logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકા આંદોલનમાં આંગણવાડી બહેનની આપવીતી, પોતાના છોકરાઓ કરતા આંગણવાડી છોકરાઓનું સિંચન.

12 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
12 hrs ago

ધંધુકા આંદોલનમાં આંગણવાડી બહેનની આપવીતી, પોતાના છોકરાઓ કરતા આંગણવાડી છોકરાઓનું સિંચન.

More news from ગુજરાત and nearby areas
  • Post by Sanjay Zala Official
    1
    Post by Sanjay Zala Official
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    17 hrs ago
  • આ પ્રસંગે ગુરુકુળના માધવ સ્વામી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, મહામંત્રી વનરાજસિંહ ડાભી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના
    1
    આ પ્રસંગે ગુરુકુળના માધવ સ્વામી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, મહામંત્રી વનરાજસિંહ ડાભી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • વડાપ્રધાનના નેતૃત્વમાં ‘મિલેટ્સ’ બન્યું વૈશ્વિક જન આંદોલન; આપણા પૂર્વજોના આહાર એવા ‘શ્રી અન્ન’ને ફરી અપનાવીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા સુરેન્દ્રનગર વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજથી વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યા હતા. આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે વિશ્વભરમાં ઉજવીને 'શ્રી અન્ન'નું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યો મુખ્ય હતા, જે આજે ફરીથી મેદસ્વિતા અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે લડવા માટે અનિવાર્ય બન્યા છે. આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ મિલેટ્સ પકવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહાઅભિયાન છે. ખેડૂતોને રાસાયણિક ખાતરના જોખમો સામે સાવચેત કરી અપીલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીન તો બગડી જ છે, પરંતુ તેનાથી થતા રોગો સમાજ માટે ખતરો બન્યા છે. વેચાણ માટે નહીં, તો પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અંજીર, દાડમ અને હળદર જેવા પાકોમાં થઈ રહેલા પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી એ જ સુખી અને નિરોગી સમાજનો પાયો છે. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી કમોસમી વરસાદ સામે રૂ. ૧૧,૦૦૦ કરોડનું રાહત પેકેજ સીધું ખેડૂતોના ખાતામાં જમા કર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આજે મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. ૪૮ કરોડના ખર્ચે સાકાર થનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરની કાયાપલટ થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં, આ બે દિવસીય મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપી જિલ્લાના તમામ નાગરિકોને સહપરિવાર આ મહોત્સવની મુલાકાત લેવા, પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલ પરથી શુદ્ધ આહારની ખરીદી કરવા અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ ઝાલાવાડ પંથકના પરંપરાગત બાજરાના ઉત્પાદનને પુનઃજીવિત કરવા માટે છે. મિલેટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે અને જમીનને કુદરતી મિનરલ્સ પૂરા પાડે છે. મિલેટ્સના વાવેતરથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે અને જમીનની ગુણવત્તા જળવાય છે, જે માટે સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ અને બજાર મળે તેવા પ્રયાસો કરી રહી છે. તેમણે હવામહેલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આકર્ષણોનો લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'શ્રી અન્ન' એટલે કે મિલેટ પાકો એક ઉત્તમ ઔષધિ સમાન છે. તેમણે ખેડૂતોને કપાસ જેવા રોકડિયા પાકોના સ્થાને ઓછામાં ઓછા એકથી બે વીઘામાં મિલેટ પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક શાકભાજી અને આધુનિક મિલેટની વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વિશેષ સ્ટોલ્સ, રસાયણમુક્ત તાજા શાકભાજી, ફળો અને મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓનો આનંદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાળકો માટે 'ચિલ્ડ્રન પ્લે એરિયા' અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દૈવૈયા,સહિત અગ્રણીઓ, હોદ્દેદારશ્રીઓ, સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    વડાપ્રધાનના નેતૃત્વમાં ‘મિલેટ્સ’ બન્યું વૈશ્વિક જન આંદોલન; આપણા પૂર્વજોના આહાર એવા ‘શ્રી અન્ન’ને ફરી અપનાવીએ
મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા સુરેન્દ્રનગર વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજથી વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યા હતા.
