Shuru
Apke Nagar Ki App…
સાંસદ ગેનીબેન ઠાકોર ના ગામના પૂર્વ સરપંચ ગણપત ઠાકોર જોડાયા ભાજપ માં
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
સાંસદ ગેનીબેન ઠાકોર ના ગામના પૂર્વ સરપંચ ગણપત ઠાકોર જોડાયા ભાજપ માં
More news from ગુજરાત and nearby areas
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 2/4/26, ગુરૂવાર1
- Post by Pooja patel1
- હળવદની શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થામાં હનુમાન જયંતિ ભક્તિભાવથી ઉજવાઈ. ડાયરેક્ટર જયેશભાઈના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો દ્વારા ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. હનુમાનજીના જીવનચરિત્ર અને તેમના શૌર્ય-ભક્તિ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રસંગે મીઠાઈ અને પ્રસાદનું વિતરણ કરાયું. કાર્યક્રમનો હેતુ બાળકોમાં આત્મવિશ્વાસ અને આનંદ વધારવાનો રહ્યો, સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- વઘાડા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં સંતાડેલા ગેરકાયદેસર દારૂના જથ્થા પર દરોડો પાડી પોલીસે 4 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કેસમાં કુલ 13 શખ્સો સામે ગુનો નોંધાયો છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ બનાવવામાં આવી છે. દરોડા દરમિયાન 9,864 બોટલ વિદેશી દારૂ, 3 વાહનો, 7 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹61,24,064નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મોટી કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 👉 તાજા સમાચાર માટે પેજને Follow કરો.1
- અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર ટ્રકની બ્રેક ફેઈલ, રેલીંગ ગયો હતો, જેનાથી હાઈવે સફેદ થઈ બેરિયરથી ખાઈમાં પડતા બચી ટ્રક – ડ્રાઈવરનો આબાદ બચાવ ન્યૂઝ રિપોર્ટ: બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા ત્રિશુલિયા ઘાટ પર આજે એક ટ્રકની બ્રેક ફેઈલ થતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ ટ્રક અચાનક કાબૂ બહાર જતા રોડની બાજુ તરફ વળી ગયો હતો. જો કે માર્ગ પર લગાવવામાં આવેલ મજબૂત રેલીંગ બેરિયર હોવાથી ટ્રક ખાઈમાં પડતા બચી ગયો હતો. આ ઘટનામાં ટ્રકને નુકસાન થયું હોવા છતાં સદભાગ્યે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘાટ વિસ્તારમાં આવી ઘટનાઓ અટકાવવા માટે મજબૂત બેરિયર ખુબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ સ્થળ પર એકત્રિત થયા હતા.વિષ્ણુ ઠાકોર #Ambaji #TrishuliaGhat #Accident #BreakingNews #GujaratNews #SafetyFirst #BanasKantha1
- વિજાપુરની આશ સેકન્ડરી સ્કૂલમાં ભવ્ય સ્પોર્ટ્સ ડેનું આયોજન વિજાપુર, તા. ૨ એપ્રિલ, ૨૦૨૬ આશ સેકન્ડરી સ્કૂલ, વિજાપુરમાં આજે વાર્ષિક સ્પોર્ટ્સ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આશ એજ્યુકેશન ટ્રસ્ટ તથા શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પરેડ સાથે કરવામાં આવી હતી. વિવિધ હાઉસ અને જૂથોમાં વિભાજિત થયેલા વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડમાં ભાગ લીધો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ પરેડે સમગ્ર વાતાવરણને ઉત્સાહી અને આકર્ષક બનાવી દીધું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરીને રમતગમત પ્રત્યેનો પોતાનો ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસ, ટીમ વર્ક અને રમતગમતની સાચી ભાવના વિકસાવવામાં મહત્વનો યોગદાન મળ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો, શાળાના શિક્ષકો અને સ્ટાફે પણ પૂર્ણ સહકાર આપ્યો હતો. આ સ્પોર્ટ્સ મીટ વિદ્યાર્થીઓ માટે યાદગાર અને પ્રેરણાદાયક અનુભવ સાબિત થઈ છે.1
- Post by Pooja patel1
- બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન એક રસપ્રદ સ્થિતિ જોવા મળી હોવાની ચર્ચા ચાલી રહી છે. કાર્યક્રમ માટે લોકોની અવરજવર સુગમ બનાવવા માટે આશરે 2000 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આસપાસના વિસ્તારોમાંથી લોકોને લાવવામાં અને પાછા મુકવામાં સરળતા રહે. પરંતુ સ્થાનિક સ્તરે એવી ચર્ચા થઈ રહી છે કે ભાષણ શરૂ થતા કેટલાક લોકો સ્થળ પરથી ઊભા થઈને બહાર નીકળતા જોવા મળ્યા. આ બાબતને લઈને રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે કાર્યક્રમ લાંબો હોવાથી લોકો વચ્ચે થોડી અવરજવર થઈ હતી, જ્યારે કેટલાક લોકો આને રાજકીય રીતે પણ જોતા જોવા મળે છે. આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન બહાર આવ્યું નથી. (રિપોર્ટ: વિષ્ણુ ઠાકોર1
- બહુચરાજી મેળામાં યાત્રાળુઓ માટે સેવા કેમ્પોનું આયોજન મહેસાણા, ૧ એપ્રિલ ૨૦૨૬ પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે આવે છે. આવા યાત્રાળુઓની સુવિધા માટે રસ્તામાં વિવિધ સંસ્થાઓ તથા ગ્રામજનો દ્વારા વિશ્રામ, ઠંડા પાણી, છાશ, નાસ્તા અને અન્ય સેવાઓના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. મહેસાણા અને મોઢેરા તરફથી આવતા યાત્રાળુઓ માટે કાલરી ખાતે નર્મદેશ્વર મહાદેવ જય શ્રી બહુચર કેમ્પ દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં યાત્રાળુઓને નાસ્તો તથા ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બલોલથી બહુચરાજી વચ્ચેના રસ્તા પર કસલપુરા યુવક મંડળ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યાત્રાળુઓ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી અને બરફના ગોલા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રાળુઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને તેમની યાત્રા વધુ સુગમ બની રહી છે. આવા સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રયાસોને કારણે બહુચરાજીના મેળામાં ભક્તોને ધાર્મિક આસ્થા સાથે સારી સુવિધાઓ મળી રહે છે.1