Shuru
Apke Nagar Ki App…
અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટે બનાવાયેલા પોષણક્ષમ આહારના કથિત બારોબારિયા મુદ્દે કોંગ્રેસના ઇન્ચાર્જ જિલ્લા પ્રમુખે એક નિવેદન આપ્યું છે.
Arvalli city news
અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટે બનાવાયેલા પોષણક્ષમ આહારના કથિત બારોબારિયા મુદ્દે કોંગ્રેસના ઇન્ચાર્જ જિલ્લા પ્રમુખે એક નિવેદન આપ્યું છે.
More news from ગુજરાત and nearby areas
- રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે અરવલ્લી જિલ્લામાં આગામી 28 થી 30 જૂન, 2026 દરમિયાન પલ્સ પોલિયો રસીકરણ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશનો મુખ્ય લક્ષ્યાંક જિલ્લાના 0 થી 5 વર્ષના કુલ 1.15 લાખથી વધુ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવાનો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઝુંબેશના પ્રથમ દિવસે એટલે કે 28 જૂનના રોજ જિલ્લાના 642 પોલિયો બુથ પર બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે. ત્યારબાદ, 29 અને 30 જૂનના રોજ આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈને બાકી રહેલા બાળકોને પોલિયોના ટીપા પીવડાવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), આશા કાર્યકરો, આશા ફેસિલિટેટર તેમજ આંગણવાડી કાર્યકરો સહિત કુલ 2568 ટીમો કાર્યરત રહેશે. આ ઉપરાંત, દેખરેખ અને માર્ગદર્શન માટે સુપરવાઇઝરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાઈરિસ્ક વિસ્તારો, ઈંટના ભઠ્ઠાઓ, ઔદ્યોગિક વિસ્તારો, સ્લમ વિસ્તારો તેમજ સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને આવરી લેવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ બાળક પોલિયો રસીકરણથી વંચિત ન રહે. આ ઝુંબેશ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે માઈકિંગ, પોસ્ટર, બેનર, રેલી તેમજ વિવિધ પ્રચાર-પ્રસારના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના 0 થી 5 વર્ષના દરેક બાળકને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપા અવશ્ય પીવડાવે. વિભાગે ભારપૂર્વક જણાવ્યું છે કે પોલિયોના આ બે ટીપા બાળકના સ્વસ્થ, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને પોલિયોમુક્ત સમાજના નિર્માણમાં દરેક નાગરિકનો સહયોગ જરૂરી છે.2
- અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામ ખાતે એક યુવતીના અપહરણની ઘટના સામે આવી છે. મૈત્રી કરારથી રહેતી નેન્સીબેન નામની યુવતીનું કાળા કલરની કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અપહરણ નેન્સીબેનના પિતા દિલીપ પ્રજાપતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓએ કર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીના પતિ જીત પટેલે આ મામલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.1
- અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાંથી એક પરિણીત યુવતીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.1
- મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાળના મુવાડા ગામે એક ખેતરમાં આશરે ૮ ફૂટ લાંબો મસમોટો મગર જોવા મળ્યો હતો. ખેડૂત કાંતિભાઈએ આ અંગે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. સ્થળ પર તપાસ કરતા, આ મગર સાથે તેના તાજા જન્મેલા ૧૦ બચ્ચા પણ મળી આવ્યા હતા. લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ. ગામીતની સૂચના મુજબ, સિગ્નલી રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટર ગોરીબેન હઠીલા, સમીરખાન પઠાણ, વિષ્ણુભાઈ પૂજારા, જીવરાજભાઈ ગઢવી અને વિનાબેન પગી સહિતના વનવિભાગના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કાંતિભાઈ માછીના ખેતરમાંથી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને તેના ૧૦ બચ્ચાને પણ સુરક્ષિત રીતે પકડી પાડ્યા હતા. ત્યારબાદ મગર અને તેના બચ્ચાને સહી સલામત રીતે મહીસાગર નદીમાં છોડી દેવામાં આવ્યા હતા, જેના પગલે ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો.4
- વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વિજાપુરના ટીબી રોડ પર આવેલા લીલા શાહ મોલ નજીક ૨૦ જૂન, ૨૦૨૬ ના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું દુઃખદ અવસાન થયું હતું, અને સમગ્ર બનાવ સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયો છે. વિજાપુરના પંડ્યાવાસમાં રહેતા સંદિપભાઈ અરવિંદભાઈ પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમની પત્ની મનોરમા ઉર્ફે મનિષાબેન સાથે એક્ટીવા નંબર GJ.01.UV.0822 પર બજારમાં જઈ રહ્યા હતા. લીલા શાહ મોલ આગળ તેમની આગળ એક ટ્રેક્ટર જઈ રહ્યું હતું. તે જ સમયે, સામેથી એક અજાણી મહિલા એક્ટીવા ચાલક પોતાનું વાહન રોંગ સાઈડે, બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને આવી હતી. સામેથી આવતી એક્ટીવાથી બચવા માટે સંદિપભાઈએ પોતાની એક્ટીવાને બ્રેક મારી હતી. બ્રેક મારતા પાછળ બેઠેલાં તેમનાં પત્ની મનિષાબેન નીચે પડી ગયા હતા અને તે જ ક્ષણે આગળ જઈ રહેલા ટ્રેક્ટરના ટ્રેઇલરના ટાયર નીચે આવી જતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર માટે તેમને વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં ફરિયાદી સંદિપભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો. પત્નીના મૃત્યુ અને પોતાની ઈજાઓના કારણે સંદિપભાઈએ ૨૧ જૂન, ૨૦૨૬ ના રોજ ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે આ બનાવ અંગે અજાણી એક્ટીવા ચાલક મહિલા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધીને પીએસઆઈ નિલેશકુમાર પરમારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.1
- ગોગા વાડી સોસાયટી ધાનેરા પેટા જિલ્લો, GJ, IN1
- આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બદપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના જાહેર રસ્તા પર ગંદકીનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. આ ગંદકીના કારણે નાના બાળકોને શાળાએ જવા માટે ગંદકી અને લોકોના સંદેશાઓને ઓળંગીને પસાર થવાની ફરજ પડે છે. રસ્તા પર ફેલાયેલી ગંદકીને કારણે બાળકોને મજબૂરીવશ રસ્તાની વચ્ચે ચાલવું પડે છે, જેના પરિણામે વાહનોની અવરજવરથી અકસ્માત થવાનો ભય સતત રહે છે. સ્થાનિકો દ્વારા આ ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તંત્રને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ કરવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.1
- અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લીલા લાકડાની ખુલ્લેઆમ હેરાફેરી ચર્ચાનો વિષય બની છે. મેઘરજ, બાયડ અને મોડાસા સહિતના વિસ્તારોમાં ટ્રક અને ટ્રેક્ટરોમાં ભરેલા લાકડાના જથ્થા જાહેર રસ્તાઓ પરથી ખુલ્લેઆમ પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દિનપ્રતિદિન વધી રહેલી આ હેરાફેરી કાયદેસર છે કે ગેરકાયદેસર, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે મોટા પાયે લાકડાની હેરાફેરી થતી હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા પૂરતી તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. રસ્તાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવે તો લાકડાના જથ્થા કયા વિસ્તારથી આવે છે અને ક્યાં લઈ જવામાં આવે છે તે અંગે મહત્વના ખુલાસા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેઘરજ, બાયડ અને મોડાસા તાલુકાના અનેક માર્ગો પરથી ટ્રક અને ટ્રેક્ટરોમાં ભરેલા લાકડા પસાર થતા હોવાના દાવાઓ વચ્ચે હવે જવાબદાર વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હકીકત બહાર લાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. જોકે, લાકડાની હેરાફેરી કાયદેસર પરવાનગી સાથે થઈ રહી છે કે ગેરકાયદેસર રીતે, તે અંગે સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.2