logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર જિલ્લામાં આયોજિત નેશનલ લોક અદાલતને ભારે પ્રતિસાદ મળ્યો છે, જેમાં પ્રિલિટીગેશન અને પેન્ડિંગ કેસો મળીને કુલ ૯૮૬૮ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. નવી દિલ્હીની નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટીના સૂચનથી મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ૧૧ મી જુલાઈ, ૨૦૨૬ ના રોજ આ સફળ આયોજન કરાયું હતું. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એમ.એન.ગડકરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં પક્ષકારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ આયોજન દરમિયાન જિલ્લાની વિવિધ અદાલતોમાં સમાધાન પાત્ર પ્રિલિટીગેશનના ૮૨૬૮ અને પેન્ડિંગ ૧૬૦૦ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં મોટર અકસ્માત, બેંક લેણા, ચેક રીટર્ન, સામાન્ય મારામારીના સમાધાન પાત્ર કેસો, મિલકત સંબંધી દાવાઓ, લગ્ન સંબંધી કેસો, સમાધાન પાત્ર વીજળી તથા પાણીના બિલના કેસો, જમીન સંપાદનના કેસો અને સર્વિસ મેટર જેવા વિવિધ પ્રકારના કેસોનો પરસ્પર સહમતીથી નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતને કારણે લોકોના નાણાં અને સમયની મોટી બચત થાય છે અને 'બન્ને ઘરે દીવા થાય છે' તેવી ભાવના સાર્થક થાય છે. અહીં કેસોનો ચુકાદો આખરી હોય છે, જેમાં અપીલની કોઈ જોગવાઈ હોતી નથી અને પક્ષકારોને અન્ય કોઈ આર્થિક ખર્ચ પણ થતો નથી. આ નેશનલ લોક અદાલતને સફળ બનાવવા અને પક્ષકારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી સત્વરે ન્યાય અપાવવા માટે મહીસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી કે.ટી.ગુરનાની અને સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

1 hr ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
Photographer Santrampur, Mahisagar•
1 hr ago
da48042d-abbd-454c-b004-95321af222c7

મહીસાગર જિલ્લામાં આયોજિત નેશનલ લોક અદાલતને ભારે પ્રતિસાદ મળ્યો છે, જેમાં પ્રિલિટીગેશન અને પેન્ડિંગ કેસો મળીને કુલ ૯૮૬૮ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. નવી દિલ્હીની નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટીના સૂચનથી મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ૧૧ મી જુલાઈ, ૨૦૨૬ ના રોજ આ સફળ આયોજન કરાયું હતું. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એમ.એન.ગડકરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં પક્ષકારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ આયોજન દરમિયાન

2999f0a6-cfef-4505-8d46-c22f9cd3e32f

જિલ્લાની વિવિધ અદાલતોમાં સમાધાન પાત્ર પ્રિલિટીગેશનના ૮૨૬૮ અને પેન્ડિંગ ૧૬૦૦ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં મોટર અકસ્માત, બેંક લેણા, ચેક રીટર્ન, સામાન્ય મારામારીના સમાધાન પાત્ર કેસો, મિલકત સંબંધી દાવાઓ, લગ્ન સંબંધી કેસો, સમાધાન પાત્ર વીજળી તથા પાણીના બિલના કેસો, જમીન સંપાદનના કેસો અને સર્વિસ મેટર જેવા વિવિધ પ્રકારના કેસોનો પરસ્પર સહમતીથી નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતને કારણે લોકોના નાણાં અને સમયની મોટી બચત થાય

8f60fa66-249a-40df-9a55-ca78800bfa3e

છે અને 'બન્ને ઘરે દીવા થાય છે' તેવી ભાવના સાર્થક થાય છે. અહીં કેસોનો ચુકાદો આખરી હોય છે, જેમાં અપીલની કોઈ જોગવાઈ હોતી નથી અને પક્ષકારોને અન્ય કોઈ આર્થિક ખર્ચ પણ થતો નથી. આ નેશનલ લોક અદાલતને સફળ બનાવવા અને પક્ષકારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી સત્વરે ન્યાય અપાવવા માટે મહીસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી કે.ટી.ગુરનાની અને સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

More news from Mahisagar and nearby areas
  • મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં હવેલી બારીયા સમાજ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતા સમારોહમાં મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે હવેલી વિભાગના સામાજિક અને રાજકીય આગેવાનો, બારીયા સમાજ મંડળના ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના વાલીગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલિવાડ, પંચમહાલ ડેરીના ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહીસાગર જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઈ બારીયા, શિવમ ઇન્સ્ટીટ્યુટ સંસ્થાના ડિરેક્ટર વિક્રમસિંહ ખાંટ, સી. એન. બારીયા, હવેલી મંડળના પ્રમુખશ્રી અને ટ્રસ્ટી મકનસિંહ પગી સહિત સમાજના અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓએ કાર્યક્રમમાં હાજરી આપીને ગરિમા વધારી હતી.
    1
    મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં હવેલી બારીયા સમાજ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતા સમારોહમાં મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે હવેલી વિભાગના સામાજિક અને રાજકીય આગેવાનો, બારીયા સમાજ મંડળના ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના વાલીગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલિવાડ, પંચમહાલ ડેરીના ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહીસાગર જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઈ બારીયા, શિવમ ઇન્સ્ટીટ્યુટ સંસ્થાના ડિરેક્ટર વિક્રમસિંહ ખાંટ, સી. એન. બારીયા, હવેલી મંડળના પ્રમુખશ્રી અને ટ્રસ્ટી મકનસિંહ પગી સહિત સમાજના અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓએ કાર્યક્રમમાં હાજરી આપીને ગરિમા વધારી હતી.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    Photographer Santrampur, Mahisagar•
    1 hr ago
  • દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે આવેલી શ્રીમતી સી.એસ.ભાભોર સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં એક ભવ્ય 'ઓથ ટેકિંગ સેરેમની' (શપથ ગ્રહણ સમારોહ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓએ માનવસેવા, કરુણા, સમર્પણ અને વ્યવસાયિક નૈતિકતાના મૂલ્યોને અનુસરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓને ફ્લોરેન્સ નાઇટિંગેલના સેવા, શિસ્ત અને નિષ્ઠાના આદર્શોને પોતાના જીવનમાં ઉતારીને દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓને સંબોધન કરતા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નર્સિંગનો વ્યવસાય એ માત્ર રોજગાર મેળવવાનું સાધન નથી, પરંતુ માનવતાની સેવા કરવા માટેનું એક પવિત્ર કાર્ય છે. દર્દીઓ પ્રત્યે સંવેદના, કરુણા અને જવાબદારીની ભાવના રાખીને પોતાની ફરજ બજાવવી એ જ સાચી સેવા છે. તેમણે શપથ ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થી દીકરા-દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી સમાજના આરોગ્ય ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં કોલેજના સંચાલકો, પ્રાધ્યાપકો, મહેમાનો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે આવેલી શ્રીમતી સી.એસ.ભાભોર સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં એક ભવ્ય 'ઓથ ટેકિંગ સેરેમની' (શપથ ગ્રહણ સમારોહ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓએ માનવસેવા, કરુણા, સમર્પણ અને વ્યવસાયિક નૈતિકતાના મૂલ્યોને અનુસરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓને ફ્લોરેન્સ નાઇટિંગેલના સેવા, શિસ્ત અને નિષ્ઠાના આદર્શોને પોતાના જીવનમાં ઉતારીને દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે વિદ્યાર્થીઓને સંબોધન કરતા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નર્સિંગનો વ્યવસાય એ માત્ર રોજગાર મેળવવાનું સાધન નથી, પરંતુ માનવતાની સેવા કરવા માટેનું એક પવિત્ર કાર્ય છે. દર્દીઓ પ્રત્યે સંવેદના, કરુણા અને જવાબદારીની ભાવના રાખીને પોતાની ફરજ બજાવવી એ જ સાચી સેવા છે. તેમણે શપથ ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થી દીકરા-દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી સમાજના આરોગ્ય ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં કોલેજના સંચાલકો, પ્રાધ્યાપકો, મહેમાનો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    6 hrs ago
  • એક તરફ કન્યા કેળવણીના મોટા ઉત્સવો યોજાઈ રહ્યા છે, તો બીજી તરફ દાહોદના ધાનપુર તાલુકાની માધ્યમિક શાળામાં પથરામાંથી પાણી ટપકી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિના કારણે શાળાના ૧૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
    1
    એક તરફ કન્યા કેળવણીના મોટા ઉત્સવો યોજાઈ રહ્યા છે, તો બીજી તરફ દાહોદના ધાનપુર તાલુકાની માધ્યમિક શાળામાં પથરામાંથી પાણી ટપકી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિના કારણે શાળાના ૧૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
    user_Rajendra bhai Bhabhor
    Rajendra bhai Bhabhor
    Farmer દાહોદ, દાહોદ, ગુજરાત•
    22 hrs ago
  • અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના એક ગામમાં એક બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ કેસને હાલમાં શંકાસ્પદ તરીકે લેવામાં આવ્યો છે અને બાળકને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. આ શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી ગામમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી છે. મચ્છર અને રેતીમાખીના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ગામમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    2
    અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના એક ગામમાં એક બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ કેસને હાલમાં શંકાસ્પદ તરીકે લેવામાં આવ્યો છે અને બાળકને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે.

