Shuru
Apke Nagar Ki App…
Bkp News
More news from ગુજરાત and nearby areas
- Post by Bkp News1
- માંગરોળ પોલીસ મથકમાં નોંધાયેલી વિગતો અનુસાર, ગત તારીખ ૧ના રોજ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં જામખંભાળિયા ગામે એક પરિણીતાને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ માંગરોળના લોએજ ગામે રહેતા હેમીબેન સોલંકીએ ગીર સોમનાથના ચાંડુવાવ ગામે રહેતા તેમના પતિ જીગ્નેશભાઈ ભીમશીભાઈ સોલંકી અને જોષનાબેન સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ આરોપીઓ ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણા મારતા હતા તેમજ પિયરમાંથી કંઈ લાવ્યા ન હોવાનું કહી પરિણીતાને ઢીકાપાટુનો માર મારી અત્યાચાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- Post by પત્રકાર1
- કેશોદ, તા. 02 કેશોદ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી માટે ઝટકો તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા તરીકે સેવાઓ આપનાર શ્રીમતી વિજૂબેન મનીષભાઈ યુડાસમાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. વિજૂબેન યુડાસમાએ પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પક્ષ સાથે જોડાયા બાદ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કામ કરતા રહ્યા હતા. છતાં કેટલાક પ્રસંગોમાં તેઓ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શક્યા નથી, જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. તેમણે પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ મનીષભાઈ નગાભાઈ યુડાસમાએ પણ પક્ષની સક્રિય કામગીરીમાંથી દૂર થવાનો નિર્ણય જાહેર કર્યો છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં વધુ ગરમાયું છે. વિજૂબેન યુડાસમાના આ નિર્ણયને કારણે કેશોદ તાલુકા કોંગ્રેસમાં રાજકીય હલચલ મચી છે. આગામી સમયમાં આ રાજીનામાનો શું પ્રભાવ પડશે તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ3
- આટકોટ સૂર્યમુખી હનુમાનજી મંદિર હનુમાન જયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા સૂર્યમુખી હનુમાનજી મંદિરે આ શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી બાળકો એ રામ લક્ષ્મણ સીતાજી હનુમાન જી નાં વેષ ધારણ કર્યો હતાં તેમજ ફુલીયા હનુમાનજી મંદિર પણ ભવ્ય હનુમાનજી જંયતી ની ઉજવણી કરવામાં આવી હતી મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન ને મંદિર સણગાર કરવામાં આવ્યો હતો દાદા ને અનોખો સણગાર કરવામાં આવ્યો હતો આટકોટ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો શોભાયાત્રા માં દાતા દ્વારા સરબત પાણી ની સુવિધા આપવામાં આવી હતી તસવીરો કરશન બામટા આટકોટ4
- અમદાવાદમાં દારૂબંધી વચ્ચે ફરી બુટલેગરનો વીડિયો વાઈરલ સાબરમતી વિસ્તારમાં ઘરમાં બેસીને દેશી દારૂનું પેકિંગ બે બૂટલેગર સાથે બે મહિલાઓ પણ દારૂની પોટલીઓ ભરતી દેખાઈ સોશિયલ મીડિયામાં વીડિયો થઈ રહ્યો છે વાયરલ સરસ્વતીનગરમાંથી મોટી સંખ્યામાં દારૂની થેલીઓ તૈયાર થતી બૂટલેગર ભરત ઠાકોર સામે પોલીસ દ્વારા ગુનો નોંધાયો સાબરમતી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી1
- Post by Nasim1
- Post by Bkp News1