જૂનાગઢ પ્રગતિ મંડળ દ્વારા "રંગોત્સવ ૨૦૨૬" નો ક્રાર્યક્રમ ઉજવાયો. જૂનાગઢ ગીતાજીના વિભૂતિ યોગમાં કૃષ્ણે કહ્યું છે - " ઋતુનામ્ કુસુમાકર.." ( ઋતુઓમાં વસંત હું છું ) આવી વસંત ઋતુમાં શિરમોર એટલે હોળી - સત્યનો અસત્ય પર વિજય.. અને પછી આવે ધૂળેટીનો રંગોત્સવ.. આનંદના અબીલ અને ગમતાનો ગુલાલ.. દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોત્સવ મહાપર્વનો કાર્યક્રમ "શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ, જૂનાગઢ" સંસ્થા દ્વારા પ્રમુખશ્રી ડૉ. શૈલેશભાઈ બારમેડાના નિવાસ સ્થાને વિશાળ પરિસરમાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે તમામ જ્ઞાતિજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સવારે દસ વાગ્યે ઉત્સવ આરંભ થયો હતો. અબીલ - ગુલાલ..રંગોની બોછાર.. રાસની રમઝટ.. અને સાથે પરંપરાગત સંગીત ખૂબ જ આનંદના માહોલમાં બે કલાક સુધી રંગોત્સવ માણી સૌએ ધાણી - દાળિયા - ખજૂર અને સમયાંતરે લીંબુ સરબતની મોજ માણી હતી. આ આનંદ અવસરે વડીલો, યુવક-યુવતીઓ અને બાળકો.. પધારેલ સર્વ ઉત્સવપ્રેમી જ્ઞાતિજનો અને મહેમાનોએ જબરદસ્ત જલસો કર્યો હતો. ઉપસ્થિત સૌએ પ્રમુખ તથા મંડળનો પ્રશંસા સાથે આભાર ભાવ પ્રગટ કર્યો હતો. મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ દ્વારા થતા રચનાત્મક કલ્યાણકારી કાર્યક્રમોની શૃંખલામાં ધૂળેટીનો રંગોત્સવ જાણે યશ કલગી રૂપ યાદગાર કાર્યક્રમ બની રહ્યો હતો. સૌએ રંગે ચંગે ઉમંગે રંગોત્સવ ઊજવ્યો હતો. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
જૂનાગઢ પ્રગતિ મંડળ દ્વારા "રંગોત્સવ ૨૦૨૬" નો ક્રાર્યક્રમ ઉજવાયો. જૂનાગઢ ગીતાજીના વિભૂતિ યોગમાં કૃષ્ણે કહ્યું છે - " ઋતુનામ્ કુસુમાકર.." ( ઋતુઓમાં વસંત હું છું ) આવી વસંત ઋતુમાં શિરમોર એટલે હોળી - સત્યનો અસત્ય પર વિજય.. અને પછી આવે ધૂળેટીનો રંગોત્સવ.. આનંદના અબીલ અને ગમતાનો ગુલાલ.. દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોત્સવ મહાપર્વનો કાર્યક્રમ "શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ, જૂનાગઢ" સંસ્થા દ્વારા પ્રમુખશ્રી ડૉ. શૈલેશભાઈ બારમેડાના નિવાસ સ્થાને વિશાળ પરિસરમાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે તમામ જ્ઞાતિજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સવારે દસ વાગ્યે ઉત્સવ આરંભ થયો હતો. અબીલ
- ગુલાલ..રંગોની બોછાર.. રાસની રમઝટ.. અને સાથે પરંપરાગત સંગીત ખૂબ જ આનંદના માહોલમાં બે કલાક સુધી રંગોત્સવ માણી સૌએ ધાણી - દાળિયા - ખજૂર અને સમયાંતરે લીંબુ સરબતની મોજ માણી હતી. આ આનંદ અવસરે વડીલો, યુવક-યુવતીઓ અને બાળકો.. પધારેલ સર્વ ઉત્સવપ્રેમી જ્ઞાતિજનો અને મહેમાનોએ જબરદસ્ત જલસો કર્યો હતો. ઉપસ્થિત સૌએ પ્રમુખ તથા મંડળનો પ્રશંસા સાથે આભાર ભાવ પ્રગટ કર્યો હતો. મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ દ્વારા થતા રચનાત્મક કલ્યાણકારી કાર્યક્રમોની શૃંખલામાં ધૂળેટીનો રંગોત્સવ જાણે યશ કલગી રૂપ યાદગાર કાર્યક્રમ બની રહ્યો હતો. સૌએ રંગે ચંગે ઉમંગે રંગોત્સવ ઊજવ્યો હતો. