ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈનની શહાદતની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. મોહરમ મહિનાનો દસમો દિવસ અત્યંત વિશેષ ગણાય છે, કારણ કે આ જ દિવસે પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓ કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેમણે ઇસ્લામના રક્ષણ અને સત્ય માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આ શહાદતની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલોલ નગરમાં પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાલોલમાં વિવિધ કલાત્મક તાજીયા (ઝરી) તૈયાર કરીને તેને સજાવવામાં આવે છે. મોહરમ માસની ૯મી તથા ૧૦મી તારીખે આ તાજીયા પોતપોતાના વિસ્તાર માંથી સરઘસ રૂપે કાલોલ જુમ્મા મસ્જિદ પાસે આવેલા નુરાની ચોકમાં દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. નુરાની ચોકમાં મોહરમ માસની ૧૦ તારીખે, યૌમે આશુરાના દિવસે, કરબલા ખાતે બનેલી કરૂણગાથાના માનમાં શોક વ્યક્ત કરતા 'યા હુસેન, યા હુસેન'ના નારા સાથે નાતેપાક, મનકબત, સલાતો સલામ અને હુસેનની મહેફિલોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોની સ્મૃતિમાં ઠેર ઠેર જાહેર સબિલો રચવામાં આવ્યા હતા, જેના દ્વારા નિયાઝે હુસેન તરીકે સરબત, ઠંડા પાણી, દૂધ અને કોલ્ડડ્રિંક્સનું વિતરણ કરાયું હતું. અશરની નમાજ અદા કર્યા બાદ સલાતો સલામ અને અલવિદા પઢીને કાર્યક્રમ સંપન્ન થયો. ત્યારબાદ, નુરાની ચોક માથી તાજીયાનું જુલુસ દરગાહ રોડ થઈ કાલોલ પોલીસ સ્ટેશન પાસે મામલતદાર કચેરી પાસે પહોંચ્યું હતું. ત્યાં નાના-મોટા તમામ તાજીયા (ઝરી) ઉપર ગુલાબજળ છાંટી, 'યા હુસેન, યા હુસેન'ના બુલંદ નારા સાથે તેમને 'ઠંડા' કરીને વિવિધ જગ્યાઓ પર વિસર્જન માટે લઈ જવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ આર.ડી. ભરવાડ, પીએસઆઈ પી.કે. ક્રિશ્ચિયન અને પીએસઆઈ એમ.આર. મોહનિયા સહિતના પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાલોલ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા યૌમે આશુરા મોહરમ પર્વની પરંપરાગત રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.
ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈનની શહાદતની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. મોહરમ મહિનાનો દસમો દિવસ અત્યંત વિશેષ ગણાય છે, કારણ કે આ જ દિવસે પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓ કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેમણે ઇસ્લામના રક્ષણ અને સત્ય માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આ શહાદતની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલોલ નગરમાં પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાલોલમાં વિવિધ કલાત્મક તાજીયા (ઝરી) તૈયાર કરીને તેને સજાવવામાં આવે છે. મોહરમ
માસની ૯મી તથા ૧૦મી તારીખે આ તાજીયા પોતપોતાના વિસ્તાર માંથી સરઘસ રૂપે કાલોલ જુમ્મા મસ્જિદ પાસે આવેલા નુરાની ચોકમાં દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. નુરાની ચોકમાં મોહરમ માસની ૧૦ તારીખે, યૌમે આશુરાના દિવસે, કરબલા ખાતે બનેલી કરૂણગાથાના માનમાં શોક વ્યક્ત કરતા 'યા હુસેન, યા હુસેન'ના નારા સાથે નાતેપાક, મનકબત, સલાતો સલામ અને હુસેનની મહેફિલોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોની સ્મૃતિમાં ઠેર ઠેર જાહેર સબિલો રચવામાં આવ્યા હતા, જેના દ્વારા નિયાઝે હુસેન તરીકે સરબત, ઠંડા પાણી, દૂધ અને કોલ્ડડ્રિંક્સનું વિતરણ કરાયું હતું. અશરની નમાજ અદા કર્યા બાદ સલાતો સલામ અને અલવિદા પઢીને કાર્યક્રમ સંપન્ન થયો. ત્યારબાદ, નુરાની
ચોક માથી તાજીયાનું જુલુસ દરગાહ રોડ થઈ કાલોલ પોલીસ સ્ટેશન પાસે મામલતદાર કચેરી પાસે પહોંચ્યું હતું. ત્યાં નાના-મોટા તમામ તાજીયા (ઝરી) ઉપર ગુલાબજળ છાંટી, 'યા હુસેન, યા હુસેન'ના બુલંદ નારા સાથે તેમને 'ઠંડા' કરીને વિવિધ જગ્યાઓ પર વિસર્જન માટે લઈ જવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ આર.ડી. ભરવાડ, પીએસઆઈ પી.કે. ક્રિશ્ચિયન અને પીએસઆઈ એમ.આર. મોહનિયા સહિતના પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાલોલ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા યૌમે આશુરા મોહરમ પર્વની પરંપરાગત રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.
- ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈનની શહાદતની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. મોહરમ મહિનાનો દસમો દિવસ અત્યંત વિશેષ ગણાય છે, કારણ કે આ જ દિવસે પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓ કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેમણે ઇસ્લામના રક્ષણ અને સત્ય માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આ શહાદતની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલોલ નગરમાં પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાલોલમાં વિવિધ કલાત્મક તાજીયા (ઝરી) તૈયાર કરીને તેને સજાવવામાં આવે છે. મોહરમ માસની ૯મી તથા ૧૦મી તારીખે આ તાજીયા પોતપોતાના વિસ્તાર માંથી સરઘસ રૂપે કાલોલ જુમ્મા મસ્જિદ પાસે આવેલા નુરાની ચોકમાં દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. નુરાની ચોકમાં મોહરમ માસની ૧૦ તારીખે, યૌમે આશુરાના દિવસે, કરબલા ખાતે બનેલી કરૂણગાથાના માનમાં શોક વ્યક્ત કરતા 'યા હુસેન, યા હુસેન'ના નારા સાથે નાતેપાક, મનકબત, સલાતો સલામ અને હુસેનની મહેફિલોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોની સ્મૃતિમાં ઠેર ઠેર જાહેર સબિલો રચવામાં આવ્યા હતા, જેના દ્વારા નિયાઝે હુસેન તરીકે સરબત, ઠંડા પાણી, દૂધ અને કોલ્ડડ્રિંક્સનું વિતરણ કરાયું હતું. અશરની નમાજ અદા કર્યા બાદ સલાતો સલામ અને અલવિદા પઢીને કાર્યક્રમ સંપન્ન થયો. ત્યારબાદ, નુરાની ચોક માથી તાજીયાનું જુલુસ દરગાહ રોડ થઈ કાલોલ પોલીસ સ્ટેશન પાસે મામલતદાર કચેરી પાસે પહોંચ્યું હતું. ત્યાં નાના-મોટા તમામ તાજીયા (ઝરી) ઉપર ગુલાબજળ છાંટી, 'યા હુસેન, યા હુસેન'ના બુલંદ નારા સાથે તેમને 'ઠંડા' કરીને વિવિધ જગ્યાઓ પર વિસર્જન માટે લઈ જવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ આર.ડી. ભરવાડ, પીએસઆઈ પી.કે. ક્રિશ્ચિયન અને પીએસઆઈ એમ.આર. મોહનિયા સહિતના પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાલોલ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા યૌમે આશુરા મોહરમ પર્વની પરંપરાગત રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.3
- હાલોલ તાલુકાના રામેશરા ગામે આતંક મચાવનાર વાઘોડિયાના આઠ લુખ્ખાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.1
- પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રામેશરા ગામમાં 23 જૂનની મધ્યરાત્રિએ આતંક મચાવનારા અસામાજિક તત્વોને હાલોલ રૂરલ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા હતા, જેના પગલે પંચમહાલ પોલીસ એક્શન મોડમાં આવી હતી. હાલોલ રૂરલ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, વાઘોડિયા તાલુકાના કેટલાક યુવકો હાથમાં દંડા જેવા હથિયારો સાથે બાઈક પર રામેશરા ગામમાં ઘૂસી આવ્યા હતા. તેમણે ગ્રામજનોને ગાળાગાળી કરી, હંગામો મચાવી આખા ગામમાં ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને આ તમામ 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં, 25 જૂન, ગુરુવારના રોજ સાંજના સુમારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીઓને રામેશરા ગામમાં લાવીને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઘટનાની રાત્રે ગામ ગજવનારા આ શખ્સોને પોલીસે તેમની શાન ઠેકાણે લાવી દીધી હતી. પોલીસ જ્યારે આ આરોપીઓને પકડીને રામેશરા ગામમાં લાવી, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ભય ફેલાવનારા તત્વો સામે હાલોલ રૂરલ પોલીસે જે સપાટો બોલાવ્યો છે, તેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે અને લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે. હાલોલ તાલુકાના રામેશરા ગામમાં હંગામો મચાવનાર તત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું હોવાનો પણ ઉલ્લેખ છે, જે પોલીસની કડક કાર્યવાહી અને ન્યાય અપાવવાના પ્રયાસને ઉજાગર કરે છે.1
- vaso kheda thasra1
- આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કવાંટ ખાતે યોજાયેલી આ સપોર્ટ રેલીને લોકો તરફથી ઠેર ઠેર સારો આવકાર મળ્યો હતો.1
- વડોદરા શહેરમાં ઝોન-૩ એલ.સી.બી. (LCB) ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા વાઘોડિયા રોડ પર આવેલી જાનકી ડુપ્લેક્ષ સોસાયટીના એક મકાનમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપી શૈલેષભાઈ શંકરભાઈ કહારના ઘરમાંથી છુપાવેલું ગુપ્ત ભોંયરૂં મળી આવ્યું હતું. આ ભોંયરામાંથી ૨૪ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ ૩૨૨ બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત ₹૩,૨૬,૮૮૪/- આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે એક મોબાઈલ અને વેક્યુમ પ્લેટ સહિત કુલ ₹૩,૩૭,૦૮૪/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી શૈલેષ કહારની ધરપકડ કરી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ચેતન ચંદુભાઈ કહારને વોન્ટેડ જાહેર કરાયો છે. આ સફળ કામગીરી પો.સ.ઇ. એસ.એ. ફુલધારા અને તેમની એલ.સી.બી. ટીમે પાર પાડી હતી, જે ઝોન-૩ LCBની મોટી સફળતા માનવામાં આવે છે.1
- એક જ સંકલ્પ કરવામાં આવ્યો છે, જે ડ્રગ્સ મુક્ત સમાજનું નિર્માણ કરીને સ્વસ્થ અને સુરક્ષિત ભારત બનાવવાનો છે.1
- Post by Rohit kirtanbhai1