બોટાદ જિલ્લા ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો કિસાનોને ચૂકવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ, આસામ સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુવાહટી, આસામ ખાતે તા.૧૩ મી માર્ચ ૨૦૨૬ના રોજ કિસાન સન્માન સમારોહ યોજાશે. જેમાં પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો કિસાનોને ચૂકવવામાં આવશે. જેનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવશે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં બોટાદ શહેરની એપીએમસીના હોલ ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી યોજાશે જેમાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા કાળુભાઈ ડાભી, ઉમેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સાથોસાથ જિલ્લાના રાણપુર, બરવાળા તથા ગઢડા તાલુકાની એપીએમસી ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી યાદીમાં જણાવાયુ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
બોટાદ જિલ્લા ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો કિસાનોને ચૂકવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ, આસામ સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુવાહટી, આસામ ખાતે તા.૧૩ મી માર્ચ ૨૦૨૬ના રોજ કિસાન સન્માન સમારોહ યોજાશે. જેમાં પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો કિસાનોને ચૂકવવામાં આવશે. જેનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવશે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં બોટાદ શહેરની એપીએમસીના હોલ ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી યોજાશે જેમાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા કાળુભાઈ ડાભી, ઉમેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સાથોસાથ જિલ્લાના રાણપુર, બરવાળા તથા ગઢડા તાલુકાની એપીએમસી ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી યાદીમાં જણાવાયુ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ, આસામ સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુવાહટી, આસામ ખાતે તા.૧૩ મી માર્ચ ૨૦૨૬ના રોજ કિસાન સન્માન સમારોહ યોજાશે. જેમાં પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો કિસાનોને ચૂકવવામાં આવશે. જેનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવશે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં બોટાદ શહેરની એપીએમસીના હોલ ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી યોજાશે જેમાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા કાળુભાઈ ડાભી, ઉમેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સાથોસાથ જિલ્લાના રાણપુર, બરવાળા તથા ગઢડા તાલુકાની એપીએમસી ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી યાદીમાં જણાવાયુ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1
- મેગા ડિસ્કનેકશ ડ્રાઈવ1
- *ધંધુકા તાલુકા ભાજપ સંગઠનનું માળખું જાહેર: વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.* ધંધુકા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી યુવરાજસિંહ ગોહિલ દ્વારા સત્તાવાર રીતે આ નિમણૂકો જાહેર કરવામાં આવી છે. આ નવા સંગઠન માળખામાં લઘુમતી મોરચો, મહિલા મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો અને યુવા મોરચાના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. આ નિમણૂકોને પગલે ધંધુકા તાલુકા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ નવનિયુક્ત સભ્યોને પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે1
- ગેડીયા, ઝેઝરી, ખેરવા સહિતના વિસ્તારોમાં PGVCL અને પોલીસની સંયુક્ત 40 ટીમો વિજ દરોડા પાડીયા, DySP, LCB, SOG, સહિત 250 પોલીસ જવાનોએ પાટડીના સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો, 1.32 કરોડનો તોતીંગ દંડ ફટકારાયો, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ તંત્ર અને PGVCL દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડાની સીધી દેખરેખ હેઠળ DYSP, LCB અને SOG સહિતના 250 પોલીસ જવાનો તેમજ વીજ કંપનીની 40 ટીમોએ પાટડી તાલુકાના ઝેઝરી, ગેડીયા અને ખેરવા જેવા સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો હતો. એન. અમીન સાહેબ સુપ્રીટેન્ડીગ એન્જીન્યર તથા પીજીવીસીએલના જે. આર. રત્નું એક્ઝીક્યુટીવ અન્જીન્યાર તેમજ ધાંગધ્રા ડીવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની અલગ- અલગ ટીમો બનાવી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગેડીયા, ખેરવા તથા ઝેઝરી ગામે પીજીવીસીએલની કુલ 40 ટીમો સાથે રાખી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સયુંકત ટીમો બનાવી ગુજસીટકોના ગુન્હામા સંડોવાયેલ નીચે જણાવેલ પત્રક મુજબના આરોપીઓ તથા પ્રોહીબીશન ગુન્હામા સંડાવાયેલ આરોપીઓ તથા અન્ય ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ મળી કુલ 80 અસામાજીક ઇસમો તથા અન્ય ઇસમોના રહેણાંક મકાને વીજચેકીંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેકશન ધારક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે રૂ.૧,૩૨,૮૦,૦૦૦ દંડ વસુલ કરવામા આવેલ છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજસીટોક (GUJCTOC) હેઠળ નોંધાયેલા 80 જેટલા કુખ્યાત ગુનેગારોના રહેણાંક સ્થળો પર વીજ ચોરી અને ગેરકાયદેસર હથિયારોની તપાસ કરવાનો હતો. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડા દરમિયાન અંદાજે 700 જેટલા ઘરોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાપાયે વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સત્તાવાર માહિતી મુજબ, ગેરરીતિ બદલ 40 કનેક્શનના વીજ મીટરો સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા હતા અને કુલ 1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ આકસ્મિક તપાસનો હેતુ માત્ર આર્થિક ગુનાખોરી ડામવાનો જ નહીં, પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પાસે કોઈ પ્રતિબંધિત હથિયારો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તેની ખાતરી કરવાનો પણ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવા 'કોમ્બિંગ-કમ-ચેકિંગ' ઓપરેશન્સ ચાલુ રહેશે જેથી ગુનાખોરી પર લગામ લગાવી શકાય.1
- Post by Talo Baske1
- ત્યારે આ સમૂહ લગ્નનું આમંત્રણ આપવા માટે આર્યન ભગત ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ ધરજીયા સાંકરડી ગીતાંજલી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ધરજીયા અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતાં ત્યારે અલમપુર ના ગામના લોકો આર્યન ભગતના વધામણાં કર્યાં હતા અને અલમપુર ગામના લોકો તેમજ રામદેવપીર મંડળ ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્ય હતા1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલું છે સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જ્યાં આજરોજ તારીખ 12 માર્ચ 2026ના રોજ ભાવનગર રેન્જ પોલીસવડા એટલે રેન્જ આઈજી તરીકે નવનિયુક્ત થયેલા રાજેન્દ્ર અસારી ચાર્જ સંભાળવાના પ્રથમ દિવસે જ દર્શન મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં સાળંગપુર ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સહિતના જિલ્લાના અધિકારીઓ દ્વારા રેન્જ આઈજી નું સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ તેઓ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન અર્ચન કર્યું હતું તો મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતોએ નવનિયુક્ત રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીને પ્રસાદીનીપુષ્પ માળા પહેરાવી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની છબી ભેટ આપી અને રક્ષા સૂત્ર બાંધી સંતોએ નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવાય તેમજ તેમના નેતૃત્વમાં ભાવનગર રેન્જ વિસ્તારમાં કાયદો, શાંતિ અને સુરક્ષા વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા, ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત તેમના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેના આદર અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Gadhadara Ankit1