logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સારા વરસાદને પગલે દાહોદ જિલ્લામાં માછણ ડેમમાં 92.16% પાણીની આવક થઈ દાહોદ જિલ્લામાં માછણ ડેમમાં 92.16% પાણીની આવક થઈ  ઉપરવાસમાં સારા વરસાદને પગલે માછણ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં માછણ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 92.16% સુધી ભરાયો છે. મળતી માહિતી અનુસાર માછણ ડેમની મહત્તમ જળસપાટી 277.45 મીટર છે, જ્યારે હાલમાં ડેમમાં પાણીની સપાટી 277.20 મીટર સુધી પહોંચી છે.વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં પાણીનો સંગ્રહ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ પાણીનો ઉપયોગ સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

1 day ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
1 day ago

સારા વરસાદને પગલે દાહોદ જિલ્લામાં માછણ ડેમમાં 92.16% પાણીની આવક થઈ દાહોદ જિલ્લામાં માછણ ડેમમાં 92.16% પાણીની આવક થઈ  ઉપરવાસમાં સારા વરસાદને પગલે માછણ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં માછણ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 92.16% સુધી ભરાયો છે. મળતી માહિતી અનુસાર માછણ ડેમની મહત્તમ જળસપાટી 277.45 મીટર છે, જ્યારે હાલમાં ડેમમાં પાણીની સપાટી 277.20 મીટર સુધી પહોંચી છે.વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં પાણીનો સંગ્રહ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ પાણીનો ઉપયોગ સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વનેતા આદરણીય શ્રી Narendra Modi સાહેબના મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષ મળીને કુલ ૨૫ વર્ષના અવિરત રાષ્ટ્રસેવા તથા જનકલ્યાણના કાર્યકાળને ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આગામી ૧૭મી સપ્ટેમ્બરે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સાંજે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન મહીસાગર જિલ્લાના પ્રત્યેક બૂથમાં દરેક ઘરે દીવડો પ્રગટાવવાનો વિશેષ સેવા સંકલ્પ લેવાયો છે. ​પૂજ્ય મોદી સાહેબના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશસેવાના સંકલ્પની સિદ્ધિ માટે સમર્પિત આ 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમમાં સહભાગી થવા મહીસાગર જિલ્લાના તમામ વડીલો, માતાઓ, યુવાનો અને નાગરિકોને ભાવભર્યું જાહેર આહ્વાન કરું છું.
    1
    ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વનેતા આદરણીય શ્રી Narendra Modi સાહેબના મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષ મળીને કુલ ૨૫ વર્ષના અવિરત રાષ્ટ્રસેવા તથા જનકલ્યાણના કાર્યકાળને ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 
આ અવસરે આગામી ૧૭મી સપ્ટેમ્બરે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સાંજે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન મહીસાગર જિલ્લાના પ્રત્યેક બૂથમાં દરેક ઘરે દીવડો પ્રગટાવવાનો વિશેષ સેવા સંકલ્પ લેવાયો છે.
​પૂજ્ય મોદી સાહેબના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશસેવાના સંકલ્પની સિદ્ધિ માટે સમર્પિત આ 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમમાં સહભાગી થવા મહીસાગર જિલ્લાના તમામ વડીલો, માતાઓ, યુવાનો અને નાગરિકોને ભાવભર્યું જાહેર આહ્વાન કરું છું.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    Photographer સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    13 hrs ago
  • છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની હાલત બિસ્માર: જર્જરિત ઇમારત અને સફાઈ મુદ્દે ઉઠ્યા ગંભીર સવાલો. જુઓ અર્જુનભાઈ પ્રોફેસરના આકરા પ્રહાર છોટાઉદેપુરમાં કોલેજ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની બિસ્માર હાલત સામે આવી છે. જર્જરિત દરવાજા-બારીઓ, નબળી દિવાલો અને ગંદકીને કારણે વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. તંત્ર અને ટ્રસ્ટના જવાબદાર અધિકારીઓ મૌન કેમ? જુઓ ઈ ક્રાંતિ ન્યૂઝ પર પઠાણ યાકુબરઝાનો ગ્રાઉન્ડ રિપોર્ટ. ​📌 તાજા અને સચોટ સમાચારો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. ​#Chhotaudepur #EKrantiNews #GirlsHostel #ChhotaudepurNews #GujaratNews #HostelMaintenance #BreakingNews #PathanYakubraza
    1
    છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની હાલત બિસ્માર: જર્જરિત ઇમારત અને સફાઈ મુદ્દે ઉઠ્યા ગંભીર સવાલો.
