logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

6 hrs ago
user_Bkp News
Bkp News
ધોરાજી, રાજકોટ, ગુજરાત•
6 hrs ago
f70815f8-9fc6-4023-8dac-5ec608c99e21

More news from Junagadh and nearby areas
  • માંગરોળમાં જર્જરીત ઇમારતનો સ્લેબ ધરાશાયી સદનસીબે કોઈ જાનહાની નહીં, બાજુના મકાનમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા તંત્રની સમજાવટ માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં બૈતુલમાલ સંસ્થા સંચાલિત જર્જરીત ઇમારતની જૂનવાણી દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. મળતી માહિતી મુજબ, માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં આવેલી બૈતુલમાલ સંસ્થા સંચાલિત જૂની ઇમારતની દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જર્જરીત બાંધકામને લઈને અગાઉથી જ ભાડૂતને જગ્યા ખાલી કરવા માટે સંસ્થા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઇમારતની બાજુના મકાનમાં રહેતા લોકોને પણ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં પોલીસ સહિતના હોદ્દેદારો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાજુના મકાનમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માટે તંત્ર દ્વારા સમજાવટ હાથ ધરવામાં આવી હતી. જર્જરીત બાંધકામને કારણે આસપાસના રહેવાસીઓની સલામતીને લઈને તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સમજાવટ કર્યા બાદ પણ જો બાજુના મકાનમાં રહેતા લોકો મકાન ખાલી નહીં કરે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું. જર્જરીત ઇમારતો અંગે અગાઉથી નોટિસ આપવામાં આવી હોવા છતાં આવી ઘટના સર્જાતા બાંધકામોની સલામતી અને તંત્રની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાને લઈને માંગરોળમાં ચર્ચા જાગી છે. જર્જરીત ઇમારતો અંગે તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ✍️ : જગદીશ યાદવ જૂનાગઢ
    4
    માંગરોળમાં જર્જરીત ઇમારતનો સ્લેબ ધરાશાયી
સદનસીબે કોઈ જાનહાની નહીં, બાજુના મકાનમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા તંત્રની સમજાવટ
માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં બૈતુલમાલ સંસ્થા સંચાલિત જર્જરીત ઇમારતની જૂનવાણી દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
મળતી માહિતી મુજબ, માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં આવેલી બૈતુલમાલ સંસ્થા સંચાલિત જૂની ઇમારતની દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જર્જરીત બાંધકામને લઈને અગાઉથી જ ભાડૂતને જગ્યા ખાલી કરવા માટે સંસ્થા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઇમારતની બાજુના મકાનમાં રહેતા લોકોને પણ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં પોલીસ સહિતના હોદ્દેદારો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાજુના મકાનમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માટે તંત્ર દ્વારા સમજાવટ હાથ ધરવામાં આવી હતી. જર્જરીત બાંધકામને કારણે આસપાસના રહેવાસીઓની સલામતીને લઈને તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.
તંત્ર દ્વારા સમજાવટ કર્યા બાદ પણ જો બાજુના મકાનમાં રહેતા લોકો મકાન ખાલી નહીં કરે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું. જર્જરીત ઇમારતો અંગે અગાઉથી નોટિસ આપવામાં આવી હોવા છતાં આવી ઘટના સર્જાતા બાંધકામોની સલામતી અને તંત્રની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે.
ઘટનાને લઈને માંગરોળમાં ચર્ચા જાગી છે. જર્જરીત ઇમારતો અંગે તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
✍️ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    23 hrs ago
  • R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ
    1
    R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    1 hr ago
  • SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે... ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી... SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે... ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી...
    1
    SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે...

ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી...
SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે...
ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • જસદણ ગૌવંશ પર એસીડ થી એટેક કરતા ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી પવિત્ર ઋષિ પંચમી ના મહા પર્વ ઉપર અબોલા ગૌવંશ ઉપર અને આજે 7 એસિડ એટેક કરવા માં આવેલ છે હવે જસદણ અંદર હદ થાય છે આવા અબોલા નંદી મારાજ વારવાર એસિડ એટેક ધટના બને છે કોઈ સરકારી તંત્ર ધ્યાન આપતું નથી આ એસિડ એટેક એટલો ભયંકર છે કે તમને ખૂબ દુઃખ નંદી મારાજ ખૂબ પીડાય છે અને જસદણ લોકો ચૂપચાપ આ જોય રહી છે કોઈ આગેવાન આમાં આગળ નથી આવતું અમારી ગૌસેવા ટીમ ને આજે રેસ્ક્યુ કરી ને શ્રી રામ ચરિત ફાઉન્ડેશન ગૌશાળ ખાતે મોકલી આપેલ છે હવે આવા નરાધમો પકડવા અમારી મદદ કરો એજ વિનંતી આજે ગૌસેવા ટીમ અને લાલભાઈ મારાજ કુ મહેનત આ કાર્ય કરેલ છે
    2
    જસદણ ગૌવંશ પર એસીડ થી એટેક કરતા ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી
પવિત્ર ઋષિ પંચમી ના મહા પર્વ ઉપર અબોલા   ગૌવંશ ઉપર અને  આજે 7 એસિડ એટેક કરવા માં આવેલ છે હવે જસદણ અંદર હદ થાય છે આવા અબોલા નંદી મારાજ વારવાર એસિડ એટેક ધટના બને છે કોઈ સરકારી તંત્ર ધ્યાન આપતું નથી આ એસિડ એટેક એટલો ભયંકર છે કે તમને ખૂબ  દુઃખ નંદી મારાજ ખૂબ પીડાય છે અને જસદણ લોકો ચૂપચાપ આ જોય રહી છે કોઈ આગેવાન આમાં આગળ નથી આવતું અમારી ગૌસેવા ટીમ ને આજે રેસ્ક્યુ કરી ને શ્રી રામ ચરિત ફાઉન્ડેશન ગૌશાળ ખાતે મોકલી આપેલ છે હવે  આવા નરાધમો પકડવા અમારી   મદદ કરો એજ  વિનંતી આજે ગૌસેવા  ટીમ અને લાલભાઈ મારાજ  કુ મહેનત આ  કાર્ય કરેલ છે
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
  • રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા
    1
    રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા
રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    1 day ago
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
    1
    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • ઘર ની ધોરાજી ધોરાજી નાં સ્ટેશન રોડ અને બાવલા ચોક થી રેલવે સ્ટેશન સુધી નો રોડ રસ્તા ઓ ખોદકામ કરવામાં આવ્યું છે અને અહીં આર સી સી રોડ બનાવવાનો છે પણ આજ મુખ્ય માર્ગ ની સ્ટ્રીટ લાઇટ ગુલ થઈ ગઈ છે પણ ધોરાજી નગરપાલિકા તંત્ર નેં કોઈ પણ પ્રકારની પડી નથી આજે ત્રણ દિવસ થયાં સ્ટ્રીટ લાઈટ બંધ છે અને આ વિસ્તાર નાં લોકો અંધકાર વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા છે ક્યાં ગયાં આપણ કહેવાતાં આગેવાનો કેમ આ લોકો ની સમસ્યા તમને દેખાતી નથી કે આ વિસ્તાર નાં લોકો ની તકલીફો થી તમને ફેર નથી પડતો કે શું ? ઘર ની ધોરાજી ધોરાજી નાં સ્ટેશન રોડ અને બાવલા ચોક થી રેલવે સ્ટેશન સુધી નો રોડ રસ્તા ઓ ખોદકામ કરવામાં આવ્યું છે અને અહીં આર સી સી રોડ બનાવવાનો છે પણ આજ મુખ્ય માર્ગ ની સ્ટ્રીટ લાઇટ ગુલ થઈ ગઈ છે પણ ધોરાજી નગરપાલિકા તંત્ર નેં કોઈ પણ પ્રકારની પડી નથી આજે ત્રણ દિવસ થયાં સ્ટ્રીટ લાઈટ બંધ છે અને આ વિસ્તાર નાં લોકો અંધકાર વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા છે ક્યાં ગયાં આપણ કહેવાતાં આગેવાનો કેમ આ લોકો ની સમસ્યા તમને દેખાતી નથી કે આ વિસ્તાર નાં લોકો ની તકલીફો થી તમને ફેર નથી પડતો કે શું ?
