logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

2 hrs ago
user_મધુવન ગીફ્ટ કેશોદ
મધુવન ગીફ્ટ કેશોદ
Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
2 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • "કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1, આલાપ કોલોની વિસ્તારમાં શોકિંગ મામલો સામે આવ્યો છે! નવું ઓવર હેડ ટેન્ક અને અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ સંપ એક મહિના પછી પણ ખુલ્લું છે – ઢાંકણ જ લગાવવામાં આવ્યું નથી! પીવાનું પાણી ખુલ્લું પડ્યું છે, જેથી કચરો, પાંદડાં કે અન્ય ગંદકી પડવાનું મોટું જોખમ છે. આનાથી રોગનું ભયંકર ખતરો ઊભો થય રહ્યો છે! રહેવાસીઓ અને આમ આદમી પાર્ટીની માંગ છે કે તાત્કાલિક ઢાંકણ લગાવવામાં આવે. સિવાય નજીક પડેલ તમામ કામગીરી પૂર્ણ થયાં બાદ તમામ વસ્તુઓ ઉપાડી ગ્રાઉન્ડ ચોખ્ખું કરવાની જવાબદારી કોની હોય નગર પાલિકા ની કે કોન્ટ્રાક્ટર ની કે પછી નજીક રહેતા લોકો ની તેના જવાબદાર કોણ..? નગરપાલિકા જાગો! લોકોના જીવન સાથે રમત બંધ કરો! વિસ્તાર ના લોકો આ તમામ વસ્તુઓ થી ત્રાહિમામ છે અને નજીક માં આવેલી દરગાહ માં પણ સફાઈ કરી પ્લાસ્ટર કરવામાં નથી આવ્યું શું એ જવાબદારી કોન્ટ્રાકટર ની ના હોય તો નજીક કામગીરી થતી હોય તેની હદ માં તોડફોડ કરવા જવાનું પણ કોણ કહેતું હોય એ પણ ચર્ચાતો સળગતો સવાલ છે સંવાદ દાતા જગદીશ યાદવ જૂનાગઢ
    4
    "કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1, આલાપ કોલોની વિસ્તારમાં શોકિંગ મામલો સામે આવ્યો છે! નવું ઓવર હેડ ટેન્ક અને અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ સંપ એક મહિના પછી પણ ખુલ્લું છે – ઢાંકણ જ લગાવવામાં આવ્યું નથી!
પીવાનું પાણી ખુલ્લું પડ્યું છે, જેથી કચરો, પાંદડાં કે અન્ય ગંદકી પડવાનું મોટું જોખમ છે. આનાથી રોગનું ભયંકર ખતરો ઊભો થય રહ્યો છે!
રહેવાસીઓ અને આમ આદમી પાર્ટીની માંગ છે કે તાત્કાલિક ઢાંકણ લગાવવામાં આવે.
સિવાય નજીક પડેલ તમામ કામગીરી પૂર્ણ થયાં બાદ તમામ વસ્તુઓ ઉપાડી ગ્રાઉન્ડ ચોખ્ખું કરવાની જવાબદારી કોની હોય  નગર પાલિકા ની કે કોન્ટ્રાક્ટર ની કે પછી નજીક રહેતા લોકો ની તેના 
જવાબદાર કોણ..? 
નગરપાલિકા જાગો! લોકોના જીવન સાથે રમત બંધ કરો! 
