*સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સચિનમાં નહેરમાં ડૂબી જવાથી ૪ વર્ષની બાળકીનું કરુણ મોત* સુરત: સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘર પાસે રમી રહેલી માસૂમ બાળકી અચાનક નહેરમાં પડી જતાં તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે અને નાના બાળકો ધરાવતા વાલીઓ માટે આ એક ચેતવણી સમાન કિસ્સો બન્યો છે. સચિન જીઆઈડીસીમાં આવેલી ઓમ સાઈ સોસાયટીમાં પ્રદીપભાઈ વર્માનો પરિવાર વસવાટ કરે છે. તેમની ૪ વર્ષની વ્હાલસોયી દીકરી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી. તે સમયે તેની માતા ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતી. રમતા-રમતા આરાધ્યા ઘરની નજીક આવેલી નહેર પાસે પહોંચી ગઈ હતી અને અચાનક પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ખાબકી હતી. બાળકી નહેરમાં પડી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવતા જ ભારે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક જહેમત ઉઠાવી બાળકીને પાણીમાંથી બહાર કાઢી હતી. તેને ગંભીર હાલતમાં તુરંત જ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ આરાધ્યાને મૃત જાહેર કરી હતી. માત્ર ૪ વર્ષની આરાધ્યાના અકાળે અવસાનથી વર્મા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. આ ઘટના અંગેની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માતે મોતેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
*સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સચિનમાં નહેરમાં ડૂબી જવાથી ૪ વર્ષની બાળકીનું કરુણ મોત* સુરત: સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘર પાસે રમી રહેલી માસૂમ બાળકી અચાનક નહેરમાં પડી જતાં તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે અને નાના બાળકો
ધરાવતા વાલીઓ માટે આ એક ચેતવણી સમાન કિસ્સો બન્યો છે. સચિન જીઆઈડીસીમાં આવેલી ઓમ સાઈ સોસાયટીમાં પ્રદીપભાઈ વર્માનો પરિવાર વસવાટ કરે છે. તેમની ૪ વર્ષની વ્હાલસોયી દીકરી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી. તે સમયે તેની માતા ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતી. રમતા-રમતા આરાધ્યા ઘરની નજીક આવેલી નહેર પાસે પહોંચી ગઈ હતી અને
અચાનક પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ખાબકી હતી. બાળકી નહેરમાં પડી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવતા જ ભારે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક જહેમત ઉઠાવી બાળકીને પાણીમાંથી બહાર કાઢી હતી. તેને ગંભીર હાલતમાં તુરંત જ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ આરાધ્યાને મૃત
જાહેર કરી હતી. માત્ર ૪ વર્ષની આરાધ્યાના અકાળે અવસાનથી વર્મા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. આ ઘટના અંગેની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માતે મોતેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Post by Liveindiasuratnews241
- Post by Dileep Kumar yadav4
- कड़ोदरा ब्रिज के नीचे जनरेटर में लगी भीषण आग, धुएं के गुबार से मचा हड़कंप।1
- सूरत शहर में एक बच्चे का कटा गर्दनपतंग की डोर से1
- पलसाना, तालुका जोलवा पुलिस चेकिंग के दौरान अलग मूड में दिखाई दी, बाज की तरह हर वाहन की चेकिंग की जा रही थी,1
- સુરત બ્રેકીંગ પર્વત પાટિયા ચાર રસ્તા પાસેનો બનાવ મધ્યપ્રદેશની એસટી બસ અડફેટે એક વૃધ્ધનું કરૂણ મોત બે વૃદ્ધ મિત્રો દૂધ લઇ ઘરે જવા નીકળ્યા ત્યારે અકસ્માત નડ્યો મૃતક વૃધ્ધ કેમિકલના વેપારી હતા અકસ્માત ના સીસીટીવી આવ્યા સામે1
- गुजरात के नवसारी जिले के अंतर्गत आने वाले चिखली तालुका के समरोली गांव से एक महत्वपूर्ण समाचार सामने आ रहा है। यहाँ प्रसिद्ध फूलदेवी माता मंदिर के समीप स्थित तालाब में मिट्टी का खनन (खोदकाम) एक बार फिर से शुरू कर दिया गया है। पिछले कुछ समय से बंद पड़ी इस गतिविधि के दोबारा शुरू होने से स्थानीय प्रशासन और पर्यावरण नियमों पर सवाल उठने लगे हैं।1
- Post by Dileep Kumar yadav1