    1
    ઘર ની ધોરાજી ધોરાજી નાં સ્ટેશન રોડ અને બાવલા ચોક થી રેલવે સ્ટેશન સુધી નો રોડ રસ્તા ઓ ખોદકામ કરવામાં આવ્યું છે અને અહીં આર સી સી રોડ બનાવવાનો છે પણ આજ મુખ્ય માર્ગ ની સ્ટ્રીટ લાઇટ ગુલ થઈ ગઈ છે પણ ધોરાજી નગરપાલિકા તંત્ર નેં કોઈ પણ પ્રકારની પડી નથી આજે ત્રણ દિવસ થયાં સ્ટ્રીટ લાઈટ બંધ છે અને આ વિસ્તાર નાં લોકો અંધકાર વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા છે ક્યાં ગયાં આપણ કહેવાતાં આગેવાનો કેમ આ લોકો ની સમસ્યા તમને દેખાતી નથી કે આ વિસ્તાર નાં લોકો ની તકલીફો થી તમને ફેર નથી પડતો કે શું ?
ઘર ની ધોરાજી ધોરાજી નાં સ્ટેશન રોડ અને બાવલા ચોક થી રેલવે સ્ટેશન સુધી નો રોડ રસ્તા ઓ ખોદકામ કરવામાં આવ્યું છે અને અહીં આર સી સી રોડ બનાવવાનો છે પણ આજ મુખ્ય માર્ગ ની સ્ટ્રીટ લાઇટ ગુલ થઈ ગઈ છે પણ ધોરાજી નગરપાલિકા તંત્ર નેં કોઈ પણ પ્રકારની પડી નથી આજે ત્રણ દિવસ થયાં સ્ટ્રીટ લાઈટ બંધ છે અને આ વિસ્તાર નાં લોકો અંધકાર વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા છે ક્યાં ગયાં આપણ કહેવાતાં આગેવાનો કેમ આ લોકો ની સમસ્યા તમને દેખાતી નથી કે આ વિસ્તાર નાં લોકો ની તકલીફો થી તમને ફેર નથી પડતો કે શું ?
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    17 hrs ago
  • કેશોદ નગરપાલિકાની કામગીરી સામે તીખા સવાલો નંદીને પાંજરામાં પૂરી નગરપાલિકા હાથ ઊંચા કરી બેઠી? કેશોદમાં પશુવ્યવસ્થા સામે સવાલો હડકાયું હોવાની શંકાએ નંદીને પાંજરામાં પૂર્યો, હવે નગરપાલિકા પાસે ઉકેલ નથી કે જવાબદારી લેવાની તૈયારી નથી? 20 કિમીની જાત્રા બાદ પણ નંદી ત્યાંનો ત્યાં જ, કેશોદ નગરપાલિકાની પશુવ્યવસ્થા સામે ગંભીર સવાલો કેશોદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા વચ્ચે નગરપાલિકાની કામગીરી સામે વધુ એક ગંભીર સવાલ ઊભો થયો છે. વાસાવાડી વિસ્તારમાં તા. 14 સપ્ટેમ્બર, 2026ની સાંજે નાની ઉંમરના નંદીને કોઈને મારતો હોવાની વાત સામે આવ્યા બાદ તેને હડકાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. નગરપાલિકાની ફાયર ટીમે સ્થળ પર તપાસ કરી હતી, પરંતુ હડકાયું હોવાના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા ન હોવાનું જાણવા મળે છે. બીજા દિવસે તા. 