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં માર્કેટીંગ યાર્ડ માં ખુલ્લી બજાર માં ઘઉ નાં ભાવ યોગ્ય ન મળતાં ખેડૂતો અસંતુષ્ટ : વિઓ : ધોરાજી તાલુકાના પંથકના ખેડૂતો એ પોતાના ખેતરમાં સારી અપેક્ષા એ ખેતર માં ઘઉ નું વાવેતર કરવામાં આવ્યું હોય મોંધા ભાવના જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ને મોંઘુ બિયારણ અને ખાતર અને તનતોડ મહેનત કરી અને સારૂં વાવેતર થાય અને સારો ભાવ મળે તે માટે ઘઉં નું વાવેતર કરવામાં આવેલ પણ જ્યારે ઘઉં પાકી નેં તૈયાર થયા બાદ ઘઉં લઈને ધોરાજી ના માર્કેટીંગ યાર્ડ ખાતે પોતાની જણસી કે ઓ ઘઉં ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા બાદ જ્યારે ખુલ્લી બજાર માં હરરાજી બોલાવવામાં આવે છે ત્યારે ઘઉં ના એક મણ નો ભાવ ચારસો કે ચારસો પચાસ રૂપિયા પેટે ભાવ મળતાં ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવે છે અને ખેડૂતો માટે પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે ખેડૂતો ની ચિંતા માં વધારો જોવા મળી છે સરકારે યોગ્ય સમયે જણસી ની ખરીદી કરવી જોઈએ અને ખેડૂતો ને જણસી નાં ભાવ પણ યોગ્ય મળવા જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ જણસી બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે પણ ખેડૂતો ને જે જણસી નાં પોક્ષણભાવ નથી મળતા તેથી ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે : બાઈટ ૧ કિશોર ભાઇ હિરપરા ખેડૂત ધોરાજી બાઈટ ૨ સંજય ભાઇ ઠુમ્મર ખેડૂત ધોરાજી સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી2
- બગવદર પોલીસે બાવળવાવ કેનાલ કાંઠેથી બાવન કાનાભાઈ કટારાને ૯૬ બોટલ સાથે ઝડપી પાડી રૂ.૯૬,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો : આ દારૂ પરબત ઉર્ફે રાણા જીવણ મોરીએ વેચાણ માટે આપ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી1
- *પોરબંદર તાલુકાના ભડ ગામના સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડની કામગીરી સુગમ બનતા લાભાર્થીએ સરકારનો આભાર માન્યો* ૦૦૦ *સેવાસેતુ કાર્યક્રમ થકી મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થયુ - શ્રી ભરતભાઈ વાળા (સ્થાનિક લાભાર્થી)* ૦૦૦ પોરબંદર.તા.૧૦; પોરબંદર તાલુકાના ભડ ગામ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અનેક નાગરિકોને તેમના ઘરઆંગણે જ સરકારી સેવાઓનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ભડ ગામના જ રહેવાસી શ્રી ભરતભાઈ વાળા એ પણ પોતાનું રેશનકાર્ડને લગતું કામ કરાવ્યું હતું. પોતાનો પ્રતિભાવ આપતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, "અમારા ગામમાં જ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થવાથી મારે રેશનકાર્ડના કામ માટે બહાર ક્યાંય ધક્કા ખાવા પડ્યા નથી. અહીં મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થઈ ગયું છે." વધુમાં તેમણે વહીવટી તંત્ર અને સરકારના આ પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું કે, સેવાસેતુને કારણે સામાન્ય માણસનો સમય અને શક્તિ બચે છે અને ઘરઆંગણે જ વિનામૂલ્યે કામગીરી પૂર્ણ થાય છે. નોંધનીય છે કે આ સેવાસેતુ કાર્યક્રમમાં ભડ સહિત ગરેજ, ચિકાસા, નવીબંદર, કેશોદ (લુશાળા), મિત્રાળા, એરંડા અને દેળોદર ગામોના અનેક લોકોએ આવકના દાખલા, આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડ અને લગ્ન નોંધણી જેવી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. વહીવટી તંત્રના સુચારૂ આયોજનને કારણે લોકોને સુગમ સુવિધા ઉપલ્બધ થઈ હતી.1
- જામનગરના અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો, યુદ્ધના કારણે લોકોમાં પેટ્રોલ સમાપ્ત થવાનો ખોટો ભય.1
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- Post by Dharmik Parmar1
- પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ 10 ગુમ મોબાઇલ માલિકોને પરત સોપ્યા1