા ફેલાવી છે. લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો એવા દૂધમાં જ જો ભેળસેળ કે નકલી દૂધ બનાવવામાં આવતું હોય તો તે ગંભીર બાબત બની શકે છે. સવાલ એ છે કે બાલાસિનોરમાં આ પ્રકારનું દૂધ કોણ બનાવી રહ્યું છે અને તેની પાછળ કોણ જવાબદાર છે? જો આક્ષેપોમાં તથ્ય હોય તો આવી પ્રવૃત્તિથી નાના બાળકો, વૃદ્ધો સહિત સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર તથા સ્થાનિક વહીવટી તંત્ર તપાસ હાથ ધરે છે કે કેમ? કથિત ડુપ્લિકેટ દૂધના નમૂનાઓ લેવામાં આવશે કે કેમ અને જો નિયમોનો ભંગ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે કેમ? સવાલ સીધો છે—જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે? આ હકીકત ની પુષ્ટિ કરતાં નથી આ વાયરલ વીડિયો છે... તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે.....1
- ઈદે મિલાદની ખુશીમાં ટીંટોઈ ગુંજી ઉઠ્યું, જુમ્મા મસ્જિદથી નીકળ્યું ભવ્ય જુલુસે મિલાદ 1501 સાલના ઈદે મિલાદ પર્વે ટીંટોઈમાં ભવ્ય જુલુસે મિલાદ: જુમ્મા મસ્જિદથી ગરીબ નવાઝ મસ્જિદ અને અલ્લાહ મસ્જિદ સુધી ઉમટ્યો જનસૈલાબ ઈદે મિલાદની ખુશીમાં ટીંટોઈ ગુંજી ઉઠ્યું, જુમ્મા મસ્જિદથી નીકળ્યું ભવ્ય જુલુસે મિલાદ1
- અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર. એન્કરિંગ સ્ક્રિપ્ટ: મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે. માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને સારવાર કરાવી હતી. ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો. ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે. રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે. મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે. રિપોર્ટ :અજય એ ભાટિયા1