logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કેશોદમાં સગીરાનો આપઘાત : માધવ દ્વાર સોસાયટીમાં શોકનો માહોલ કેશોદના વેરાવળ રોડ પર આવેલી માધવ દ્વાર સોસાયટીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતા એક પરિવારની સગીરા દીકરીએ કોઈ અગમ્ય કારણોસર આજરોજ સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી જીવન અંત કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. કેશોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટના બનતા જ પરિવાર તેમજ સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

1 hr ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
1 hr ago

કેશોદમાં સગીરાનો આપઘાત : માધવ દ્વાર સોસાયટીમાં શોકનો માહોલ કેશોદના વેરાવળ રોડ પર આવેલી માધવ દ્વાર સોસાયટીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતા એક પરિવારની સગીરા દીકરીએ કોઈ અગમ્ય કારણોસર આજરોજ સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી જીવન અંત કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. કેશોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટના બનતા જ પરિવાર તેમજ સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

More news from ગુજરાત and nearby areas
  • કેશોદના વેરાવળ રોડ પર આવેલી માધવ દ્વાર સોસાયટીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતા એક પરિવારની સગીરા દીકરીએ કોઈ અગમ્ય કારણોસર આજરોજ સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી જીવન અંત કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. કેશોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટના બનતા જ પરિવાર તેમજ સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    3
    કેશોદના વેરાવળ રોડ પર આવેલી માધવ દ્વાર સોસાયટીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતા એક પરિવારની સગીરા દીકરીએ કોઈ અગમ્ય કારણોસર આજરોજ સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી જીવન અંત કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. કેશોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ દુર્ઘટના બનતા જ પરિવાર તેમજ સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો છે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    1 hr ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    18 hrs ago
  • માંગરોળ શહેર મુકામે સમસ્ત સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલ જન્મ જયંતીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય પ્રસંગે માણાવદર-માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ ખાસ ઉપસ્થિત રહી સિંધી સમાજના ભાઈ-બહેનો સાથે ઉત્સવનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ સમાજના આગેવાનો સાથે મળી ભગવાન ઝુલેલાલની પૂજા-અર્ચના કરી હતી અને સૌના સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર માંગરોળમાં આનંદ, ભક્તિ અને સામાજિક એકતાના સુંદર માહોલ વચ્ચે આ ઉત્સવ સંપન્ન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
    1
    માંગરોળ શહેર મુકામે સમસ્ત સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલ જન્મ જયંતીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય પ્રસંગે માણાવદર-માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ ખાસ ઉપસ્થિત રહી સિંધી સમાજના ભાઈ-બહેનો સાથે ઉત્સવનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ સમાજના આગેવાનો સાથે મળી ભગવાન ઝુલેલાલની પૂજા-અર્ચના કરી હતી અને સૌના સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર માંગરોળમાં આનંદ, ભક્તિ અને સામાજિક એકતાના સુંદર માહોલ વચ્ચે આ ઉત્સવ સંપન્ન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    23 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આવેલ પ્લાસ્ટિક ઉદ્યોગો માટે માઠી દશા ગલ્ફ દેશો માંથી આવતું રો મટીરીયલ બંધ થયું કારણ કે યુધ્ધ નેં લઈને રો મટીરીયલ મળતું નથી અને જે મળે છે તે પણ બમણાં ભાવ થીં આ ભાવ પ્લાસ્ટિક ઉદ્યોગને પોસાઈ તેમ નથી તેથી કારખાનાં ઓ ઘણા બંધ અને કારખાનાં માં મજુરોને બેઠો પગાર આપવામાં આવે છે : વિઓ : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુધ્ધ નેં કારણે ગલ્ફ દેશો માંથી આવતું અને પ્લાસ્ટિક ઉદ્યોગ માં વપરાશ માટે નું રો મટીરીયલ મળતું બંધ થયું અને આ ની અસર તમામ દેશો પર થઈ રહી છે અને જે કંપની રો મટીરીયલ ભારત માં બનાવી રહી છે તેમાં પણ બમણો વધારો થયો છે ત્યારે ભારત દેશના ગુજરાત રાજ્યમાં અને તેમાં ધોરાજી (સૌરાષ્ટ્ર) માં આસરે 250 થી પણ વધારે પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનાં ઓ છે જેમાં રો મટીરીયલ નો ઉપયોગ થાય છે પણ રો મટીરીયલ નહીં મળતા અને ઘણા ભાવો આસમાને પહોંચ્યા છે અને આ ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ નેં મોટો ફટકો પડ્યો છે અને 60 ટકા કારખાનાં ઓ બંધ થઈ ગયા છે અને આ યુધ્ધ જો વધુ ચાલ્યું તો ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ નેં સંપૂર્ણ તાળાં લાગી જાય તેમ છે અને હાલ કોરોના નું લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ધોરાજી ના પ્લાસ્ટિક કારખાનાં માં કામ કરતાં મજુરોને બેઠો પગાર આપવો પડે છે અને યુદ્ધ નેં કારણે રો મટીરીયલ ની અછત ની સાથે ગેસ ના ઉપયોગ કરતા કારખાનાં માટે ગેસ પણ ઉપલબ્ધ નથી તેથી મરણ પથારીએ ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગો જોવા મળે છે ત્યારે ધોરાજી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના કારખાનાં ઓને મોટો ફટકો પડયો છે ત્યારે આવા ઉદ્યોગ કારો અને કારખાનાં માલિકો ની રજૂઆત છે કે સરકાર જેતે રો મટીરીયલ અને ગેસ ની જરૂરિયાત મુજબ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે અને ભાવ નિયંત્રણમાં રાખવા માં આવે અને યુધ્ધ નેં કારણે હાલ લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં થી બહાર કાઢવામાં આવે : બાઈટ દલસુખ ભાઈ વાગડીયા પ્લાસ્ટિક એશો પ્રમુખ ધોરાજી બાઈટ જય ભાઇ ગેવરીયા પ્લાસ્ટિક ઉદ્યોગકાર ધોરાજી