જુઓ અર્જુનભાઈ પ્રોફેસરના આકરા પ્રહાર
છોટાઉદેપુરમાં કોલેજ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની બિસ્માર હાલત સામે આવી છે. જર્જરિત દરવાજા-બારીઓ, નબળી દિવાલો અને ગંદકીને કારણે વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. તંત્ર અને ટ્રસ્ટના જવાબદાર અધિકારીઓ મૌન કેમ? જુઓ ઈ ક્રાંતિ ન્યૂઝ પર પઠાણ યાકુબરઝાનો ગ્રાઉન્ડ રિપોર્ટ.
​📌 તાજા અને સચોટ સમાચારો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
​#Chhotaudepur #EKrantiNews #GirlsHostel #ChhotaudepurNews #GujaratNews #HostelMaintenance #BreakingNews #PathanYakubraza
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • બ્રેકિંગ ન્યૂઝ | છોટાઉદેપુર વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની જર્જરિત હાલત સામે સવાલો, જવાબદાર તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓ માટે કોલેજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્ટેલની ઇમારતની જર્જરિત હાલત સામે સવાલો ઉઠ્યા છે. હોસ્ટેલના દરવાજા-બારીઓ, દિવાલો સહિત ઇમારતના વિવિધ ભાગોમાં જાળવણીના અભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે જ પરિસરની સ્વચ્છતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થિનીઓ જ્યાં રહે છે તે હોસ્ટેલમાં સુરક્ષા, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓ જળવાઈ રહે તે જરૂરી છે. ત્યારે ઇમારતની નિયમિત તપાસ અને સમયસર મરામત થાય છે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે. આ મામલે ટ્રસ્ટના અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે પોતે બીમાર હોવાનું જણાવ્યું, જેના કારણે આ મુદ્દે તેમનો વિગતવાર પક્ષ જાણી શકાયો નથી. બીજી તરફ, કોલેજના પ્રોફેસર સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રોફેસર રજા પર હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરિણામે હોસ્ટેલની વર્તમાન સ્થિતિ અંગે કોલેજ તરફથી સત્તાવાર વિગતવાર પ્રતિભાવ મળી શક્યો નથી. હવે સવાલ એ છે કે હોસ્ટેલની ઇમારતની સુરક્ષાની નિયમિત ચકાસણી થાય છે કે નહીં? જર્જરિત ભાગોની મરામત ક્યારે કરવામાં આવશે? અને વિદ્યાર્થિનીઓને સ્વચ્છ તથા સુરક્ષિત વાતાવરણ આપવા માટે સંચાલન અને સંબંધિત તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે? વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને હોસ્ટેલનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સ્વચ્છતા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અધિકારીનું વર્ઝન આ મામલે ટ્રસ્ટના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે “હું બીમાર છું” તેમ જણાવ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આ મામલે વિગતવાર વાતચીત કરી શક્યા નહોતા. અધિકારીનું સંપૂર્ણ વર્ઝન મેળવવા માટે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
    1
    બ્રેકિંગ ન્યૂઝ | છોટાઉદેપુર

વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની જર્જરિત હાલત સામે સવાલો, જવાબદાર તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ
છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓ માટે કોલેજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્ટેલની ઇમારતની જર્જરિત હાલત સામે સવાલો ઉઠ્યા છે. હોસ્ટેલના દરવાજા-બારીઓ, દિવાલો સહિત ઇમારતના વિવિધ ભાગોમાં જાળવણીના અભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે જ પરિસરની સ્વચ્છતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થિનીઓ જ્યાં રહે છે તે હોસ્ટેલમાં સુરક્ષા, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓ જળવાઈ રહે તે જરૂરી છે. ત્યારે ઇમારતની નિયમિત તપાસ અને સમયસર મરામત થાય છે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે.
આ મામલે ટ્રસ્ટના અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે પોતે બીમાર હોવાનું જણાવ્યું, જેના કારણે આ મુદ્દે તેમનો વિગતવાર પક્ષ જાણી શકાયો નથી.
બીજી તરફ, કોલેજના પ્રોફેસર સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રોફેસર રજા પર હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરિણામે હોસ્ટેલની વર્તમાન સ્થિતિ અંગે કોલેજ તરફથી સત્તાવાર વિગતવાર પ્રતિભાવ મળી શક્યો નથી.
હવે સવાલ એ છે કે હોસ્ટેલની ઇમારતની સુરક્ષાની નિયમિત ચકાસણી થાય છે કે નહીં? જર્જરિત ભાગોની મરામત ક્યારે કરવામાં આવશે? અને વિદ્યાર્થિનીઓને સ્વચ્છ તથા સુરક્ષિત વાતાવરણ આપવા માટે સંચાલન અને સંબંધિત તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે?
વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને હોસ્ટેલનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સ્વચ્છતા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અધિકારીનું વર્ઝન
આ મામલે ટ્રસ્ટના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે “હું બીમાર છું” તેમ જણાવ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આ મામલે વિગતવાર વાતચીત કરી શક્યા નહોતા.
