આજથી કેશોદ શહેરમાં ધોરણ નવ થી 12 સુધીની પ્રિલિમિનરી પરીક્ષાઓનો પ્રારંભ થયો કેશોદની સરકારે ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના 3હજાર કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કેશોદ શહેરની માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજરોજ પ્રિલિમિનરી પરીક્ષાઓનો પ્રારંભ થયેલ છે જે 29 જાન્યુઆરી સુધી ચાલશે આ પરીક્ષાઓ સવારે 11:00 વાગ્યા થી એક વાગ્યા સુધી અમુક શાળાઓમાં બે શિફ્ટમાં વિવિધ વિષયોની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે શિક્ષણ વિભાગના દ્વારા મળતી માહિતી મુજબ કેશોદ શહેરની 12 સરકારી તેમજ ગ્રાન્ટેડ તથા 18 જેટલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ધોરણ 9 તથા 10 સામાન્ય પરીક્ષાઓ તથા ધોરણ 11 અને 12મા ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયેલ છે જેમાં ધોરણ 9 તથા 11 નો અભ્યાસક્રમ ડિસેમ્બર મહિના સુધીનો રહેશે જ્યારે ધોરણ 10 અને 12 નો અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે કોઈપણ શાળાઓ દ્વારા પ્રશ્નપત્ર ની ગોપનીયતા ભંગ કરનાર શાળા કે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત કેશોદ શહેરમાં ધોરણ ત્રણ થી આઠ સુધી તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ નો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે જે અનુસાર બીજા સત્રની ત્રિમાસિક પરીક્ષાઓ બીજી ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવેલી છે આ કસોટીઓમાં દરેક વિષયના ૪૦ _૪૦ ગુણના રાખવામાં આવેલા છે જેના માટે 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
આજથી કેશોદ શહેરમાં ધોરણ નવ થી 12 સુધીની પ્રિલિમિનરી પરીક્ષાઓનો પ્રારંભ થયો કેશોદની સરકારે ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના 3હજાર કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કેશોદ શહેરની માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજરોજ પ્રિલિમિનરી પરીક્ષાઓનો પ્રારંભ થયેલ છે જે 29 જાન્યુઆરી સુધી ચાલશે આ પરીક્ષાઓ સવારે 11:00 વાગ્યા થી એક વાગ્યા સુધી અમુક શાળાઓમાં બે શિફ્ટમાં વિવિધ વિષયોની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે શિક્ષણ વિભાગના દ્વારા મળતી
માહિતી મુજબ કેશોદ શહેરની 12 સરકારી તેમજ ગ્રાન્ટેડ તથા 18 જેટલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ધોરણ 9 તથા 10 સામાન્ય પરીક્ષાઓ તથા ધોરણ 11 અને 12મા ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયેલ છે જેમાં ધોરણ 9 તથા 11 નો અભ્યાસક્રમ ડિસેમ્બર મહિના સુધીનો રહેશે જ્યારે ધોરણ 10 અને 12 નો અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે કોઈપણ શાળાઓ દ્વારા પ્રશ્નપત્ર ની ગોપનીયતા ભંગ કરનાર શાળા કે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવશે આ ઉપરાંત કેશોદ શહેરમાં ધોરણ ત્રણ થી આઠ સુધી તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ નો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે જે અનુસાર બીજા સત્રની ત્રિમાસિક પરીક્ષાઓ બીજી ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવેલી છે આ કસોટીઓમાં દરેક વિષયના ૪૦ _૪૦ ગુણના રાખવામાં આવેલા છે જેના માટે 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- ગીર સોમનાથ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આજોઠા ગામથી નીકળેલો એક પરિવાર રસ્તામાં અકસ્માતનો ભોગ બન્યો છે. ભંડુરી નજીક ઓટો રીક્ષા પલ્ટી જતા પાંચ વર્ષના બાળકે ઘટના સ્થળ પર જ પ્રાણ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ ગીર સોમનાથના આજોઠા ગામથી એક પરિવાર ઓટો રીક્ષા દ્વારા કેશોદ તાલુકાના રાણેકપરા ગામે દીકરીને મુકવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ભંડુરી નજીક ઓટો રીક્ષા અચાનક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વર્ષનો પવન કૌશિકભાઈ ગોંડલિયા ઘટનાસ્થળ પર જ કાળનો કોળિયો બન્યો હતો. જ્યારે રીક્ષા ચાલક * શામળદાસ વલ્લભદાસ ગોંડલિયા (ઉ.વ. ૫૧) અને * પાયલબેન ભીખારામ ગોંડલિયા (ઉ.વ. ૨૨) સહિતના લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગરસ્તો ને સારવાર આપી અને મૃત બાળક ને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલી હતી ભંડુરી નજીક બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવાર દીકરીને મુકવા નીકળ્યો અને વચ્ચે જ આ દુઃખદ બનાવ બનતા ખુશીના પ્રસંગે શોક છવાઈ ગયો છે. અકસ્માતગ્રસ્ત ઓટો રીક્ષા નંબર GJ-32-U-2071 હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. 📍 રિપોર્ટ: જગદીશ યાદવ, જૂનાગઢ5