15 સપ્ટેમ્બરે નંદીને નગરપાલિકાના પાંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો. નંદીને ઘંસારી પાટીયા નજીક આવેલા બળદ આશ્રમ ખાતે મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ હડકવાની જાણ થતા તેને સ્વીકારવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે. પરિણામે આશરે 20 કિમીની મુસાફરી કર્યા બાદ નંદી ફરી પાંજરામાં જ પરત આવ્યો. પાંજરું છે, પરંતુ ઉકેલ ક્યાં છે? નંદીને પાંજરામાં પૂર્યા બાદ તેની તબીબી તપાસ થઈ છે કે નહીં, સારવાર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને ક્યાં રાખવામાં આવશે તે અંગે નગરપાલિકા તરફથી સ્પષ્ટતા સામે આવી નથી. હડકાયું હોવાની શંકા ધરાવતા પશુ માટે યોગ્ય તબીબી વ્યવસ્થા જરૂરી છે, ત્યારે માત્ર પાંજરામાં પૂરી રાખવાથી જવાબદારી પૂરી થઈ જાય છે કે કેમ તે સવાલ છે. શું નંદી સ્વસ્થ થાય ત્યાં સુધી પાંજરામાં જ રહેશે? શું નગરપાલિકા પાસે બીમાર અથવા હડકવાની શંકા ધરાવતા પશુઓ માટે કોઈ અલગ વ્યવસ્થા નથી? કે પછી પશુને પકડીને પાંજરામાં પૂર્યા બાદ તેની આગળની જવાબદારીમાંથી છટકી જવાની રીત અપનાવવામાં આવી રહી છે? આવા સવાલો વચ્ચે હવે નગરપાલિકાની કામગીરી સામે પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રમુખને જાણ કરવા ગયા રિપોર્ટર, પરંતુ પ્રમુખ જ હાજર નહીં! આ સમગ્ર ઘટનાની જાણ થતાં અમારા રિપોર્ટર દ્વારા કેશોદ નગરપાલિકા પ્રમુખને જાણ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રમુખ હાજર ન હોવાથી આ બાબતે જાણ કોને કરવી તે પણ સવાલ બની રહ્યો છે. શહેરના પશુઓની સમસ્યા અંગે જવાબદારી કોની? નગરપાલિકાની કામગીરી અંગે સવાલો ઊભા થાય ત્યારે જવાબ આપનાર કોણ? નંદીની હાલત અંગે સ્પષ્ટતા કરવા અને આગળની વ્યવસ્થા અંગે જવાબદારી નક્કી કરવા નગરપાલિકા તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે કેશોદ નગરપાલિકા આ નંદીની તબીબી તપાસ, સારવાર અને યોગ્ય આશ્રય માટે શું પગલાં ભરે છે કે પછી નંદીને પાંજરામાં પૂરીને મામલો ભૂલી જવામાં આવશે. ✍️ જગદીશ યાદવ જૂનાગઢ
    4
    કેશોદ નગરપાલિકાની કામગીરી સામે તીખા સવાલો
નંદીને પાંજરામાં પૂરી નગરપાલિકા હાથ ઊંચા કરી બેઠી? કેશોદમાં પશુવ્યવસ્થા સામે સવાલો
હડકાયું હોવાની શંકાએ નંદીને પાંજરામાં પૂર્યો, હવે નગરપાલિકા પાસે ઉકેલ નથી કે જવાબદારી લેવાની તૈયારી નથી?
20 કિમીની જાત્રા બાદ પણ નંદી ત્યાંનો ત્યાં જ, કેશોદ નગરપાલિકાની પશુવ્યવસ્થા સામે ગંભીર સવાલો
કેશોદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા વચ્ચે નગરપાલિકાની કામગીરી સામે વધુ એક ગંભીર સવાલ ઊભો થયો છે. વાસાવાડી વિસ્તારમાં તા. 14 સપ્ટેમ્બર, 2026ની સાંજે નાની ઉંમરના નંદીને કોઈને મારતો હોવાની વાત સામે આવ્યા બાદ તેને હડકાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. નગરપાલિકાની ફાયર ટીમે સ્થળ પર તપાસ કરી હતી, પરંતુ હડકાયું હોવાના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા ન હોવાનું જાણવા મળે છે.