અધિકારીનું સંપૂર્ણ વર્ઝન મેળવવા માટે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • આજે કવાલી થી અંબાજી પગપાળા સંઘ રવાના . બોલ મારી અંબે જય જય અંબે આજે બપોર બાદ અંબાજી પગપાળા પ્રસ્થાન શહેરા તાલુકાના કવાલી ગામ થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ હર્ષ ઉસ્લાશ સાથે કવાલી ગામના ભાવિ ભકતો અંબાજી પગપાળા પ્રસ્થાન
    1
    આજે કવાલી થી અંબાજી પગપાળા સંઘ રવાના . બોલ મારી અંબે જય જય અંબે 
આજે બપોર બાદ અંબાજી પગપાળા પ્રસ્થાન શહેરા તાલુકાના કવાલી ગામ થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ હર્ષ ઉસ્લાશ સાથે કવાલી ગામના ભાવિ ભકતો અંબાજી પગપાળા પ્રસ્થાન
    user_ન્યુઝ 24 પંચમહાલ
    ન્યુઝ 24 પંચમહાલ
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તા. 17/9/2026 ના રોજ . મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય, જનસેવા અને આધ્યાત્મિકતાને સાંકળતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બપોરે ૩:૦૦ કલાકે માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યરૂપે તાલુકા પંચાયત કચેરી હોલ, જાંબુઘોડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કરશે. સાંજે ૫:૦૦ કલાકે નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી ગાંધીભવન હોલ, જાંબુઘોડા ખાતે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાશે. વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રજાજના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરશે તેમજ રાત્રે ૭:૦૦ કલાકે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાથના અર્થે નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ના આયોજન ને લઇ આજ રોજ તાલુકા પંચાયત હોલ ખાતે મિટિંગ કરવામાં આવી હતી
    4
    જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન
જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તા. 17/9/2026 ના રોજ . મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય, જનસેવા અને આધ્યાત્મિકતાને સાંકળતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બપોરે ૩:૦૦ કલાકે માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યરૂપે તાલુકા પંચાયત કચેરી હોલ, જાંબુઘોડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કરશે. સાંજે ૫:૦૦ કલાકે નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી ગાંધીભવન હોલ, જાંબુઘોડા ખાતે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાશે. વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રજાજના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરશે તેમજ રાત્રે ૭:૦૦ કલાકે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાથના અર્થે નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ના આયોજન  ને લઇ આજ રોજ તાલુકા પંચાયત હોલ ખાતે મિટિંગ કરવામાં આવી હતી
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • વિરપુરના સાલૈયા ગામે કારમાં અચાનક આગ ભભૂકી, બે વર્ષના બાળકનો આબાદ બચાવ... મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સાલૈયા ગામ નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી હતી. કારમાં સવાર કારચાલક સહિત બે વર્ષના બાળકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. જોકે આગની જાણ કર્યા બાદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થતાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ વિરપુર તાલુકાના ભાટપુર ગામના નટવરસિંહ લક્ષ્મણસિંહ બારીયા પોતાના સગાને સરાડીયા ગામે મૂકવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે સાલૈયા ગામ નજીક તેમની કાર નં. GJ-01-KC-2422માં અચાનક આગ લાગી હતી. કારના આગળના ભાગમાં આવેલા એસીના ભાગમાંથી અચાનક આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી.આ સમયે કારમાં નટવરસિંહ બારીયાનો બે વર્ષનો પુત્ર પણ સવાર હતો. કારમાં આગ લાગ્યાની ખબર થતાં નટવરસિંહે સમયસૂચકતા દાખવી તરત જ કાર રોકી દરવાજો ખોલીને પોતાના બે વર્ષના બાળકને કારમાંથી બહાર કાઢી લીધો હતો. બાળકને બહાર કાઢ્યાની થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં સમગ્ર કાર આગની લપેટમાં આવી ગઈ હતી.ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જોકે સ્થાનિક સ્તરે ફાયર બ્રિગેડની વ્યવસ્થા ન હોવાના કારણે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચવામાં આશરે બે થી ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.સદનસીબે કારચાલક અને બે વર્ષના બાળકને સમયસર બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. બનાવને પગલે વિરપુર તાલુકામાં કાયમી ફાયર બ્રિગેડની સુવિધાની જરૂરિયાત ફરી એક વખત સામે આવી છે. તાલુકામાં આગ જેવી કટોકટીની ઘટના બને ત્યારે સમયસર મદદ મળી રહે તે માટે ફાયર બ્રિગેડની સુવિધા ઉભી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે... રીપોર્ટર- વિપુલ જોષી મોં -૯૯૨૫૬૬૯૫૩૫
    2
    વિરપુરના સાલૈયા ગામે કારમાં અચાનક આગ ભભૂકી, બે વર્ષના બાળકનો આબાદ બચાવ...
