દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 51 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરોલ ખાતે રાષ્ટ્રીય ક્ષયરોગ નિરમુલન કાર્યક્રમ ક્ષયરોગ ગ્રસ્ત દર્દીઓના પોષણ સ્તર સુધારવા અર્થે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરીયાની ઉપસ્થિતિ માં પોષણ કીટ આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસરશ્રી તથા આરોગ્ય ટીમના સંકલિત પ્રયાસોથી કુલ 51 ટીબી દર્દીઓને “નિક્ષય પોષણ કીટ” આપવામાં આવી હતી.ક્ષયરોગ એક ચેપજન્ય રોગ હોવાને કારણે દર્દીઓમાં લાંબા ગાળાના સંક્રમણથી વજનમાં ઘટાડો, કુપોષણ, એનિમિયા અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. યોગ્ય સારવાર સાથે સમતોલ અને પ્રોટીન સમૃદ્ધ આહાર દર્દીની સ્વસ્થતા અને આરોગ્યમાં અસરકારકતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.આ હેતુસર દર્દીને ચણા, મગ, ખજૂર, ચોખા અને ગોળ જેવી પોષક તત્ત્વોથી ભરપૂર ખાદ્યવસ્તુઓનો સમાવેશ કરતી કીટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા આગામી છ માસ સુધી નિયમિત રીતે આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ પોષણ સહાયથી દર્દીઓમાં બોડી માસ ઇન્ડેક્સ (BMI) સુધારવા, હિમોગ્લોબિન સ્તર જાળવવા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા સહાય મળશે.“પોષણ સાથેની સારવાર – ક્ષયરોગ સામેની જીત” ના સંદેશ સાથે આરોગ્ય વિભાગ દ્વારા દર્દી કેન્દ્રિત અને સર્વાંગી આરોગ્ય સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 51 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરોલ ખાતે રાષ્ટ્રીય ક્ષયરોગ નિરમુલન કાર્યક્રમ ક્ષયરોગ ગ્રસ્ત દર્દીઓના પોષણ સ્તર સુધારવા અર્થે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરીયાની ઉપસ્થિતિ માં પોષણ કીટ આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસરશ્રી તથા આરોગ્ય ટીમના સંકલિત પ્રયાસોથી કુલ 51 ટીબી દર્દીઓને “નિક્ષય પોષણ કીટ” આપવામાં આવી હતી.ક્ષયરોગ એક ચેપજન્ય રોગ હોવાને કારણે દર્દીઓમાં લાંબા ગાળાના સંક્રમણથી વજનમાં ઘટાડો, કુપોષણ, એનિમિયા અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. યોગ્ય સારવાર સાથે સમતોલ અને પ્રોટીન સમૃદ્ધ આહાર દર્દીની સ્વસ્થતા અને આરોગ્યમાં અસરકારકતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.આ હેતુસર દર્દીને ચણા, મગ, ખજૂર, ચોખા અને ગોળ જેવી પોષક તત્ત્વોથી ભરપૂર ખાદ્યવસ્તુઓનો સમાવેશ કરતી કીટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા આગામી છ માસ સુધી નિયમિત રીતે આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ પોષણ સહાયથી દર્દીઓમાં બોડી માસ ઇન્ડેક્સ (BMI) સુધારવા, હિમોગ્લોબિન સ્તર જાળવવા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા સહાય મળશે.“પોષણ સાથેની સારવાર – ક્ષયરોગ સામેની જીત” ના સંદેશ સાથે આરોગ્ય વિભાગ દ્વારા દર્દી કેન્દ્રિત અને સર્વાંગી આરોગ્ય સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- પોશીના તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે પાણીમાં ઘટાડો જોવા મળતા આવનાર ગરમીના દિવસો તેમજ ઉનાળામાં નદીમાં પાણી ઓછું કે પછી સુકાઈ જવાના સંકેત જોવા મળી રહ્યા છે તાલુકાની સૌથી મોટી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે ઉનાળા પૂરતું ન હોય ત્યારે આવનાર સમયમાં નદીકાંઠાના વિસ્તારમાં પાણીની રામાયણ ઊભી થાય તો નવાઈ નહીં જેને લઇ પશુઓ સંમેત કૂવા બોરના તળ પણ નીચે આવે તેમ લાગી રહ્યું છે1
- गांव में विकास की समस्या1
- ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો, વાદળો ઘેરાયા, સૂરજદાદા સંતાકૂકડી રમતા હોય તેવો નજરો1
- મોડાસા તાલુકા ના ગાજણ ગામે છેલ્લા છ સાત વર્ષ અગાઉ પાકો રસ્તો બનવ્યો હતૉ. હાલ માં આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જે રોડ ઉપર વારંવાર માર્ગ અને મકાન ધ્વરા ખાડા પેવર કરવા માં આવે છે. ત્યારે ગ્રામ જનો ની લોક માંગ છે કે ગાજણ ગામનો રસ્તો ઝડપી બનાવવા માં આવે તેવી લોક માંગ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006502
- લાંબડીયા સાબરમતી નદીમાં પાણી ઓછુ થતાં ઉનાળામાં પાણી તંગીના સંકેત1
- "શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે" એકવાર આ બેશરમ ને જોવો.!1
- વડાલી શહેરમાં એક ખાનગી સુપર માર્ટના માલિક સામે યુવતી સાથે છેડતી અને અભદ્ર વર્તનના આરોપ મામલે પીડિતાના પરિવારે વડાલી પોલીસમાં લેખિત અરજી કરી છે. આ સમગ્ર મામલે હાઈવે રોડ પરના ખાનગી સુપર માર્ટ આગળ બોલાચાલી બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો હતા.ત્યારે વડાલી પોલીસે તાત્કાલિક ઘટના પહોંચી મામલો શાંત પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.આ મામલે વડાલી પી.આઈ. ડી.આર. પઢેરીયાએ જણાવ્યું હતું કે અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.1
- Bharuch: "મારે તને રાખવી નથી..." કહી પતિએ આપ્યા ટ્રિપલ તલાક! | ગુજરાત પ્રથમ ભરૂચના અંકલેશ્વરમાં ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ સુરતના ઈરફાન હુસેન સિકંદર શેખ પર ગુનો દાખલ લગ્ન કર્યા બાદ પતિ અને સાસરિયા ત્રાસ આપતા હોવાનો દાવો મારે તને રાખવી નથી કહી પતિએ ત્રણ વખત તલાક બોલી દીધુ અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ1
- Post by ARUN KUMAR VERMA1