Shuru
Apke Nagar Ki App…
રાણપુર પાંજરાપોળમાં જૈન આચાર્ય પ્રબોધચંદ્રસુરીજી મહારાજ સાહેબ દ્વારા 200 કિલો લાડવા અબોલ પશુઓને ખવડાવ્યા
Vopul luhar
રાણપુર પાંજરાપોળમાં જૈન આચાર્ય પ્રબોધચંદ્રસુરીજી મહારાજ સાહેબ દ્વારા 200 કિલો લાડવા અબોલ પશુઓને ખવડાવ્યા
More news from ગુજરાત and nearby areas
- *ધંધુકા-રાણપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: ગલસાણાના દંપતીનું કમકમાટીભર્યું મોત* ધંધુકા-રાણપુર હાઈવે પર આજે વહેલી સવારે કાળમુખા અજાણ્યા વાહને પદયાત્રી દંપતીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગલસાણા ગામના દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. માતાજીની મન્નત પૂરી કરવા જઈ રહેલા દંપતીના અકાળે અવસાનથી સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ધંધુકાના ગલસાણા ગામના રહેવાસી ચંદુભાઈ ઝેઝરિયા અકસ્માત એટલો જોરદાર હતો કે દંપતી રોડ પર ફંગોળાયું હતું અને ગંભીર ઈજાઓ થવાને કારણે ચંદુભાઈ અને વસંતબેન બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.1
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ, આસામ સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુવાહટી, આસામ ખાતે તા.૧૩ મી માર્ચ ૨૦૨૬ના રોજ કિસાન સન્માન સમારોહ યોજાશે. જેમાં પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો કિસાનોને ચૂકવવામાં આવશે. જેનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવશે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં બોટાદ શહેરની એપીએમસીના હોલ ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી યોજાશે જેમાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા કાળુભાઈ ડાભી, ઉમેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સાથોસાથ જિલ્લાના રાણપુર, બરવાળા તથા ગઢડા તાલુકાની એપીએમસી ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી યાદીમાં જણાવાયુ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- दो कुकिंग गैस बुकिंग के बीच 25 दिन का गैप ज़रूरी: डिस्ट्रिक्ट सप्लाई ऑफिसर1
- મેગા ડિસ્કનેકશ ડ્રાઈવ1
- સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગની વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી: લાખોનો મુદ્દામાલ જપ્ત કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે ૪૬ કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને વાહન સીઝ કર્યું સુરેન્દ્રનગર જિલ્લામાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી કે. એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગત રોજ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ કામગીરીની વિસ્તૃત જાણકારી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૧/૦૩/૨૦૨૬ના રોજ પુરવઠા વિભાગની વિશેષ ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગમાં હતી. આ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે પસાર થઈ રહેલી એક લેલન પીકઅપ ગાડી નંબર: GJ03BW7406 શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડ્યું હતું. પુરવઠા વિભાગની ટીમ દ્વારા વાહનચાલકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે આ અનાજના જથ્થાના વહન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાડીમાં કુલ ૪૬ કટ્ટા ચોખા એટલે કે અંદાજે ૨૩૧૧.૫૫૦ કિલોગ્રામ જેટલો જથ્થો કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર અનધિકૃત રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો. આ સરકારી કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા અંદાજે રૂ. ૬૨,૪૧૧.૮૫/-ની કિંમતના ચોખા અને અંદાજે રૂ. ૪,૦૦,૦૦૦/-ની કિંમતનું વાહન મળી કુલ રૂ. ૪,૬૨,૪૧૧.૮૫/- નો મુદ્દામાલ 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ' હેઠળ સીઝ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે વિભાગ દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી. આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની તંત્ર દ્વારા ચીમકી આપવામાં આવી છે.1
- Post by Sultan Shaikh1
- Post by Vopul luhar1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલું છે સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જ્યાં આજરોજ તારીખ 12 માર્ચ 2026ના રોજ ભાવનગર રેન્જ પોલીસવડા એટલે રેન્જ આઈજી તરીકે નવનિયુક્ત થયેલા રાજેન્દ્ર અસારી ચાર્જ સંભાળવાના પ્રથમ દિવસે જ દર્શન મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં સાળંગપુર ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સહિતના જિલ્લાના અધિકારીઓ દ્વારા રેન્જ આઈજી નું સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ તેઓ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન અર્ચન કર્યું હતું તો મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતોએ નવનિયુક્ત રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીને પ્રસાદીનીપુષ્પ માળા પહેરાવી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની છબી ભેટ આપી અને રક્ષા સૂત્ર બાંધી સંતોએ નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવાય તેમજ તેમના નેતૃત્વમાં ભાવનગર રેન્જ વિસ્તારમાં કાયદો, શાંતિ અને સુરક્ષા વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા, ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત તેમના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેના આદર અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- कपडवंज फायर ब्रिगेड ने 2 घंटे की कड़ी मेहनत के बाद आग पर काबू पा लिया, लेकिन आइसक्रीम ट्रक आग में जलकर राख हो गया..1