Shuru
Apke Nagar Ki App…
Nasim
More news from ગુજરાત and nearby areas
- Post by Nasim1
- રાજેન્દ્ર અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ભાવનગર વિભાગ,ભાવનગર નાઓ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલહોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓના દ્વારા તેરા તુજકોઅર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયેએલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.જી.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીનાખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ બાબતેના સંચારસાથી C.E.I.R. પોર્ટલ ઉપરથી આજરોજ બોટાદ જીલ્લાનાઅલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોટલ આઠ અરજદારોના અલગ અલગ કંપનીના મોબાઇલજેની કી.રૂ. ૧,૧૦,૦૦૦/- ના બોટાદ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાઇ ગયેલહોય જે મોબાઇલ સંચારસાથી C.EI.R. પોર્ટલ આધારે શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગતકુલ આઠ અરજદારોને આજરોજ પરત કરવામાં આવેલ છે. કામગીરી કરનારની વિગત (૧) P.I. શ્રી એમ.જી.જાડેજા એલ.સી.બી. બોટાદ, (૨) હેડ.કોન્સ. પુરવભાઇ સોનગરા, (૩) હેડ.કોન્સ. હસુભાઇ જેબલીયા, (૪) હેડ.કોન્સ. પરાક્રમસિંહ ઝાલા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮2
- સેન્સ પ્રક્રિયા સ્થળ પર મોટી સંખ્યામા ચૂટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો.. જો પક્ષ દ્વારા ત્રણ વર્ષ થી ચૂટણી લડેલા તેમજ ૬૦ વર્ષ ની ઉંમરની મર્યાદા મુકાય તો અનેક નેતાઓના પત્તાં કપાય તેવી સંભાવના..1
- હળવદની શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થામાં હનુમાન જયંતિ ભક્તિભાવથી ઉજવાઈ. ડાયરેક્ટર જયેશભાઈના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો દ્વારા ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. હનુમાનજીના જીવનચરિત્ર અને તેમના શૌર્ય-ભક્તિ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રસંગે મીઠાઈ અને પ્રસાદનું વિતરણ કરાયું. કાર્યક્રમનો હેતુ બાળકોમાં આત્મવિશ્વાસ અને આનંદ વધારવાનો રહ્યો, સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- વઘાડા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં સંતાડેલા ગેરકાયદેસર દારૂના જથ્થા પર દરોડો પાડી પોલીસે 4 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કેસમાં કુલ 13 શખ્સો સામે ગુનો નોંધાયો છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ બનાવવામાં આવી છે. દરોડા દરમિયાન 9,864 બોટલ વિદેશી દારૂ, 3 વાહનો, 7 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹61,24,064નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મોટી કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 👉 તાજા સમાચાર માટે પેજને Follow કરો.1
- *ધંધુકા રામ ટેકરીમાં ગુંજ્યો “જય શ્રી રામ” નો નાદ — શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહની ભવ્ય પૂર્ણાહુતી.* ધંધુકા રામ ટેકરીના પ .પુ મહંત 1008 દેવનારાયણદાસજી મહારાજ દ્વારા શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહ ભવ્ય ઉજવાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પવિત્ર ધાર્મિક સ્થલ શ્રી રામ ટેકરી મંદિર ખાતે યોજાયેલ શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહનો આજે ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે પૂર્ણાહુતી મહોત્સવ ઉજવાયો હતો. નવ દિવસ સુધી ચાલેલા આ યજ્ઞ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બની ગયો હતો અને “જય શ્રી રામ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. પ્રખર કથાવક્તા દ્વારા ભાવભીની કથા માં આ પવિત્ર યજ્ઞમાં પ.પૂ. ૧૦૦૮ શ્રી નરેશભાઈ પંડ્યા જસાપર હાલ ભાવનગર દ્વારા શ્રી રામચરિત્રના અમૂલ્ય પ્રસંગોનું હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું હતું. દરેક પ્રસંગ દરમિયાન પંડાલમાં ઉપસ્થિત ભક્તો ભક્તિમાં લીન થઈ જતા અને વારંવાર “જય શ્રી રામ”ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠતું હતું. દરરોજ બપોરે યોજાતા મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો. આજે યોજાયેલી પૂર્ણાહુતી વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂજન, હવન અને આરતી સાથે સમગ્ર યજ્ઞને ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટ, સેવાભાવી ભાઈઓ અને ગામજનોનો વિશેષ સહકાર રહ્યો હતો.1
- Post by Bkp News1
- Post by Nasim1