Shuru
Apke Nagar Ki App…
અંકલેશ્વરમાં ચકચારજનક ઘટના! સાળંગપુર ગામ નજીક કથિત નશો કર્યા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોતની આશંકા, જ્યારે અન્ય બે યુવાનોની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે તપાસ શરૂ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.
Gujarat Introverted day
અંકલેશ્વરમાં ચકચારજનક ઘટના! સાળંગપુર ગામ નજીક કથિત નશો કર્યા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોતની આશંકા, જ્યારે અન્ય બે યુવાનોની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે તપાસ શરૂ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.
More news from ગુજરાત and nearby areas
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરાયા કરજણ તાલુકાના વેમાર ગામે છેલ્લા 25 વર્ષથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે વેમાર યુવક મંડળ દ્વારા અનોખી શિવ મહેલ થીમ તૈયાર કરી તેમાં ભગવાન ગણેશજીને શિવજીના સ્વરૂપમાં ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા છે... ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના માટે વેમાર યુવક મંડળના ગણેશ ભક્તો દ્વારા છેલ્લા 7 મહિનાથી અથાગ મહેનત કરી થીમ તૈયાર કરવામાં આવી હતી. શિવ મહેલની દીવાલો, સ્તંભો સહિતનો સમગ્ર શણગાર યુવક મંડળના સભ્યો અને ગણેશ ભક્તોએ જાતે તૈયાર કર્યો છે... પરંપરાગત ગણેશ સ્થાપનાને આ વર્ષે કલાત્મક અને ધાર્મિક થીમ સાથે જોડવામાં આવતા વેમાર ગામમાં ગણેશ ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવક મંડળની મહેનત અને સર્જનાત્મકતાની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે...1
- સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે? સુરત શહેરમાં ગેરકાયદેસર બહુમાળી બાંધકામોનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. સાંકડી ગલીઓ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, માર્જિન અને ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓ વિના બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાના આક્ષેપો છે. સવાલ એ છે કે નિર્દોષોના ઘરો તોડવાની કાર્યવાહી થાય છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત કેમ છે? નોટિસ, કાર્યવાહી અને દેખાવ પૂરતા ડિમોલિશનથી સમસ્યાનો અંત આવવાનો નથી. જો ખરેખર શહેરહિતમાં કામગીરી કરવી હોય તો નિયમોનો સમાન રીતે અમલ થવો જોઈએ અને જવાબદારી નક્કી થવી જોઈએ. ભૂતકાળની ઘટનાઓમાંથી તંત્રએ બોધ લેવો જરૂરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષોના જીવ જાય ત્યાર બાદ કાર્યવાહી થાય, તેના બદલે આજે જ કડક પગલાં કેમ નહીં? સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?1
- प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के उपलक्ष्य में सूरत में ‘एक दीया आशीर्वाद के लिए’ अभियान के तहत ताप्ती नदी के किनारे महाआरती और दीप प्रज्ज्वलन कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में बड़ी संख्या में लोगों ने हिस्सा लिया।1
- મઢી સુગરની ચૂંટણીમાં સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે રસાકસી. 14 ઝોનમાં 26 બુથ પર મતદાન, જેમાં માંડવી 1માં 1337 મતદારોમાંથી 830 તેમજ માંડવી 2 માં 1495 માંથી 1016 મતદારોએ મતદારોએ મતદાન કર્યું. મઢી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જમ્યો હતો . બંને પેનલ સાથે ભાજપ સાથે સંકળાયેલા આગેવાનો જોડાયેલા હોવાથી ચૂંટણીમાં આંતરિક રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે. 17માંથી ત્રણ ઝોન બિનહરીફ થયા બાદ બાકીના 14 ઝોન માટે 26 જેટલા મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. આશરે 18,900 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બંને પેનલના ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારો મળી કુલ 43 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. સહકાર પેનલના સમીર ભક્ત અને કિસાન પરિવર્તન પેનલના જીતેન્દ્ર પટેલ ઉર્ફે જીતુ બામણી પ્રમુખપદના દાવેદાર બિનહરીફ થયા છે. હવે જોવું એ રહ્યું કે મતદારો કળશ કોના પર ઢોળશે ,22 સપ્ટેમ્બરે મઢી હાઈસ્કૂલ ખાતે મતગણતરી દિવસે સાચું ચિત્ર સ્પષ્ટ થઈ જશે ત્યાં સુધી થોભો ને રાહ જુઓ. રિપોર્ટર ઇશ્વરભાઇ સોલંકી માંડવી.4
- અલથાણ વાસ્તુ ડિસ્કવરીમાં આવેલ શિવશક્તિ પસ્તીની દુકાનમાં શટર તોડી ચોરી કરતા “હરણ ગેંગ” ના બે આરોપીઓને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ1
- અંકલેશ્વરના સાળંગપુર નજીક 2 યુવાનોના મોતની આશંકા ચાર યુવાનોએ નશો કર્યા બાદ ઘટના બની હોવાની માહિતી 2 યુવાનોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાયું1
- અંકલેશ્વરમાં ચકચારજનક ઘટના! સાળંગપુર ગામ નજીક કથિત નશો કર્યા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોતની આશંકા, જ્યારે અન્ય બે યુવાનોની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે તપાસ શરૂ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.1