logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામે રક્તદાન કેમ્પ યોજાયો 123 બોટલ રક્તની એકત્ર થઈ

3 hrs ago
user_Vopul luhar
Vopul luhar
Ranpur, Botad•
3 hrs ago

રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામે રક્તદાન કેમ્પ યોજાયો 123 બોટલ રક્તની એકત્ર થઈ

More news from Botad and nearby areas
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    3 hrs ago
  • તે સમયે સરપંચ તેમજ ફરીયાદી વચ્ચે બોલાચાલી થતાં સરપંચે વળતર ફોર્મ ફાડી નાખી ફરીયાદીને મારમાર્યો.. સમગ્ર ઘટના ફરીયાદીએ મોબાઈલમાં કેદ કરી પોલીસને આપેલ.. પોલીસે પીપળ ગામના સરપંચ બચુભાઈ ચોહલા વિરુદ્ધ BNS 115(2) અને એટ્રોસિટી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    1
    તે સમયે સરપંચ તેમજ ફરીયાદી વચ્ચે બોલાચાલી થતાં સરપંચે વળતર ફોર્મ ફાડી નાખી ફરીયાદીને મારમાર્યો..
સમગ્ર ઘટના ફરીયાદીએ મોબાઈલમાં કેદ કરી પોલીસને આપેલ..
પોલીસે પીપળ ગામના સરપંચ બચુભાઈ ચોહલા વિરુદ્ધ 
BNS 115(2) અને એટ્રોસિટી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બરવાળા શહેરના ICDS સેન્ટર ખાતે આંગણવાડી બહેનોએ ત્રણ દિવસીય હડતાળ શરૂ કરી છે, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, તેઓ ઓનલાઈન અને ઓફલાઈન તમામ કામગીરીથી સંપૂર્ણપણે દૂર રહેશે, સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારાવવા માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને કામકાજ માટે ડિજિટલ કામગીરી માટે સારા મોબાઈલ ફોનની સુવિધાનો સમાવેશ થાય છે, તેમજ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને કામગીરી ન થઈ શકતી હોવાનું પણ જણાવ્યું સાથે જ તેઓને આપવામાં આવતા પગાર મુજબ કામગીરી ખૂબ જ વધારે લેવાઈ રહી હોવાથી પગાર વધારા સાથે કાયમી કરવાની માંગ કરાઈ છે, બહેનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આગામી સમયમાં જરૂરિયાત જણાશે તો આંદોલન વધુ વિસ્તૃત અને ઉગ્ર બનાવવામાં આવશે, મોટી સંખ્યામાં બરવાળા તાલુકાના આંગણવાડી બહેનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બરવાળા શહેરના ICDS સેન્ટર ખાતે આંગણવાડી બહેનોએ ત્રણ દિવસીય હડતાળ શરૂ કરી છે, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, તેઓ ઓનલાઈન અને ઓફલાઈન તમામ કામગીરીથી સંપૂર્ણપણે દૂર રહેશે, સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારાવવા માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને કામકાજ માટે ડિજિટલ કામગીરી માટે સારા મોબાઈલ ફોનની સુવિધાનો સમાવેશ થાય છે, તેમજ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને કામગીરી ન થઈ શકતી હોવાનું પણ જણાવ્યું સાથે જ તેઓને આપવામાં આવતા પગાર મુજબ કામગીરી ખૂબ જ વધારે લેવાઈ રહી હોવાથી પગાર વધારા સાથે કાયમી કરવાની માંગ કરાઈ છે, બહેનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આગામી સમયમાં જરૂરિયાત જણાશે તો આંદોલન વધુ વિસ્તૃત અને ઉગ્ર બનાવવામાં આવશે, મોટી સંખ્યામાં બરવાળા તાલુકાના આંગણવાડી બહેનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • *ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છસીયાણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ભય અને શંકાનું વાતાવરણ સર્જાયું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 45 દિવસ પહેલા પણ એક સાથે ત્રણ ડ્રોન દેખાયા હતા, પરંતુ તે સમયે તેને સર્વે કાર્ય માની અવગણવામાં આવ્યા હતા. પરંતુ ફરી 17 માર્ચ 2026ના રોજ સંદીપભાઈ તથા તેમના સાથીદારો દ્વારા ફરી આવા ડ્રોન જોવા મળતા મામલો ગંભીર બન્યો છે. આ અંગે સંદીપભાઈએ મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી તેમજ નાયબ પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે આ ડ્રોન સરકારી વિભાગ દ્વારા મંજૂરી સાથે ઉડાવવામાં આવે છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવે અને જો આ બાબત અજાણ હોય તો તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હાલ આ સમગ્ર મામલે તંત્ર એ તપાસ હાથ ધરી છેં ને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
    1
    *ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ*
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છસીયાણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ભય અને શંકાનું વાતાવરણ સર્જાયું છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 45 દિવસ પહેલા પણ એક સાથે ત્રણ ડ્રોન દેખાયા હતા, પરંતુ તે સમયે તેને સર્વે કાર્ય માની અવગણવામાં આવ્યા હતા. પરંતુ ફરી 17 માર્ચ 2026ના રોજ સંદીપભાઈ તથા તેમના સાથીદારો દ્વારા ફરી આવા ડ્રોન જોવા મળતા મામલો ગંભીર બન્યો છે.
