ગેડીયા, ઝેઝરી, ખેરવા સહિતના વિસ્તારોમાં PGVCL અને પોલીસની સંયુક્ત 40 ટીમો વિજ દરોડા પાડીયા, DySP, LCB, SOG, સહિત 250 પોલીસ જવાનોએ પાટડીના સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો, 1.32 કરોડનો તોતીંગ દંડ ફટકારાયો, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ તંત્ર અને PGVCL દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડાની સીધી દેખરેખ હેઠળ DYSP, LCB અને SOG સહિતના 250 પોલીસ જવાનો તેમજ વીજ કંપનીની 40 ટીમોએ પાટડી તાલુકાના ઝેઝરી, ગેડીયા અને ખેરવા જેવા સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો હતો. એન. અમીન સાહેબ સુપ્રીટેન્ડીગ એન્જીન્યર તથા પીજીવીસીએલના જે. આર. રત્નું એક્ઝીક્યુટીવ અન્જીન્યાર તેમજ ધાંગધ્રા ડીવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની અલગ- અલગ ટીમો બનાવી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગેડીયા, ખેરવા તથા ઝેઝરી ગામે પીજીવીસીએલની કુલ 40 ટીમો સાથે રાખી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સયુંકત ટીમો બનાવી ગુજસીટકોના ગુન્હામા સંડોવાયેલ નીચે જણાવેલ પત્રક મુજબના આરોપીઓ તથા પ્રોહીબીશન ગુન્હામા સંડાવાયેલ આરોપીઓ તથા અન્ય ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ મળી કુલ 80 અસામાજીક ઇસમો તથા અન્ય ઇસમોના રહેણાંક મકાને વીજચેકીંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેકશન ધારક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે રૂ.૧,૩૨,૮૦,૦૦૦ દંડ વસુલ કરવામા આવેલ છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજસીટોક (GUJCTOC) હેઠળ નોંધાયેલા 80 જેટલા કુખ્યાત ગુનેગારોના રહેણાંક સ્થળો પર વીજ ચોરી અને ગેરકાયદેસર હથિયારોની તપાસ કરવાનો હતો. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડા દરમિયાન અંદાજે 700 જેટલા ઘરોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાપાયે વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સત્તાવાર માહિતી મુજબ, ગેરરીતિ બદલ 40 કનેક્શનના વીજ મીટરો સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા હતા અને કુલ 1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ આકસ્મિક તપાસનો હેતુ માત્ર આર્થિક ગુનાખોરી ડામવાનો જ નહીં, પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પાસે કોઈ પ્રતિબંધિત હથિયારો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તેની ખાતરી કરવાનો પણ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવા 'કોમ્બિંગ-કમ-ચેકિંગ' ઓપરેશન્સ ચાલુ રહેશે જેથી ગુનાખોરી પર લગામ લગાવી શકાય.
ગેડીયા, ઝેઝરી, ખેરવા સહિતના વિસ્તારોમાં PGVCL અને પોલીસની સંયુક્ત 40 ટીમો વિજ દરોડા પાડીયા, DySP, LCB, SOG, સહિત 250 પોલીસ જવાનોએ પાટડીના સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો, 1.32 કરોડનો તોતીંગ દંડ ફટકારાયો, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ તંત્ર અને PGVCL દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડાની સીધી દેખરેખ હેઠળ DYSP, LCB અને SOG સહિતના 250 પોલીસ જવાનો તેમજ વીજ કંપનીની 40 ટીમોએ પાટડી તાલુકાના ઝેઝરી, ગેડીયા અને ખેરવા જેવા સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો હતો. એન. અમીન સાહેબ સુપ્રીટેન્ડીગ એન્જીન્યર તથા પીજીવીસીએલના જે. આર. રત્નું એક્ઝીક્યુટીવ અન્જીન્યાર તેમજ ધાંગધ્રા ડીવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની અલગ- અલગ ટીમો બનાવી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગેડીયા, ખેરવા તથા ઝેઝરી ગામે પીજીવીસીએલની કુલ 40 ટીમો સાથે રાખી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સયુંકત ટીમો બનાવી ગુજસીટકોના ગુન્હામા સંડોવાયેલ નીચે જણાવેલ પત્રક મુજબના આરોપીઓ તથા પ્રોહીબીશન ગુન્હામા સંડાવાયેલ આરોપીઓ તથા અન્ય ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ મળી કુલ 80 અસામાજીક ઇસમો તથા અન્ય ઇસમોના રહેણાંક મકાને વીજચેકીંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેકશન ધારક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે રૂ.૧,૩૨,૮૦,૦૦૦ દંડ વસુલ કરવામા આવેલ છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજસીટોક (GUJCTOC) હેઠળ નોંધાયેલા 80 જેટલા કુખ્યાત ગુનેગારોના રહેણાંક સ્થળો પર વીજ ચોરી અને ગેરકાયદેસર હથિયારોની તપાસ કરવાનો હતો. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડા દરમિયાન અંદાજે 700 જેટલા ઘરોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાપાયે વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સત્તાવાર માહિતી મુજબ, ગેરરીતિ બદલ 40 કનેક્શનના વીજ મીટરો સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા હતા અને કુલ 1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ આકસ્મિક તપાસનો હેતુ માત્ર આર્થિક ગુનાખોરી ડામવાનો જ નહીં, પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પાસે કોઈ પ્રતિબંધિત હથિયારો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તેની ખાતરી કરવાનો પણ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવા 'કોમ્બિંગ-કમ-ચેકિંગ' ઓપરેશન્સ ચાલુ રહેશે જેથી ગુનાખોરી પર લગામ લગાવી શકાય.
