logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગીર સોમનાથ જિલ્લાના ઉના બસ સ્ટેન્ડની સામે અને અભય કોમ્પલેક્સની બાજુમાં આવેલા વીજ સબસ્ટેશનમાં આજે રાત્રી દરમિયાન અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ગભરાટ ફેલાયો હતો અને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સબસ્ટેશનમાં લાગેલી આ આગના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જોકે, હજુ સુધી આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક આશંકા મુજબ શોર્ટ સર્કિટના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

2 hrs ago
user_ABDUL PATHNA
ABDUL PATHNA
Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
2 hrs ago

ગીર સોમનાથ જિલ્લાના ઉના બસ સ્ટેન્ડની સામે અને અભય કોમ્પલેક્સની બાજુમાં આવેલા વીજ સબસ્ટેશનમાં આજે રાત્રી દરમિયાન અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ગભરાટ ફેલાયો હતો અને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સબસ્ટેશનમાં લાગેલી આ આગના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જોકે, હજુ સુધી આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક આશંકા મુજબ શોર્ટ સર્કિટના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.
    4
    અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે.

સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.
    user_Author Kundala
    Author Kundala
    સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
  • અમરેલીમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ વાયરલ ઓડિયોમાં ખેડૂતોને ધમકી આપવામાં આવી હોવાનો કથિત દાવો કરવામાં આવ્યો છે. ઓડિયોમાં 'વિજ પોલની કામગીરી નહીં અટકાય, નહીં તો કેસ થશે' તેવો કથિત દાવો સાંભળવા મળી રહ્યો છે. આ વાયરલ ઓડિયો સામે આવ્યા બાદ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. જોકે, આ વાયરલ થઈ રહેલા ઓડિયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી।
    1
    અમરેલીમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ વાયરલ ઓડિયોમાં ખેડૂતોને ધમકી આપવામાં આવી હોવાનો કથિત દાવો કરવામાં આવ્યો છે. ઓડિયોમાં 'વિજ પોલની કામગીરી નહીં અટકાય, નહીં તો કેસ થશે' તેવો કથિત દાવો સાંભળવા મળી રહ્યો છે.

આ વાયરલ ઓડિયો સામે આવ્યા બાદ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. જોકે, આ વાયરલ થઈ રહેલા ઓડિયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી।
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    38 min ago
  • જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રોટરી ક્લબ દ્વારા ૨૨મો ઇન્સ્ટોલેશન સમારોહ ભારે ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ ગૌરવપૂર્ણ સમારોહ દરમિયાન વર્ષ ૨૦૨૫ના કાર્યકાળમાં ક્લબ દ્વારા આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સમાજસેવાના ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની યાદગાર ઝલક રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ આગામી વર્ષ ૨૦૨૬ માટે ક્લબની નવી કાર્યયોજનાઓ અને સેવાકીય પ્રકલ્પો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સમારોહમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ઉપસ્થિત રહેલા ડીજીએન વિપુલભાઈ પટેલ (વાપી)ના હસ્તે નવા હોદ્દેદારોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ કેશોદના નવા પ્રમુખ તરીકે અજય ગોધાસરા તથા સેક્રેટરી તરીકે ભુપત વાજાએ સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. ડીજીએન વિપુલભાઈ પટેલે રોટરીના સેવા, સમર્પણ અને માનવતાના મૂલ્યોને આગળ વધારવા માટે નવા કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. નવા પ્રમુખ અજય ગોધાસરાએ પોતાના સંબોધનમાં આગામી કાર્યકાળ દરમિયાન વધુમાં વધુ સેવાકીય અને જનકલ્યાણના કાર્યો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ક્લબના સભ્યો, પૂર્વ પ્રમુખો, રોટરીના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
    4
    જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રોટરી ક્લબ દ્વારા ૨૨મો ઇન્સ્ટોલેશન સમારોહ ભારે ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ ગૌરવપૂર્ણ સમારોહ દરમિયાન વર્ષ ૨૦૨૫ના કાર્યકાળમાં ક્લબ દ્વારા આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સમાજસેવાના ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની યાદગાર ઝલક રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ આગામી વર્ષ ૨૦૨૬ માટે ક્લબની નવી કાર્યયોજનાઓ અને સેવાકીય પ્રકલ્પો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ સમારોહમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ઉપસ્થિત રહેલા ડીજીએન વિપુલભાઈ પટેલ (વાપી)ના હસ્તે નવા હોદ્દેદારોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ કેશોદના નવા પ્રમુખ તરીકે અજય ગોધાસરા તથા સેક્રેટરી તરીકે ભુપત વાજાએ સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. ડીજીએન વિપુલભાઈ પટેલે રોટરીના સેવા, સમર્પણ અને માનવતાના મૂલ્યોને આગળ વધારવા માટે નવા કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી.

