Shuru
Apke Nagar Ki App…
મેડી મદાર ગ્રામ પંચાયત મા આરટીઆઈ આપેલ હાટી છેલ્લા 5 વર્ષ 2021 થી 2025 સુધિ માં વિકાસ ના કામો ની મહિતી 37 દિવસ. નિરીક્ષણ mate બોલવે એ યોગી છે
Sanju Parmar
મેડી મદાર ગ્રામ પંચાયત મા આરટીઆઈ આપેલ હાટી છેલ્લા 5 વર્ષ 2021 થી 2025 સુધિ માં વિકાસ ના કામો ની મહિતી 37 દિવસ. નિરીક્ષણ mate બોલવે એ યોગી છે
- Rathva Arjunજાંબુઘોડા, પંચમહાલ, ગુજરાતતપાસ તો થવી જ જોઈએ.3 hrs ago
- Sanju Parmarહાલોલ, પંચમહાલ, ગુજરાતRTI 27/02/2026 આપેલ છે નિરીક્ષણ 7/04/2026 બોલાવે છે શુ કરવાનુ1 day ago
More news from ગુજરાત and nearby areas
- હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમ દ્વારા 14 મી એપ્રિલ મંગળવારના રોજ અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરી ફાયર બ્રિગેડના નામી અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.વર્ષ 1944 માં 14મી એપ્રિલના દિવસે મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલા દારૂગોળા તથા અન્ય જવલનસીલ માલસામાન ભરેલ એક એસ.એસ. ફોર્ટ બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. જેમાં આગને ઓલવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના ઝાડની પરવા કર્યા વિના દેશની માલ મિલકતનું રક્ષણ કરવા તેમજ લોકોની જાનની સલામતી કાજે પોતાની જાતને ન્યોછાવર કરી પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. જેમાં આ ભયાનક હોનારતમાં 300 થી પણ વધારે લોકોએ પોતાના જાન ગુમાવી હોનારતનો ભોગ બન્યા હતા.જેમાં કુદરતી હોનારતો અને માનવસર્જિત હોનારતોમાં લોકોના જાન માલનું રક્ષણ કરવા પોતાના જીવને ન્યોછાવર કરી પોતાના પ્રાણીની આહુતિ આપનાર અને ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી ફાયર બ્રિગેડના શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪મી એપ્રિલના રોજ અગ્નિસમન સેવા દિન મનાવાય છે.જે અંતર્ગત હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમના કર્મચારીઓ દ્વારા ૧૪ મી એપ્રિલ મંગળવારના રોજ અગ્નિસમન સેવા દિન નિમિત્તે નગરના રાજમાર્ગો પર અગ્નિસમન વાહનોનું પ્રદર્શન કરી નગરના વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશન ને વિવિધ કાર્યક્રમો થકી ૧૪ મી એપ્રિલ અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરી હતી અને ફાયર બ્રિગેડના દેશના તમામ નામી અનામી ફાયર ફાઈટર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ફાયર ફાઈટર ના સાધનોનું પ્રદર્શન યોજ્યું હતું1
- કાલોલ નગરમાં બાબાસાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી નિમિત્તે પંચમહાલ જીલ્લા દલીત સમાજનો ભવ્ય કાર્યક્રમ યોજાયો કાલોલ ખાતે સમગ્ર દલિત સમાજ અને પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી એમની ભવ્ય જન્મ જયંતી ઉજવવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના વાલ્મિકી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પક્ષપાત, જ્ઞાતિના