Shuru
Apke Nagar Ki App…
બનાસકાંઠાના થરાદ વાવ ગોકુળ ગામમાં આવેલી ગુરુ બ્રાહ્મણસમાજની વાડીમાં એક સામાજિક ઝઘડો થયો છે. આ સામાજિક ઝઘડાને લઈને દશરથભાઈ રાયચંદભાઈ પંડ્યા શું કહી રહ્યા છે, તે જાણવા માટે આવો તેમનો પક્ષ સાંભળીએ.
Jitubhai barot
બનાસકાંઠાના થરાદ વાવ ગોકુળ ગામમાં આવેલી ગુરુ બ્રાહ્મણસમાજની વાડીમાં એક સામાજિક ઝઘડો થયો છે. આ સામાજિક ઝઘડાને લઈને દશરથભાઈ રાયચંદભાઈ પંડ્યા શું કહી રહ્યા છે, તે જાણવા માટે આવો તેમનો પક્ષ સાંભળીએ.
- ભેમાભાઈ સોલંકીસુઈગામ, બનાસકાંઠા, ગુજરાતઆખો સમાજ સમાધાન સમજૂતી માટે એકત્રિત થયેલ હોય તો આવું ના કરવું જોઈએ1 hr ago
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઈઢાટા સીમ વિસ્તારમાં એક આખલો ઢીમા બ્રાંચમાં ખાબક્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક ગૌ ભક્તોએ તાત્કાલિક ભારે મહેનત હાથ ધરીને આ આખલાને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો.4
- વાવ થરાદના સનેસડા ગામે નાયબ DPO કે કે પટેલ સાહેબ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારી વિવિધ યોજનાઓથી વાકેફ કરવામાં આવ્યા છે. તેમણે સનેસડા ગામના વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપીને માહિતગાર કર્યા હતા.2
- પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઠાકોર સમાજની છાત્રાલયના વિવાદમાં હવે ડૉ. ગોવિંદજી ઠાકોરે કડક અલ્ટીમેટમ આપી દીધું છે.1
- પાટણ જિલ્લામાં રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી કોમ્બિંગ નાઇટ દરમિયાન એલસીબીને મોટી સફળતા મળી છે. હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમમાં અરીઠાવાળા આંટા વિસ્તારમાં આવેલી એક ખેતરની ઓરડીમાં જાણીતી બ્રાન્ડ બ્લેન્ડર્સ પ્રાઇડના નામે ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભરતસિંહ ભીખુજી રાઠોડ, ચાંપરાજ સોમભાઈ કાઠી અને કુંવરસિંહ શીવુજી ઝાલા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે રાજસ્થાનનો શિવરાજ મારવાડી નામનો એક આરોપી ફરાર થઈ ગયો છે. આ દરોડો પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 60 શીલબંધ વિદેશી દારૂની બોટલો, 700 ખાલી બોટલો, 700 ઢાંકણાં, સ્ટીકરના રોલ, સીલિંગ સામગ્રી અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 77,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને નકલી દારૂના આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.4
- પાટણના રાધનપુરમાં કચ્છ-વાગડ-પાટણ-વઢિયાર-ગાંધીનગર વિસ્તારના કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં સગાઈ, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી દેખાડા અને ખોટા ખર્ચા અટકાવીને તેમાંથી બચેલા નાણાં બાળકોના શિક્ષણ પાછળ વાપરવાનો સંકલ્પ લેવાયો છે. રાધનપુરના મસાલી રોડ સ્થિત સમાજની વાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં વરાણા ભાણ સાહેબ આશ્રમના ભાણ સાહેબ, સુખદેવ બાપુ, જયપાલ બાપુ સહિત મોટી સંખ્યામાં સંતો, અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા. સંમેલનમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત કરવા અને બચતના નાણાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ તેમજ સમાજના વિકાસ પાછળ વાપરવા અપીલ કરાઈ હતી. સાથોસાથ વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ, લાઈબ્રેરી અને નવી ભવ્ય વાડી બનાવવાની યોજનાઓની પણ જાહેરાત કરાઈ છે.4
- થરાદ વાવ રોડ પર આવેલા ગોકુળ ગામમાં ગુરુ બ્રાહ્મણ સમાજની વાડીમાં એક સામાજિક પ્રસંગ દરમિયાન સસરા અને જમાઈ વચ્ચે ભારે હોબાળો અને ઝઘડો થયો હતો. આ વિવાદમાં જમાઈ અને તેમના કાકાને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત થયેલા બંને લોકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.3