બનાસકાંઠા: દાંતા પોલીસ સ્ટેશન સામે ગમખ્વાર અકસ્માત એક નુ મોત અન્ય છ ઘાયલ બનાસકાંઠા જિલ્લાના દાંતા ગામમાં દાંતા પોલીસ સ્ટેશન આગળ ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા કિનારે આવેલા ગલ્લામાં ઘુસી ગઈ હતી. અકસ્માત સમયે અંતર શાહ દરગાહ ખાતે ઉરસનો મેળો હોવાથી લોકો દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માતમાં ગલ્લા આગળ બેઠેલા 2 લોકોને સામાન્ય ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગલ્લા ચાલકને ગંભીર હાલતમાં પાલનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.;- રિપોર્ટર વિષ્ણુ ઠાકોર
બનાસકાંઠા: દાંતા પોલીસ સ્ટેશન સામે ગમખ્વાર અકસ્માત એક નુ મોત અન્ય છ ઘાયલ બનાસકાંઠા જિલ્લાના દાંતા ગામમાં દાંતા પોલીસ સ્ટેશન આગળ ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા કિનારે આવેલા ગલ્લામાં ઘુસી ગઈ હતી. અકસ્માત સમયે અંતર શાહ દરગાહ ખાતે ઉરસનો મેળો હોવાથી લોકો દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માતમાં ગલ્લા આગળ બેઠેલા 2 લોકોને સામાન્ય ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગલ્લા ચાલકને ગંભીર હાલતમાં પાલનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.;- રિપોર્ટર વિષ્ણુ ઠાકોર
- બનાસકાંઠા: દાંતા પોલીસ સ્ટેશન સામે ગમખ્વાર અકસ્માત એક નુ મોત અન્ય છ ઘાયલ બનાસકાંઠા જિલ્લાના દાંતા ગામમાં દાંતા પોલીસ સ્ટેશન આગળ ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા કિનારે આવેલા ગલ્લામાં ઘુસી ગઈ હતી. અકસ્માત સમયે અંતર શાહ દરગાહ ખાતે ઉરસનો મેળો હોવાથી લોકો દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માતમાં ગલ્લા આગળ બેઠેલા 2 લોકોને સામાન્ય ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગલ્લા ચાલકને ગંભીર હાલતમાં પાલનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.;- રિપોર્ટર વિષ્ણુ ઠાકોર1
- ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ડમ્પિયાર્ડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર ફાઈટર અને કર્મચારીઓની સમયસર તથા સાહસપૂર્ણ કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. આ કામગીરી બદલ તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે.1
- સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.1
- પાલનપુરમાં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.3
- ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ કારચાલકના ઘરે મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાતા સમગ્ર નાકા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે.1
- વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત, અમરેલી જેલમાં ખસેડાયો આજે સવારે 8 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાના આધારે હિંમતનગર બી ડિવિઝન પોલીસે વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને પાસા એક્ટ હેઠળ ઝડપી લીધો છે. હિંમતનગરના હડીયોલ પુલ છાપરિયામાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર થતા પીએસઆઈ આર.એલ. દેસાઈ અને સર્વેલન્સ સ્ટાફે આરોપીને ઝડપી પાડી અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.1
- ખેડબ્રહ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વેપારીને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ ₹2,58,200 નો દંડ ચૂકવવાનો આદેશ કર્યો. આ કેસ આગીયા ગામના ખેડૂત દ્વારા કપાસ વેચાણના ચેક બાઉન્સ થવા અંગે દાખલ કરાયો હતો.1