Shuru
Apke Nagar Ki App…
વડોદરાના ‘મનમોહન યુવા મંડળ’માં આગામી ગણેશોત્સવની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. આ ગણેશોત્સવની તૈયારીઓની શરૂઆત સાથે જ આ મંડળ આ વર્ષે પોતાના 38માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે.
LAXMAN BANIYA
વડોદરાના ‘મનમોહન યુવા મંડળ’માં આગામી ગણેશોત્સવની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. આ ગણેશોત્સવની તૈયારીઓની શરૂઆત સાથે જ આ મંડળ આ વર્ષે પોતાના 38માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે.
More news from ગુજરાત and nearby areas
- વડોદરાના ‘મનમોહન યુવા મંડળ’માં આગામી ગણેશોત્સવની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. આ ગણેશોત્સવની તૈયારીઓની શરૂઆત સાથે જ આ મંડળ આ વર્ષે પોતાના 38માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે.1
- વડોદરામાં જય મા શક્તિ એન્ટરટેનમેન્ટ દ્વારા ગુજરાતી અર્બન મુવી 'એક ભુલ' ના શૂટિંગનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.2
- વડોદરામાં દીકરીઓને સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી બચવાની સલાહ આપવામાં આવી છે. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર જોવા મળતા ખોટા આકર્ષણથી દીકરીઓએ ખાસ બચવું જોઈએ.1
- વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૮ હેઠળ આવતા વૃંદાવન ચોકડીથી લઈને યુનિયન બેંક સુધીના મુખ્ય માર્ગ અને આસપાસની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરના ગંદા પાણી સતત રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગટર લાઇન ચોકઅપ થવાના કારણે પીવાનું પાણી પણ દૂષિત અને વાસ મારતું આવી રહ્યું છે. ગંદકી, અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના અતિશય ઉપદ્રવને કારણે બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે, જેથી સમગ્ર પંથકમાં રોગચાળો ફાટી નીકળવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર સમસ્યા વચ્ચે સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મત માંગવા માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને કાઉન્સિલરો હાથ જોડીને આવી જાય છે, પરંતુ જીત્યા પછી જનતા મુશ્કેલીમાં હોવા છતાં કોઈ ફરકતું પણ નથી. આ વિકટ પરિસ્થિતિ અંગે વડોદરા પાલિકા તંત્રમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.2
- આણંદ જિલ્લાના પેટલાદમાં આવેલી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી એક એક્ટિવા ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે.1
- વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા ભવાનીપુરા ગામે દીપડો દેખાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગામમાં દીપડો નજરે પડતાં જ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- આંકલાવ તાલુકાના નવાખલથી કિંખલોડ જવાના માર્ગ પર આવેલ 'ધ વીકેન્ડ રીટ્રીટ' ફાર્મ નજીક એક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બોલેરો પિકઅપ, ફોર વ્હીલર કાર અને પેસેન્જર ભરેલી રિક્ષા વચ્ચે થયો હતો. આગળ ચાલી રહેલી મુસાફરોથી ભરેલી રિક્ષાને ટક્કર વાગતા રિક્ષા રોડ નીચે ઉતરી ગઈ હતી, જેના કારણે રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું છે અને તેમાં સવાર એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ છે. અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટના અંગે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ૧૦૮ની મદદથી ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ સિવાય ૧૧૨ પર સંપર્ક કરવામાં આવતા આંકલાવ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.3