જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રભારીએ સાળંગપુર કષ્ટભંજનદેવના દર્શન મુલાકાતે*** બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોર સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શન મુલાકાતે સંતોએ કર્યું વિશેષ સ્વાગત સન્માન બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોર આજરોજ તારીખ 14 માર્ચ 2026ના રોજ દર્શન મુલાકાતે પહોંચ્યા હતા, જિલ્લામાં નિયુક્તિ બાદ આજે વિધિવત ચાર્જ સંભાળતા પહેલા બેઠકોની શરૂઆત પહેલા દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને સંતોના આશીર્વાદ મેળવી જિલ્લાનો સત્તાવાર ચાર્જ સંભાળી બેઠકોની શરૂઆત કરી હતી, જિલ્લા ભાજપ પ્રભારીનું સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતો દ્વારા ભગવાનનો પ્રસાદીનો પુષ્પહાર પહેરાવી અને રક્ષા સૂત્ર બાંધી સ્વાગત સન્માન કરી અને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રભારીએ સાળંગપુર કષ્ટભંજનદેવના દર્શન મુલાકાતે*** બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોર સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શન મુલાકાતે સંતોએ કર્યું વિશેષ સ્વાગત સન્માન બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોર આજરોજ તારીખ 14 માર્ચ 2026ના રોજ દર્શન મુલાકાતે પહોંચ્યા હતા, જિલ્લામાં નિયુક્તિ બાદ આજે વિધિવત ચાર્જ સંભાળતા પહેલા બેઠકોની શરૂઆત પહેલા દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને સંતોના આશીર્વાદ મેળવી જિલ્લાનો સત્તાવાર ચાર્જ સંભાળી બેઠકોની શરૂઆત કરી હતી, જિલ્લા ભાજપ પ્રભારીનું સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતો દ્વારા ભગવાનનો પ્રસાદીનો પુષ્પહાર પહેરાવી અને રક્ષા સૂત્ર બાંધી સ્વાગત સન્માન કરી અને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જિલ્લાના વિવિધ પોલીસ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 14 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓના આદેશો જાહેર કર્યા છે. આ બદલીઓમાં હેડ ક્વાર્ટર, રીડર શાખા, અરજી શાખા, બરવાળા, બોટાદ ટાઉન, રાણપુર અને ગઢડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જારી કરાયેલા આદેશ મુજબ રાણપુર પોલીસ સ્ટેશનથી તરુણભાઈ દાદુભાઈ પંડ્યા (UHC) અને મનહરસિંહ શેરભા પરમાર (APC)ની પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશનમાંથી ધવલભાઈ ખોડાભાઈ કેવડીયા (APC)ને બરવાળા પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. પોલીસ હેડ ક્વાર્ટરમાંથી બુધેશભાઈ રાઘવભાઈ જોગવા (UHC), રીડર શાખામાંથી અશોકભાઈ રાઘવભાઈ સોલંકી (UPC) અને અરજી શાખામાંથી રમેશભાઈ જેઠાભાઈ સોલંકી (UASI)ની પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી હિતેન્દ્રસિંહ મોહબતસિંહ ગોહિલ (UHC)ને ઢસા પોલીસ સ્ટેશનમાં અને જીતુભાઈ વાલજીભાઈ ચૌહાણ (UHC)ને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશનમાંથી જયેશભાઈ જયંતીભાઈ જાખણીયા (UASI) અને અલ્પેશભાઈ અશોકભાઈ ખુમાણ (UASI)ને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ગઢડા પોલીસ સ્ટેશનમાંથી જગદિશભાઈ ધુડાભાઈ અણીયાળીયા (DASI)ની પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. એમ.ઓ.બી. શાખામાંથી રાજુભાઈ ઘુઘાભાઈ બાવળીયા (UASI)ને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. જ્યારે બરવાળા પોલીસ સ્ટેશનમાંથી ધર્મેશકુમાર હિમંતલાલ ઝાલા (UHC)ની ગઢડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. રાણપુર પોલીસ સ્ટેશનમાંથી ભારતીબેન ઘનશ્યામભાઈ ઝાલા (APC)ની બરવાળા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી કોઈપણ પ્રકારના બેક રેફરન્સ કર્યા વગર બદલીવાળી જગ્યાએ છૂટા થઈ હાજર થવા તેમજ તેની જાણ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીને કરવાની સૂચના આપવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીશ્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા1
- Post by Vopul luhar1
- વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો1
- Post by Maheshbhai uteriya1
- લીલીયા આંબા ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળો યોજાયો1
- ईरान आज की परिस्थिती में बनेहुऐ हालात । रीपोर्ट ।1
- બોટાદ તાલુકા તરઘરા પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વૈજ્ઞાનિક પ્રયોગોનું આયોજન આજરોજ તારીખ 14 માર્ચ 2026, શનિવારના રોજ આનંદદાયી શનિવાર અંતર્ગત બોટાદ જિલ્લાની પીપરડી કેવશાળા અંતર્ગત આવેલી શ્રી તરઘરા પ્રાથમિક શાળા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો તથા અંધશ્રદ્ધા પાછળ રહેલા વૈજ્ઞાનિક તથ્યો અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા સાથે જોડાયેલા વિવિધ રસપ્રદ વૈજ્ઞાનિક પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીના હાથમાંથી કંકુ કાઢવું, લાલ રંગની દોરીને કાળા રંગમાં પરિવર્તિત કરવી, રંગીન પાણીનો રંગ દૂર કરવો, પાણીમાં બ્લાસ્ટનો પ્રયોગ, પાણીની મદદથી દીવાસળી સળગાવવી સહિતના અનેક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રયોગો સાથે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે આવા ચમત્કાર જેવા લાગતા પ્રસંગો પાછળ હકીકતમાં વિજ્ઞાન કાર્યરત હોય છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તમામ પ્રયોગો નિહાળ્યા અને વૈજ્ઞાનિક વિચારસરણી તરફ પ્રેરણા મેળવી હતી. આ કાર્યક્રમ દ્વારા અંધશ્રદ્ધાથી દૂર રહી તર્કસંગત અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય મનુમાસ્તરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તરઘરા શાળા પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1