આ અંગે સંદીપભાઈએ મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી તેમજ નાયબ પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે આ ડ્રોન સરકારી વિભાગ દ્વારા મંજૂરી સાથે ઉડાવવામાં આવે છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવે અને જો આ બાબત અજાણ હોય તો તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
હાલ આ સમગ્ર મામલે તંત્ર એ તપાસ હાથ ધરી છેં ને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામથી ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાના અધયક્ષ સ્થાને ખેડુત સંકલ્પ યાત્રા ખેડૂત સંકલ્પ યાત્રા તુલસીશ્યામ રવાના. ખેડૂતોનો અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે..! ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો કાફલો 19 માર્ચના રોજ તુલશીશયામ પહોંચશે. ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો ને જોડવા રાજુ કરપડા નું આહવાન....! છેલ્લા 40 વર્ષ માં ક્યારેય ન જોઈ એવી એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા માંથી પસાર થશે.._ રાજુ કરપડા મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે.._ રાજુ કરપડા તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે.._ રાજુ કરપડા તમામ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ની યાદી તૈયાર કરવામાં આવશે અને આવનાર સમય માં યોગ્ય નિરાકરણ માટે લડત પણ લડવામાં આવશે..._ રાજુ કરપડા રાજકીય પાર્ટીઓ ખેડૂતો નો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે..._ ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું, સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ ખાતે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી અને સંતો મહંતોના આશીર્વાદ લઇ અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ નાં વાહનોના કાફલા સાથે તુલસીશ્યામ જવા માટે રવાના જ્યાંરે 19 માર્ચના રોજ સવારે 10:00 કલાકે સભાને સંબોધન કરશે અને સભા બાદ તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો સાથે બપોરે મહાપ્રસાદ લઈ અને કિસાન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરશે. ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને તેઓ 'ખેડૂત સંકલ્પ યાત્રા' માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. આ યાત્રા 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડાવાની અટકળો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને સરકારમાં રજૂ કરવાનો છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે, તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે. 'આપ' સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે. { સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામથી ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાના અધયક્ષ સ્થાને ખેડુત સંકલ્પ યાત્રા
ખેડૂત સંકલ્પ યાત્રા તુલસીશ્યામ રવાના. ખેડૂતોનો અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે..!
ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો કાફલો 19 માર્ચના રોજ તુલશીશયામ પહોંચશે.
ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો ને જોડવા રાજુ કરપડા નું આહવાન....!
છેલ્લા 40 વર્ષ માં ક્યારેય ન જોઈ એવી એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા માંથી પસાર થશે.._ રાજુ કરપડા 
મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે.._ રાજુ કરપડા 
તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે.._ રાજુ કરપડા 
તમામ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ની યાદી તૈયાર કરવામાં આવશે અને આવનાર સમય માં યોગ્ય નિરાકરણ માટે લડત પણ લડવામાં આવશે..._ રાજુ કરપડા 
રાજકીય પાર્ટીઓ ખેડૂતો નો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે..._  ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું,
સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ ખાતે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી અને સંતો મહંતોના આશીર્વાદ લઇ અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ નાં વાહનોના કાફલા સાથે તુલસીશ્યામ જવા માટે રવાના જ્યાંરે 19 માર્ચના રોજ સવારે 10:00 કલાકે સભાને સંબોધન કરશે અને સભા બાદ તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો સાથે બપોરે મહાપ્રસાદ લઈ અને કિસાન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરશે.
ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને તેઓ 'ખેડૂત સંકલ્પ યાત્રા' માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે.
ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ
યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. આ યાત્રા 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.
ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડાવાની અટકળો
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને સરકારમાં રજૂ કરવાનો છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે, તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે. 'આપ' સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    22 hrs ago
  • જસદણ તાલુકાના આટકોટ વાડી માં આગ લાગતાં કડબ બળી ગય તેમજ ગાય ને ઈજા પહોંચી જંગવડ રોડ પર આવેલી વાડી માં વહેલી સવાર માં શોર્ટ સર્કિટ કારણે નીચે પડેલી નીરણ માં આગ લાગી હતી જેને કારણે ઓરડી માં રહેલી ગાય ને ઈજા પહોંચી હતી તાત્કાલિક ખેડુત પહોંચી જતાં ગાય બચી ગય હતી
    4
    જસદણ તાલુકાના આટકોટ વાડી માં આગ લાગતાં કડબ બળી ગય તેમજ ગાય ને ઈજા પહોંચી  જંગવડ રોડ પર આવેલી વાડી માં વહેલી સવાર માં શોર્ટ સર્કિટ કારણે નીચે પડેલી નીરણ માં આગ લાગી હતી જેને કારણે ઓરડી માં રહેલી ગાય ને ઈજા પહોંચી હતી તાત્કાલિક ખેડુત પહોંચી જતાં ગાય બચી ગય હતી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    20 hrs ago
  • ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત સંસ્કારધામ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું નોંધપાત્ર કાર્ય કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામ ખાતે ખેતમજૂરી માટે આવેલ એક પરપ્રાંતીય પરિવારની સગર્ભા મહિલાની ગત શનિવારે રાત્રિના સમયે અચાનક તબિયત બગડી હતી. મહિલાને ખેંચ શરૂ થતાં પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ ત્યાંથી યોગ્ય સારવાર નહીં મળતાં અને અન્ય હોસ્પિટલોએ પણ હાથ અધ્ધર કરી દેતા અંતે મહિલાને સંસ્કારધામ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ સમયે મહિલાની હાલત અત્યંત ગંભીર હતી જે દરમિયાન ગર્ભમાં રહેલા બાળકનું હૃદય ધબકવાનું બંધ થઈ જતા બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું હતું. આ સ્થિતિમાં હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ ગાયનેકોલોજીસ્ટ, એમ.ડી ડોક્ટર, એનેસ્થેટિક ડોક્ટર, ક્રિટિકલ કેર ટીમે તાત્કાલિક અને સફળ સર્જરી કરી મહિલાનો જીવ બચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ સંચાલક સંસ્થાએ આ સંપૂર્ણ સારવાર અને સર્જરી સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી હતી, જેના કારણે પરપ્રાંતીય પરિવારને મોટી રાહત મળી હતી. સંસ્કારધામ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ આ સેવા કાર્ય માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    1
    ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત સંસ્કારધામ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું નોંધપાત્ર કાર્ય કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામ ખાતે ખેતમજૂરી માટે આવેલ એક પરપ્રાંતીય પરિવારની સગર્ભા મહિલાની ગત શનિવારે રાત્રિના સમયે અચાનક તબિયત બગડી હતી. મહિલાને ખેંચ શરૂ થતાં પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ ત્યાંથી યોગ્ય સારવાર નહીં મળતાં અને અન્ય હોસ્પિટલોએ પણ હાથ અધ્ધર કરી દેતા અંતે મહિલાને સંસ્કારધામ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ સમયે મહિલાની હાલત અત્યંત ગંભીર હતી જે દરમિયાન ગર્ભમાં રહેલા બાળકનું હૃદય ધબકવાનું બંધ થઈ જતા બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું હતું. આ સ્થિતિમાં હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ ગાયનેકોલોજીસ્ટ, એમ.ડી ડોક્ટર, એનેસ્થેટિક ડોક્ટર, ક્રિટિકલ કેર ટીમે તાત્કાલિક અને સફળ સર્જરી કરી મહિલાનો જીવ બચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ સંચાલક સંસ્થાએ આ સંપૂર્ણ સારવાર અને સર્જરી સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી હતી, જેના કારણે પરપ્રાંતીય પરિવારને મોટી રાહત મળી હતી. સંસ્કારધામ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ આ સેવા કાર્ય માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    47 min ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.