Shuru
Apke Nagar Ki App…
નર્મદા નિગમનાં અધિકારીઓ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવાની જગ્યાએ હાથ ઊંચા કરી રહ્યાં છે!! શું તેઓ કોઈ પ્રકારના દબાણમાં ફરજ બજાવી રહ્યાં છે ? @thebealertnews #vadodra #gujrat
THE BEALERT NEWS
નર્મદા નિગમનાં અધિકારીઓ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવાની જગ્યાએ હાથ ઊંચા કરી રહ્યાં છે!! શું તેઓ કોઈ પ્રકારના દબાણમાં ફરજ બજાવી રહ્યાં છે ? @thebealertnews #vadodra #gujrat
More news from Panch Mahals and nearby areas
- હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- હાલોલ શહેર ખાતે આજે શનિવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની એટલે રમઝાન ઈદ ની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.શહેરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જેમાં ઈદગાહ ખાતે મૌલાના યાકુબ રઝવી ધ્વારા તકરીર ફરમાવી હતી અને સૈયદ ઈલ્યાસબાપુ ધ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે નૂરાની મસ્જિદ ખાતે મૌલાના વસીમ મામાજી દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે ઈદુલ ફિત્રને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો જ્યારે નાના ભૂલકાંઓ સહિત તમામ મુસ્લિમ બિરાદરો અવનવા પોષાકમાં જોવા મળ્યા હતા અને રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને વિશેષ દુવા કરવામાં આવી હતી જ્યારે ઈદગાહ ખાતે હાલોલ શહેરમાંથી હજ યાત્રા પર જનાર હજયાત્રીઓનું શહેરના મુસ્લિમ બિરાદરો ધ્વારા ફૂલહાર કરી ગુલપોશી કરવામાં આવી હતી અને ઇદ ને લઈ નગરમાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે હાલોલ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. બાઈટ-મૌલાના યાકુબ રઝવી.હાલોલ શહેર ખતીબ.1
- ફ્રી ડેમો લેક્ચર ધોરણ 11 સાયન્સ માટે તારિખ: 23 માર્ચથી 28 માર્ચ 2026 સુધી સમય : સાંજે 4:00 થી 6:30 સ્થળ : પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ શારદા વિદ્યામંદિર સ્કૂલ હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે પ્રેમ એસ્ટેટ,ગોધરા રોડ,હાલોલ. Free demo lecture for 11th science 23 march to 28 march 2026 Evening 4 pm to 6:30 pm At sharda vidhya mandir Halol By Plazma Institute પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ હવે હાલોલમાં આપના આંગણે હવે ટ્યુશનના ધક્કા કરો બંધ અને મેળવો ધોરણ 11 સાયન્સ અને કોમર્સ માટે પ્લાઝમા ઇન્સ્ટિટયૂટમાં શારદા વિદ્યામંદિર સ્કૂલમાં એડમિશન જ્યાં આપને મળશે વર્ષોના અનુભવી શિક્ષકો દ્વારા ગુણવત્તા સભર શિક્ષણ એડમિશન ઓપન 2026 એડમિશન માટે આજે સંપર્ક કરો 📱99787865151
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી. મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.2
- બોડેલી : બોડેલીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક ભવ્ય ઉજવણી સંપન્ન. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં વસતા સિંધી સમાજ દ્વારા આજે તેઓના આરાધ્યદેવ ભગવાન ઝુલેલાલ નો જન્મદિવસ એટલે ચેટીચંદ પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક રંગેચંગે કરવામાં આવી હતી. ચેટીચંદ પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિ વર્ષની જેમ આજે સવારથી જ બોડેલી અલીપુરા અને ઢોકલીયા માં સિંધી સમાજની દુકાનો બંધ રહી હતી અને સવારે શ્રી ઝુલેલાલ મંદિરમાં આરતી કરી બપોરના સમયે બોડેલીના રાજમાર્ગો પર ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં નગરમાં વસતા સિંધી સમાજના યુવાનો યુવતીઓ સાથે આબાલ વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાઈ ડીજે ના તાલે ભગવાનનાં ભજન કીર્તનનાં સુરતાલ સાથે નૃત્ય કરી આગવું આકર્ષણ ઊભું કર્યું હતુ. સમગ્ર શોભાયાત્રા દરમિયાન આયો લાલ શ્રી ઝુલેલાલ નાં ગગનભેદી જય ઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડીજે સાથે ઘોડા બગી મા ભગવાન શ્રી ઝુલેલાલની પ્રતિમા પધરાવી નીકળેલી શોભાયાત્રા નગરના માર્ગો પર ફરી શ્રી ઝૂલેલાલ મંદિર પહોંચી હતી જ્યાં દર્શન કરી સિંધી સમાજના લોકો ભક્ત સમાજની વાડી ખાતે પ્રસાદી લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આરતી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભક્ત સમાજની વાડી ખાતે મહાપ્રસાદ લઈ ભક્તજનો ધન્ય બન્યા હતા. બાઈટ : સોનુ જેમતાણી યુવા અગ્રણી, સિંધી સમાજ બોડેલી1
- Post by THE BEALERT NEWS1
- હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની આનંદ ઉત્સાહના વાતાવરણ ઉજવણી કરાઈ હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા આજે શુક્રવારે ચૈત્રસુદ બીજ ના દિવસે ચેટીચાંદ પર્વની ઉજવણી આણંદ ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, સિંધી સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉપસ્થિત રહી ભગવાનની પૂજા અર્ચના પ્રાર્થના ભજન કીર્તન કરી ભક્તિસભર વાતાવરણમાં સિંધી સમાજના મહાપર્વ એવા ચેટીચાંદ અને નવા વર્ષની ઉજવણી રંગે ચગે કરાઈ હતી.ચેટીચાંદના પાવન અવસરે નગરના કંજરી રોડ પર આવેલ શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે નગરના સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રી ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરી સિંધી સમાજના તમામ લોકોએ હર્ષ ઉલ્લાસ પૂર્વક સાથે ચેટીચાંદ અને નવું વર્ષ ઉજવ્યું હતું.બપોરે સિંધી સમાજના તેજસ્વી તારલા ઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જયારે સાંજે 6.00 કલાકે ભવ્ય શોભાયાત્રા ઝુલેલાલ મંદિર ખાતેથી નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જ્યારે ઝુલેલાલ ભગવાનના જય ઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયેલા સિંધી સમાજના મહિલા પુરુષોએ ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.જેમાં ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલી શોભાયાત્રામાં નગરના સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ પુરુષો અને બાળકોએ આનંદ ઉત્સાહ નાં વાતાવરણમાં ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.1
- ફ્રી ડેમો લેક્ચર ધોરણ 11 સાયન્સ માટે તારિખ: 23 માર્ચથી 28 માર્ચ 2026 સુધી સમય : સાંજે 4:00 થી 6:30 સ્થળ : પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ શારદા વિદ્યામંદિર સ્કૂલ હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે પ્રેમ એસ્ટેટ,ગોધરા રોડ,હાલોલ. Free demo lecture for 11th science 23 march to 28 march 2026 Evening 4 pm to 6:30 pm At sharda vidhya mandir Halol By Plazma Institute પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ હવે હાલોલમાં આપના આંગણે હવે ટ્યુશનના ધક્કા કરો બંધ અને મેળવો ધોરણ 11 સાયન્સ અને કોમર્સ માટે પ્લાઝમા ઇન્સ્ટિટયૂટમાં શારદા વિદ્યામંદિર સ્કૂલમાં એડમિશન જ્યાં આપને મળશે વર્ષોના અનુભવી શિક્ષકો દ્વારા ગુણવત્તા સભર શિક્ષણ એડમિશન ઓપન 2026 એડમિશન માટે આજે સંપર્ક કરો 📱99787865151