આ તકે નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે વિશ્વભરમાં ઉજવીને 'શ્રી અન્ન'નું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યો મુખ્ય હતા, જે આજે ફરીથી મેદસ્વિતા અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે લડવા માટે અનિવાર્ય બન્યા છે. આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ મિલેટ્સ પકવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહાઅભિયાન છે.
ખેડૂતોને રાસાયણિક ખાતરના જોખમો સામે સાવચેત કરી અપીલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીન તો બગડી જ છે, પરંતુ તેનાથી થતા રોગો સમાજ માટે ખતરો બન્યા છે. વેચાણ માટે નહીં, તો પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અંજીર, દાડમ અને હળદર જેવા પાકોમાં થઈ રહેલા પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી એ જ સુખી અને નિરોગી સમાજનો પાયો છે.
રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી કમોસમી વરસાદ સામે રૂ. ૧૧,૦૦૦ કરોડનું રાહત પેકેજ સીધું ખેડૂતોના ખાતામાં જમા કર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આજે મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. ૪૮ કરોડના ખર્ચે સાકાર થનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરની કાયાપલટ થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
વધુમાં, આ બે દિવસીય મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપી જિલ્લાના તમામ નાગરિકોને સહપરિવાર આ મહોત્સવની મુલાકાત લેવા, પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલ પરથી શુદ્ધ આહારની ખરીદી કરવા અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર  નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ ઝાલાવાડ પંથકના પરંપરાગત બાજરાના ઉત્પાદનને પુનઃજીવિત કરવા માટે છે. મિલેટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે અને જમીનને કુદરતી મિનરલ્સ પૂરા પાડે છે. મિલેટ્સના વાવેતરથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે અને જમીનની ગુણવત્તા જળવાય છે, જે માટે સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ અને બજાર મળે તેવા પ્રયાસો કરી રહી છે. તેમણે હવામહેલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આકર્ષણોનો લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર  ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'શ્રી અન્ન' એટલે કે મિલેટ પાકો એક ઉત્તમ ઔષધિ સમાન છે. તેમણે ખેડૂતોને કપાસ જેવા રોકડિયા પાકોના સ્થાને ઓછામાં ઓછા એકથી બે વીઘામાં મિલેટ પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક શાકભાજી અને આધુનિક મિલેટની વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વિશેષ સ્ટોલ્સ, રસાયણમુક્ત તાજા શાકભાજી, ફળો અને મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓનો આનંદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાળકો માટે 'ચિલ્ડ્રન પ્લે એરિયા' અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે.
કાર્યક્રમમાં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દૈવૈયા,સહિત અગ્રણીઓ, હોદ્દેદારશ્રીઓ, સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 hrs ago
  • રાજકોટમાં બંટી-બબલી બાઇક ચોરી: ‘પહેલા આરામ, પછી ચોરી’ નો નવો પેંતરો, CCTV આવ્યા સામે રાજકોટના ન્યૂ જાગનાથ વિસ્તારમાં ‘બંટી-બબલી’ જોડીની નવી તરકીબ CCTV કેમેરામાં કેદ થઈ છે. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ ચોર જોડી પહેલા આરામથી બેસીને વોચ રાખે છે અને જેવી મોકો મળે છે કે તરત જ બાઈકની ચોરી કરીને રફુચક્કર થઈ જાય છે. ‘પહેલા આરામ પછી ચોરી’ ના આ નવા મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. રાજકોટમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને જનતામાં પણ ચિંતાનો માહોલ છે.
