Shuru
Apke Nagar Ki App…
ભેમા ચલાદર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા... ભાભર તાલુકા માં કોંગ્રેસ ને ફટકો...
Pravin Thakor
ભેમા ચલાદર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા... ભાભર તાલુકા માં કોંગ્રેસ ને ફટકો...
More news from ગુજરાત and nearby areas
- વિજાપુર પ્રાથમિક શાળા નં. ૨માં ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો ભવ્ય દીક્ષાંત સન્માન સમારોહ પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે ધોરણ-૮ના વિદ્યાર્થીઓ માટે ‘વિદાય નહીં, નવી શરૂઆત’ થીમ આધારિત દીક્ષાંત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાના આંગણને ભાવુક અને ઉત્સાહી વાતાવરણે ઘેરી લીધું હતું. સમારોહમાં ધોરણ-૮ના તમામ વિદ્યાર્થીઓને તેમની શાળા જીવનની સફળ સમાપ્તિ અને આગામી અભ્યાસક્રમ માટે સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ શાળા જીવનની મીઠી યાદોને તાજી કરી અને શિક્ષકોના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ શાળાએ તેમને માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ જીવન જીવવાના સંસ્કાર અને મૂલ્યો પણ આપ્યા છે. શાળા ના આચાર્ય મહેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું, “આજે વિદાયનો દિવસ છે, પણ આ તો માત્ર નવી સફરની શરૂઆત છે. શાળા જીવનની મીઠી યાદો હંમેશા તમારા દિલમાં જીવંત રહેશે. તમારા ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.” આ પ્રસંગે અમિતાબેન બિપીનકુમાર પટેલ (શિક્ષિકાબેનશ્રી, પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નં. ૨) તરફથી તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેનુમાં શ્રીખંડ, સેવ, પુરી અને મિક્સ શાકનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું. શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પ્રસંગને યાદગાર બનાવ્યો. વિદ્યાર્થીઓ હવે ઉચ્ચ અભ્યાસ માટે નવી મંજિલ તરફ આગળ વધશે તેવી આશા સાથે સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, શિક્ષિકાઓ સહિત શાળાનો સ્ટાફ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને સમારોહને વધુ ભવ્ય બનાવ્યો હતો.1
- સેબલિયા ચોકડી પાસે બસ-બાઇક અકસ્માતઘાયલોને સારવાર અર્થે ખસેડાયા, ખેરોજ પોલીસ ઘટનાસ્થળે સાબરકાંઠા જિલ્લાના સેબલિયા ચોકડી નજીક બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે મટોડા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત સરકારી બસ નંબર GJ07TU6060 અને બાઇક નંબર GJ09 Q4556 વચ્ચે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મટોડા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે ફરજ પરના ડોક્ટરોએ ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હતી. વધુ સારવાર માટે તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.3
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે પંચાયત સિંચાઈ પેટા વિભાગ ખેડબ્રહ્મા દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્રોડક્શન દિવાલનું કામ પૂર્ણ થતા લોકોમાં ખુશી જોવા મળેલ લાંબડીયા વાંધા પર આવેલ મકાનોનું ધોવાણ ન થાય અને આનો લાભ અહીંયા રહેતા લોકોને મળે તેમ જ વાઘામાં આવતા વરસાદી પાણીથી નુકસાન ન થાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્રોડક્શન દિવાલનું કામ એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવતા લોકો દ્વારા સિંચાઈ વિભાગ નો આભાર વ્યક્ત કરેલ1
- મોડાસાના દાવલી પાસેથી 70.22 લાખનો દારૂ ભરેલી મિનીટ્રક ઝડપાઈ સિલાઈ મશીનોની આડમાં દારૂનો જથ્થો છૂપાવ્યો હતો1
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઇડરના મૂડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નિર્મિત વૈદિક ગુરુકુલના નૂતન સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે આગમન થતા જ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ ગુંજતા શ્લોકો અને મંત્રોચ્ચાર સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગણાતી આ પાઠશાળામાં ધોરણ ૧ થી લઈને કોલેજ સુધીના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં દેશભરના યુવાઓ સંસ્કૃત શ્લોક અને વેદ-પુરાણોનું જ્ઞાન મેળવી રહ્યા છે. હજારો વિદ્યાર્થીઓના ભાવિને આકાર આપી રહેલા આ ગુરુકુલના લોકાર્પણ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને પક્ષના વિવિધ હોદ્દેદારો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંકુલ આગામી સમયમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના પ્રસાર માટે એક મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર બની રહેશે.1
- માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026 મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત પવન ગુરુ ગીતા કથા મૃતમ. કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા ) વાર: ગુરુવાર થી રવિવાર તારીખ : કથા પારણ : 2.4.2026 કથા પૂર્ણાહૂતિ : 5.4.2026 કથા સમય : 8:30 થી 11:00 દરરોજ.. કથા સ્થળ : ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ . જાન્વી ફામૅ.1
- Post by India24News1
- સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ શનિવારે અચાનક મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા લાંબડીયા અને ખેરોજ સહિતના પંથકમાં ભર ઉનાળે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકતરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિએ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.1
- હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદી જાપટાની આગાહી બાદ પોશીના તાલુકામાં શુક્રવારના રોજ હવામાનમાં આવેલ પલટાબાદ લાંબડીયા સમેતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના પાંચ વાગ્યા બાદ વરસાદી ઝાપટા પડતા વરસાદી માહોલ જોવા મળેલ1