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આવેલ પ્લાસ્ટિક ઉદ્યોગો માટે માઠી દશા ગલ્ફ દેશો માંથી આવતું રો મટીરીયલ બંધ થયું કારણ કે યુધ્ધ નેં લઈને રો મટીરીયલ મળતું નથી અને જે મળે છે તે પણ બમણાં ભાવ થીં આ ભાવ પ્લાસ્ટિક ઉદ્યોગને પોસાઈ તેમ નથી તેથી કારખાનાં ઓ ઘણા બંધ અને કારખાનાં માં મજુરોને બેઠો પગાર આપવામાં આવે છે : 
વિઓ : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુધ્ધ નેં કારણે ગલ્ફ દેશો માંથી આવતું અને પ્લાસ્ટિક ઉદ્યોગ માં વપરાશ માટે નું રો મટીરીયલ મળતું બંધ થયું અને આ ની અસર તમામ દેશો પર થઈ રહી છે અને જે કંપની રો મટીરીયલ ભારત માં બનાવી રહી છે તેમાં પણ બમણો વધારો થયો છે ત્યારે ભારત દેશના ગુજરાત રાજ્યમાં અને તેમાં ધોરાજી (સૌરાષ્ટ્ર) માં આસરે 250 થી પણ વધારે પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનાં ઓ છે જેમાં રો મટીરીયલ નો ઉપયોગ થાય છે પણ રો મટીરીયલ નહીં મળતા અને ઘણા ભાવો આસમાને પહોંચ્યા છે અને આ ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ નેં મોટો ફટકો પડ્યો છે અને 60 ટકા કારખાનાં ઓ બંધ થઈ ગયા છે અને આ યુધ્ધ જો વધુ ચાલ્યું તો ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ નેં સંપૂર્ણ તાળાં લાગી જાય તેમ છે અને હાલ કોરોના નું લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ધોરાજી ના પ્લાસ્ટિક કારખાનાં માં કામ કરતાં મજુરોને બેઠો પગાર આપવો પડે છે અને યુદ્ધ નેં કારણે રો મટીરીયલ ની અછત ની સાથે ગેસ ના ઉપયોગ કરતા કારખાનાં માટે ગેસ પણ ઉપલબ્ધ નથી તેથી મરણ પથારીએ ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગો જોવા મળે છે ત્યારે ધોરાજી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના કારખાનાં ઓને મોટો ફટકો પડયો છે ત્યારે આવા ઉદ્યોગ કારો અને કારખાનાં માલિકો ની રજૂઆત છે કે સરકાર જેતે રો મટીરીયલ અને ગેસ ની જરૂરિયાત મુજબ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે અને ભાવ નિયંત્રણમાં રાખવા માં આવે અને યુધ્ધ નેં કારણે હાલ લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં થી બહાર કાઢવામાં આવે : 
બાઈટ દલસુખ ભાઈ વાગડીયા પ્લાસ્ટિક એશો પ્રમુખ ધોરાજી 
બાઈટ જય ભાઇ ગેવરીયા પ્લાસ્ટિક ઉદ્યોગકાર ધોરાજી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    6 hrs ago
  • *પોરબંદર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રીશ્રી અને વન મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિની બેઠક યોજાઈ* ૦૦૦ *પ્રવાસીઓ માટે સુચારૂ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ ચર્ચા કરાઇ* ૦૦૦ પોરબંદર.તા.૨૦; પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અધ્યક્ષ સ્થાને અને વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતે કીર્તિ મંદિર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સુચારૂ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો અને પ્રવાસન લક્ષી પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવાનો હતો. બેઠક દરમિયાન ખાસ કરીને કીર્તિ મંદિર પરિસરમાં આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવા, નવું વાયરીંગ કરવા, સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, નવા સીસીટીવી અને મહેકમ (સ્ટાફ) લાઈબ્રેરી અપગ્રેડેશન સંબંધી બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગત વર્ષના હિસાબોની બહાલી, સુધારા બજેટને બહાલી, ઓડિટ રિપોર્ટ, પરિસરમાં આવેલા ગાંધી હાટમાં નવી વસ્તુઓનો સમાવેશ કરી તેને વધુ આકર્ષક બનાવવા તેમજ પાછલા સમયમાં યોજાયેલી વિવિધ ઉજવણીઓ ટીવી અને કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો દ્વારા વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા જેની મંત્રીશ્રીઓ દ્વારા નોંધ લઈને ત્વરિત નિરાકરણ માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, મનપા કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ, પ્રભારી મંત્રીશ્રીના અંગત સચિવ શ્રી જે.બી. વદર, નિવાસી અધિક કલેક્ટર શ્રી રેખાબા સરવૈયા, કીર્તિમંદિર સંચાલન સમિતિના સભ્ય સચિવ શ્રી સંદીપ જાદવ અને જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી. ઠાકોર સહિત અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિ મંદિરના વિકાસના વિવિધ પાસાઓ પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    1
    *પોરબંદર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રીશ્રી અને વન મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિની  બેઠક યોજાઈ*
૦૦૦
*પ્રવાસીઓ માટે સુચારૂ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ ચર્ચા કરાઇ*
૦૦૦
પોરબંદર.તા.૨૦; પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અધ્યક્ષ સ્થાને અને વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતે કીર્તિ મંદિર સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સુચારૂ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો અને પ્રવાસન લક્ષી પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવાનો હતો.
