Shuru
Apke Nagar Ki App…
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામમાં જમીનના કબજાને લઈને બંને પક્ષો વચ્ચે ભારે હોબાળો અને ધીંગાણું થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં ખાતા નંબર 146માં સમાવિષ્ટ સર્વે નંબર 93/અ પૈકી 6ની જમીનને લઈને તીવ્ર વિવાદ ઊભો થયો હતો. આ જમીન વિવાદ દરમિયાન બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને આ ઘટનામાં મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
OUR AAPNU SANJELI NEWS
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામમાં જમીનના કબજાને લઈને બંને પક્ષો વચ્ચે ભારે હોબાળો અને ધીંગાણું થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં ખાતા નંબર 146માં સમાવિષ્ટ સર્વે નંબર 93/અ પૈકી 6ની જમીનને લઈને તીવ્ર વિવાદ ઊભો થયો હતો. આ જમીન વિવાદ દરમિયાન બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને આ ઘટનામાં મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
More news from ગુજરાત and nearby areas
- અરવલ્લીના સાઠંબા-બાયડ હાઈવે પર એક શ્રમિક મહિલાની માર્ગ પર જ પ્રસુતિ થઈ ગઈ હતી. જોકે, ૧૦૮ની સમયસર મળેલી સેવાના કારણે માતા અને દીકરી બંને સુરક્ષિત છે.2
- છોટાઉદેપુરના જેતપુર પાવીમાં મોહનસી રાઠવાની શ્રદ્ધાંજલિ સભા દરમિયાન મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મનસુખ વસાવા શું કહી રહ્યા છે, તે આ બાઇટમાં વિગતવાર સાંભળી અને જોઈ શકાય છે.1
- છોટાઉદેપુરના પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ધર્મ ગુરુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.1
- છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.1
- ગુજરાત સરકારના કેબિનેટ વન મંત્રી અને છોટાઉદેપુર તથા પાવી જેતપુર વિસ્તારમાં ૧૧ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પીઢ આદિવાસી આગેવાન અને આદિવાસી મસીહા સ્વ. મોહનસિંહ છોટુભાઈ રાઠવા તારીખ ૫/૭/૨૬ના રોજ ૮૨ વર્ષની વયે દેવલોક પામ્યા છે. તેમના અવસાનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અમૂલ્ય રત્ન અને આગેવાનની છત્રછાયા ગુમાવી દીધી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઊંડા શોક અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. સ્વ. મોહનસિંહ રાઠવાની યાદમાં આજે પાવી જેતપુર કોલેજ ખાતે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, મોટા વેપારીઓ અને સામાન્ય લોકોએ ભારે હૈયે આ લોકલાડીલા નેતાને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી. છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લા ૫૫ વર્ષોથી સક્રિય રાજકારણમાં ભૂમિકા ભજવી લાખો લોકોના દિલમાં પ્રેમભર્યું સ્થાન મેળવનાર સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાવી જેતપુર ખાતે આવી રહ્યા છે.1
- અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના એક ગામમાં બાળકમાં ચાંદીપુર વાયરસ જેવા લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ બાળકને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, અને તેની તપાસ માટેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં ચાંદીપુર વાયરસનો આ પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા તે ગામમાં તાત્કાલિક ફોગિંગ સહિતની અન્ય કામગીરી હાથ ધરવામાં આવી છે અને તકેદારીના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જો કે, આ કેસની સત્તાવાર પુષ્ટિ લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે.2
- કાલોલ નગરમાં ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે નાણાં ધીરીને પઠાણી ઉઘરાણી કરવાના મામલે પોલીસ દ્વારા 'માં ફાઇનાન્સ' નામના વ્યાજખોરીના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. કાલોલ તાલુકા પંચાયત બહાર ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા રણુભાઈ ભરવાડ અને વ્યાજખોરોના ત્રાસથી પરેશાન હસમુખજી તેજાજી વણઝારા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદોના આધારે પોલીસે આ કડક કાર્યવાહી કરી છે. નગરમાં ડેરોલ સ્ટેશન રોડ પર માતાજીના ચિત્ર અને શસ્ત્રોવાળા પોસ્ટર સાથે 'માં ફાઇનાન્સ'નું બોર્ડ લગાવીને દીપેશ રાજપૂત જરૂરિયાતમંદ લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. આ વ્યાજખોરો કોઈ પણ ડર રાખ્યા વગર અને કાયદાના ધજિયા ઉડાવીને કોરા ચેક અને અન્ય પદ્ધતિઓ દ્વારા જરૂરિયાતમંદોને વ્યાજે નાણાં આપતા હતા. જો કોઈ વ્યક્તિ નક્કી કરેલા સમય પર વ્યાજ કે મુદ્દલ ન ચૂકવે, તો તેને પોલીસની ધમકી આપી જેલમાં પુરાવી દેવા સુધીનો પઠાણી ત્રાસ આપવામાં આવતો હતો. આ ભય અને મજબૂરીના કારણે લોકો મૂંગા મોઢે વ્યાજ ભરવા મજબૂર બન્યા હતા. ચાની લારી ચલાવતા રણુભાઈ ભરવાડે વ્યાજના બાકી રૂપિયાની પઠાણી ઉઘરાણી સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ, નવનિયુક્ત નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિરના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને પોલીસ સ્ટાફે સુપેડા હોસ્પિટલ સામે આવેલા કોમ્પ્લેક્સમાં ચાલતી 'માં ફાઇનાન્સ'ની ઓફિસમાં દરોડો પાડી જરૂરી પુરાવા અને ફાઈલો જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી શરૂ થતાં જ ગુનામાં સંકળાયેલા આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ, 9 જુલાઈ 2026ના રોજ હસમુખજી વણઝારાએ પણ દીપેશ રાજપૂત અને જીગર પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે તપાસ તેજ કરીને 11 જુલાઈ 2026ના રોજ દીપેશ રાજપૂત, અરવિંદ મકવાણા અને જીગર પરમારની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ મોટી કાર્યવાહીથી કાલોલ પંથકના વ્યાજખોરોમાં ભારે હડકંપ મચી ગયો છે. જો કે, હવે કાલોલ પોલીસ આ વ્યાજખોરો સામે ફરિયાદ મુજબ કડક તપાસ કરીને યોગ્ય પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું!2