Shuru
Apke Nagar Ki App…
બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરે તંત્ર અને સત્તાધારી પક્ષને આપી ગર્ભિત ચીમકી...
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરે તંત્ર અને સત્તાધારી પક્ષને આપી ગર્ભિત ચીમકી...
More news from Banas Kantha and nearby areas
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Pravin Thakor1
- Post by Virma Suthar1
- વાવ થરાદ ના માંગરોળ ખાતે આવેલા શેણલ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે. વાવ થરાદ બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભાવિકો માતાજીના દર્શને આવી ધન્ય થાય છે. અનેક માઇ ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા મંદિરે આવે છે માતાજીના મંદિરે ભાવિકોની ભીડ અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તેમનો પ્રિય પ્રસાદ સુખડી ધરાવે છે. પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે. તે ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે. પરિવાર સાથે બાળપણથી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો જેટલા વર્ષોથી મંદિરે આવે છે એટલી જ એમની શ્રદ્ધા આસ્થા અતૂટ છે. વાવ થરાદ જિલ્લામાં રાજા રજવાડાઓના શાસન સમયના અનેક પૌરાણિક ચમત્કારિક મંદિરો આવેલા છે. જેમાંનું એક ચમત્કારી મંદિર વાવ થરાદ જિલ્લાના સરહદી પંથક ગણાતા થરાદથી 12 કિલોમીટર દૂર માંગરોળ ગામમાં આવેલુ શેણલ માતાજીનું મંદિર છે. વાવ થરાદ જિલ્લાના સરહદી પંથક માંગરોળ ખાતે 700 વર્ષ પૌરાણિક શેણલ માતાજીનુ મંદિર આવેલું છે. મંદિરે અનેક ભાવિકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર ચૌદશ અને પૂનમે મેળો ભરાય છે. મેળામાં વાવ થરાદ અને બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી માઇ ભક્તો મંદિરે દર્શન કરી પોતાની મનોકામના માતાજી સામે વ્યક્ત કરે છે. માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને તે પ્રસાદ ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે. લોકવાયકા પ્રમાણે આશરે 700 વર્ષ પહેલા કાઠિયાવાડના એક ગામમાં વેજા નામે ચારણ રહેતો હતો. તેને શેણબાઈ નામે એક પુત્રી હતી. શેણી અને વિજાનંદ બાળપણથી લગ્ન માટે વચને બંઘાયેલા હતા. શેણી યુવાન થઈ ત્યારે વજા ચારણે વિજાનંદને 999ની નવ ચાદરી ભેંસો લાવવા કહ્યું. ભેંસો આવતી અષાઢી બીજે લાવી આપવાની અને જો તે ના લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન નહીં કરાવું. વિજાનંદ ભેંસો લઈ પહોંચી શક્યો નહીં. વાટ જોતી શેણી મધ્યરાત્રે નીકળી અને નક્કી કર્યુ કે જો વિજાનંદ મળશે તો ઠીક નહિતર હીમાલય જઈને મારૂ હાડ ગાળી નાખીશ. પણ લગ્ન કરીશ નહીં. શેણીએ હિમાલયનો માર્ગ પકડ્યો ચાલતા ચાલતા હાલના થરાદના માંગરોળ ગામે તળાવની પાળ પર રાતવાસો કરી સવારમાં દાતણ કરીને તેની ચીરી જમીનમાં ઉભી કરી ત્યાં જાંબુડો ઉગ્યો અને તે જાંબુડો હાલમાં પુજાય છે. સમય જતા તે સ્થળ પર મંદિર બનાવવામાં આવ્યુ અને તે શેણલ માતાના મંદિર તરીકે ઓળખાય છે. હાલ મંદિરે દૂર દૂરથી માઇ ભક્તો દર્શન કરવા આવી ધન્ય થાય છે. હાથ, પગ, આંખો, તેમજ શરીરનો કોઈ દુખાવો હોય તો માતાજીના મંદિરે ચાંદીના હાથ, ચાંદીના પગ, ચાંદીની પુતળી અને ચાંદીની આંખો ચઢાવવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે. નવ પરણિત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરવાની લોક વાયકા છે. ભક્તો બાધા આખડી રાખે છે અને તમામની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. શેણલ માતાજીના મંદિર સાથે દરેક ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાત અને અન્ય રાજ્યમાંથી દરેક ધર્મના લોકો માતાજીના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે. રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-70461838404
- પાટણ શહેરમાં વરસાદી ઝાપટું કમોસમી વરસાદ થી ખેડૂતો માં ચિંતા ગુજરાતના અનેક તાલુકામાં હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરાઈ છે જેમાં આગાહી ના પગલે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો1
- Post by વિનય કુમાર3
- Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખ1
- Post by Pravin Thakor1