*ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ. *ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છસીયાણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ભય અને શંકાનું વાતાવરણ સર્જાયું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 45 દિવસ પહેલા પણ એક સાથે ત્રણ ડ્રોન દેખાયા હતા, પરંતુ તે સમયે તેને સર્વે કાર્ય માની અવગણવામાં આવ્યા હતા. પરંતુ ફરી 17 માર્ચ 2026ના રોજ સંદીપભાઈ તથા તેમના સાથીદારો દ્વારા ફરી આવા ડ્રોન જોવા મળતા મામલો ગંભીર બન્યો છે. આ અંગે સંદીપભાઈએ મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી તેમજ નાયબ પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે આ ડ્રોન સરકારી વિભાગ દ્વારા મંજૂરી સાથે ઉડાવવામાં આવે છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવે અને જો આ બાબત અજાણ હોય તો તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હાલ આ સમગ્ર મામલે તંત્ર એ તપાસ હાથ ધરી છેં ને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
*ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ. *ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છસીયાણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ભય અને શંકાનું વાતાવરણ સર્જાયું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 45 દિવસ પહેલા પણ એક સાથે ત્રણ ડ્રોન દેખાયા હતા, પરંતુ તે સમયે તેને સર્વે કાર્ય માની અવગણવામાં આવ્યા હતા. પરંતુ ફરી 17 માર્ચ 2026ના રોજ સંદીપભાઈ તથા તેમના સાથીદારો દ્વારા ફરી આવા ડ્રોન જોવા મળતા મામલો ગંભીર બન્યો છે. આ અંગે સંદીપભાઈએ મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી તેમજ નાયબ પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે આ ડ્રોન સરકારી વિભાગ દ્વારા મંજૂરી સાથે ઉડાવવામાં આવે છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવે અને જો આ બાબત અજાણ હોય તો તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હાલ આ સમગ્ર મામલે તંત્ર એ તપાસ હાથ ધરી છેં ને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
- *ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છસીયાણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ભય અને શંકાનું વાતાવરણ સર્જાયું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 45 દિવસ પહેલા પણ એક સાથે ત્રણ ડ્રોન દેખાયા હતા, પરંતુ તે સમયે તેને સર્વે કાર્ય માની અવગણવામાં આવ્યા હતા. પરંતુ ફરી 17 માર્ચ 2026ના રોજ સંદીપભાઈ તથા તેમના સાથીદારો દ્વારા ફરી આવા ડ્રોન જોવા મળતા મામલો ગંભીર બન્યો છે. આ અંગે સંદીપભાઈએ મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી તેમજ નાયબ પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે આ ડ્રોન સરકારી વિભાગ દ્વારા મંજૂરી સાથે ઉડાવવામાં આવે છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવે અને જો આ બાબત અજાણ હોય તો તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હાલ આ સમગ્ર મામલે તંત્ર એ તપાસ હાથ ધરી છેં ને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.1
- Post by Vopul luhar1
- તે સમયે સરપંચ તેમજ ફરીયાદી વચ્ચે બોલાચાલી થતાં સરપંચે વળતર ફોર્મ ફાડી નાખી ફરીયાદીને મારમાર્યો.. સમગ્ર ઘટના ફરીયાદીએ મોબાઈલમાં કેદ કરી પોલીસને આપેલ.. પોલીસે પીપળ ગામના સરપંચ બચુભાઈ ચોહલા વિરુદ્ધ BNS 115(2) અને એટ્રોસિટી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- બરવાળા શહેરના ICDS સેન્ટર ખાતે આંગણવાડી બહેનોએ ત્રણ દિવસીય હડતાળ શરૂ કરી છે, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, તેઓ ઓનલાઈન અને ઓફલાઈન તમામ કામગીરીથી સંપૂર્ણપણે દૂર રહેશે, સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારાવવા માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને કામકાજ માટે ડિજિટલ કામગીરી માટે સારા મોબાઈલ ફોનની સુવિધાનો સમાવેશ થાય છે, તેમજ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને કામગીરી ન થઈ શકતી હોવાનું પણ જણાવ્યું સાથે જ તેઓને આપવામાં આવતા પગાર મુજબ કામગીરી ખૂબ જ વધારે લેવાઈ રહી હોવાથી પગાર વધારા સાથે કાયમી કરવાની માંગ કરાઈ છે, બહેનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આગામી સમયમાં જરૂરિયાત જણાશે તો આંદોલન વધુ વિસ્તૃત અને ઉગ્ર બનાવવામાં આવશે, મોટી સંખ્યામાં બરવાળા તાલુકાના આંગણવાડી બહેનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by દુદાભાઈ લાખાભાઈ ગમારા1
- સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામથી ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાના અધયક્ષ સ્થાને ખેડુત સંકલ્પ યાત્રા ખેડૂત સંકલ્પ યાત્રા તુલસીશ્યામ રવાના. ખેડૂતોનો અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે..! ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો કાફલો 19 માર્ચના રોજ તુલશીશયામ પહોંચશે. ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો ને જોડવા રાજુ કરપડા નું આહવાન....! છેલ્લા 40 વર્ષ માં ક્યારેય ન જોઈ એવી એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા માંથી પસાર થશે.._ રાજુ કરપડા મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે.._ રાજુ કરપડા તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે.._ રાજુ કરપડા તમામ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ની યાદી તૈયાર કરવામાં આવશે અને આવનાર સમય માં યોગ્ય નિરાકરણ માટે લડત પણ લડવામાં આવશે..._ રાજુ કરપડા રાજકીય પાર્ટીઓ ખેડૂતો નો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે..._ ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું, સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ ખાતે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી અને સંતો મહંતોના આશીર્વાદ લઇ અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ નાં વાહનોના કાફલા સાથે તુલસીશ્યામ જવા માટે રવાના જ્યાંરે 19 માર્ચના રોજ સવારે 10:00 કલાકે સભાને સંબોધન કરશે અને સભા બાદ તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો સાથે બપોરે મહાપ્રસાદ લઈ અને કિસાન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરશે. ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને તેઓ 'ખેડૂત સંકલ્પ યાત્રા' માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. આ યાત્રા 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડાવાની અટકળો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને સરકારમાં રજૂ કરવાનો છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે, તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે. 'આપ' સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે. { સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }1
- સાણંદ: મીરાં સિનેમામાં શો મોડો શરૂ થતા દર્શકોનો હોબાળો, રિફંડ માટે પડાપડી સાણંદ: શહેરના જાણીતા મીરાં સિનેમામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. નિર્ધારિત સમય કરતાં શો મોડો શરૂ થવાને કારણે પ્રેક્ષકોએ મેનેજમેન્ટ સામે રોષ ઠાલવ્યો હતો અને ટિકિટના પૈસા પરત આપવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે સિનેમા હોલ પહોંચ્યા હતા. પરંતુ કોઈ ટેકનિકલ ખામી કે સંચાલકોની બેદરકારીને કારણે શો સમયસર શરૂ થયો ન હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ દર્શકોની ધીરજ ખૂટી હતી. સમયનો વેડફાટ: દર્શકોનો આરોપ છે કે તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા અને ચોક્કસ કારણ આપવામાં આવ્યું નહીં. મેનેજમેન્ટ સાથે બોલાચાલી: વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દર્શકો અને સિનેમાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. રિફંડની માંગ: રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમારો સમય કિંમતી છે, જો તમે શો ચલાવી શકતા નથી તો અત્યારે જ રિફંડ આપો. દર્શકોનો આક્રોશ સ્થળ પર હાજર એક દર્શકે જણાવ્યું કે, "અમે ફેમિલી સાથે ફિલ્મ જોવા આવ્યા હતા, પણ અહીં વ્યવસ્થાના નામે મીંડું છે. કલાકથી ઉપર સમય થઈ ગયો પણ હજુ પડદો ખુલ્યો નથી. આ લોકો ગ્રાહકોના સમયની કોઈ કિંમત સમજતા નથી. તંત્રની દરમિયાનગીરી પરિસ્થિતિ વણસતા અન્ય કર્મચારીઓએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અંતે, જે દર્શકો ફિલ્મ જોવા માંગતા ન હતા તેમને રિફંડ આપવામાં આવે4
- *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સભ્યો હડતાળ પર.* આજે રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંચાયત ખાતે આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતના ઉપવાસ પર. પોતાની માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી અચોકકસ મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી. રિપોર્ટર: *સંજયભાઈ ઝાલા* ધંધુકા.1