Shuru
Apke Nagar Ki App…
મોરબીમાં ચામડાતોડ વ્યાજખોરીનો કિસ્સો: પઠાણી ઉઘરાણી અને મારપીટ, બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબી શહેરમાં ચામડાતોડ વ્યાજખોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. માસિક ૪૦ ટકા અને ૨૦ ટકા વ્યાજે રૂપિયા આપી બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી તથા મારપીટ કરતા બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. ઇન્દિરાનગર-ગાયત્રીનગરના રહેવાસી યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કાનાભાઈ ભરતભાઈ ગઢવી અને જીગ્નેશભાઈ ભરતભાઈ ગઢવી સામે ભારતીય ન્યાય સંહિતા તથા નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ થયો છે. ફરિયાદ મુજબ પરિવારજનોએ મૂડી કરતા પણ વધુ વ્યાજ ચુકવી દીધા હોવા છતાં આરોપીઓ બળજબરીથી ઉઘરાણી કરતા અને મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad
મોરબીમાં ચામડાતોડ વ્યાજખોરીનો કિસ્સો: પઠાણી ઉઘરાણી અને મારપીટ, બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબી શહેરમાં ચામડાતોડ વ્યાજખોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. માસિક ૪૦ ટકા અને ૨૦ ટકા વ્યાજે રૂપિયા આપી બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી તથા મારપીટ કરતા બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. ઇન્દિરાનગર-ગાયત્રીનગરના રહેવાસી યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કાનાભાઈ ભરતભાઈ ગઢવી અને જીગ્નેશભાઈ ભરતભાઈ ગઢવી સામે ભારતીય ન્યાય સંહિતા તથા નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ થયો છે. ફરિયાદ મુજબ પરિવારજનોએ મૂડી કરતા પણ વધુ વ્યાજ ચુકવી દીધા હોવા છતાં આરોપીઓ બળજબરીથી ઉઘરાણી કરતા અને મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from Botad and nearby areas
- Post by Vopul luhar1
- ઢાંકણિયા રોડ પર આવેલી બાપા સીતારામ નગર, તુલસી નગર - 2 ના રહીશો પીવાના પાણી અને રોડ જેવી પાયાની સુવિધાઓથી વર્ષોથી વંચિત હોવાનું કહી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે સ્થાનિકો એકત્રિત થઈ “પાણી આપો”ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો અને આગામી દિવસોમાં સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે...1
- બરવાળા પોલીસની સરાહનીય કામગીરી, યુવતીનો ખોવાયેલ રૂ.50 હજારનો મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો. બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ખોવાયેલ મોબાઇલ શોધી તેને મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી તન્વીબેન હરીકૃષ્ણભાઈ પટેલનો સેમસંગ કંપનીનો S-23 એન્ડ્રોઇડ મોબાઇલ આશરે એક મહિના પહેલા ગુમ થયો હતો, મોબાઇલની કિંમત અંદાજે રૂ.50 હજાર જેટલી હોવાનું જણાવાયું હતું, આ મામલે બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સતત પ્રયાસો બાદ પોલીસે મોબાઇલ શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજરોજ 10 માર્ચ 2026ના રોજ બરવાળા પોલીસ સ્ટેશન ખાતેથી અરજદાર તન્વીબેન પટેલને પરત આપ્યો હતો, આ સમગ્ર કામગીરી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મોબાઇલ પરત મળતા માલિકે બરવાળા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ બહાદુરસિંહ, વિજયસિંહ ભરતસિંહ, કોન્સ્ટેબલ મહેંદ્રભાઇ ભુપતભાઇ, હરપાલસિંહ શિવરાજસિંહ, સિધ્ધરાજસિંહ લાલભા, પ્રકાશભાઇ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશભાઈ સહિતના પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *ધંધુકામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલ 7 દિવસ શરૂ રહેશે.* ધંધુકા પાલિકાના પ્રમુખ પારૂલબેન આદેશરાના હસ્તે રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ધંધુકા નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુનો મેળો યોજાયો. કુલ 15 થી વધારે સ્ટોલ મુકવામાં આવ્યા હતા જેમાં ધંધુકા આસપાસ વેચાતી તથા સ્વદેશી વસ્તુઓનો 15 થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા. વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુ લોકો મોટા પ્રમાણેમાં ખરીદે અને દેશના નાણાં દેશમાં જ રહે, સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવનાર લોકોને આર્થિક સહાય મળી રહે તેવો મુખ્ય હેતુ છે.1
- દુબઈ ઇન્ટરનૅશનલ એરપોર્ટ પર ઈરાન દ્વારા ડ્રોન હુમલો, 1 ભારતીય સહીત 4 ઘાયલ...1
- વાવ થરાદ SOG પોલીસે ખાનગી બાતમીના આધારે દિયોદર હાઇવે વિસ્તાર પરથી મોટા પ્રમાણે શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો છે રાજસ્થાન પાર્સિંગ ની ટ્રક માં 775 જેટલી યુરિયા ખાતર ના કટ્ટા ભરી ને હૈદરાબાદ લઈ જવામાં આવતા હતા પોલીસે વોચ ગોઠવી આ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લઈ ખેતીવાડી વિભાગની ટીમ ને જાણ કરતા ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી તપાસ હાથ ધરી છે2
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત પુંજાભાઈ દેવદાનભાઈ ગામ રોઝુ #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews1
- Post by Vopul luhar1
- તમામ વસ્તુઓનો બેફામ ભાવ વધ્યો છે જેથી નાના માણસો હેરાન થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક મોંઘવારી ઘટાડવા યુવક કોંગ્રેસે માંગ કરી..1