logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકા:તાલુકામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 માર્ચે યોજાશે. મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધંધુકા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ધંધુકા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે. કાર્યક્રમ પ્રાંત અધિકારી ધંધુકાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોની લેખિત અરજીઓ અરજદારો દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૦/૦૩/૨૦૨૬ દરમ્યાન મામલતદાર કચેરી, ધંધુકા ખાતે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો સંબંધિત જવાબદાર અધિકારીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જરૂરી છે. અરજદાર પોતાના પ્રશ્ન સાથે જરૂરી આધાર પુરાવા રૂબરૂ રજૂ કરશે. આધાર વિના અરજી માન્ય ગણાશે નહીં. એ તાલુકા સ્તરે પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોને સમયસર અરજી કરી લાભ લેવા અનુરોધ કરાયો છે.

3 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter Dhandhuka, Ahmadabad•
3 hrs ago

ધંધુકા:તાલુકામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 માર્ચે યોજાશે. મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધંધુકા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ધંધુકા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે. કાર્યક્રમ પ્રાંત અધિકારી ધંધુકાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોની લેખિત અરજીઓ અરજદારો દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૦/૦૩/૨૦૨૬ દરમ્યાન મામલતદાર કચેરી, ધંધુકા ખાતે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો સંબંધિત જવાબદાર અધિકારીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જરૂરી છે. અરજદાર પોતાના પ્રશ્ન સાથે જરૂરી આધાર પુરાવા રૂબરૂ રજૂ કરશે. આધાર વિના અરજી માન્ય ગણાશે નહીં. એ તાલુકા સ્તરે પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોને સમયસર અરજી કરી લાભ લેવા અનુરોધ કરાયો છે.

More news from Ahmadabad and nearby areas
  • મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધંધુકા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ધંધુકા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે. કાર્યક્રમ પ્રાંત અધિકારી ધંધુકાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોની લેખિત અરજીઓ અરજદારો દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૦/૦૩/૨૦૨૬ દરમ્યાન મામલતદાર કચેરી, ધંધુકા ખાતે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો સંબંધિત જવાબદાર અધિકારીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જરૂરી છે. અરજદાર પોતાના પ્રશ્ન સાથે જરૂરી આધાર પુરાવા રૂબરૂ રજૂ કરશે. આધાર વિના અરજી માન્ય ગણાશે નહીં. એ તાલુકા સ્તરે પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોને સમયસર અરજી કરી લાભ લેવા અનુરોધ કરાયો છે.
    1
    મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધંધુકા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ધંધુકા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે.
કાર્યક્રમ પ્રાંત અધિકારી ધંધુકાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.
કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોની લેખિત અરજીઓ અરજદારો દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૦/૦૩/૨૦૨૬ દરમ્યાન મામલતદાર કચેરી, ધંધુકા ખાતે મોકલવાની રહેશે.
તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો સંબંધિત જવાબદાર અધિકારીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જરૂરી છે.
અરજદાર પોતાના પ્રશ્ન સાથે જરૂરી આધાર પુરાવા રૂબરૂ રજૂ કરશે.
આધાર વિના અરજી માન્ય ગણાશે નહીં.
એ
તાલુકા સ્તરે પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોને સમયસર અરજી કરી લાભ લેવા અનુરોધ કરાયો છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Dhandhuka, Ahmadabad•
    3 hrs ago
  • *ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી* *દુધરેજ ધામના વિકાસ માટે વધુ ૨ કરોડની ફાળવણી, યાત્રાધામ સુવિધાઓથી થશે સજ્જ* *:-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી* ************ *શ્રી કનીરામ બાપુ અને લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા* નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત 'હોળી મહોત્સવ'માં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો. વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગૌ-હત્યારાઓને ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌ રક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે. દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ ૬.૫૦ કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ. આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.
    1
    *ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી*
*દુધરેજ ધામના વિકાસ માટે વધુ ૨ કરોડની ફાળવણી,  યાત્રાધામ સુવિધાઓથી થશે સજ્જ*
*:-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
************
*શ્રી કનીરામ બાપુ અને લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા*
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી  સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત 'હોળી મહોત્સવ'માં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો. વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના  કારણે છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગૌ-હત્યારાઓને ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌ રક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે.
દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ ૬.૫૦ કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ. 
આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • બોટાદ જીલ્લાના બરવાળા ખાતેથી મેફેડ્રોન અને મેથાએમ્ફેટામાઇન મળી 98 ગ્રામ 700 મીલીગ્રામ કિંમત રૂપિયા 3,36,210 ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમ બોટાદ ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક સાહેબ ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તાનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થો નો વધતો વ્યાપ રોકવા સારૂ જરૂરી સુચના આપવામાં આવેલ તથા નશાકારક પદાર્થથનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને ગુન્હેગારો ગુન્હો આચરતા પુર્વે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતા હોય જેથી આવી બદી અટકાવવા સારૂ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા NO DRUGS IN BOTAD અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોનુ સેવન તેમજ વેચાણ કરનારા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એમ.જી.જાડેજા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.બોટાદની સાથે એલ.સી.બી.સ્ટાફ સરકારી બોલેરોમાં બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અગરસંગભાઇ ડોડીયાને બાતમી હકિકત મળેલ કે, પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા રહે. દિવાંદી ગામ, તા.રોહિત જિલ્લો. પાલી રાજસ્થાન રાજય વાળો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે આપવા માટે બરવાળા ખાતે બરવાળા ઢાળ પાસે આવેલ ધંધુકા-ભાવનગર રોડ ઉપર પેસેન્જર વાહનો ઉભા રહે છે તે જગ્યાએ આવનાર છે જે બાતમી આધારે રેડ, વોચમાં રહી આરોપી પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા ઉંમર વર્ષ 23 ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દિવાંદી ગામ, તા.રોહિત જી.પાલી રાજસ્થાન રાજય વાળાને મેફેડ્રોન નેટ વજન 97ગ્રામ કિંમત રૂપિયા 2,93,910 તથા મેથાએમ્ફેટામાઇન નેટ વજન 0.730 મિલીગ્રામની કિંમત રૂપિયા 7300 મળી કુલ વજન 98 ગ્રામ 700 મીલીગ્રામ રૂપિયા 3,01,210 તથા 1 મોબાઇલ ફોન કિંમત 36000 મળી કુલ રૂપિયા 3,36,210ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી એન.ડી.પી.એસ.એકટ કલમ.8(સી), 21(સી) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/8000834888
    1
    બોટાદ જીલ્લાના બરવાળા ખાતેથી મેફેડ્રોન અને મેથાએમ્ફેટામાઇન મળી 98 ગ્રામ 700 મીલીગ્રામ કિંમત રૂપિયા 3,36,210 ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમ બોટાદ
ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક સાહેબ ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તાનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થો નો વધતો વ્યાપ રોકવા સારૂ જરૂરી સુચના આપવામાં આવેલ તથા નશાકારક પદાર્થથનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને ગુન્હેગારો ગુન્હો આચરતા પુર્વે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતા હોય જેથી આવી બદી અટકાવવા સારૂ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા NO DRUGS IN BOTAD અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોનુ સેવન તેમજ વેચાણ કરનારા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એમ.જી.જાડેજા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.બોટાદની સાથે એલ.સી.બી.સ્ટાફ સરકારી બોલેરોમાં બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અગરસંગભાઇ ડોડીયાને બાતમી હકિકત મળેલ કે, પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા રહે. દિવાંદી ગામ, તા.