ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી મોત સામે ઝઝૂમી રહેલા એક શિયાળને એનિમલ લવર્સની ટીમે જીવના જોખમે હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું છે. ત્રણ દિવસથી કૂવામાં ફસાયેલું આ શિયાળ ભૂખ, તરસ અને મરણતોલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું, જેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કૂવામાં પડેલા શિયાળને બહાર કાઢવાના વાડી માલિકના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે તેમણે ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં, પોતાના જાનનું જોખમ ખેડીને ટીમના સભ્યો કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. જીવના જોખમે અબોલ જીવનો જીવ બચાવવાની આ કામગીરીને ગ્રામજનો અને પશુપ્રેમીઓએ ભારે બિરદાવી હતી.
ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી મોત સામે ઝઝૂમી રહેલા એક શિયાળને એનિમલ લવર્સની ટીમે જીવના જોખમે હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું છે. ત્રણ દિવસથી કૂવામાં ફસાયેલું આ શિયાળ ભૂખ, તરસ
અને મરણતોલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું, જેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કૂવામાં પડેલા શિયાળને બહાર કાઢવાના વાડી માલિકના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે
તેમણે ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કૂવો
ઊંડો હોવા છતાં, પોતાના જાનનું જોખમ ખેડીને ટીમના સભ્યો કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. જીવના જોખમે અબોલ જીવનો જીવ બચાવવાની આ કામગીરીને ગ્રામજનો અને પશુપ્રેમીઓએ ભારે બિરદાવી હતી.
- ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી મોત સામે ઝઝૂમી રહેલા એક શિયાળને એનિમલ લવર્સની ટીમે જીવના જોખમે હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું છે. ત્રણ દિવસથી કૂવામાં ફસાયેલું આ શિયાળ ભૂખ, તરસ અને મરણતોલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું, જેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કૂવામાં પડેલા શિયાળને બહાર કાઢવાના વાડી માલિકના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે તેમણે ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં, પોતાના જાનનું જોખમ ખેડીને ટીમના સભ્યો કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. જીવના જોખમે અબોલ જીવનો જીવ બચાવવાની આ કામગીરીને ગ્રામજનો અને પશુપ્રેમીઓએ ભારે બિરદાવી હતી.4
- અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ઓતારિયા ગામમાં નબળા મોબાઈલ નેટવર્કના કારણે તમામ ડિજિટલ સેવાઓ ઠપ થઈ ગઈ છે, જેના લીધે કટોકટીના સમયે ૧૦૮ ઈમરજન્સી સેવા મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, નબળા નેટવર્કને કારણે બેંકમાં ડિજિટલ ખાતા ખોલાવવા, ઓનલાઈન એન્ટ્રી કરવી, સરકારી પોર્ટલ પર કામગીરી કરવી અને અન્ય ઓનલાઈન સેવાઓનો લાભ લેવામાં ભારે વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે, ડિજિટલ ભારતના યુગમાં મોબાઈલ નેટવર્ક જેવી પ્રાથમિક સુવિધા ન હોવી તે ગામના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે. આથી, ગ્રામજનો દ્વારા સંબંધિત ટેલિકોમ કંપનીઓ તેમજ જિલ્લા અને રાજ્યના જવાબદાર તંત્રને ઓતારિયા ગામમાં તાત્કાલિક મોબાઈલ ટાવર ઉભો કરી નેટવર્કની આ કાયમી સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવવા નમ્ર છતાં દૃઢ અપીલ કરવામાં આવી છે.1
- સુરેન્દ્રનગરના યુવા પત્રકાર મહેશભાઈ ઉતેરીયાના જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી છે.1
- અમરેલીમાં અસામાજિક તત્વો વિરુદ્ધ અમરેલી પોલીસે એક ગર્જનાત્મક પગલું ભર્યું છે. પોલીસે આવા અસામાજિક તત્વોને ભારે કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. અમરેલી પોલીસ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.1
- ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ૨૦ વર્ષ સુધી દૂધની ડેરીમાં કામ કરનાર વ્યક્તિનો અભિપ્રાય સામે આવ્યો છે. દૂધની ડેરીમાં સતત ૨૦ વર્ષ સુધી સેવા આપ્યા બાદ આ વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ અને અભિપ્રાય વ્યક્ત કર્યો છે.1
- અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.4
- રાજકોટ જિલ્લાના લોઠડા ગામે આવેલી શ્રી ટેકનો કાસ્ટ કંપનીના ભઠ્ઠી વિભાગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે મૂળ બિહારના મજૂર કૃષ્ણ પંડીતનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે કંપનીની બેદરકારીના કારણે જ આ મોત થયું છે. કંપનીમાં રોબોટ કે સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાના કારણે મજૂરને શોર્ટ લાગ્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. કૃષ્ણ પંડિતના મૃત્યુ બાદ રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. આ ઘટનાને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં મજૂરો પણ ભેગા થયા છે.4
- મોરબી જિલ્લાના માળિયા હાઇવે પર વીરવિદરકા પાટીયા નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થયા બાદ તુરંત જ એક ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ એક ટ્રકના ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, બીજા ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1