બેઠક દરમિયાન ખાસ કરીને કીર્તિ મંદિર પરિસરમાં આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવા, નવું વાયરીંગ કરવા, સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, નવા સીસીટીવી અને મહેકમ (સ્ટાફ) લાઈબ્રેરી અપગ્રેડેશન સંબંધી બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગત વર્ષના હિસાબોની બહાલી, સુધારા બજેટને બહાલી, ઓડિટ રિપોર્ટ, પરિસરમાં આવેલા ગાંધી હાટમાં નવી વસ્તુઓનો સમાવેશ કરી તેને વધુ આકર્ષક બનાવવા તેમજ પાછલા સમયમાં યોજાયેલી વિવિધ ઉજવણીઓ ટીવી અને કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો દ્વારા વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા જેની મંત્રીશ્રીઓ દ્વારા નોંધ લઈને ત્વરિત નિરાકરણ માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં   જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, મનપા કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ, પ્રભારી મંત્રીશ્રીના અંગત સચિવ શ્રી જે.બી. વદર, નિવાસી અધિક કલેક્ટર શ્રી રેખાબા સરવૈયા, કીર્તિમંદિર સંચાલન સમિતિના સભ્ય સચિવ શ્રી સંદીપ જાદવ અને જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી. ઠાકોર સહિત અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિ મંદિરના વિકાસના વિવિધ પાસાઓ પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    21 hrs ago
  • અમરેલી જિલ્લા ના ખેડૂતે ગાંજો વાવવાની પરમિશન માટે કરી માંગ
    1
    અમરેલી જિલ્લા ના ખેડૂતે ગાંજો વાવવાની પરમિશન માટે કરી માંગ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    17 hrs ago
  • રાજુલા એસટી ડેપોમાં આજે ચાર નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં વેપારીઓ અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પક્ષના અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા
    1
    રાજુલા એસટી ડેપોમાં આજે ચાર નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું
આજના કાર્યક્રમમાં વેપારીઓ અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પક્ષના અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા
    user_Yogesh kanabar press
    Yogesh kanabar press
    Newspaper advertising department Rajula, Amreli•
    21 hrs ago
  • ૨૦ માર્ચ 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ ભેંસાણ તાલુકા યુવા મોરચા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. વધતી જતી ગરમીને ધ્યાને રાખી પક્ષીઓની તરસ છિપાવવા માટે ભેંસાણ, રાણપુર, અને છોડવડી ગામો સહિત વિવિધ સરકારી કચેરીઓમાં ચકલીઓ માટે પાણીના કુંડા વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. જીવદયાના આ ભગીરથ કાર્ય બદલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજીત્રાએ યુવા ટીમની કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાનમાં ભાજપના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને પર્યાવરણ અને પક્ષી પ્રેમના દર્શન કરાવ્યા હતા.
    1
    ૨૦ માર્ચ 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ ભેંસાણ તાલુકા યુવા મોરચા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. વધતી જતી ગરમીને ધ્યાને રાખી પક્ષીઓની તરસ છિપાવવા માટે ભેંસાણ, રાણપુર, અને છોડવડી ગામો સહિત વિવિધ સરકારી કચેરીઓમાં ચકલીઓ માટે પાણીના કુંડા વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. જીવદયાના આ ભગીરથ કાર્ય બદલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજીત્રાએ યુવા ટીમની કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાનમાં ભાજપના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને પર્યાવરણ અને પક્ષી પ્રેમના દર્શન કરાવ્યા હતા.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.