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સાલૈયા ગામ નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી હતી. કારમાં સવાર કારચાલક સહિત બે વર્ષના બાળકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. જોકે આગની જાણ કર્યા બાદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થતાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ વિરપુર તાલુકાના ભાટપુર ગામના નટવરસિંહ લક્ષ્મણસિંહ બારીયા પોતાના સગાને સરાડીયા ગામે મૂકવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે સાલૈયા ગામ નજીક તેમની કાર નં. GJ-01-KC-2422માં અચાનક આગ લાગી હતી. કારના આગળના ભાગમાં આવેલા એસીના ભાગમાંથી અચાનક આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી.આ સમયે કારમાં નટવરસિંહ બારીયાનો બે વર્ષનો પુત્ર પણ સવાર હતો. કારમાં આગ લાગ્યાની ખબર થતાં નટવરસિંહે સમયસૂચકતા દાખવી તરત જ કાર રોકી દરવાજો ખોલીને પોતાના બે વર્ષના બાળકને કારમાંથી બહાર કાઢી લીધો હતો. બાળકને બહાર કાઢ્યાની થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં સમગ્ર કાર આગની લપેટમાં આવી ગઈ હતી.ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જોકે સ્થાનિક સ્તરે ફાયર બ્રિગેડની વ્યવસ્થા ન હોવાના કારણે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચવામાં આશરે બે થી ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.સદનસીબે કારચાલક અને બે વર્ષના બાળકને સમયસર બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. બનાવને પગલે વિરપુર તાલુકામાં કાયમી ફાયર બ્રિગેડની સુવિધાની જરૂરિયાત ફરી એક વખત સામે આવી છે. તાલુકામાં આગ જેવી કટોકટીની ઘટના બને ત્યારે સમયસર મદદ મળી રહે તે માટે ફાયર બ્રિગેડની સુવિધા ઉભી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે...
રીપોર્ટર- વિપુલ જોષી મોં -૯૯૨૫૬૬૯૫૩૫
    user_વિપુલ જોષી
    વિપુલ જોષી
    Advertising agency વીરપુર, મહીસાગર, ગુજરાત•
    2 hrs ago
  • પત્રકારોના વિસામામાં જામ્યો માહોલ, EMA મીડિયા એસોસિએશનના આયોજનમાં પત્રકારોની મોજમસ્તી! પત્રકારોના વિસામામાં જામ્યો માહોલ, EMA મીડિયા એસોસિએશનના આયોજનમાં પત્રકારોની મોજમસ્તી!
    1
    પત્રકારોના વિસામામાં જામ્યો માહોલ, EMA મીડિયા એસોસિએશનના આયોજનમાં પત્રકારોની મોજમસ્તી!
પત્રકારોના વિસામામાં જામ્યો માહોલ, EMA મીડિયા એસોસિએશનના આયોજનમાં પત્રકારોની મોજમસ્તી!
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    3 hrs ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મોડાસાના મરડિયા-ચારણવાડા ખાતે આજથી વિસામો ખુલ્લો મુકવામા આવ્યો આગામી 20 સપ્ટેમ્બર થી અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો મહા મેળો યોજનાર છે ત્યારે ગુજરાત સહિત આસપાસમાં રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જતા હોય છે ત્યારે પદયાત્રીઓને રસ્તામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિસામાં નું આયોજન કરવામાં આવતું હોય છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મોડાસાના મરડિયા-ચારણવાડા ખાતે આજથી વિસામો ખુલ્લો મુકવામા આવ્યો. વિસામાં ના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મોડાસા નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો સહિત અગ્રણીઓ અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ કરવામાં આવેલ વિસ્તારમાં પદયાત્રીઓ માટે નિશુલ્ક ભોજન ચા પાણી મેડિકલ અને આરામ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે..
    4
    અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મોડાસાના મરડિયા-ચારણવાડા ખાતે આજથી વિસામો ખુલ્લો મુકવામા આવ્યો
આગામી 20 સપ્ટેમ્બર થી અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો મહા મેળો યોજનાર છે ત્યારે ગુજરાત સહિત આસપાસમાં રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જતા હોય છે ત્યારે પદયાત્રીઓને રસ્તામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિસામાં નું આયોજન કરવામાં આવતું હોય છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મોડાસાના મરડિયા-ચારણવાડા ખાતે આજથી વિસામો ખુલ્લો મુકવામા આવ્યો. વિસામાં ના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મોડાસા નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો સહિત અગ્રણીઓ અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ કરવામાં આવેલ વિસ્તારમાં પદયાત્રીઓ માટે નિશુલ્ક ભોજન ચા પાણી મેડિકલ અને આરામ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે..
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.