    1
    રાજકોટમાં બંટી-બબલી બાઇક ચોરી: ‘પહેલા આરામ, પછી ચોરી’ નો નવો પેંતરો, CCTV આવ્યા સામે
રાજકોટના ન્યૂ જાગનાથ વિસ્તારમાં ‘બંટી-બબલી’ જોડીની નવી તરકીબ CCTV કેમેરામાં કેદ થઈ છે. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ ચોર જોડી પહેલા આરામથી બેસીને વોચ રાખે છે અને જેવી મોકો મળે છે કે તરત જ બાઈકની ચોરી કરીને રફુચક્કર થઈ જાય છે. ‘પહેલા આરામ પછી ચોરી’ ના આ નવા મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. રાજકોટમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને જનતામાં પણ ચિંતાનો માહોલ છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Bhavnagar, Gujarat•
    17 hrs ago
  • ચોટીલા-જસદણ રોડ પર કુંઢડા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં ઇનોવા કાર રેલિંગ સાથે અથડાતાં કારમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત બન્યો હતો. અથડામણ બાદ શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણના કારણે આગ ભભૂકી ઉઠી હતી.સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    ચોટીલા-જસદણ રોડ પર કુંઢડા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં ઇનોવા કાર રેલિંગ સાથે અથડાતાં કારમાં અચાનક આગ લાગી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત બન્યો હતો. અથડામણ બાદ શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણના કારણે આગ ભભૂકી ઉઠી હતી.સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • *પ્રોહિબિશનના કેસ આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.* ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ, ધંધુકા વિભાગના માર્ગદર્શન હેઠળ, બી.સી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, ધંધુકા પોલીસ સ્ટેશનના નેતૃત્વમાં આ કામગીરી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે હડાળા ગામે, આણંદપુર જવાના રોડ પર આવેલી બાપા સીતારામની મઢી પાસે, આરોપી મેહુલભાઈ રાણાભાઈ જોગરાણા (ભરવાડ) અને વિપુલભાઈ નરસિંહભાઈ ધરજીયા (ત.કો.) પોતાની ફોરવ્હીલ ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખતા ઝડપાયા. પોલીસે 750 ML ની કુલ 180 બોટલો, જેની કિંમત રૂ. 2,52,000/- હતી, જપ્ત કરી. આ ઉપરાંત, ફોરવ્હીલ ગાડી (કિંમત રૂ. 8,00,000/-) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000/-) પણ જપ્ત કરવામાં આવ્યો, આમ કુલ રૂ. 10,67,000/- નો મુદ્દામાલ જપ્ત થયો. આરોપી નં. 1 વિપુલભાઈ નરસિંહભાઈ ધરજીયા (ઉંમર 27, રહે. લીંબડી, મીલરોડ, તબેલામાં, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) સ્થળ પરથી પકડાયા, જ્યારે આરોપી નં. 2 મેહુલભાઈ રાણાભાઈ જોગરાણા (ભરવાડ) (રહે. લીંબડી, કબીર આશ્રમ પાસે, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) સ્થળ પરથી નાસી છૂટ્યા.
    1
    *પ્રોહિબિશનના કેસ આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.*
ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ, ધંધુકા વિભાગના માર્ગદર્શન હેઠળ, બી.સી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, ધંધુકા પોલીસ સ્ટેશનના નેતૃત્વમાં આ કામગીરી
ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે હડાળા ગામે, આણંદપુર જવાના રોડ પર આવેલી બાપા સીતારામની મઢી પાસે, આરોપી મેહુલભાઈ રાણાભાઈ જોગરાણા (ભરવાડ) અને વિપુલભાઈ નરસિંહભાઈ ધરજીયા (ત.કો.) પોતાની ફોરવ્હીલ ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખતા ઝડપાયા.
પોલીસે 750 ML ની કુલ 180 બોટલો, જેની કિંમત રૂ. 2,52,000/- હતી, જપ્ત કરી. આ ઉપરાંત, ફોરવ્હીલ ગાડી (કિંમત રૂ. 8,00,000/-) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000/-) પણ જપ્ત કરવામાં આવ્યો, આમ કુલ રૂ. 10,67,000/- નો મુદ્દામાલ જપ્ત થયો.
આરોપી નં. 1 વિપુલભાઈ નરસિંહભાઈ ધરજીયા (ઉંમર 27, રહે. લીંબડી, મીલરોડ, તબેલામાં, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) સ્થળ પરથી પકડાયા, જ્યારે આરોપી નં. 2 મેહુલભાઈ રાણાભાઈ જોગરાણા (ભરવાડ) (રહે. લીંબડી, કબીર આશ્રમ પાસે, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) સ્થળ પરથી નાસી છૂટ્યા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.