Shuru
Apke Nagar Ki App…
સુરતના અમરોલી વિસ્તારમાં વીર શિરોમણિ મહારાણા પ્રતાપ સિંહજીની જન્મ જયંતિની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી.
NEWS 74 INDIA
સુરતના અમરોલી વિસ્તારમાં વીર શિરોમણિ મહારાણા પ્રતાપ સિંહજીની જન્મ જયંતિની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી.
More news from ગુજરાત and nearby areas
- સુરત મહાનગરપાલિકાના ‘સ્માર્ટ સિટી’ના દાવાઓ સામે કોંગ્રેસે વરાછા ઝોન-બી વિસ્તારમાં કથળેલી જનસુખાકારી અને પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ઉગ્ર વલણ અપનાવ્યું છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૭ જૂન ૨૦૨૬ના રોજ વરાછા ઝોન-બીની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવીને મનપા તંત્ર પર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં જનતાને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવેદનપત્રમાં વરાછા ઝોન-બીની મુખ્ય સમસ્યાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં બિસ્માર રોડ-રસ્તા અને ખાડાઓનું સામ્રાજ્ય, જે અકસ્માતો અને વાહનચાલકોને કમરના દુખાવાનો ભોગ બનાવી રહ્યા છે, તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનો આક્ષેપ કરાયો છે, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. રહેણાંક વિસ્તારોમાં નિયમોને નેવે મૂકીને ચાલતી ગેરકાયદેસર ‘સાયલન્ટ ઈન્ડસ્ટ્રીઝ’ના કારણે થતા ઘોંઘાટ, ધ્રુજારી અને પ્રદૂષણને લીધે બાળકો, વડીલો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે, અને આ બાબતે પાલિકાની ચુપકીદી અધિકારીઓની મિલીભગત તરફ ઈશારો કરે છે. દર વર્ષે ખાડી પૂરના કારણે લાખો લોકોના ઘરોમાં ગંદા પાણી ભરાઈ જવાથી થતા નુકસાન અને રોગચાળાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં શાસકો નિષ્ફળ રહ્યા હોવાનો પણ આક્ષેપ છે. વેરા ઉઘરાવવામાં અગ્રેસર રહેતી પાલિકા સ્ટ્રીટ લાઈટ, પીવાનું શુદ્ધ પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ઘોર ઉદાસીનતા દાખવી રહી છે. કોંગ્રેસ સમિતિની મુખ્ય માંગણીઓમાં વરાછા ઝોન-બીના તમામ બિસ્માર રસ્તાઓનું યુદ્ધના ધોરણે ગુણવત્તાયુક્ત રી-કાર્પેટિંગ, રહેણાંક વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર કારખાનાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી તેમને રહેણાંક વિસ્તારની બહાર ખસેડવા, અને ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મજબૂત આયોજન અને ડ્રેનેજ સિસ્ટમ સુધારવાનો સમાવેશ થાય છે. સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા મુસદ્દીક કાનુન્ગોએ જણાવ્યું હતું કે, જો વહીવટી તંત્ર દ્વારા આ પ્રશ્નોનું આગામી દિવસોમાં સકારાત્મક અને નક્કર નિરાકરણ લાવવામાં નહીં આવે, તો સ્થાનિક જનતાના હિતમાં પાલિકા સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી મનપા તંત્રની રહેશે.3
- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકીના પગલે પોલીસ વિભાગ અને બોમ્બ સ્કવોડને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.1
- સુરત શહેરની સચિન પોલીસે સુરતના ગ્રામીણ વિસ્તારોમાં ચોરી કરતી દેવીપૂજક ગેંગના પાંચ સભ્યોને કિંમતી સામાન સાથે પકડી પાડ્યા છે.1
- સુરત મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. આ ધમકીભર્યા સંદેશાને પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કચેરી ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પાલિકાના તમામ વિભાગો, પાર્કિંગ એરિયા અને સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કચેરીને ઉડાવી દેવાની ધમકી મળતાં જ કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.1
- સુરત મહાનગરપાલિકા (SMC) કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તંત્ર સક્રિય બન્યું છે. આ ધમકીભર્યા સંદેશ બાદ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને મહાનગરપાલિકા કાર્યાલયમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પાલિકાના તમામ વિભાગો, પાર્કિંગ વિસ્તાર અને સમગ્ર પરિસરમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ કર્મચારીઓ અને મુલાકાતીઓમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.1
- સુરતના અમરોલી વિસ્તારમાં વીર શિરોમણિ મહારાણા પ્રતાપ સિંહજીની જન્મ જયંતિની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી.1
- સુરતના ઉધના વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 197 (ગુજરાતી માધ્યમ) અને 202 (મરાઠી માધ્યમ)ના વિદ્યાર્થીઓ વચ્ચે હુમલાનો બનાવ સામે આવ્યો છે. ગુજરાતી માધ્યમની ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીએ મરાઠી માધ્યમની ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચાકુના ઘા માર્યા હતા. આ ઘટના અંગે મરાઠી માધ્યમ શાળાના આચાર્ય સુરેશભાઈ સેલારે ખુલાસો કર્યો છે કે, આ હુમલો શાળા છૂટ્યા બાદ અને શાળાની બહાર ક્યાંક થયો હતો, શાળા પરિસરમાં નહીં. તેમણે જણાવ્યું કે તેમને પણ પોલીસ વિભાગ દ્વારા આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આચાર્યએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે પણ વિદ્યાર્થીઓ શાળામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ તેમની બેગ ચેક કરવામાં આવે છે.2
- સુરતના લિંબાયત વિસ્તારની મીઠીખાડીમાં ઘેટાંએ આતંક મચાવ્યો હોવાના અહેવાલ છે. ભુંરાયા થયેલા ઘેટાંએ બે લોકોને ભોં ભેગા કર્યા હતા, જેના કારણે બાળક સહિત ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.1