બીજા દિવસે તા. 15 સપ્ટેમ્બરે નંદીને નગરપાલિકાના પાંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો. નંદીને ઘંસારી પાટીયા નજીક આવેલા બળદ આશ્રમ ખાતે મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ હડકવાની જાણ થતા તેને સ્વીકારવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે. પરિણામે આશરે 20 કિમીની મુસાફરી કર્યા બાદ નંદી ફરી પાંજરામાં જ પરત આવ્યો.
પાંજરું છે, પરંતુ ઉકેલ ક્યાં છે?
નંદીને પાંજરામાં પૂર્યા બાદ તેની તબીબી તપાસ થઈ છે કે નહીં, સારવાર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને ક્યાં રાખવામાં આવશે તે અંગે નગરપાલિકા તરફથી સ્પષ્ટતા સામે આવી નથી. હડકાયું હોવાની શંકા ધરાવતા પશુ માટે યોગ્ય તબીબી વ્યવસ્થા જરૂરી છે, ત્યારે માત્ર પાંજરામાં પૂરી રાખવાથી જવાબદારી પૂરી થઈ જાય છે કે કેમ તે સવાલ છે.
શું નંદી સ્વસ્થ થાય ત્યાં સુધી પાંજરામાં જ રહેશે? શું
નગરપાલિકા પાસે બીમાર અથવા હડકવાની શંકા ધરાવતા પશુઓ માટે કોઈ અલગ વ્યવસ્થા નથી? કે પછી પશુને પકડીને પાંજરામાં પૂર્યા બાદ તેની આગળની જવાબદારીમાંથી છટકી જવાની રીત અપનાવવામાં આવી રહી છે? આવા સવાલો વચ્ચે હવે નગરપાલિકાની કામગીરી સામે પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રમુખને જાણ કરવા ગયા રિપોર્ટર, પરંતુ પ્રમુખ જ હાજર નહીં!
આ સમગ્ર ઘટનાની જાણ થતાં અમારા રિપોર્ટર દ્વારા કેશોદ નગરપાલિકા પ્રમુખને જાણ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રમુખ હાજર ન હોવાથી આ બાબતે જાણ કોને કરવી તે પણ સવાલ બની રહ્યો છે.
શહેરના પશુઓની સમસ્યા અંગે જવાબદારી કોની? નગરપાલિકાની કામગીરી અંગે સવાલો ઊભા થાય ત્યારે જવાબ આપનાર કોણ? નંદીની હાલત અંગે સ્પષ્ટતા કરવા અને આગળની વ્યવસ્થા અંગે જવાબદારી નક્કી કરવા નગરપાલિકા તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહ્યું કે કેશોદ નગરપાલિકા આ નંદીની તબીબી તપાસ, સારવાર અને યોગ્ય આશ્રય માટે શું પગલાં ભરે છે કે પછી નંદીને પાંજરામાં પૂરીને મામલો ભૂલી જવામાં આવશે.
✍️ જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    23 hrs ago
  • કેમેરો નહોતો, બજેટ નહોતું… પણ સપનું મોટું હતું.. આર્મીની ફરજ સાથે ફિલ્મનું સપનું સાકાર કરનાર અંજારના યુવાન સુથાર પાર્થની અનોખી સફર..
    1
    કેમેરો નહોતો, બજેટ નહોતું… પણ સપનું મોટું હતું.. આર્મીની ફરજ સાથે ફિલ્મનું સપનું સાકાર કરનાર અંજારના યુવાન સુથાર પાર્થની અનોખી સફર..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.