નવા પ્રમુખ અજય ગોધાસરાએ પોતાના સંબોધનમાં આગામી કાર્યકાળ દરમિયાન વધુમાં વધુ સેવાકીય અને જનકલ્યાણના કાર્યો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ક્લબના સભ્યો, પૂર્વ પ્રમુખો, રોટરીના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    8 hrs ago
  • જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાડોઈ ટોલ પ્લાઝા ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગાડોઈ ટોલ પ્લાઝાના મેનેજર સૈફ અલી ન્હાલી, ઓફિસના પ્રિન્સ કુમાર તેમજ ટોલ પ્લાઝાના સ્ટાફ સભ્યોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવીને તેની જાળવણી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું હતું કે વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવામાં, પ્રદૂષણ ઘટાડવામાં તેમજ આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ પૂરું પાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટોલ પ્લાઝા સંચાલન દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે માત્ર વૃક્ષારોપણ કરવું જ પૂરતું નથી, પરંતુ વાવેલા દરેક રોપાનું યોગ્ય જતન અને સંરક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. કાર્યક્રમના સફળ સમાપન બાદ કર્મચારીઓએ ભવિષ્યમાં પણ આવા પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    4
    જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાડોઈ ટોલ પ્લાઝા ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગાડોઈ ટોલ પ્લાઝાના મેનેજર સૈફ અલી ન્હાલી, ઓફિસના પ્રિન્સ કુમાર તેમજ ટોલ પ્લાઝાના સ્ટાફ સભ્યોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવીને તેની જાળવણી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું હતું કે વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવામાં, પ્રદૂષણ ઘટાડવામાં તેમજ આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ પૂરું પાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટોલ પ્લાઝા સંચાલન દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે માત્ર વૃક્ષારોપણ કરવું જ પૂરતું નથી, પરંતુ વાવેલા દરેક રોપાનું યોગ્ય જતન અને સંરક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. કાર્યક્રમના સફળ સમાપન બાદ કર્મચારીઓએ ભવિષ્યમાં પણ આવા પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    user_RAHIM KARVAT.
    RAHIM KARVAT.
    Grain Importer વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    1 hr ago
  • તળાજા ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા શેત્રુંજી નદી પર તૂટી ગયેલા કોઝવે અને અધૂરા બ્રિજની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આપના આગેવાનોએ સરકાર પર અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને વિકાસના કામોમાં થઈ રહેલા વિલંબ અંગે આકરી ટીકા કરી હતી. આ મુલાકાતમાં તળાજા વિધાનસભાના પ્રભારી માવજીભાઈ, વરિષ્ઠ આગેવાન પ્રાગજીભાઈ બી. ધાંધલ્યા, તાલુકા પ્રમુખ દશરથભાઈ ડોડીયા, સંગઠન મંત્રી બાબુભાઈ જાંબુચા, જતીનભાઈ બેલડીયા તેમજ યુવા પ્રમુખ રાહુલભાઈ બાંભણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આગેવાનોએ દેવળીયાથી દાત્રડ વચ્ચે બનેલા માર્ગની પણ મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ રસ્તાની બંને બાજુ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવા છતાં સાઇડ વૉલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. પરિણામે રસ્તો ધોવાઈ જતાં તેની પહોળાઈ ઘટી ગઈ છે અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને ફોરવ્હીલ વાહનો સામસામે પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને વહીવટમાં સુધારા તથા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી. આ આગેવાનોએ ખાસ કરીને તળાજાના ટીમાણા અને દત્રાડ ગામને જોડતા શેત્રુંજી નદી પરના કોઝવેની સ્થિતિ અંગે સ્થળ પર જઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
    4
    તળાજા ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા શેત્રુંજી નદી પર તૂટી ગયેલા કોઝવે અને અધૂરા બ્રિજની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આપના આગેવાનોએ સરકાર પર અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને વિકાસના કામોમાં થઈ રહેલા વિલંબ અંગે આકરી ટીકા કરી હતી.

આ મુલાકાતમાં તળાજા વિધાનસભાના પ્રભારી માવજીભાઈ, વરિષ્ઠ આગેવાન પ્રાગજીભાઈ બી. ધાંધલ્યા, તાલુકા પ્રમુખ દશરથભાઈ ડોડીયા, સંગઠન મંત્રી બાબુભાઈ જાંબુચા, જતીનભાઈ બેલડીયા તેમજ યુવા પ્રમુખ રાહુલભાઈ બાંભણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આગેવાનોએ દેવળીયાથી દાત્રડ વચ્ચે બનેલા માર્ગની પણ મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ રસ્તાની બંને બાજુ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવા છતાં સાઇડ વૉલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. પરિણામે રસ્તો ધોવાઈ જતાં તેની પહોળાઈ ઘટી ગઈ છે અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને ફોરવ્હીલ વાહનો સામસામે પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે.

આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને વહીવટમાં સુધારા તથા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી. આ આગેવાનોએ ખાસ કરીને તળાજાના ટીમાણા અને દત્રાડ ગામને જોડતા શેત્રુંજી નદી પરના કોઝવેની સ્થિતિ અંગે સ્થળ પર જઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
    user_AAFATB DASADIYA
    AAFATB DASADIYA
    Local News Reporter તળાજા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • ગીરના જંગલમાં સિંહની પજવણી કરવાના અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના વિડિયો ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગીર (પૂર્વ) વન વિભાગે ગંભીર નોંધ લીધી છે. વન વિભાગ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાંથી કુલ ૮ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વન વિભાગની વિશેષ ટીમ દ્વારા છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વેરાવળ પોલીસના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ ઓપરેશન ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં પંજા મોહમદ અમીનભાઈ, મહમદજાબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલવત ઝેનુલ આબેદીનમહમદ, ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ, સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાનનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પર વિવિધ આઈડી દ્વારા સિંહની પજવણી કરતા વિડિયો અપલોડ કરતા હતા અને વન વિભાગે આ તમામ સામે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં જસાધાર રેન્જના વનપાલ સર્વશ્રી એમ.એચ. સોંદરવા, એચ.પી. માડમ, આર.બી. વાળા તથા વનરક્ષક સર્વશ્રી જી.વી. પાથર, એસ.કે. કસોટિયા અને ડી.એન. વાઢેળે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના બાદ વન વિભાગે સામાન્ય જનતાને અપીલ કરી છે કે વન્યપ્રાણીઓને હેરાન કરતા અથવા પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કે શેર કરવા નહીં તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું નહીં. જો વન્યજીવોની સતામણીના આવા કોઈ દ્રશ્યો લોકોના ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. વન વિભાગે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
    1
    ગીરના જંગલમાં સિંહની પજવણી કરવાના અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના વિડિયો ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગીર (પૂર્વ) વન વિભાગે ગંભીર નોંધ લીધી છે. વન વિભાગ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાંથી કુલ ૮ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વન વિભાગની વિશેષ ટીમ દ્વારા છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વેરાવળ પોલીસના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ ઓપરેશન ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવ્યું હતું.

આ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં પંજા મોહમદ અમીનભાઈ, મહમદજાબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલવત ઝેનુલ આબેદીનમહમદ, ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ, સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાનનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પર વિવિધ આઈડી દ્વારા સિંહની પજવણી કરતા વિડિયો અપલોડ કરતા હતા અને વન વિભાગે આ તમામ સામે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં જસાધાર રેન્જના વનપાલ સર્વશ્રી એમ.એચ. સોંદરવા, એચ.પી. માડમ, આર.બી. વાળા તથા વનરક્ષક સર્વશ્રી જી.વી. પાથર, એસ.કે. કસોટિયા અને ડી.એન. વાઢેળે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ ઘટના બાદ વન વિભાગે સામાન્ય જનતાને અપીલ કરી છે કે વન્યપ્રાણીઓને હેરાન કરતા અથવા પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કે શેર કરવા નહીં તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું નહીં. જો વન્યજીવોની સતામણીના આવા કોઈ દ્રશ્યો લોકોના ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. વન વિભાગે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    23 hrs ago
  • ગીર સોમનાથ જિલ્લાના ઉના બસ સ્ટેન્ડની સામે અને અભય કોમ્પલેક્સની બાજુમાં આવેલા વીજ સબસ્ટેશનમાં આજે રાત્રી દરમિયાન અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ગભરાટ ફેલાયો હતો અને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સબસ્ટેશનમાં લાગેલી આ આગના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જોકે, હજુ સુધી આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક આશંકા મુજબ શોર્ટ સર્કિટના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
    1
    ગીર સોમનાથ જિલ્લાના ઉના બસ સ્ટેન્ડની સામે અને અભય કોમ્પલેક્સની બાજુમાં આવેલા વીજ સબસ્ટેશનમાં આજે રાત્રી દરમિયાન અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ગભરાટ ફેલાયો હતો અને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

આ ભયાનક ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સબસ્ટેશનમાં લાગેલી આ આગના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.

જોકે, હજુ સુધી આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક આશંકા મુજબ શોર્ટ સર્કિટના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.