logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના નવાનગર ગામમાં આવેલા ડુંગરી ફળિયામાં ૧ થાંભલો ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘોઘંબા તાલુકાના કાનપુર ડુંગરી ફળિયુ નવાનગર ખાતે આ થાંભલો તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે.

6 hrs ago
user_Bhupatbhai Rathva
Bhupatbhai Rathva
ઘોઘંબા, પંચમહાલ, ગુજરાત•
6 hrs ago
83eb1232-001a-40f0-ac12-19580de36836

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના નવાનગર ગામમાં આવેલા ડુંગરી ફળિયામાં ૧ થાંભલો ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘોઘંબા તાલુકાના કાનપુર ડુંગરી ફળિયુ નવાનગર ખાતે આ થાંભલો તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે.

More news from ગુજરાત and nearby areas
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.
    2
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે.

રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.
    user_Jayvirsinh vikramsinh sol
    Jayvirsinh vikramsinh sol
    કલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.
    1
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    22 hrs ago
  • કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.
    3
    કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી.

રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    22 hrs ago
  • છોટાઉદેપુરના જેતપુર પાવીમાં મોહનસી રાઠવાની શ્રદ્ધાંજલિ સભા દરમિયાન મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મનસુખ વસાવા શું કહી રહ્યા છે, તે આ બાઇટમાં વિગતવાર સાંભળી અને જોઈ શકાય છે.
    1
    છોટાઉદેપુરના જેતપુર પાવીમાં મોહનસી રાઠવાની શ્રદ્ધાંજલિ સભા દરમિયાન મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મનસુખ વસાવા શું કહી રહ્યા છે, તે આ બાઇટમાં વિગતવાર સાંભળી અને જોઈ શકાય છે.
    user_બિલાલ એમ ખત્રી
    બિલાલ એમ ખત્રી
    Press advisory જેતપુર પાવી, છોટાઉદેપુર, ગુજરાત•
    24 min ago
  • છોટાઉદેપુરના પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ધર્મ ગુરુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
    1
    છોટાઉદેપુરના પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ધર્મ ગુરુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
    user_Faruk khatri
    Faruk khatri
    જેતપુર પાવી, છોટાઉદેપુર, ગુજરાત•
    24 min ago
  • છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
    1
    છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • ગુજરાત સરકારના કેબિનેટ વન મંત્રી અને છોટાઉદેપુર તથા પાવી જેતપુર વિસ્તારમાં ૧૧ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પીઢ આદિવાસી આગેવાન અને આદિવાસી મસીહા સ્વ. મોહનસિંહ છોટુભાઈ રાઠવા તારીખ ૫/૭/૨૬ના રોજ ૮૨ વર્ષની વયે દેવલોક પામ્યા છે. તેમના અવસાનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અમૂલ્ય રત્ન અને આગેવાનની છત્રછાયા ગુમાવી દીધી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઊંડા શોક અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. સ્વ. મોહનસિંહ રાઠવાની યાદમાં આજે પાવી જેતપુર કોલેજ ખાતે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, મોટા વેપારીઓ અને સામાન્ય લોકોએ ભારે હૈયે આ લોકલાડીલા નેતાને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી. છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લા ૫૫ વર્ષોથી સક્રિય રાજકારણમાં ભૂમિકા ભજવી લાખો લોકોના દિલમાં પ્રેમભર્યું સ્થાન મેળવનાર સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાવી જેતપુર ખાતે આવી રહ્યા છે.
    1
    ગુજરાત સરકારના કેબિનેટ વન મંત્રી અને છોટાઉદેપુર તથા પાવી જેતપુર વિસ્તારમાં ૧૧ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પીઢ આદિવાસી આગેવાન અને આદિવાસી મસીહા સ્વ. મોહનસિંહ છોટુભાઈ રાઠવા તારીખ ૫/૭/૨૬ના રોજ ૮૨ વર્ષની વયે દેવલોક પામ્યા છે. તેમના અવસાનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અમૂલ્ય રત્ન અને આગેવાનની છત્રછાયા ગુમાવી દીધી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઊંડા શોક અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.

સ્વ. મોહનસિંહ રાઠવાની યાદમાં આજે પાવી જેતપુર કોલેજ ખાતે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, મોટા વેપારીઓ અને સામાન્ય લોકોએ ભારે હૈયે આ લોકલાડીલા નેતાને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી.

છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લા ૫૫ વર્ષોથી સક્રિય રાજકારણમાં ભૂમિકા ભજવી લાખો લોકોના દિલમાં પ્રેમભર્યું સ્થાન મેળવનાર સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાવી જેતપુર ખાતે આવી રહ્યા છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • કાલોલ નગરમાં ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે નાણાં ધીરીને પઠાણી ઉઘરાણી કરવાના મામલે પોલીસ દ્વારા 'માં ફાઇનાન્સ' નામના વ્યાજખોરીના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. કાલોલ તાલુકા પંચાયત બહાર ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા રણુભાઈ ભરવાડ અને વ્યાજખોરોના ત્રાસથી પરેશાન હસમુખજી તેજાજી વણઝારા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદોના આધારે પોલીસે આ કડક કાર્યવાહી કરી છે. નગરમાં ડેરોલ સ્ટેશન રોડ પર માતાજીના ચિત્ર અને શસ્ત્રોવાળા પોસ્ટર સાથે 'માં ફાઇનાન્સ'નું બોર્ડ લગાવીને દીપેશ રાજપૂત જરૂરિયાતમંદ લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. આ વ્યાજખોરો કોઈ પણ ડર રાખ્યા વગર અને કાયદાના ધજિયા ઉડાવીને કોરા ચેક અને અન્ય પદ્ધતિઓ દ્વારા જરૂરિયાતમંદોને વ્યાજે નાણાં આપતા હતા. જો કોઈ વ્યક્તિ નક્કી કરેલા સમય પર વ્યાજ કે મુદ્દલ ન ચૂકવે, તો તેને પોલીસની ધમકી આપી જેલમાં પુરાવી દેવા સુધીનો પઠાણી ત્રાસ આપવામાં આવતો હતો. આ ભય અને મજબૂરીના કારણે લોકો મૂંગા મોઢે વ્યાજ ભરવા મજબૂર બન્યા હતા. ચાની લારી ચલાવતા રણુભાઈ ભરવાડે વ્યાજના બાકી રૂપિયાની પઠાણી ઉઘરાણી સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ, નવનિયુક્ત નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિરના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને પોલીસ સ્ટાફે સુપેડા હોસ્પિટલ સામે આવેલા કોમ્પ્લેક્સમાં ચાલતી 'માં ફાઇનાન્સ'ની ઓફિસમાં દરોડો પાડી જરૂરી પુરાવા અને ફાઈલો જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી શરૂ થતાં જ ગુનામાં સંકળાયેલા આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ, 9 જુલાઈ 2026ના રોજ હસમુખજી વણઝારાએ પણ દીપેશ રાજપૂત અને જીગર પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે તપાસ તેજ કરીને 11 જુલાઈ 2026ના રોજ દીપેશ રાજપૂત, અરવિંદ મકવાણા અને જીગર પરમારની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ મોટી કાર્યવાહીથી કાલોલ પંથકના વ્યાજખોરોમાં ભારે હડકંપ મચી ગયો છે. જો કે, હવે કાલોલ પોલીસ આ વ્યાજખોરો સામે ફરિયાદ મુજબ કડક તપાસ કરીને યોગ્ય પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું!
    2
    કાલોલ નગરમાં ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે નાણાં ધીરીને પઠાણી ઉઘરાણી કરવાના મામલે પોલીસ દ્વારા 'માં ફાઇનાન્સ' નામના વ્યાજખોરીના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. કાલોલ તાલુકા પંચાયત બહાર ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા રણુભાઈ ભરવાડ અને વ્યાજખોરોના ત્રાસથી પરેશાન હસમુખજી તેજાજી વણઝારા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદોના આધારે પોલીસે આ કડક કાર્યવાહી કરી છે.

નગરમાં ડેરોલ સ્ટેશન રોડ પર માતાજીના ચિત્ર અને શસ્ત્રોવાળા પોસ્ટર સાથે 'માં ફાઇનાન્સ'નું બોર્ડ લગાવીને દીપેશ રાજપૂત જરૂરિયાતમંદ લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. આ વ્યાજખોરો કોઈ પણ ડર રાખ્યા વગર અને કાયદાના ધજિયા ઉડાવીને કોરા ચેક અને અન્ય પદ્ધતિઓ દ્વારા જરૂરિયાતમંદોને વ્યાજે નાણાં આપતા હતા. જો કોઈ વ્યક્તિ નક્કી કરેલા સમય પર વ્યાજ કે મુદ્દલ ન ચૂકવે, તો તેને પોલીસની ધમકી આપી જેલમાં પુરાવી દેવા સુધીનો પઠાણી ત્રાસ આપવામાં આવતો હતો. આ ભય અને મજબૂરીના કારણે લોકો મૂંગા મોઢે વ્યાજ ભરવા મજબૂર બન્યા હતા.

ચાની લારી ચલાવતા રણુભાઈ ભરવાડે વ્યાજના બાકી રૂપિયાની પઠાણી ઉઘરાણી સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ, નવનિયુક્ત નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિરના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને પોલીસ સ્ટાફે સુપેડા હોસ્પિટલ સામે આવેલા કોમ્પ્લેક્સમાં ચાલતી 'માં ફાઇનાન્સ'ની ઓફિસમાં દરોડો પાડી જરૂરી પુરાવા અને ફાઈલો જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી શરૂ થતાં જ ગુનામાં સંકળાયેલા આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ, 9 જુલાઈ 2026ના રોજ હસમુખજી વણઝારાએ પણ દીપેશ રાજપૂત અને જીગર પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે તપાસ તેજ કરીને 11 જુલાઈ 2026ના રોજ દીપેશ રાજપૂત, અરવિંદ મકવાણા અને જીગર પરમારની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની આ મોટી કાર્યવાહીથી કાલોલ પંથકના વ્યાજખોરોમાં ભારે હડકંપ મચી ગયો છે. જો કે, હવે કાલોલ પોલીસ આ વ્યાજખોરો સામે ફરિયાદ મુજબ કડક તપાસ કરીને યોગ્ય પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું!
    user_Jayvirsinh vikramsinh sol
    Jayvirsinh vikramsinh sol
    કલોલ, પંચમહાલ, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.