Shuru
Apke Nagar Ki App…
રાજકોટના ફન બ્લાસ્ટ ગેમ ઝોન મા આગ નો બનાવ : કોઈ જાનહાની નહીં
નિકુંજ અનડકટ
રાજકોટના ફન બ્લાસ્ટ ગેમ ઝોન મા આગ નો બનાવ : કોઈ જાનહાની નહીં
More news from ગુજરાત and nearby areas
- Post by નિકુંજ અનડકટ1
- આલણસાગર તળાવમાં નહાવા પડેલા 4 બાળકના ડૂબી જતાં મોત માતા-પિતાને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, ચાર કુળદીપકનાં મોતથી વીછિયા રોડ વિસ્તારમાં માતમ જસદણથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામનું આલણસાગર તળાવ આજે ચાર ગરીબ પરિવારો માટે કાળમુખું સાબિત થયું હતું. રવિવારની રજા હોવાથી બેન જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર કિશોરો ઘરના સભ્યોને જાણ કર્યા વગર તળાવમાં ન્હાવા માટે પડયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડ્યા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી હતી. આ કરુણ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 14 વર્ષીય રામુ ભાયાભાઈ રાઠોડ, 10 વર્ષીય કાળુ ભરતભાઈ રાઠોડ, 15 વર્ષીય રાજવીર સામતભાઈ રાઠોડ અને 15 વર્ષીય કિશન મનસુખભાઈ રાઠોડના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક સમાચાર મળતા જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. એકસાથે ચાર આશાસ્પદ બાળકના મોતથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ્યારે આ માસૂમોના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે વાલીઓના હૈયાફાટ રુદનથી હોસ્પિટલની દીવાલો પણ ધ્રૂજી ઉઠી હતી. જે બાળકો સવારે હસતા-રમતા ઘરેથી નીકળ્યા હતા. તેમના મૃતદેહ જોઈને પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જસદણ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ક્યારેય ન ભુલાય તેવો શોકનો માહોલ સર્જી દીધો હતો.4
- હડાળામા કન્યાદાન પૂર્વ મતદાન નવવધૂ નિધિબેન ભાલોડિયાએ માંડવે થી મતદાન મથકે પહોંચી લોકશાહી પર્વની ફરજ નિભાવી1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ની નગરપાલિકા કચેરી ખાતે આવેલી લીફટ માં લોકો ફસાયા ધોરાજી વાલ્મીકિ સમાજના લોકો નગરપાલિકા કચેરી ખાતે પોતાની રજૂઆત માટે ગયા હતા ત્યારે ઘણા લોકો નગરપાલિકા કચેરી ખાતે આવેલી લીફટ માં નીચે થી ઉપર જવા માટે લીફટ માં ગયા અને અચાનક લીફટ કોઈ કારણોસર લીફટ બંધ થતાં ઘણાં લોકો આ લીફટ માં ફસાયા વીસ મીનીટ જેટલો સમય લોકો લીફટ માં ફસાયા ત્યાર બાદ અંતે લીફટ તોડી નેં લોકો બહાર કાઢવામાં આવેલ જેમાં વાલ્મિકી સમાજ નાં આગેવાન આશીષ ભાઈ જેઠવા અને અન્ય મહિલા ઓ ની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અફરાતફરી નો માહોલ સર્જાયો અને કોંગ્રેસ પુર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા અને ચીફ ઓફિસર હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા1
- મોટી ઉંમરના વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મતદાતાઓએ વ્હીલચેરની મદદથી મતદાન મથકે પહોંચ્યા બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અન્વયે જિલ્લામાં આજે મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લોકશાહીના પર્વમાં બોટાદના બરવાળા અને પાળીયાદ કન્યા શાળા ખાતે સિનિયર સિટીઝન મતદારોએ હોંશે હોંશે મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકોએ સક્રિય ભાગીદારી નોંધાવી છે શારીરિક અશક્ત હોવા છતાં, અનેક વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો પોતાના પરિવારજનોના સહારે અને વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી વ્હીલચેરની સહાયથી મતદાન મથક સુધી પહોંચ્યા હતા. આ મતદાતાઓનો ઉત્સાહ આજની યુવા પેઢીને તથા અન્યોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડે છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ, વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો પર ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. રેમ્પની સુવિધા, વ્હીલચેરની ઉપલબ્ધતા અને મતદાન મથકના સ્વયંસેવકો દ્વારા તેમને આપવામાં આવતી પ્રાથમિકતાને કારણે આ વડીલો કોઈપણ મુશ્કેલી વગર શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- મૃતકોમાં કાંગસિયા પરિવારના રાજવીર સામતભાઈ રાઠોડ (ઉ.વ. 16), કિશન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 17), કાળુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 11) તેમજ ગાડલીયા ગામના રામાભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉ.વ. 13) નો સમાવેશ થાય છે. માહિતી મુજબ, આજે બપોરે આશરે 4 વાગ્યાના સમયે ચારેય બાળકો જસદણથી અંદાજે 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર ડેમમાં નાવા ગયા હતા. નાવા દરમિયાન ચારે બાળકો ડૂબી ગયા હતા. બાળકોના પિતા સામતભાઈ સોમજીભાઈ રાઠોડ શોધખોળ માટે સ્થળે પહોંચતા સાયકલ, કપડા અને ચંપલ જોવા મળતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. જસદણ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. ટૂંક સમયમાં ચારેય બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને પ્રત્યેકને રૂ. 25,000 ની સહાય જાહેર કરી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- Post by Alkesh bhai damor1
- જસદણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઇ પોલીસ નો કડક બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ડીવાયએસપીએ નવીન ચક્રવતી એ આટકોટ બુથ ની મુલાકાત કરી આટકોટ કુમાર તાલુકા શાળામાં ડીવાયએસપીએ મુલાકાત કરી હતી પોલીસના કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આટકોટ ના પી.આઈ સહિત બુથ પર પહોંચ્યા હતા4