- Post by Vopul luhar1
- *ધંધુકા-રાણપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: ગલસાણાના દંપતીનું કમકમાટીભર્યું મોત* ધંધુકા-રાણપુર હાઈવે પર આજે વહેલી સવારે કાળમુખા અજાણ્યા વાહને પદયાત્રી દંપતીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગલસાણા ગામના દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. માતાજીની મન્નત પૂરી કરવા જઈ રહેલા દંપતીના અકાળે અવસાનથી સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ધંધુકાના ગલસાણા ગામના રહેવાસી ચંદુભાઈ ઝેઝરિયા અકસ્માત એટલો જોરદાર હતો કે દંપતી રોડ પર ફંગોળાયું હતું અને ગંભીર ઈજાઓ થવાને કારણે ચંદુભાઈ અને વસંતબેન બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.1
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ, આસામ સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુવાહટી, આસામ ખાતે તા.૧૩ મી માર્ચ ૨૦૨૬ના રોજ કિસાન સન્માન સમારોહ યોજાશે. જેમાં પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો કિસાનોને ચૂકવવામાં આવશે. જેનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવશે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં બોટાદ શહેરની એપીએમસીના હોલ ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી યોજાશે જેમાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા કાળુભાઈ ડાભી, ઉમેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સાથોસાથ જિલ્લાના રાણપુર, બરવાળા તથા ગઢડા તાલુકાની એપીએમસી ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી યાદીમાં જણાવાયુ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- અમારા કર્મચારી બેનને આશાવર્કર ના ભાઈ ટેલીફોન પર ગેરવર્તન કરેલ તે બાબતે નોટીસ આપી હતી બાકી તેમના આક્ષેપો ખોટા હોવાનુ ડોક્ટરે જણાવ્યું..1
- Post by Gadhadara Ankit1
- હળવદના ત્રણ આગેવાનોને મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા હળવદમાં આનંદનો માહોલ સર્જાયો હતો. સરા નાકે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. નવી જાહેર થયેલી ટીમમાં હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતા ને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા ઘનશ્યામભાઈ કાનજીભાઈ પરમાર અને આમીનભાઈ ભટ્ટીને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી આશા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- Post by Vopul luhar1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલું છે સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જ્યાં આજરોજ તારીખ 12 માર્ચ 2026ના રોજ ભાવનગર રેન્જ પોલીસવડા એટલે રેન્જ આઈજી તરીકે નવનિયુક્ત થયેલા રાજેન્દ્ર અસારી ચાર્જ સંભાળવાના પ્રથમ દિવસે જ દર્શન મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં સાળંગપુર ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સહિતના જિલ્લાના અધિકારીઓ દ્વારા રેન્જ આઈજી નું સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ તેઓ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન અર્ચન કર્યું હતું તો મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતોએ નવનિયુક્ત રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીને પ્રસાદીનીપુષ્પ માળા પહેરાવી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની છબી ભેટ આપી અને રક્ષા સૂત્ર બાંધી સંતોએ નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવાય તેમજ તેમના નેતૃત્વમાં ભાવનગર રેન્જ વિસ્તારમાં કાયદો, શાંતિ અને સુરક્ષા વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા, ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત તેમના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેના આદર અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- दो कुकिंग गैस बुकिंग के बीच 25 दिन का गैप ज़रूरी: डिस्ट्रिक्ट सप्लाई ऑफिसर1