સાંતલપુરના આબીયાણા ગામના ઠાકોરવાસમાં વરસાદી પાણીથી 40થી વધુ મકાનો અસરગ્રસ્ત, ગ્રામજનોમાં ભારે રોષ સાંતલપુરના આબીયાણા ગામના ઠાકોરવાસમાં વરસાદી પાણીથી 40થી વધુ મકાનો અસરગ્રસ્ત, ગ્રામજનોમાં ભારે રોષ 12 મહિનાથી રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં; વરસાદી પાણીના નિકાલની માંગ સાથે જરૂર પડે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબીયાણા ગામના ઠાકોરવાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. તળાવની બાજુમાં આવેલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં 40થી વધુ મકાનો અસરગ્રસ્ત બન્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં સમગ્ર વિસ્તારનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અનેક વખત ગ્રામ પંચાયત અને સંબંધિત વિભાગોમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. પરિણામે દર વર્ષે ચોમાસામાં ઠાકોરવાસના લોકો મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બની રહ્યા છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની મુશ્કેલીમાં વધારો વરસાદી પાણી ભરાઈ રહેતાં નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. મહિલાઓ, વૃદ્ધો અને દર્દીઓને પણ અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કાદવ, ગંદકી અને ગંદા પાણીના ભરાવાને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના ચેપી રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સ્થાનિકોમાં વ્યાપી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીના કારણે રોજિંદું જીવન પ્રભાવિત બન્યું છે અને લોકો સતત ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિક અરજદાર ઠાકોર મેહુરભાઈ રાજસીભાઈએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 12 મહિનાથી અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તેમણે તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. બીજી તરફ સ્થાનિક મહિલા ઠાકોર પ્રભાબેનએ જણાવ્યું કે દર વર્ષે વરસાદ પડતાં સમગ્ર વિસ્તાર પાણીમાં ફેરવાઈ જાય છે. ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે અને બાળકો સહિત પરિવારના સભ્યોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુદ્દે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે જણાવ્યું કે લઈ તંત્ર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગ્રામજનોને રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમણે જણાવ્યું કે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય આયોજન કરી કામગીરી શરૂ કરવી જરૂરી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વરસાદી પાણીના કાયમી નિકાલ માટે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં નહીં આવે અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. જરૂર પડશે તો ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા પણ મજબૂર બનશે તેવી ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
સાંતલપુરના આબીયાણા ગામના ઠાકોરવાસમાં વરસાદી પાણીથી 40થી વધુ મકાનો અસરગ્રસ્ત, ગ્રામજનોમાં ભારે રોષ સાંતલપુરના આબીયાણા ગામના ઠાકોરવાસમાં વરસાદી પાણીથી 40થી વધુ મકાનો અસરગ્રસ્ત, ગ્રામજનોમાં ભારે રોષ 12 મહિનાથી રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં; વરસાદી પાણીના નિકાલની માંગ સાથે જરૂર પડે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબીયાણા ગામના ઠાકોરવાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. તળાવની બાજુમાં આવેલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં 40થી વધુ મકાનો અસરગ્રસ્ત બન્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં સમગ્ર
વિસ્તારનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અનેક વખત ગ્રામ પંચાયત અને સંબંધિત વિભાગોમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. પરિણામે દર વર્ષે ચોમાસામાં ઠાકોરવાસના લોકો મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બની રહ્યા છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની મુશ્કેલીમાં વધારો વરસાદી પાણી ભરાઈ રહેતાં નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. મહિલાઓ, વૃદ્ધો અને દર્દીઓને પણ અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કાદવ, ગંદકી અને ગંદા પાણીના ભરાવાને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના ચેપી રોગચાળો
ફાટી નીકળવાનો ભય પણ સ્થાનિકોમાં વ્યાપી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીના કારણે રોજિંદું જીવન પ્રભાવિત બન્યું છે અને લોકો સતત ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિક અરજદાર ઠાકોર મેહુરભાઈ રાજસીભાઈએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 12 મહિનાથી અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તેમણે તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. બીજી તરફ સ્થાનિક મહિલા ઠાકોર પ્રભાબેનએ જણાવ્યું કે દર વર્ષે વરસાદ પડતાં સમગ્ર વિસ્તાર પાણીમાં ફેરવાઈ જાય છે. ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે અને બાળકો સહિત પરિવારના સભ્યોને
ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુદ્દે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે જણાવ્યું કે લઈ તંત્ર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગ્રામજનોને રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમણે જણાવ્યું કે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય આયોજન કરી કામગીરી શરૂ કરવી જરૂરી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વરસાદી પાણીના કાયમી નિકાલ માટે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં નહીં આવે અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. જરૂર પડશે તો ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા પણ મજબૂર બનશે તેવી ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
- સારા વરસાદથી પરસુંદ ગામનું તળાવ છલોછલ, લોકપરંપરા મુજબ વધામણાં કરી ગ્રામજનોએ વ્યક્ત કરી ખુશી સારા વરસાદથી પરસુંદ ગામનું તળાવ છલોછલ, લોકપરંપરા મુજબ વધામણાં કરી ગ્રામજનોએ વ્યક્ત કરી ખુશી ઢોલ-નગારા સાથે તળાવનું પૂજન, સરપંચ, મહિલાઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા ઉપસ્થિત સાંતલપુર: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરસુંદ ગામમાં સારા વરસાદના પગલે ગામનું તળાવ નવા વરસાદી નીરથી છલોછલ ભરાઈ જતાં સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. વર્ષોથી ચાલી આવતી લોકપરંપરાને જાળવી રાખતાં ગ્રામજનોએ તળાવના વધામણાંનો ભવ્ય કાર્યક્રમ યોજી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઢોલ-નગારા અને પરંપરાગત વાજિંત્રોના તાલ સાથે શોભાયાત્રા સ્વરૂપે તળાવ સુધી પહોંચ્યા હતા, જ્યાં ધાર્મિક વિધિ મુજબ તળાવનું પૂજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પડેલા સારા વરસાદના કારણે પરસુંદ ગામનું તળાવ સંપૂર્ણપણે ભરાઈ જતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ગામમાં આ પ્રસંગને ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો હતો. તળાવના વધામણાં માટે ગામના મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં માથે પૂજન સામગ્રી અને કળશ લઈને જોડાઈ હતી. ઢોલના તાલે યુવાનોમાં અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તળાવ કિનારે પહોંચ્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર અને લોકરીતિ મુજબ પૂજનવિધિ કરવામાં આવી હતી. ગ્રામજનોએ તળાવને કંકુ-ચોખા અર્પણ કરી, નાળિયેર વધેરી અને દીપ પ્રગટાવી સારા વરસાદ બદલ પ્રકૃતિ તેમજ ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ ગામમાં સુખ-સમૃદ્ધિ, સારા આરોગ્ય અને ખેડૂતોના ખેતરોમાં બમ્પર પાક થાય તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં ગામના સરપંચ, આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ એકસાથે પૂજનવિધિમાં ભાગ લઈ ગામની એકતા અને સામૂહિક ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડીલોએ જણાવ્યું હતું કે તળાવના વધામણાંની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને દરેક વર્ષે તળાવ છલોછલ ભરાય ત્યારે સમગ્ર ગામ એક પરિવારની જેમ આ પ્રસંગની ઉજવણી કરે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સારા વરસાદના કારણે માત્ર તળાવ જ નહીં પરંતુ આસપાસના કૂવા, તળાવો અને અન્ય જળસ્ત્રોતોમાં પણ નવા નીર આવ્યા છે. જેના કારણે ખેડૂતોમાં નવી આશા જાગી છે. તળાવમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતાં આગામી દિવસોમાં સિંચાઈ, પશુપાલન અને પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદની સારી શરૂઆત થતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાકને મોટો ફાયદો થશે અને ખેડૂતોને સારો પાક મળવાની સંભાવના વધશે. ગ્રામજનોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું. ઢોલ-નગારાના તાલે લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. મહિલાઓએ લોકગીતો ગાઈ પરંપરાગત રીતિ-રિવાજોને જીવંત રાખ્યા હતા, જ્યારે યુવાનોએ પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પરસુંદ ગામમાં યોજાયેલો તળાવના વધામણાંનો આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ ગામની એકતા, લોકસંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેના આદરનું જીવંત પ્રતિક બની રહ્યો હતો. ગ્રામજનોએ પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિસ્તારમાં સતત સારો વરસાદ વરસે, જળાશયો ભરપૂર રહે, ખેડૂતોના ખેતરો હરિયાળા બને અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- દિયોદર પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના 8 થી 9 વાગ્યા દરમિયાન 2.73 ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટરના આદેશ મુજબ દિયોદર પંથકની શાળા-કોલેજો આજે બંધ રાખવામાં આવી હતી. જોકે, બપોર સુધી આકાશ ખુલ્લું હતું અને તડકો પણ હતો. બપોર બાદ શરૂ થયેલો વરસાદ સાંજે વધુ જોરદાર બન્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણ ભયાવહ બન્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વર્તમાનમાં વીજળી પડવાના બનાવો વધી રહ્યા હોવાથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.1
- અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ હવામાન વિભાગની આગાહી મુજબ વાવ-થરાદ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. આ સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા ભાભર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ભાભર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એલ. જોષી સહિત પોલીસ સ્ટાફે રાત્રીના સમયે નીચાણવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વિડીયોમાં જોવા મળ્યા મુજબ ભાભરના મુખ્ય માર્ગ પર પોલીસની ટીમ રિફ્લેક્ટિવ જેકેટ અને ટ્રાફિક બેટન સાથે તૈનાત જોવા મળી. પોલીસ વાહનની બ્લુ-રેડ બીકન લાઈટ ચાલુ રાખીને પોલીસકર્મીઓ રસ્તા પર ઉભા રહી વાહનચાલકોને સાવધાની રાખવા સૂચના આપી રહ્યા હતા. વરસાદી પાણીના કારણે લપસણા રસ્તા અને ઓછી દૃશ્યતાને કારણે અકસ્માત ન થાય તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ કરવામાં આવ્યું. સાથે જ સ્થાનિક લોકોને જરૂર પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણકારી આપવામાં આવી. પોલીસની આ સક્રિયતા અને લોકોની મદદ માટેની તત્પરતાને સ્થાનિક નાગરિકોએ પણ બિરદાવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નીકળે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે.3
- પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી! પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી! પ્રથમ જ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કેનાલનું ફાંટિયું તૂટી જતાં મોટી માત્રામાં પાણી ખેડૂતના ખેતરોમાં ફરી વળ્યું, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ ઘટના કસ્ટમ રોડની બાજુમાં, દક્ષિણ દિશા તરફ નેસડા (ગોલપ) ગામ તરફ જતી નર્મદા કેનાલના ફાંટિયા પાસે બની હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે રિપેરિંગ કામગીરીમાં ગુણવત્તાનો અભાવ અને ભ્રષ્ટાચારના કારણે પ્રથમ વરસાદમાં જ કેનાલ તૂટી ગઈ. તેઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.1
- રાહ તાલુકાના કળશ લવાણા ગામે પગ યાત્રા નિમિત્તે માગીલાલ પટેલ નું ભવ્ય સ્વાગત . અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- પાટણમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલે સ્વખર્ચે રસ્તાનું કામ શરૂ કરાવ્યું... 10 દિવસમાં કાયમી ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલની ચીમકી- પાટણમાં બિસ્માર રસ્તા અને ગટરની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું... પાટણ :- પાટણમાં બિસ્માર રસ્તા અને ગટરની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું... સ્થાનિકોના વિરોધ વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલે સ્વખર્ચે રસ્તાનું કામ શરૂ કરાવ્યું... 10 દિવસમાં કાયમી ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલની ચીમકી. પાટણ શહેરના નિર્મળ નગર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ભૂગર્ભ ગટર અને બિસ્માર રસ્તાની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોનો આજે રોષ ફાટી નીકળ્યો. મહિલાઓ સહિતના રહીશોએ નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કિરીટ પટેલ સ્થળ પર દોડી આવ્યા અને તાત્કાલિક પોતાના સ્તરે રસ્તાનું કામ શરૂ કરાવી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી. પાટણના નિર્મળ નગર વિસ્તારમાં વર્ષોથી ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસામાં સ્થિતિ વધુ વિકટ બનતા મહિલાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે, વિસ્તાર માટે કરોડો રૂપિયાનો રોડ મંજૂર થયો હોવા છતાં આજદિન સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી. રહીશોના જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટર માટે પમ્પિંગ સ્ટેશન તો બનાવાયું છે, પરંતુ જરૂરી મશીનરીના અભાવે તે કાર્યરત નથી. પરિણામે નિર્મળ નગર ઉપરાંત અનંતા બંગલોઝ, સોમેશ્વર બંગલોઝ, માધવ વિલા, તિરુપતિ ગ્રીન્સ, બાલાજી ગ્રીન, સોહમ, પાર્થ અને મહર્ષિ રેસીડેન્સી સહિત અનેક સોસાયટીઓના લોકો રોજિંદી હાલાકી ભોગવી રહ્યા છે. વિરોધ વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા. નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં તેમણે પોતાના સ્તરે જેસીબી મશીન બોલાવી ગંદા પાણીના નિકાલની કામગીરી શરૂ કરાવી હતી. સાથે જ વેટ મિક્સ નખાવીને રસ્તાને હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે શરૂ કરાવ્યો હતો ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે સમગ્ર મામલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. સાથે જ તેમણે ચેતવણી આપી કે જો આગામી 10 દિવસમાં કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ જીયુડીસી ઓફિસ ખાતે ભૂખ હડતાલ પર બેસી આંદોલન કરશે. પાંચ વર્ષથી સમસ્યાનો સામનો કરતા સ્થાનિકો હવે કાયમી ઉકેલની માંગ સાથે સરકાર અને વહીવટી તંત્ર તરફ મીટ માંડી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે પછી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવે છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- પાટડી થી બજાણા વચ્ચે આવેલા પુલ જોડે રોડ પર પાણી ભરાઈ જતાં રસ્તો 2. થઈ 3 કલાક સુધી બંધ કરાયો હતો પાટડી થી બજાણા વચ્ચે આવેલા પુલ જોડે રોડ પર પાણી ભરાઈ જતાં રસ્તો 2. થઈ 3 કલાક સુધી બંધ કરાયો હતો1