વાળા છેડા ભૂલી સમગ્ર વાલ્મિકી સમાજ એકત્ર થઈ સુત્રોચાર પણ કર્યા હતા. એક જ સાહેબ બાબાસાહેબ, બાબા સાહેબ અમર રહો જેવા ગગનચુંબી ભવ્ય નારાઓ સમાજે લગાવ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ પ્રમુખ પરસોત્તમભાઈ,હાઈ પાવર કમિટીના અધ્યક્ષ કિરણભાઈ, મહામંત્રી ભરતભાઈ માસ્તર ,રમેશભાઈ તલાટી,દેલોલના મનોજભાઈ, હાલોલ ના આગેવાન નવીનભાઈ, કાલોલ આગેવાનોમાં મુકેશભાઈ,ડોક્ટર સુનિલ સોલંકી, પ્રમોદભાઈ નાગર, કનેટીયાના ખજાનચી જતીનભાઈ,ખરસલીયાના વકીલ દિનેશભાઈ,કાલોલ તાલુકા પ્રમુખ સંજયભાઈ વણકર,શહેરના પ્રમુખ કંચનભાઈ અને મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લા અને કાલોલ તાલુકાના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાબા સાહેબના વિચારોને આગળ વધારવા, સમગ્ર દલિતોને આ આગેવાનોએ પ્રોત્સાહિત કર્યા હતા બાકરોલના આગેવાન રામભાઈ ના પુત્રી દ્વારા બાબા સાહેબ અંગે સુંદર પ્રવચન આપ્યું હતું જેમાં બાબાસાહેબના વિચારોને વળગી રહેવા અને બાબા સાહેબની જ્યોત આગળ લઈ જવા આહવાન કર્યું હતું આ દીકરીનું વક્તવ્ય ખૂબ જ ઉમદા હતું સમગ્ર દલિત સમાજે તાળીઓ થી આ પ્રવચનને વધાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ, અશોકભાઈ અને સમાજના આગેવાન ભરતભાઈ એ ખૂબ જ સુંદર રીતે કરી આ પ્રસંગને શોભાવ્યો હતો.1
- Post by Yunis Parmar CRIME ATTACK NEW1
- Post by Nationgujarat.com1
- Post by THAKOR PARMAR1
- Post by Dhavalbhai Baria1
- Post by Mr BHIl Vishnubhai kalidash3
- 24 કરોડ નવાર્ણ મંત્ર આહુતિ માં આજે મંગળવારના રોજ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શિવ મહારુદ્ર યજ્ઞ અનુષ્ઠાન 33 દિવસમાં પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે.પાવાગઢ યાત્રાધામ ખાતે 15 જાન્યુઆરી 2026 થી શરૂ થયેલો 24 કરોડ નર્વાણ મંત્ર અનુષ્ઠાનમાં રાજ્ય અને દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે પહોંચ્યા હતા અને રાત-દિવસ ચાલતી આ ભવ્ય ધાર્મિક કૃતિમાં ઉત્સાહભેર જોડાયા હતા અને આહુતિનો લાભ લીધો હતો.ત્યારે આજે નવાર્ણ મંત્ર પૂર્ણાવતીમાં પાવાગઢ મંદિર ના સંસ્થાના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ,સ્વામી પરમાનંદજી,પરમ પૂજ્ય રામસરણ દાસજી મહારાજ,કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યા, વિનોદ ભાઈ વરીયા, ડૉ વિજયભાઈ પટેલ,પરેશ ભાઈ પટેલ મંદિરના મેનેજર વિક્રમભાઈ અને વિદવાન બ્રાહ્મણો દ્વારા 24 કરોડ નર્વાણ મંત્રોની વિશેષ આહુતિ આપી, અનુષ્ઠાનની આજે પૂર્ણાવતી કરવામાં આવી હતી અને ભક્તોને આ અનુષ્ઠાન દ્વારા ધન્યતા અનુભવવાની તક મળી હતી યાત્રિકો પણ તેમના ભાવભીની આહુતિ દ્વારા આ ધાર્મિક કાર્યક્રમને સન્માનિત કર્યા હતા.આ મહાયજ્ઞ સમગ્ર રાજ્યમાં આસ્થાનું કેન્દ્ર બનીને વિવિધ વયજૂથના લોકોને આત્મિક શાંતિ અને પ્રસન્નતા અનુભવવા માટે પ્રેરિત કરી રહ્યું છે.ભક્તો મહાકાળી મંદિરના દર્શન કરી ધાર્મિક આનંદ અને મનની શાંતિ અનુભવી રહ્યા છે.1