આ શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી ગામમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી છે. મચ્છર અને રેતીમાખીના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ગામમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    user_Hitendra patel
    Hitendra patel
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    6 min ago
  • અરવલ્લીના સાઠંબા-બાયડ હાઈવે પર એક શ્રમિક મહિલાની માર્ગ પર જ પ્રસુતિ થઈ ગઈ હતી. જોકે, ૧૦૮ની સમયસર મળેલી સેવાના કારણે માતા અને દીકરી બંને સુરક્ષિત છે.
    2
    અરવલ્લીના સાઠંબા-બાયડ હાઈવે પર એક શ્રમિક મહિલાની માર્ગ પર જ પ્રસુતિ થઈ ગઈ હતી. જોકે, ૧૦૮ની સમયસર મળેલી સેવાના કારણે માતા અને દીકરી બંને સુરક્ષિત છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    52 min ago
  • દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મંડળ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026 અંતર્ગત પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બચુભાઈ ખાબડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓની ભૂમિકા, બૂથ સ્તરની કામગીરી તેમજ જનસંપર્કને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં મૂકાયેલી વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને સક્રિય રીતે કાર્ય કરવાની હાકલ કરવામાં આવી હતી. ધારાસભ્ય બચુભાઈ ખાબડે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભાજપની સૌથી મોટી તાકાત તેના સમર્પિત કાર્યકર્તાઓ છે. પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓમાં નેતૃત્વ, સંગઠનશક્તિ અને સેવા ભાવનાનો વધુ વિકાસ થશે, જે આગામી સમયમાં સંગઠનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યક્રમ દરમિયાન અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા, સમાજના અંતિમ વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
    1
    દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મંડળ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026 અંતર્ગત પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બચુભાઈ ખાબડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

આ પ્રશિક્ષણ વર્ગમાં સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓની ભૂમિકા, બૂથ સ્તરની કામગીરી તેમજ જનસંપર્કને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં મૂકાયેલી વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને સક્રિય રીતે કાર્ય કરવાની હાકલ કરવામાં આવી હતી.

ધારાસભ્ય બચુભાઈ ખાબડે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભાજપની સૌથી મોટી તાકાત તેના સમર્પિત કાર્યકર્તાઓ છે. પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓમાં નેતૃત્વ, સંગઠનશક્તિ અને સેવા ભાવનાનો વધુ વિકાસ થશે, જે આગામી સમયમાં સંગઠનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યક્રમ દરમિયાન અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા, સમાજના અંતિમ વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    6 hrs ago
  • દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામમાં જમીનના કબજાને લઈને બંને પક્ષો વચ્ચે ભારે હોબાળો અને ધીંગાણું થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં ખાતા નંબર 146માં સમાવિષ્ટ સર્વે નંબર 93/અ પૈકી 6ની જમીનને લઈને તીવ્ર વિવાદ ઊભો થયો હતો. આ જમીન વિવાદ દરમિયાન બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને આ ઘટનામાં મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
    1
    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામમાં જમીનના કબજાને લઈને બંને પક્ષો વચ્ચે ભારે હોબાળો અને ધીંગાણું થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં ખાતા નંબર 146માં સમાવિષ્ટ સર્વે નંબર 93/અ પૈકી 6ની જમીનને લઈને તીવ્ર વિવાદ ઊભો થયો હતો. આ જમીન વિવાદ દરમિયાન બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને આ ઘટનામાં મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
    user_OUR AAPNU SANJELI NEWS
    OUR AAPNU SANJELI NEWS
    રિપોર્ટર દાહોદ સંજેલી, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.