વિસ્તાર ના લોકો આ તમામ વસ્તુઓ થી ત્રાહિમામ છે અને નજીક માં આવેલી દરગાહ માં પણ  સફાઈ કરી પ્લાસ્ટર કરવામાં નથી આવ્યું શું એ જવાબદારી કોન્ટ્રાકટર ની ના હોય તો નજીક કામગીરી થતી હોય તેની હદ માં તોડફોડ કરવા જવાનું પણ કોણ કહેતું હોય એ પણ ચર્ચાતો સળગતો  સવાલ છે 
સંવાદ દાતા જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    22 hrs ago
  • જાફરબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ... જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે પી ભીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.... જાફરાબાદ તાલુકા કક્ષાની સરકારી કચેરીનો સ્ટાફ જેમ કે તાલુકા પંચાયત ,ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી વિગેરે કચેરીના સ્ટાફ અધિકારીઓએ સંબંધિત લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરૂ તથા ભાજપ સંગઠન ના તમામ સભ્યો હાજર રહ્યા હતા. તથા દરેક ગ્રામ પંચાયતના સરપંચો. દરેક સમાજ ના આગેવાનો અધિકારીઓ તથા પદાધિકારીઓ ગ્રામજનોની હાજરીમાં અરજદારોએ પોતાના કામ સ્થાનિક કક્ષાએ રજુ કરેલ હત.
    4
    જાફરબાદ તાલુકાના પાટી  માણસા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ...
જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી   ચેરમેન કે પી ભીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો....
જાફરાબાદ તાલુકા કક્ષાની સરકારી કચેરીનો સ્ટાફ જેમ કે તાલુકા પંચાયત ,ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી વિગેરે કચેરીના સ્ટાફ અધિકારીઓએ સંબંધિત લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો
જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ  કુલદીપભાઈ વરૂ તથા ભાજપ સંગઠન ના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
તથા દરેક ગ્રામ પંચાયતના સરપંચો. દરેક  સમાજ ના આગેવાનો અધિકારીઓ તથા પદાધિકારીઓ ગ્રામજનોની હાજરીમાં અરજદારોએ પોતાના કામ સ્થાનિક કક્ષાએ રજુ કરેલ હત.
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • સુરત ફેમેલી કોર્ટમાં સનસનાટી ફેમિલી કોર્ટમાં પક્ષકારે પત્ની પર એસિડ ફેંક્યું જજની સામે જ પત્ની પર એસિડ ફેંક્યું ભરણપોષણના કેસમાં ભડકેલા પતિનું કાયર કામ કોર્ટમાં જ પત્ની પર કર્યો જીવલેણ હુમલો એસિડ ફેંક્યા બાદ આરોપી પતિએ જાતે જ ઝેર પીધું ઘટનાને પગલે બંનેને હોસ્પિટલ ખસેડાયા અગાઉ પણ હત્યાની કોશિશ કરી ચૂક્યો હતો આરોપી વિનોદ ભાણુશાલી.
    1
    સુરત ફેમેલી કોર્ટમાં સનસનાટી
ફેમિલી કોર્ટમાં પક્ષકારે પત્ની પર એસિડ ફેંક્યું જજની સામે જ પત્ની પર એસિડ ફેંક્યું ભરણપોષણના કેસમાં ભડકેલા પતિનું કાયર કામ કોર્ટમાં જ પત્ની પર કર્યો જીવલેણ હુમલો એસિડ ફેંક્યા બાદ આરોપી પતિએ જાતે જ ઝેર પીધું ઘટનાને પગલે બંનેને હોસ્પિટલ ખસેડાયા
અગાઉ પણ હત્યાની કોશિશ કરી ચૂક્યો હતો આરોપી વિનોદ ભાણુશાલી.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    4 hrs ago
  • જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ માં લાવવામાં આવી અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા રહે છે. અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ. તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા દરમિયાન પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ
    10
    જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો.
જાફરાબાદ ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન  ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ માં લાવવામાં આવી  અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા.
કથાના વક્તા શ્રી શાસ્ત્રી  નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે
તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ)  દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા રહે છે.  અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું  પણ આયોજન કરવામાં આવે છે
દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો નું આયોજન કરેલ છે.
કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ.
તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા  સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા દરમિયાન  પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું.
આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ  લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ.
રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Jafrabad, Amreli•
    11 hrs ago
  • Post by Sultan Shaikh
    1
    Post by Sultan Shaikh
    user_Sultan Shaikh
    Sultan Shaikh
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    9 hrs ago
  • Post by Gadhadara Ankit
    1
    Post by Gadhadara Ankit
    user_Gadhadara Ankit
    Gadhadara Ankit
    Farmer વિંછિયા, રાજકોટ, ગુજરાત•
    11 hrs ago
  • જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામે એક ખેતરમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આવી એક વ્યક્તિ ગંભીર રીતે સળગી જતાં તેનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આગ ઝડપથી ફેલાતા તેની જ્વાળા આજુબાજુ આવેલા કેટલાક મકાનો સુધી પણ પહોંચતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બનતા જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા અને તપાસ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    5
    જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામે એક ખેતરમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આવી એક વ્યક્તિ ગંભીર રીતે સળગી જતાં તેનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.
આગ ઝડપથી ફેલાતા તેની જ્વાળા આજુબાજુ આવેલા કેટલાક મકાનો સુધી પણ પહોંચતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બનતા જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા અને તપાસ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે
સંવાદદાતા :  જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    22 hrs ago
  • જમાલપુર: શહેરીના સમયે ગાળો બોલવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલો! જમાલપુર બ્રિજ નીચે બે થી 4 ઇસમોએ યુવકને ઢોર માર માર્યો અને રોકડ રકમ છીનવી લઈ ફરાર થઈ ગયા. બે દિવસ અગાઉ આપેલી ટકોરની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે
    1
    જમાલપુર: શહેરીના સમયે ગાળો બોલવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલો! જમાલપુર બ્રિજ નીચે બે થી 4 ઇસમોએ યુવકને ઢોર માર માર્યો અને રોકડ રકમ છીનવી લઈ ફરાર થઈ ગયા. બે દિવસ અગાઉ આપેલી ટકોરની અદાવત રાખી આ
હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    5 hrs ago
  • જાફરાબાદના બાલાનીવાવ ગામના સ્વ.ધીરુભાઈ બદરૂભાઈ વરુના સુપુત્ર વરરાજા રવિરાજભાઈ વરૂ અશ્વ અને ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા ગામે પહોંચ્યાં...... બાબરીવાડના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામમાં વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે. અહીં આ ગામનાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા લગ્ન પ્રસંગે પરંપરા જાળવી રાખી હતી. બાલાનીવાવ ગામ થી ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામ સુધી વરરાજા રવિરાજભાઈ વરૂ પોતાના મલંગ નામના અશ્વ ઉપર સવારી કરી અને ભવ્ય ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની અશ્વ સંસ્કૃતિની ભવ્ય દર્શન થયું હતું. વરરાજા રવિરાજભાઈ વરૂ રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર થઈ ગાડીઓના કાફલા સાથે પરંપરા અને વારસાની જીવન ઝલક જોવા મળી હતી. બાબરીયા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું. અને આ અશ્વ પ્રદશન નિહાળવા માટે લોકો જોવાં ઊમટી પડ્યા હતાં.
    1
    જાફરાબાદના બાલાનીવાવ ગામના સ્વ.ધીરુભાઈ બદરૂભાઈ વરુના સુપુત્ર વરરાજા રવિરાજભાઈ વરૂ અશ્વ અને ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા ગામે પહોંચ્યાં......
બાબરીવાડના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામમાં વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે. અહીં આ ગામનાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા લગ્ન પ્રસંગે પરંપરા જાળવી રાખી હતી. બાલાનીવાવ ગામ થી ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામ સુધી વરરાજા રવિરાજભાઈ વરૂ પોતાના મલંગ નામના અશ્વ ઉપર સવારી કરી અને ભવ્ય ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની અશ્વ સંસ્કૃતિની ભવ્ય દર્શન થયું હતું. વરરાજા રવિરાજભાઈ વરૂ રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર થઈ ગાડીઓના કાફલા સાથે પરંપરા અને વારસાની જીવન ઝલક જોવા મળી હતી. બાબરીયા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું. અને આ અશ્વ પ્રદશન નિહાળવા માટે લોકો જોવાં ઊમટી પડ્યા હતાં.
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.