માંડલ ચબુતરા ચોકમાં ગંદકીનો ભરડો : આંગણવાડી મકાન પાસે અસ્વચ્છતાને લઈ લોકોમાં રોષ માંડલ ચબુતરા ચોકમાં ગંદકીનો ભરડો : આંગણવાડી મકાન પાસે અસ્વચ્છતાને લઈ લોકોમાં રોષ (માંડલ) માંડલ નગરના ચબૂતરા ચોક ખાતે આવેલ જર્જરિત આંગણવાડી મકાનની બાજુમાં અસહ્ય ગંદકીએ ભરડો લીધો છે અને ગામના પોશ એરિયામાં જાણે ડમ્પીંગ સ્ટેશન જેવી હાલત ઉભી થઈ ગઈ છે. આંગણવાડીની પાસે કચરો અને ગંદકીના ઢગલાંઓ જોવા મળતાં સ્થાનિક વેપારીઓ,દુકાનદારો અને ખરીદી કરવા આવતાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે, ચબુતરા ચોક એ માંડલનું મહત્વનું વ્યાપારી સ્થળ છે. આ વિસ્તારમાં ખરીદીનું માર્કેટ ઉપરાંત બેંક અને દુકાનો આવેલી છે, આ કચરાના ઢગલાની આસપાસમાં નાનામોટા કેબીનો પણ આવેલાં છે અને લોકો રોજગારી મેળવે છે. આ વિસ્તાર દિવસભર વ્યસ્ત રહે છે, સ્થાનિક દુકાનદારોનું પણ કહેવું છે કે, ગંદકીના કારણે વેપારીઓ અને ગ્રાહકોને પણ અસુવિધા ઉભી થાય છે અને આ વિસ્તારમાં અસ્વચ્છતાનું વાતાવરણ ઉભું થયું છે. આંગણવાડીની આસપાસ દોઢ બે વર્ષ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા પેવરબ્લોક નાખવામાં આવેલ છે તેમ છતાં અહીં સ્થિતિ નર્કાગારની જોવા મળે છે. આસપાસનો વિસ્તાર રહેણાંક વિસ્તાર પણ છે, બેંક હોવાથી દિવસભર અરજદારો,ગ્રાહકો આવતાં જતાં હોય, આસપાસમાં દુકાનો હોવાથી ગ્રાહકો પણ ખરીદી, કોઈ કામ અર્થે આવતાં હોય ત્યારે રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. ગંદકી અને કચરાના ઢગમાં પશુઓ પણ ખોરાકની શોધ કરતાં હોય છે, પશુઓમાં પણ બિમારી ઉભી થાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે આ ગંદકી વાળો વિસ્તાર સફાઈ કરાવી આસપાસમાં દિવાલો ઉભી કરી આ જગ્યાનો કોઈ સારો ઉપયોગ કરાય તેવી લોકમાંગ ઉઠી છે.
માંડલ ચબુતરા ચોકમાં ગંદકીનો ભરડો : આંગણવાડી મકાન પાસે અસ્વચ્છતાને લઈ લોકોમાં રોષ માંડલ ચબુતરા ચોકમાં ગંદકીનો ભરડો : આંગણવાડી મકાન પાસે અસ્વચ્છતાને લઈ લોકોમાં રોષ (માંડલ) માંડલ નગરના ચબૂતરા ચોક ખાતે આવેલ જર્જરિત આંગણવાડી મકાનની બાજુમાં અસહ્ય ગંદકીએ ભરડો લીધો છે અને ગામના પોશ એરિયામાં જાણે ડમ્પીંગ સ્ટેશન જેવી હાલત ઉભી થઈ ગઈ છે. આંગણવાડીની પાસે કચરો અને ગંદકીના ઢગલાંઓ જોવા મળતાં સ્થાનિક વેપારીઓ,દુકાનદારો અને ખરીદી કરવા આવતાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે, ચબુતરા ચોક એ માંડલનું મહત્વનું વ્યાપારી સ્થળ છે. આ વિસ્તારમાં ખરીદીનું માર્કેટ ઉપરાંત બેંક અને દુકાનો આવેલી છે, આ કચરાના ઢગલાની આસપાસમાં નાનામોટા કેબીનો પણ આવેલાં છે અને લોકો રોજગારી મેળવે છે. આ વિસ્તાર દિવસભર વ્યસ્ત રહે છે, સ્થાનિક દુકાનદારોનું પણ કહેવું
છે કે, ગંદકીના કારણે વેપારીઓ અને ગ્રાહકોને પણ અસુવિધા ઉભી થાય છે અને આ વિસ્તારમાં અસ્વચ્છતાનું વાતાવરણ ઉભું થયું છે. આંગણવાડીની આસપાસ દોઢ બે વર્ષ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા પેવરબ્લોક નાખવામાં આવેલ છે તેમ છતાં અહીં સ્થિતિ નર્કાગારની જોવા મળે છે. આસપાસનો વિસ્તાર રહેણાંક વિસ્તાર પણ છે, બેંક હોવાથી દિવસભર અરજદારો,ગ્રાહકો આવતાં જતાં હોય, આસપાસમાં દુકાનો હોવાથી ગ્રાહકો પણ ખરીદી, કોઈ કામ અર્થે આવતાં હોય ત્યારે રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. ગંદકી અને કચરાના ઢગમાં પશુઓ પણ ખોરાકની શોધ કરતાં હોય છે, પશુઓમાં પણ બિમારી ઉભી થાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે આ ગંદકી વાળો વિસ્તાર સફાઈ કરાવી આસપાસમાં દિવાલો ઉભી કરી આ જગ્યાનો કોઈ સારો ઉપયોગ કરાય તેવી લોકમાંગ ઉઠી છે.
- કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત #કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત* કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.1
- વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર: ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ના સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસેથી પરત ફરેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાને સંબોધતા ગુજરાતમાં મોટા પાયે મૂડીરોકાણ આવવાની આશા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક વિઝન, વૈશ્વિક સંબંધો અને તેમના પરના અતૂટ વિશ્વાસને કારણે વિશ્વભરની દિગ્ગજ કંપનીઓ ગુજરાત અને ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. તેમજ ગિફ્ટ સિટી માટે મોટી ફાઇનાન્શિયલ કંપનીઓ સાથે પણ સકારાત્મક ચર્ચાઓ થઈ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, દરેક સેક્ટરમાં ગુજરાત અને ભારતમાં વધુમાં વધુ મૂડીરોકાણ આવે તેવી અપેક્ષા છે. વિદેશ પ્રવાસ દરમિયાન મળેલા પ્રતિસાદને જોતા ગુજરાત માટે ખૂબ જ સારું અને મોટું મૂડીરોકાણ આવવાની સંભાવના છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને ગુજરાતમાં રોકાણ માટે વૈશ્વિક કંપનીઓનો ઉત્સાહ વધ્યો છે.1
- વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ પ]| જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે. વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે.4
- લીંબડી શહેરમાં દસ દિવસથી અનેકો વિસ્તારમાં પાણી નહીં મળતા લોકો પરેશાન લીંબડી શહેરમાં દસ દિવસથી પાણી નહીં મળતા લોકો પરેશાન લીંબડી શહેરના અનેક વોર્ડમાં છેલ્લા દસ દિવસથી પાણીનો પુરવઠો ખોરવાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પીવા તેમજ રોજિંદા વપરાશ માટેનું પાણી મેળવવા લોકોને વલખા મારવાની ફરજ પડી રહી છે. મળતી માહિતી મુજબ, લીંબડી નગરપાલિકાની પાણી સપ્લાયની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ છે. હાલ પાલિકા દ્વારા પાણીની લાઈનનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ, લાંબા સમયથી પાણી ન મળતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો દ્વારા નગરપાલિકાની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. પાણી ક્યારે આવશે તે અંગે પૂછવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવતીકાલ સાંજ સુધીમાં પાણીની લાઈનનું રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે. હવે રીપેરીંગ કામ સમયસર પૂર્ણ થાય અને લીંબડી શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ક્યારે નિયમિત થાય છે તે જોવું રહ્યું.1
- ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો1
- રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત વિજાપુર, તા. 26 : હિંમતનગર–મહેસાણા હાઈવે પર રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે મંગળવારે સાંજના સમયે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટીવા પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને કેટલાક યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ કરી તેમને સારવાર માટે દવાખાને પહોંચાડવામાં સહયોગ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જિલ્લાના મૂળ બેણપ ગામના અને હાલ ગાંધીનગર જિલ્લાના ટંટોડા ખાતે રહેતા ગણેશભાઈ નવા દેવપુરા ખાતે પટેલ દિનેશભાઈને ત્યાં કામ કરતા હતા. તા. 25 ઓગસ્ટના રોજ સાંજના સમયે ગણેશભાઈ તેમના શેઠ પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેન સાથે હિંમતનગર તરફ ગયા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના અલગ-અલગ વાહનોમાં વિજાપુર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે સાડા સાત વાગ્યાના સમયે રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે પહોંચતા પાછળથી આવતી હોન્ડા કંપનીની ગાડીના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ગણેશભાઈના મોસા તેમજ પટેલ દિનેશભાઈના એક્ટીવાને ટક્કર મારી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. અકસ્માતમાં ગણેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેનને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતક સાથે સંબંધિત દેવપુરા ગામના સરપંચ સહિત યુવાનો પણ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન મોડી રાત સુધી હાજર રહી પરિવારજનોને સહકાર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ગણેશભાઈના ભાઈ વિક્રમભાઈ રબારીની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે હોન્ડા વાહનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર–મહેસાણા હાઈવે પર સર્જાયેલા આ વધુ એક ગંભીર અકસ્માતથી માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વિગતો પોલીસ ફરિયાદ અને પ્રાથમિક માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો બહાર આવશે.1
- ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.1
- વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ પ]| જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે & વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે .4