Shuru
Apke Nagar Ki App…
સંખેડા ગામમાં બારીયા સમાજની વાડીએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં કુલ 40 ટીમ હતી જેમાં સંખેડા ઇલેવન અને ઓરવાડા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં સંખેડા ઇલેવનની જીત થઈ હતી. જેમાં જીતેલી ટીમને 21001 અને ટ્રોફી આપવામાં આવી હતી.
Dhavalbhai Baria
સંખેડા ગામમાં બારીયા સમાજની વાડીએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં કુલ 40 ટીમ હતી જેમાં સંખેડા ઇલેવન અને ઓરવાડા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં સંખેડા ઇલેવનની જીત થઈ હતી. જેમાં જીતેલી ટીમને 21001 અને ટ્રોફી આપવામાં આવી હતી.
More news from ગુજરાત and nearby areas
- Post by Mr BHIl Vishnubhai kalidash4
- 24 કરોડ નવાર્ણ મંત્ર આહુતિ માં આજે મંગળવારના રોજ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શિવ મહારુદ્ર યજ્ઞ અનુષ્ઠાન 33 દિવસમાં પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે.પાવાગઢ યાત્રાધામ ખાતે 15 જાન્યુઆરી 2026 થી શરૂ થયેલો 24 કરોડ નર્વાણ મંત્ર અનુષ્ઠાનમાં રાજ્ય અને દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે પહોંચ્યા હતા અને રાત-દિવસ ચાલતી આ ભવ્ય ધાર્મિક કૃતિમાં ઉત્સાહભેર જોડાયા હતા અને આહુતિનો લાભ લીધો હતો.ત્યારે આજે નવાર્ણ મંત્ર પૂર્ણાવતીમાં પાવાગઢ મંદિર ના સંસ્થાના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ,સ્વામી પરમાનંદજી,પરમ પૂજ્ય રામસરણ દાસજી મહારાજ,કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યા, વિનોદ ભાઈ વરીયા, ડૉ વિજયભાઈ પટેલ,પરેશ ભાઈ પટેલ મંદિરના મેનેજર વિક્રમભાઈ અને વિદવાન બ્રાહ્મણો દ્વારા 24 કરોડ નર્વાણ મંત્રોની વિશેષ આહુતિ આપી, અનુષ્ઠાનની આજે પૂર્ણાવતી કરવામાં આવી હતી અને ભક્તોને આ અનુષ્ઠાન દ્વારા ધન્યતા અનુભવવાની તક મળી હતી યાત્રિકો પણ તેમના ભાવભીની આહુતિ દ્વારા આ ધાર્મિક કાર્યક્રમને સન્માનિત કર્યા હતા.આ મહાયજ્ઞ સમગ્ર રાજ્યમાં આસ્થાનું કેન્દ્ર બનીને વિવિધ વયજૂથના લોકોને આત્મિક શાંતિ અને પ્રસન્નતા અનુભવવા માટે પ્રેરિત કરી રહ્યું છે.ભક્તો મહાકાળી મંદિરના દર્શન કરી ધાર્મિક આનંદ અને મનની શાંતિ અનુભવી રહ્યા છે.1
- Post by Yunis Parmar CRIME ATTACK NEW1
- રંગપુર પો.સ્ટે. ખાતે નોધાયેલ અન-ડિટેક્ટ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમા ઉકેલી આરોપીને પક્ડી પાડતી છોટાઉદેપુર ક્રાઈમ બ્રાંચ તેમજ રંગપુર પોલીસ રંગપુર પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૮૨૬૦૧૮૧/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો તા.૧૧/૦૪/૨૦૨૬ ના કલાક.૧૮/૦૦ વાગે થી તા-૧૨/૦૪/૨૦૨૬ ના કલાક-૦૬/૩૦ વાગે દરમ્યાન કોઈ પણ વખતે મોજે કોલી ગામે બનવા પામેલ હતો જે ગુનાના કામના ફરીયાદીના પિતા જંન્દુભાઇ કાળીયાભાઈ રાઠવા ઉ.વ.૭૫ નાઓ બડવા (ભુવાનુ)કામ કરતો હોય રાત્રીના સમયે કોઈ અજાણ્યો ઇસમ કોઇ અગ્મય કારણોસર કોઈ તીક્ષ્ણ ધારદાર હથીયાર વડે ઉપરા છાપરી ઘા કરી મોત નીપજાવી હથીયાર લઇ નાસી જઈ જીલ્લા મેજી. સા.શ્રી. છો.ઉ નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતની હકીકત મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુનો અન-ડિટેક્ટ રહેવા પામેલ હોય સદર અન-ડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા સારૂ શ્રી સંદિપસિંઘ પોલીસ મહાનિરિક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધીક્ષક છો.ઉ. ડિવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એમ.એફ.ડામોર પોલીસ ઇન્સપેક્ટર લોકલ ક્રાઈમ બ્રાંચ છોટાઉદેપુર તથા શ્રી જે.ડી.પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા શ્રી જે.ડી.રાઠોડ પો.સ.ઈ. તથા શ્રી વી.એન.ચાવડા પો.સ.ઈ. એલ.સી.બી.શાખા તથા શ્રી આર.ડી.પલાસ પો.સ.ઈ. રંગપુર પો.સ્ટે. તથા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાંચ તથા રંગપુર પોલીસ સ્ટેશન ના સ્ટાફ ના માણસોની ટીમો બનાવી આ ગુનાના કામે હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી ગુનો શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરેલ હતી. તપાસ દરમ્યાન એક ઈસમ ભુરસીંગભાઈ ભંગડાભાઈ રાઠવા ઉ.વ.૫૫ રહે.કોલી નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓને શંકાના આધારે પુછપરછ કરતા શરૂઆતમા કોઈ હકીકત જણાવેલ નહી પરંતુ તેને વિશ્વાસમા લઈ યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા અંતે તે ભાંગી પડેલ હતો અને તેણે કબુલાત કરેલ કે તે મરણજનાર સાથે અવાર-નવાર બડવાની વીધી કરવા મદદમાં જતો હતો અને તેને મરણજનાર વીધીના મળેલ પૈસા માંથી ઓછો ભાગ આપતો હોય જે બાબતે તેઓને અગાઉ બોલા-ચાલી ઝગડો થયેલ જેની અદાવત રાખી સદર ગુનો આચરેલ હોવાની કબુલાત કરતા તેને આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભુરસીંગભાઈ ભંગડાભાઈ રાઠવા ઉ.વ.૫૫ રહે.કોલી નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુર ગણતરીના કલાકોમાં મર્ડર કેસનો ભેદ ઉકેલાયો છોટાઉદેપુર જિલ્લામાં રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન-ડિટેક્ટ મર્ડરના ગુનાનો છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચ અને રંગપુર પોલીસની સંયુક્ત કામગીરીથી ઝડપથી ભેદ ઉકેલવામાં આવ્યો છે. ઘટનાની વિગત: રંગપુર પોલીસ સ્ટેશનમાં A પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૮૨૬૦૧૮૧/૨૦૨૬ મુજબ ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ઘટના તા. ૧૧/૦૪/૨૦૨૬ સાંજે ૬:૦૦ થી તા. ૧૨/૦૪/૨૦૨૬ સવારે ૬:૩૦ વચ્ચે કોલી ગામે બની હતી. મૃતક જંન્દુભાઈ કાળીયાભાઈ રાઠવા (ઉ.વ. ૭૫), જે ભુવાનુ (બડવા) કામ કરતા હતા, તેમને કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તીક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી: આ અન-ડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા માટે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ, છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક અને ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ LCB અને રંગપુર પોલીસની ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો. ગુનાનો ભેદ: તપાસ દરમ્યાન ભુરસીંગભાઈ ભંગડાભાઈ રાઠવા (ઉ.