- Post by પત્રકાર1
- જૂનાગઢ: પરંપરાગત અને પોષક તત્વોથી સભર બાજરો, જુવાર અને રાગી જેવા જાડા ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવા જૂનાગઢમાં આગામી ૨૧ અને ૨૨ માર્ચના રોજ 'મિલેટ એક્ષ્પો' યોજાશે. મનપા કમિશનર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ આયોજનને આખરી ઓપ અપાયો હતો. સરદાર બાગ પાસે હવેલી વાડીના ગ્રાઉન્ડમાં યોજાનારા આ મેળામાં ૫૦ જેટલા સ્ટોલ્સ દ્વારા મિલેટ બેઇઝ્ડ વાનગીઓ, રેડી ટુ ઇટ ફૂડ અને સખી મંડળની હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. આ એક્ષ્પોનો મુખ્ય હેતુ લોકોને આધુનિક આહાર શૈલી છોડી ફરી પ્રકૃતિ અને સ્વાસ્થ્યપ્રદ મિલેટ્સ તરફ વાળવાનો છે, જેમાં કૃષિ યુનિવર્સિટી અને આયુર્વેદ વિભાગના વિશેષ સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.1
- જૂનાગઢ માંગનાથ રોડ પર સિલ્વર શોપિંગ સેન્ટર ખાતે, અચાનક ગાડીનું લીવર વધારે દેવાઈ જતા મહિલા સંતુલન ગુમાવી સીડી પરથી લપસીને અન્ડરગ્રાઉન્ડ માં પછડાઈ.1
- ૧૪,૧૫ તારીખે આખા દેશમાં પ્રથમ વખત Nt/Dnt ના સમાજ નુ વિચાર મંથન થયું હતું એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરીયાણા, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ, દિલ્હી, રાજ્ય માંથી પોત પોતાના રાજ્ય ના પ્રતિનિધિ ઓ હાજર થયા હતા બે દિવસ સુધી ચાલે અધિવેશન માં પોત પોતાના રાજ્ય માં જીવન પરિસ્થિતિ નુ અવલોકન કર્યું હતું આ સમુદાય ના લોકો અત્યંત ગરીબ અને દયનીય સ્થિતિ માં જીવન જીવી રહ્યા છે આ સમુદાય ના લોકો પર વર્ષ ૧૮૫૭ અંગ્રેજ સરકાર દ્વારા કિરર્મિનલ એકટ લાગું કરવામાં આવ્યો હતો ત્યારથી આ સમુદાય ના લોકો ના પારંપરિક વ્યવસાય થી અલગ થતા ભટકતું જીવન ગુજાર પર મજબૂર થયા હતા ૧૯૪૭ ભારત દેશ તો આઝાદ થયો પણ આ લોકો આઝાદી ના પાંચ વર્ષ પછી૧૯૫૨, ૩૧ ઓગસ્ટ દિને આઝાદ કરવામાં આવ્યા હતા1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું તંત્ર ની ઘોર બેદરકારી જોવા મળી ધોરાજી ઘણા સમય થી જુનાગઢ રોડ પર આવેલ ભુગર્ભ ગટર ની કુંડી ભરાઇ ગયેલ જોવા મળે છે પણ યોગ્ય ફોલ્ટ નગરપાલિકા તંત્ર શોધી નથી શકતી કે આ કુંડી કેમ છલકાઈ રહી છે તેથી તે વિસ્તારના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પીવા નાં પાણી પણ દુષિત પાણી ભળી જાય છે આજે નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર ની કુંડી માં એક પશુ પડી ગયું હતું અને પશું પ્રેમી એ આજુબાજુના લોકો ને સાથે રાખી નેં આ પશું નેં ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ સદનસીબે આ પશું તો બચી ગયું પણ જ્યારે કોઈ મનુષ્ય આ કુંડી માં પડશે ત્યારે શું થાસે એતો ભગવાન જ જાણે2
- અમરેલી ની એક પ્રખ્યાત હોટેલ માંથી લીધેલ પાર્સલ માંથી જીવાત નીકળ્યા નો આક્ષેપ1
- જૂનાગઢ ના કેશોદના વેરાવળ રોડ પર આવેલી પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ પાછળની રાધેશ્યામ–2 સોસાયટીમાં ધોળે દિવસે થયેલી મોટરસાયકલ ચોરીની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનું માહોલ ફેલાયો છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એક અજાણ્યો શખ્સ ધીમે ધીમે આસપાસ નજર રાખીને મોકો જોઈને બાઈક ચોરી કરી ફરાર થઈ જાય છે. ચોંકાવનારી વાત એ છે કે બપોરના તડકામાં, જ્યારે લોકો ઘરમાં આરામ કરતા હોય છે, ત્યારે ચોરો બેફામ રીતે ચોરીને અંજામ આપી રહ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે કેશોદમાં હવે ચોરોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. સ્થાનિક લોકોએ આ ઘટનાને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોનો સીધો સવાલ છે કે — શું કેશોદ પોલીસ માત્ર દર્શક બની રહી છે? બે દિવસ પહેલા બનેલી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી કે ચોર સુધી પહોંચવાનો પ્રયાસ દેખાતો નથી. એક તરફ કેશોદમાં દિવસે દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે, અને બીજી તરફ પોલીસ તંત્ર જાણે “કુંભકર્ણની નિંદ્રા”માં મગ્ન હોય તેમ લાગી રહ્યું છે. જો હાલની પરિસ્થિતિમાં જાગૃતિ નહીં આવે તો ઉનાળાના દિવસોમાં આવી ચોરીઓમાં વધુ વધારો થવાની પૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે — કેશોદ પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરીને જનતાનો વિશ્વાસ જીતશે કે પછી આવી ઘટનાઓ સામે આંખ આડા કાન જ રાખશે?1