Shuru
Apke Nagar Ki App…
ખેરોજથી લાંબડીયા બની રહે નવીન ડામર રોડ પર ઉડી રહેલ ધૂળની ડમરીઓના લીધે વાહનચાલકો પરેશાન ખેડબ્રહ્મા આર એન બી સ્ટેટ દ્વારા હાલમાં ખેરોજથી લાંબડીયા તરફ બનાવવામાં આવી રહેલ નવીન ડામર રોડ તેમજ આ રોડ પર કટીંગ કરીને નાખવામાં આવેલ મેટલ બાદ જવાબદાર એજન્સી દ્વારા અહીંયા પાણીનો કોઇ જ છંટકાવ કરવામાં ન આવતા રોડ પર વાહનોની અવરજવરને લઈ ઉડી રહેલ ડષ્ટ ના લીધે અહીંયા થી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આ રોડ પર ઉડી રહેલ ધૂળના લીધે સામેથી આવતા વાહનો ન દેખાતા અકસ્માતની સંભાવના ઊઠવા પામી છે
Press reporter
ખેરોજથી લાંબડીયા બની રહે નવીન ડામર રોડ પર ઉડી રહેલ ધૂળની ડમરીઓના લીધે વાહનચાલકો પરેશાન ખેડબ્રહ્મા આર એન બી સ્ટેટ દ્વારા હાલમાં ખેરોજથી લાંબડીયા તરફ બનાવવામાં આવી રહેલ નવીન ડામર રોડ તેમજ આ રોડ પર કટીંગ કરીને નાખવામાં આવેલ મેટલ બાદ જવાબદાર એજન્સી દ્વારા અહીંયા પાણીનો કોઇ જ છંટકાવ કરવામાં ન આવતા રોડ પર વાહનોની અવરજવરને લઈ ઉડી રહેલ ડષ્ટ ના લીધે અહીંયા થી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આ રોડ પર ઉડી રહેલ ધૂળના લીધે સામેથી આવતા વાહનો ન દેખાતા અકસ્માતની સંભાવના ઊઠવા પામી છે
More news from Gujarat and nearby areas
- ખેડબ્રહ્મા આર એન બી સ્ટેટ દ્વારા હાલમાં ખેરોજથી લાંબડીયા તરફ બનાવવામાં આવી રહેલ નવીન ડામર રોડ તેમજ આ રોડ પર કટીંગ કરીને નાખવામાં આવેલ મેટલ બાદ જવાબદાર એજન્સી દ્વારા અહીંયા પાણીનો કોઇ જ છંટકાવ કરવામાં ન આવતા રોડ પર વાહનોની અવરજવરને લઈ ઉડી રહેલ ડષ્ટ ના લીધે અહીંયા થી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આ રોડ પર ઉડી રહેલ ધૂળના લીધે સામેથી આવતા વાહનો ન દેખાતા અકસ્માતની સંભાવના ઊઠવા પામી છે1
- સાબરકાંઠા જિલ્લામાં આવેલા તલોદ તાલુકાના નવલપુર ગામે વિકાસ અને સુશાસનની દિશામાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવલપુર ગામના વિવિધ વિકાસકાર્યો અને વ્યવસ્થાપનના મોડલની પ્રશંસા કરી હતી. ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને ગામના સર્વાંગી વિકાસને તેમણે નોંધપાત્ર ગણાવ્યો હતો. નવલપુર ગામમાં ગ્રામ પંચાયતનું વહીવટ મુખ્યત્વે મહિલાઓ સંભાળી રહી છે, જેના કારણે ગામમાં મહિલા સશક્તિકરણનું સકારાત્મક ઉદાહરણ ઉભું થયું છે. ગામની પંચાયત દ્વારા પારદર્શક અને જવાબદાર વહીવટ થતો હોવાથી વિકાસકાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાના પ્રયાસો અંતર્ગત સમગ્ર નવલપુર ગામ સોલર ઊર્જાથી સુસજ્જ બન્યું છે. ઉપરાંત “નલ સે જલ” યોજના હેઠળ ગામમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દરેક મકાન સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે તે માટે દરેક ઘરમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. પાણીના વપરાશ મુજબ જ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવતા પાણીનો બગાડ ઓછો થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાણીના મીટરના ઉપયોગથી લીકેજ અને બિનજરૂરી વપરાશ પર પણ નિયંત્રણ રહેશે. આ ઉપરાંત ગામમાં સીસી રોડ, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમજ અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. નવલપુર ગ્રામ પંચાયતે “જળ એ જ જીવન”ના સૂત્રને સાચા અર્થમાં સાકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ પાણીના બગાડ અને લીકેજ જેવા મુદ્દાઓને લઈને સ્થાનિક લોકોને પણ સાવચેત રહેવા અને પાણી બચાવવા માટે મુખ્યમંત્રીએ ટકોર કરી હતી. નવલપુર ગામનો આ વિકાસ મોડલ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે તેવું માનવામાં આવી રહ્યું છે.2
