Shuru
Apke Nagar Ki App…
વઢવાણ અને સુરેન્દ્રનગર વિસ્તારના બે ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં બંને આરોપીઓને ભચાઉ અને સુરેન્દ્રનગરથી ઝડપી પાડવામાં આવ્યા છે.
Lalabhai
વઢવાણ અને સુરેન્દ્રનગર વિસ્તારના બે ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં બંને આરોપીઓને ભચાઉ અને સુરેન્દ્રનગરથી ઝડપી પાડવામાં આવ્યા છે.
More news from ગુજરાત and nearby areas
- મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આગામી અષાઢી બીજ તહેવાર પહેલાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે. આ અંગે હળવદથી અહેવાલકર્તા રમેશ ઠાકોર દ્વારા વિગતો આપવામાં આવી છે.1
- મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.1
- બોટાદ જિલ્લાના ઢસા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ તબીબી સેવાનું ઉદાહરણ પૂરું પાડતાં પીપળવા (લાઠી) ગામના વાડી વિસ્તારમાં જ એક સગર્ભા મહિલાની સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી છે. આજે સવારે આશરે ૧૧:૩૫ વાગ્યે મહિલાની ગંભીર સ્થિતિ અંગે ૧૦૮ ઇમરજન્સી સેવામાં કોલ મળતા જ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળા અને પાયલોટ અબ્બાસભાઈ મહેતર વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સગર્ભાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી અને પ્રસૂતિની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાથી તેને હોસ્પિટલ લઈ જવી જોખમી જણાતા ટીમે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. ૧૦૮ના ઈઆરસીપી (ERCP) ડૉ. મહેશના સતત માર્ગદર્શન હેઠળ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળાએ પોતાની તાલીમ અને અનુભવનો ઉપયોગ કરી સફળતાપૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવી હતી. એમ્બ્યુલન્સમાં રહેલી ડિલિવરી કિટ અને આધુનિક તબીબી સાધનોની મદદથી માતા અને નવજાત શિશુને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ચાવંડ પીએચસી ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યા હતા. મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલી ૧૦૮ની ટીમને કારણે બંનેના જીવ બચી જતાં પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે આ સેવાને સાચા અર્થમાં 'જીવનદાયી સેવા' ગણાવી હતી. આ પ્રશંસનીય કામગીરી બદલ બોટાદ જિલ્લાના યુનિટ હેડ યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકીએ ૧૦૮ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.4
- રાજકોટ જિલ્લાના જસદણ નગરમાં ભાદર નદી પર આશરે રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે બ્રિજનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આ બંને બ્રિજ ખુલ્લા મુકાતા જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે અને હુડકો સોસાયટીથી વાજસૂર પરા વિસ્તારના નાગરિકો માટે પરિવહન ઘણું સરળ બન્યું છે. આ પ્રસંગે લાતીપ્લોટ ખાતે યોજાયેલી સભામાં સંબોધન કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે ભાદર નદી પર રૂ. ૩૬૧.૬૪ લાખના ખર્ચે ૬૦ મીટર લાંબો અને ૧૦.૫ મીટર પહોળો બ્રિજ (કાળીયા) જૂના બસ સ્ટેન્ડ પાસે બનાવવામાં આવ્યો છે, જેનાથી જસદણ તેમજ આસપાસના ૬૦ ગામના લોકો માટે આવાગમન વધુ સરળ બન્યું છે. જ્યારે બીજો બ્રિજ હુડકો સોસાયટીથી વાજસુર પરા વિસ્તારને જોડવા માટે રૂ. ૩૧૭.