Shuru
Apke Nagar Ki App…
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે એક મોટી કાર્યવાહી કરતા બ્રાઝીલથી 150 કિલો કોકેઇન ગુજરાતના દરિયા માર્ગે દિલ્હી પહોંચાડવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુન્દ્રા નજીક દરિયામાં 'યુરોપ' નામના કાર્ગો વહાણમાંથી ફિશિંગ બોટ મારફતે આ ડ્રગ્સ સપ્લાય કરવાની તૈયારી ચાલી રહી હતી. ગુજરાત ATSને મળેલી ગુપ્ત બાતમીના આધારે ભારતીય કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસમાં વિદેશી ક્રૂ મેમ્બર સહિત અનેક શખ્સોના નામ સામે આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
NT Media
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે એક મોટી કાર્યવાહી કરતા બ્રાઝીલથી 150 કિલો કોકેઇન ગુજરાતના દરિયા માર્ગે દિલ્હી પહોંચાડવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુન્દ્રા નજીક દરિયામાં 'યુરોપ' નામના કાર્ગો વહાણમાંથી ફિશિંગ બોટ મારફતે આ ડ્રગ્સ સપ્લાય કરવાની તૈયારી ચાલી રહી હતી. ગુજરાત ATSને મળેલી ગુપ્ત બાતમીના આધારે ભારતીય કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસમાં વિદેશી ક્રૂ મેમ્બર સહિત અનેક શખ્સોના નામ સામે આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
More news from ગુજરાત and nearby areas
- સુરત સાયબર ક્રાઈમ પોલીસે કેનેડાના નકલી વર્ક પરમિટ અને વિઝા અપાવવાના નામે રૂપિયા 7 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી અમિત સોનીને પંજાબના મોહાલીથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોહાલીમાં “Scientific Group Of Consultant” નામની એક ફર્મ ચલાવતો હતો. તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોનો સંપર્ક કરતો અને તેમને કેનેડાના બનાવટી વર્ક પરમિટ મોકલીને ઠગાઈ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપી વિરુદ્ધ સુરત સિવાય ગાંધીનગર અને રાજકોટમાં પણ છેતરપિંડી સંબંધિત ફરિયાદો NCCRP પોર્ટલ પર દાખલ થયેલી છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે જેથી તેના સમગ્ર નેટવર્ક અને અન્ય સાથીદારો વિશે વધુ તપાસ કરી શકાય.1
- સચિન GIDC પોલીસે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા પામેલા એક ફરાર આરોપીને અંકલેશ્વર ખાતેથી પકડી પાડ્યો છે. આ આરોપી તેની સજા બાદથી ફરાર હતો.1
- ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે એક મોટી કાર્યવાહી કરતા બ્રાઝીલથી 150 કિલો કોકેઇન ગુજરાતના દરિયા માર્ગે દિલ્હી પહોંચાડવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુન્દ્રા નજીક દરિયામાં 'યુરોપ' નામના કાર્ગો વહાણમાંથી ફિશિંગ બોટ મારફતે આ ડ્રગ્સ સપ્લાય કરવાની તૈયારી ચાલી રહી હતી. ગુજરાત ATSને મળેલી ગુપ્ત બાતમીના આધારે ભારતીય કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસમાં વિદેશી ક્રૂ મેમ્બર સહિત અનેક શખ્સોના નામ સામે આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.1
- પલસાણા તાલુકાની અવધ કિંબલી સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે આ સોસાયટીમાં હાઈફાઈ સિક્યોરિટી હોવા છતાં તસ્કરોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.1
- સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશ્નર બલરામ મીણા, ડેપ્યુટી પોલીસ કમિશ્નર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશ્નર એલ.બી. ઝાલા દ્વારા "NO DRUGS IN SURAT CITY" ઝુંબેશ અંતર્ગત એન.ડી.પી.એસ. ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને ગંભીરતાથી લઈને, સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર ડી.યુ. બારડ અને સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર યુ.જે. જોષીના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.બી. પટેલની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ એન.ડી.પી.એસ. કેસોની ડ્રાઈવ અંતર્ગત કામ કરી રહ્યા હતા. આ દરમિયાન, અ.હે.કો. ધર્મેશકુમાર કાંતિલાલ અને અ.હે.કો. વિક્રમસિંહ નટવરસિંહને તેમના અંગત અને વિશ્વસનીય બાતમીદાર મારફતે માહિતી મળી હતી. આ બાતમીના આધારે, મહિધરપુરા, દિલ્લીગેટથી સબરસ ગરનાળા તરફ જતા રેલ્વેના ગોદામના ગેટની સામે રોડ પર જાહેરમાંથી મોહમદ એજાજ ઉર્ફે અબ્બુ મોહમદ હુસૈન અંસારી અને સોફિયાન ઇમરાન શેખ નામના બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો 4.170 ગ્રામ જથ્થો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹48,610/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્રશંસનીય કામગીરી બદલ મહિધરપુરા પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં બી પાર્ટ ગુના રજીસ્ટર નંબર 11210030260430/2026 હેઠળ એન.ડી.પી.એસ. એક્ટ 1985ની કલમ 8(સી), 22(એ), અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.4
- સુરતમાં દિલ્હીગેટથી સબરસ ગરનાળા રોડ પર ડ્રગ્સ ડીલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મહિધરપુરા પોલીસે કાર્યવાહી કરીને બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 4.170 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, અને આ મામલે NDPS કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- સુરત ગ્રામ્ય વિસ્તારના માંગરોળ તાલુકાના મહુવેજ ગામે એક કરુણ ઘટના બની છે, જ્યાં બે કિશોર તળાવના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. આ બંને કિશોર પોતાના દાદા સાથે માછીમારી કરવા માટે તળાવે આવ્યા હતા. માછીમારી દરમિયાન અકસ્માતે બંને કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરીને બંને કિશોરના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી હતી.1
- હજીરા ખાતે આવેલી AMNS કંપનીમાં એક દર્દનાક અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં એક કર્મચારી ડમ્પરની અડફેટે આવી જતાં તેમનું મોત નીપજ્યું હતું.1