- ખેડબ્રહ્માની હરણાવ નદીમાંથી મળી લાશ, મૃતકની તપાસ ધરાઈ હાથ1
- સાબરકાંઠા ઈડરના ગઢ નજીક ડુંગર પાસે આગ લાગી કાળઝાળ ગરમી વચ્ચે ગઢ વિસ્તારમાં આગ પ્રસરી આગ પ્રસરતા સ્થાનિક લોકોએ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યાં સ્થાનિક ફાયર ટીમને જાણ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો વિસ્તારમાં આગને લઈ ભારે ધુમાડો ફેલાયો1
- પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોણા બે વર્ષ અગાઉ મજૂરીના પૈસાની વસૂલાતને લઈને થયેલી તકરારમાં ઉશ્કેરાઈને બે શખ્સોએ આધેડ મહિલાના માથામાં લાકડાનો મરણતોલ ફટકો મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે. સાથે જ પ્રત્યેક આરોપીને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ લગાવ્યો છે. ઘટનાની વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના મારગળા ગામના વતની સુભાષ રાકેશભાઈ ભાભોરે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની માતા લલિબેન, પત્ની અરૂણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળીને કુલ ૧૪ મજૂરો સાથે વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની કાપણી માટે આવ્યા હતા. બધા જ મજૂરો ખેતરના કૂવા પાસે રહેતા હતા. તા. ૧-૪-૨૦૨૪ના રોજ રાત્રે મજૂરી માટે આવેલા રાજુ બાબુભાઈ બારીયા (રહે. સાગડાપાડા, તા. ફતેપુરા, દાહોદ) અને કમલેશ કાંતીભાઈ ગરાસિયા (મૂળ વતની ગણેશપુર, બાસવાડા, રાજસ્થાન)એ સુભાષભાઈ પાસે મજૂરીના પૈસા માગ્યા હતા. સુભાષભાઈએ પૈસા આપવાની વાત ટાળતાં તકરાર વધી ગઈ હતી. ત્યારે લલિબેન (૪૫) ગાળો બોલવાની ના પાડતાં કમલેશ ગરાસિયા ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલું લાકડું ઉઠાવીને તેમના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. જેનાથી લલિબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લાડોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ૧૮ સાક્ષીઓની જુબાની અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ ભોગ બનેલી મહિલાના વારસદારોને દંડની રકમમાંથી રૂપિયા બે લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.1
- ખેરોજ થી લાંબડીયા બની રહેલ નવીન ડામર રોડ પર ઉડી રહેલ ધૂળની ડમરીઓના લીધે વાહન ચાલકો પરેશાન ખેડબ્રહ્મા આર એન્ડ બી સ્ટેટ દ્વારા હાલમાં ખેરોજથી લાબડીયા તરફ બનાવવામાં આવી રહેલ નવીનડામર રોડ તેમજ આ રોડ ઉપર કટીંગ કરીને નાખવામાં આવેલ મેટલ બાદ જવાબદાર એજન્સી દ્વારા અહીંયા પાણીનો કોઈ જ છંટકાવ કરવામાં ન આવતા રોડ પર વાહનોની અવરજવરને લઈ ઉડી રહેલ દષ્ટના રીતે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 12/3/26, ગુરૂવાર1
- જિલ્લા સમેત પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બપોર પછી ગરમીના લીધે બજારોમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ત્યારે પોશીના તાલુકામાં આવેલ અને કુદરતી વાતાવરણની વચ્ચે મનને શાંતિ આપતું તાલુકાનું લાખીયા તળાવ આંખોને ઠંડક આપી રહ્યું છે તાલુકામાં આવેલ અમુક તળાવોમાં ચોમાસામાં સારા વરસાદને લઈ પાણીનો સંગ્રહ થયો હોય જો કાળજાળ ગરમીમાં સિંચાઈ વિભાગના આ તળાવોમાં રહેલું પાણી માનવીની સાથે પશુ પંખીને પણ ગરમી માંથી રાહત આપી રહ્યા છે.1