રોહિત જિલ્લો. પાલી રાજસ્થાન રાજય વાળો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે આપવા માટે બરવાળા ખાતે બરવાળા ઢાળ પાસે આવેલ ધંધુકા-ભાવનગર રોડ ઉપર પેસેન્જર વાહનો ઉભા રહે છે તે જગ્યાએ આવનાર છે જે બાતમી આધારે રેડ, વોચમાં રહી આરોપી પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા ઉંમર વર્ષ 23 ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દિવાંદી ગામ, તા.રોહિત જી.પાલી રાજસ્થાન રાજય વાળાને મેફેડ્રોન નેટ વજન 97ગ્રામ કિંમત રૂપિયા 2,93,910 તથા મેથાએમ્ફેટામાઇન નેટ વજન 0.730 મિલીગ્રામની કિંમત રૂપિયા 7300 મળી કુલ વજન 98 ગ્રામ 700 મીલીગ્રામ રૂપિયા 3,01,210 તથા 1 મોબાઇલ ફોન કિંમત 36000 મળી કુલ રૂપિયા 3,36,210ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી એન.ડી.પી.એસ.એકટ કલમ.8(સી), 21(સી) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • પોલીસે કુલ રૂ. 3,36,210 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    1
    પોલીસે કુલ રૂ. 3,36,210 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો
    1
    સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    18 hrs ago
  • Post by કો પટેલ અરવિંદભાઈ
    1
    Post by કો પટેલ અરવિંદભાઈ
    user_કો પટેલ અરવિંદભાઈ
    કો પટેલ અરવિંદભાઈ
    બાવળા, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
  • આજે તારીખ 2જી માર્ચના રોજ બપોરના 2 કલાકના અરસામાં ભાવનગરના બાબર સમાજના યુવાન રાજુભાઈ ગઢાદરાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં બાબર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. ન્યાયની માંગ સાથે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી અને એસપી અને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
    1
    આજે તારીખ 2જી માર્ચના રોજ બપોરના 2 કલાકના અરસામાં ભાવનગરના બાબર સમાજના યુવાન રાજુભાઈ ગઢાદરાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં બાબર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. ન્યાયની માંગ સાથે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી અને એસપી અને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    11 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પ્લોટ વિસ્તારમાં, સતવારા સોસાયટી ખાતે આવેલ પવિત્ર તપોભૂમિ સંત વાલજીરામ બાપુના આશીર્વાદ સ્થાન“ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ” આજ સવારથી ભક્તોની લાઈન લાગી હતી. આ કાર્યક્રમમાં આશરે 100થી વધુ સંતો અને મહંતો પધાર્યાં હતા. સવારથી જ લોકો વાલજીરામ બાપુના આર્શીવાદ સ્થાનના દર્શન લઇ બપોરે સંતો, મહંતોના સામૈયા લીધા હતા. ત્યાર બાદ આવતા મહેમાનો તથા ધંધુકા તેમજ આજુબાજુના ગામના તમામ લોકોએ પ્રસાદ લીધો હતો. પ્રસાદ ભાદ ભવ્ય સંત વાણી, બિરાજમાન સંતો અને મહંતોના આર્શીવાદ લીધા હતા. આ પવિત્ર પ્રસંગે ખુબ જ મોટા પ્રમાણમાં સંતો મહંતો તેમજ ઝાંઝરકાના મહંત શંભુનાથ ટુંડીયા પણ ઉપસ્થિત રહી આર્શીવાદ સ્થળની શોભા વધારી છે.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પ્લોટ વિસ્તારમાં, સતવારા સોસાયટી ખાતે આવેલ પવિત્ર તપોભૂમિ સંત  વાલજીરામ બાપુના આશીર્વાદ સ્થાન“ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ” આજ સવારથી ભક્તોની લાઈન લાગી હતી.
આ કાર્યક્રમમાં આશરે 100થી વધુ સંતો અને મહંતો પધાર્યાં હતા.
સવારથી જ લોકો વાલજીરામ બાપુના આર્શીવાદ સ્થાનના દર્શન લઇ બપોરે સંતો, મહંતોના સામૈયા લીધા હતા.
ત્યાર બાદ આવતા મહેમાનો તથા ધંધુકા તેમજ આજુબાજુના ગામના તમામ લોકોએ પ્રસાદ લીધો હતો.
પ્રસાદ ભાદ ભવ્ય સંત વાણી, બિરાજમાન સંતો અને મહંતોના આર્શીવાદ લીધા હતા.
આ પવિત્ર પ્રસંગે ખુબ જ મોટા પ્રમાણમાં સંતો મહંતો તેમજ ઝાંઝરકાના મહંત શંભુનાથ ટુંડીયા પણ ઉપસ્થિત રહી આર્શીવાદ સ્થળની શોભા વધારી છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Dhandhuka, Ahmadabad•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.