વ. ૫૫) રહે. કોલી નિશાળ ફળીયા ને શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી. શરૂઆતમાં તેણે ગુનો નકારી દીધો હતો, પરંતુ પોલીસ દ્વારા યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ કર્યો. હત્યા પાછળનું કારણ: આરોપી અને મૃતક સાથે મળીને ભુવાનુ (બડવા) કામ કરતા હતા. મળતી રકમમાં ઓછો ભાગ આપતા હોવાથી બંને વચ્ચે અગાઉ ઝગડો થયો હતો. આ જ અદાવત રાખીને આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી. પકડાયેલ આરોપી: ભુરસીંગભાઈ ભંગડાભાઈ રાઠવા (ઉ.વ. ૫૫) રહે. કોલી નિશાળ ફળીયા, તા. જી. છોટાઉદેપુર હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.1
- थाने में मारपीट का वीडियो वायरल — क्या पुलिस को है कानून से ऊपर होने का हक?” “जनता पूछ रही सवाल: अगर पुलिस ही कानून तोड़े, तो न्याय कौन देगा?”1
- કાલોલ નગરમાં બાબાસાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી નિમિત્તે પંચમહાલ જીલ્લા દલીત સમાજનો ભવ્ય કાર્યક્રમ યોજાયો કાલોલ ખાતે સમગ્ર દલિત સમાજ અને પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી એમની ભવ્ય જન્મ જયંતી ઉજવવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના વાલ્મિકી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પક્ષપાત, જ્ઞાતિના વાળા છેડા ભૂલી સમગ્ર વાલ્મિકી સમાજ એકત્ર થઈ સુત્રોચાર પણ કર્યા હતા. એક જ સાહેબ બાબાસાહેબ, બાબા સાહેબ અમર રહો જેવા ગગનચુંબી ભવ્ય નારાઓ સમાજે લગાવ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ પ્રમુખ પરસોત્તમભાઈ,હાઈ પાવર કમિટીના અધ્યક્ષ કિરણભાઈ, મહામંત્રી ભરતભાઈ માસ્તર ,રમેશભાઈ તલાટી,દેલોલના મનોજભાઈ, હાલોલ ના આગેવાન નવીનભાઈ, કાલોલ આગેવાનોમાં મુકેશભાઈ,ડોક્ટર સુનિલ સોલંકી, પ્રમોદભાઈ નાગર, કનેટીયાના ખજાનચી જતીનભાઈ,ખરસલીયાના વકીલ દિનેશભાઈ,કાલોલ તાલુકા પ્રમુખ સંજયભાઈ વણકર,શહેરના પ્રમુખ કંચનભાઈ અને મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લા અને કાલોલ તાલુકાના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાબા સાહેબના વિચારોને આગળ વધારવા, સમગ્ર દલિતોને આ આગેવાનોએ પ્રોત્સાહિત કર્યા હતા બાકરોલના આગેવાન રામભાઈ ના પુત્રી દ્વારા બાબા સાહેબ અંગે સુંદર પ્રવચન આપ્યું હતું જેમાં બાબાસાહેબના વિચારોને વળગી રહેવા અને બાબા સાહેબની જ્યોત આગળ લઈ જવા આહવાન કર્યું હતું આ દીકરીનું વક્તવ્ય ખૂબ જ ઉમદા હતું સમગ્ર દલિત સમાજે તાળીઓ થી આ પ્રવચનને વધાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ, અશોકભાઈ અને સમાજના આગેવાન ભરતભાઈ એ ખૂબ જ સુંદર રીતે કરી આ પ્રસંગને શોભાવ્યો હતો.1
- Post by Dhavalbhai Baria1
- Post by Mr BHIl Vishnubhai kalidash4
- 1908 ની પાટીદાર સંસ્થા અખિલ ભારતીય ગુજર મહાસભા ના રાષ્ટ્રીય અઘ્યક્ષ દીપકબાપુ સાહેબ અને ગોરધનભાઈ ઝડફિયાના સૂચન થી ગુજર મહાસભા ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બચ્ચુંસિંહ બેસલાજીએ અખિલ ભારતીય ગુજર મહાસભા ગુજરાત પ્રદેશ ના અઘ્યક્ષ પદે ભરૂચ જિલ્લાના મોહનભાઇ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મહાસભા ના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ તરીકે પાટીદાર નેતા અલ્પેશ ભાઈ કથીરિયા. તેમજ રાષ્ટ્રીય મંત્રી તરીકે ભરતભાઈ સુદામભાઈ પટેલ એમની તથા મણિલાલભાઈ પુનાભાઈ પટેલ સુરત(નિઝર) એમની નિમણુંક થવા પામી છે.1