૦૭ લાખના ખર્ચે તૈયાર કરાયો છે. ચોમાસા દરમિયાન ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તો પણ લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે આ બંને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જસદણને એક 'વિકસિત નગર' બનાવવાની કટિબદ્ધતા સાથે મંત્રીશ્રીએ ઉમેર્યું કે અગાઉ ખાતરી આપેલા વિકાસકાર્યોમાંથી ૯૦ ટકા કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકીના ૧૦ ટકા મંજૂરીના તબક્કે છે. નગરના છેવાડાના વિસ્તારોમાં પણ વધુ એક બ્રિજ તેમજ રસ્તાનું નિર્માણ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આ વિસ્તારોને ભૂગર્ભ ગટર યોજના સાથે સાંકળી લેવાયા છે. વધુમાં, જસદણમાં ટાઉનહોલ માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યા મંજૂર કરી દેવામાં આવી છે, મુખ્ય પ્રવેશદ્વારો પર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે અને સ્થાનિક લાઈબ્રેરી માટે રૂ. ૧ લાખના પુસ્તકો પણ આવી ગયા છે. આ સાથે જ નવી ઉદ્યોગનીતિ સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારોના વ્યવસાયને વેગ આપશે. આ કાર્યક્રમની શરૂઆતમાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.4
- જેતપુરના કણકિયા પ્લોટમાં મૈત્રીપૂર્ણ સંબંધમાં જીવવું એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયું છે. કણકિયા પ્લોટમાં અંબર સિનેમા પાસે રહેતા અને મજૂરી કામ કરતા કમલેશ વાઘેલા જ્યારે બપોરે લંચ સમયે છાશ લેવા બહાર નીકળ્યા, ત્યારે તેમની સાથે રહેતી મહિલાના પુત્ર જયન વાઘેલાએ તેમને રસ્તામાં રોકીને ૫ થી ૬ વાર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ગંભીર હુમલામાં કમલેશ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક કમલેશ વાઘેલા નીતા વાઘેલા સાથે દોસ્તીના સંબંધમાં રહેતા હતા. નીતાના પતિના અવસાન બાદ બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને તેઓ સાથે રહેવા લાગ્યા હતા. જોકે, આ સંબંધ નીતાના પુત્ર જયનને બિલકુલ પસંદ ન હતો, જેના કારણે તે સતત નારાજ રહેતો હતો અને રાજકોટમાં અલગ રહેતો હતો. પોતાની માતા વર્ષોથી અન્ય પુરુષ સાથે મૈત્રીપૂર્ણ સંબંધમાં રહેતી હોવાની બાબત સહન ન થતાં જયને કમલેશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી જયન વાઘેલા અને તેનો સાથી ધ્રુવ નૈયા અગાઉ પણ એક મર્ડર કેસમાં સંડોવાયેલા હતા. તેઓ એક દિવસ પહેલા જ જેતપુર પહોંચ્યા હતા અને કમલેશ વાઘેલાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યા હતા. હત્યામાં વપરાયેલું ચપ્પુ રાજકોટથી જેતપુર આવતી વખતે વીરપુરથી ખરીદવામાં આવ્યું હતું. તક મળતા જ જયને પૂર્વ આયોજિત કાવતરા મુજબ કમલેશ પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની ગણતરીની કલાકોમાં પોલીસે સપાટો બોલાવીને આરોપી જયન વાઘેલા અને ધ્રુવ નૈયા બંનેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.1
- મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત ખેત મજૂર પરિવાર પર હુમલો કરવાના અને સામૂહિક દુષ્કર્મ આચરવાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.1
- સુરેન્દ્રનગરમાં પેરોલ ફલો સ્ક્વોડની ટીમે ટાગોર બાગ વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષથી ફરાર પોક્સો કેસના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ મૂળી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તેમજ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો હતો અને તે એક વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નિર્દેશ હેઠળ પેરોલ ફલો સ્ક્વોડે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, ટીમે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ તાલુકાના બિયોકના રહેવાસી પરેશભાઈ રૂપસિંહભાઈ લુહારને સુરેન્દ્રનગરના ટાગોર બાગમાંથી દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ અને કાર્યવાહી માટે મૂળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ બી.એચ. સિગરખિયા, પીએસઆઈ એન.એ. રાયમા અને પીએસઆઈ આર.જે. ગોહિલ સહિત પેરોલ ફલો સ્ક્વોડની ટીમે આરોપીને પકડી પાડ્યો હતો.1