Shuru
Apke Nagar Ki App…
પાલનપુરમાં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Gujarat crime news
પાલનપુરમાં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- પાલનપુરમાં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.3
- વાવ થરાદ રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગ સાથે યોજી બેઠક સરહદી વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને પૂરતું અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે સરકારની પ્રાથમિકતા છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈ આજે સ્વરૂપજી ઠાકોર દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ અને વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરહદી વિસ્તારોના ગામોમાં હાલની પાણી વ્યવસ્થાની સ્થિતિ, પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટેના વિકલ્પો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ ગામમાં પાણીની અછત ન રહેવી જોઈએ અને દરેક ઘર સુધી નિયમિત અને પૂરતું પીવાનું પાણી પહોંચે તે માટે તાત્કાલિક અસરકારક કામગીરી હાથ ધરવામાં આવે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પાણીની વધતી માંગને ધ્યાનમાં રાખીને પાણી સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે આગોતરા આયોજન કરવા અધિકારીઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા. બેઠકમાં હાજર અધિકારીઓએ ખાતરી આપી હતી કે આપેલ સૂચનાઓ મુજબ ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે અને સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવશે. આ બેઠકના પગલે સ્થાનિક ગ્રામજનોમાં આશા જગાઈ છે કે હવે પાણી સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે અને દરેક ગામમાં નિયમિત રીતે સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ થશે.2
- વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત, અમરેલી જેલમાં ખસેડાયો આજે સવારે 8 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાના આધારે હિંમતનગર બી ડિવિઝન પોલીસે વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને પાસા એક્ટ હેઠળ ઝડપી લીધો છે. હિંમતનગરના હડીયોલ પુલ છાપરિયામાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર થતા પીએસઆઈ આર.એલ. દેસાઈ અને સર્વેલન્સ સ્ટાફે આરોપીને ઝડપી પાડી અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.1
- ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: #firefighting #hero #community #safetyfirst #environment #cleanland #khedbrahma #gujarat #emergency #response1
- સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.1
- ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ કારચાલકના ઘરે મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાતા સમગ્ર નાકા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે.1
- વાવ થરાદ જિલ્લામાં થરાદ નવીન સરકારી રેફરલ હોસ્પિટલ માં આગ ની ઘટના પ્રકાશમાં આવી છે નવીન બની રહેલા બિલ્ડિંગ ના સેન્ટિંગ ના લાકડામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરતા ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે નવીન સરકારી રેફરલ હોસ્પિટલ બંધ હાલતમાં હોવાથી મોટી જાન હાની ટળી હતી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે2